નો ગર્લ્સ અલાઉડ - ભાગ 38

  • 1.4k
  • 1
  • 894

આદિત્યને કવિતાની વાત યોગ્ય લાગી. કારણ કે એ ખુદ પણ જાણતો હતો કે એ પરિવારને ઓછો અને કવિતાને વધુ સમય આપતો હતો. " અને ત્યાર પછી જ્યારે મને એ સમાચાર મળ્યા કે તારા પિતાજીનું અવસાન થઈ ગયું છે અને એ સમયે પણ તું મારી સાથે જ હતો! જ્યારે એ સમય તારે ત્યાં હોવું જોઈએ..તો બસ પછી મેં નિણર્ય લઈ લીધો કે હું તને છોડી દઈશ..મને ખબર હતી કે તું મને નફરત કરીશ...પણ આ નફરતથી જો તું તારા કરિયરમાં આગળ વધતો હોય, તું ફરી તારા પરિવારનું ધ્યાન રાખતો હોય તો મને આ તારી નફરત પણ સ્વીકાર છે...અને આજે પણ હું તારા