Raamnaam - 1 books and stories free download online pdf in Gujarati

રામનામ - 1

ગાંધીજી

(1)

પ્રકાશનું નિવેદન

રામનામ વિશેની શ્રદ્ધાંનું બીજ ગાંધીજીના અંતરમાં રોપનાર તેમની દાઇ રંભા હતી. એ વિશેની ઉલ્લેખ ગાંધીજીએ પોતે’આત્મકથા’ માં કર્યો છે. બચપણમાં અંતરમાં રોપાયેલું એ બીજ ગાંધીજીની સાધનાનાં વર્ષો દરમિયાન ઉત્તરોત્તર વિકસતું ગયું. આધ્યત્મિક, માનસિક અને શારીરિક, ત્રણે પ્રકારની મુશ્કેલીઓમાં રામનામ માણસનો સૌથી મોટો આધાર બને છે એવી શ્રદ્ધા ગાંધીજીએ પોતાનાં લખાણોમાં વારંવાર વ્યક્ત કરી છે. છેવટનાં વર્ષોમાં નિસર્ગોપચારનું કામ માથે લીધા બાદ તેમણે ઘણી વાર લખ્યું છે કે શરીરના વ્યાધિઓને શમાવવાનો રામબાણ કુદરતી ઇલાજ રામનામ છે.

રામ નામ વિશેની ગાંધીજીની આ શ્રદ્ધા વ્યક્ત કરનારાં લખાણોનું શ્રી ભારતન કુમારપ્પાએ અંગ્રેજીમાં સંપાદિત કરેલું પુસ્તક નવજીવન કાર્યોલયે પ્રસિદ્ધ કર્યું છે. આ પુસ્તક તેને આધારે તૈયાર કર્યું છે. નોંધવા જેવી એક હકીકત એવી છે કે રામનામ વિશેનાં પોતાનાં કેટલાયે લખાણ ગાંધીજીએ ગુજરાતીમાં લખેલાં અને તેમનું અંગ્રેજી કરવામાં આવેલું. એવા લખાણોનું મૂળ ગુજરાતી જ આ સંગ્રહમાં આપવાની કાળજી રાખવામાં આવી છે.

ગાંધીસાહિત્યના અને રામનામના ચાહકોને આ સંગ્રહ ઘણો રુચશે એવી ખાતરીથી તે પ્રસિદ્ધ કર્યો છે.

અભ્યાસી પ્રત્યે

મારાં લખાણોના ઉદ્યમી અભ્યાસીઓને તેમ જ એમાં રસ લેનાર બીજાઓને કહેવા ઇચ્છું છું કે, મને સર્વ કાળે એકરૂપ જ દેખાવાની કશી પરવા નથી. સત્યની મારી શોધમાં મેં ઘણા વિચારોનો ત્યાગ કર્યો છે ને ઘણી નવી વસ્તુઓ શીખ્યો છું. ઉંમરમાં હું ભલે વૃદ્ધ થયો હોઉં, પણ મારો આંતરિક વિકાસ થતો અટકાયો છે અથવા દેહ પડ્યા પછી મારો વિકાસ અટકી જશે એવું મને લાગતું નથી. મને એક જ વસ્તુની પડી છે, ને તે પ્રતિક્ષણ સત્યનારાયણની વાણીને અનુસરવાની મારી તત્પરતા છે. અને તેથી કોઇને મારાં બે લખાણોમાં વિરોધ જેવું જણાય ત્યારે, જો તેને મારા ડહાપણ વિશે શ્રદ્ધા હોય તો, એક જ વિષયનાં બે લખાણોમાંથી પાછલાને તે પ્રમાણભૂત માને.

