પ્રેમ આત્માનો - ભાગ 4

  • 804
  • 438

(આગળ ના ભાગ માં જોયું કે નટવર અને પાયલ બન્ને મંદિરે મળી જાય છે, નટવર પાયલ ને બધી હકીકત કહે છે, પાયલ પણ પોતાના પ્રેમ ને અંદર રાખી નટવર ને સમજાવે છે અને તેને તેના જીવન માં આગળ વધવાનું કહે છે.)નટવર પોતાના ઘરે જાય છે, તેને ચેન પડતું નથી, પાયલ ના જ વિચારો તેના મગજ માં ફર્યા કરે છે.સુશીલા બેન :શુ થયું બેટા, ચિંતા ના કર છોકરી ના નહિ પાડે, એને તો બે ઘર ની ઇજ્જત સાચવવાની હોય બેટા.નટવર :કઈ નઈ મમ્મી, તું એમ કે એ કેટલા વાગે આવે છે, આપણે ત્યાં???સુશીલા બેન :બપોર પછી આવવાના છે, સાંજે વાળું કરી