હરિજનબંધુ, ૩૦-૪-’૩૩

-ગાંધીજી

સંપાદકની નોંધ

મુશ્કેલી આવી પેડ ત્યારે રામનામ લેવાનું ગાંધીજીએ બચપણમાં જ શીખવવામાં આવ્યું હતું. એક સત્યાગ્રહી કે દૃઢતાથી સત્યને અથવા ઇશ્વરને દિવસના ચોવીસે કલાક વફાદાર રહેવાનું વ્રત ધારણ કરનાર તરીકે અનુભવે ગાંધીજીએ જોયું કે પોતાની મુશ્કેલીમાં કાયમ રામાધાન આપનાર ઇશ્વર છે. પોતાની તપસ્યાની શરૂઆતમાં એમની પહેલવહેલી કસોટી બ્રહ્મચર્યપાલનને અંગે થઇ. એમણે પોતે આપણને કહ્યું છે કે મનમાં બૂરા વિચાર ઊઠતા અટકાવવામાં અને ઊઠે ત્યારે તેમની સામે થવામાં રામનામની મને મોટામાં મોટી ઓથ હતી. ઉપવાસોની માનસિક વ્યથામાંથી અને સામાજિક, ધાર્મિક, આર્થિક તેમ જ રાજદ્ધારી ક્ષેત્રમાં નવો ચીલો પાડનારા એકાકી રાહદારી તરીકે એમને ભાગે આવેલાં આત્મમંથનોમાંથી રામનામે જ એમને પાર ઉતાર્યા. પરંતુ ગાંધીજી ઇશ્વરનું શરણું જેમ વધારે સ્વીકારતા ગયા તેમ તેમ છેલ્લે એમણે એવી શોધ કરી કે શરીરના વ્યાધિઓ મટાડવાનો ઇલાજ પણ રામનામ જ છે.

સત્યની શોધ દરમ્યાન અને માનવપ્રાણીની શારીરિક પીડામાંથી તેને રાહત આપવાની તાલાવેલીમાંથી ગાંધીજીએ તાજી હવા, માલિસ, સ્નાન, ઉપવાસ, આહારનિયમન, માટીના પાટા અને એવા જ બીજા બીમારી મટાડવાના સાદા અને ખરચમાં સાવ સસ્તા પડે તેવા ઇલાજો ઘણા ઢબે નફો કરવામાં હેતુથી આજે કારખાનાંઓમાં બનાવવામાં આવતી પાર વગરની દવાઓની માણસના શરીરયંત્ર પર આખરે માઠી અસર થાય છે અને તેના કરતાં આ સાદાસસ્તા ઇલાજો કુદરતને અથવા ઇશ્વરી કાનૂનને અનુસરનારા હોઇ ફાયદો આપનારા છે.

પરંતુ ગાંધીજીએ બીજી એક પ્રતીતિ પણ હતી કે માણસ એટલે એકલું એનું શરીર જ નથી અને તેથી તેની બીમારીના કેવળ શારીરિક ઇલાજો પૂરતી નથી. દરદીના મનનો તેમ જ આત્માનો પણ ઇલાજ કરવો જરૂરી છે. મન અને આત્મા તંદુરસ્ત હોય તો શરીર પણ તંદુરસ્ત રાખવાનો રામનામ અથવા ઇશ્વરરૂપી મહાન વૈદ્ય પર ભક્તિપૂર્ણ શ્રદ્ધા રાખવા જેવો તેમ જે તેણે શરણે જવા જેવો બીજો રામબાણ ઇલાજ નથી. માણસ પોતાને પૂરેપૂરો ઇશ્વરને હવાઢો કરી દે, ખોરાક, અંગત સ્વચ્છતા અને શરીરની સંભાળ, ખાસ કરીને રાગદ્ધેષો તેમ જ મનના બીજા આવેગો પર ને સામાન્ય રીતે જાત પર કાબૂ અને બીજા માણસો સાથેના સંબંધો એ બાબતોમાં ઇશ્વરના કાનૂન મુજબ ચાલે તો તે બીમારીમાંથી ઊગરી જાય એમ ગાંધીજી ચોક્કસપણે માનતા. આવી નીરોગી દસા સિદ્ધ કરવાને તેઓ હંમેશ મથતા. વળી, બીજા લોકો પણ એવી દશા મેળવી શકે તેટલા ખાતર પોતાની નિસર્ગોપચારની પદ્ધતિ ઉપરાંત દરદીઓને રામનામના ગુણ જ્યાં શીખવવામાં આવે એવી નિસર્ગોપચારની પોતાની છેલ્લી સંસ્થા ઊરુળીકાંચનમાં તેમણે સ્થાપી. રામનામને વિશેના ગાંધીજીના વિચારો તેમ જ અનુભવ તેમના પોતાના શબ્દોમાં વાચકોની ગાંધીજીના વિચારો તેમ જ અનુભવ તેમના પોતાના શબ્દોમાં વાચકોની આગળ મૂકવાની આ નાની ચોપડીમાં નમ્ર કોશિશ કરવામાં આવી છે.

મુંબઇ

ભારતન કુમારપ્પા

૧. બીજ

છે કે સાત વર્ષથી માંડીને હવે સોળ વર્ષનો થયો ત્યાં સુધી અભ્યાસ કર્યો, પણ ક્યાંયે ધર્મનું શિક્ષણ નિશાળમાં ન પામ્યો. શિક્ષકો પાસેથી સહેજે મળવું જોઇએ તે ન મળ્યું એમ કહેવાય. એમ છતાં વાતાવરણમાંતી કંઇક ને કંઇક તો મળ્યાં જ કર્યું. અહીં ધર્મનો ઉદાર અર્થ કરવો જોઇએ. ધર્મ એટલે આત્મભાન, આત્મજ્ઞાન.

મારો જન્મ વૈષ્ણવ. સંપ્રદાયમાં, એટલે હવેલીઓ જવાનું વખતોવખત બને. પણ તેને વિશે શ્રદ્ધા ઉત્પન્ન ન થઇ. હવેલીનો વૈભવ મને ન ગમ્યો. હવેલીમાં ચાલતી અનીતિની વાતો સાંભળતો તેથી તેને વિશે મને ઉદાસ થઇ ગયું. ત્યાંથી મને કંઇ જ ન મળ્યું.

પમ જે હવેલીમાંથી ન મળ્યું તે મારી દાઇ પાસેથી મળ્યું તે કુટુંબની જૂની નોકર હતી. તેનો પ્રેમ મને આજે પણ યાદ છે. હું આગળ જણાવી ગયો છું કે હું ભૂતપ્રેત આદિથી ડરતો. તેનું ઔષધ રામનામ છે એમ રંભાએ સમજાવ્યું. મને તો રામનામના કરતાં રંભા ઉપર વધારે શ્રદ્ધા હતી, તેથી મેં બાળવયે ભૂતપ્રેતાદિના ભયથી બચવા રામનામનો જપ શરૂ કર્યો. તે બહુ સમય ન ટક્યો. પણ જે બીજ બચપણમાં રોપાયું તે બળી ન ગયું. રામનામ આજે મારે સારુ અમોધ રોપાયું તે બળી ન ગયું. રામનામ આજે મારે સારુ અમોધ શક્તિ છે, તેનું કારણ હું રંભાબાઇએ રોપેલું બીજ ગણું છું....

પણ જે વસ્તુએ મારા મન ઉપર ઊંડી છાપ પાડી તે તો રામાયણનું પારાયણ હતી. પિતાશ્રીની માંદગીનો કેટલોક સમય પોરબંદરમાં ગયેલો. અહીં તેઓ રામજીના મંદિરમાં રોજ રાત્રે રામાયણ સાંભળતા. સંભળાવનાર રામચંદ્રજીના એક પરમ ભક્ત, બીલકેશ્વરના લાધા મહારાજ કરીને હતા. તેમને વિશે એમ કહેવાતું કે, તેમને કોઢ નીકળ્યો હતો. તેની દવા કરવાને બદલે તેમણે બીલેશ્વરનું બીલીપત્ર જે મહાદેવ ઉપરથી ઊતરતાં તે કોઢિયેલ ભાગ ઉપર બાંધ્યાં ને કેવળ રામનામનો જપ આદર્યો. અંતે તેમનો કોઢ જડમૂળથી નાશ પામ્યો. આ વાત ખરી હો કે ન હો, અમે સાંભળનારાઓએ ખરી માની. એટલું પણ ખરું કે લાધા મહારાજે જ્યારે કથાનો આરંંભ કર્યો ત્યારે તેમનું શરીર તદ્દન નીરોગી હતું. લાધા મહારાજનો કંઠ મીઠો હતો. તેઓ દોહાચોપાઇ ગાતા ને અર્થ સમજાવતા. પોતે તેના રસમાં લીન થઇ જતા અને અને શ્રોતાજનને લીન કરી મૂકતા. મારી ઉંમર આ સમયે તેર વર્ષની હશે, પણ મને તેમના વાચનમાં ખૂબ રસ આવતો એ યાદ છે. આ રામાયણશ્રવણ મારા વાચનમાં ખૂબ રસ આવતો એ યાદ છે. આ રામાયણશ્રવણ મારા રામાયણ પરના અત્યંત પ્રેમનો પાયો છે. આજે હું તુલસીદાસના રામાયણને ભક્તિમાર્ગનો સર્વોત્તમ ગ્રંથ ગણું છું.

આત્મકથા (૧૯૫૬ની આવૃત્તિ), પૃ. ૨૯-૩૦

૨. નીતિરક્ષાનો ઉપાય

મારા વિચારના વિકારો ક્ષીણ થતા જાય છે પમ નાશ નથી પામ્યા. જો હું વિચારો ઉપર સામ્રાજ્ય મેળવી શક્યો હોત તો છેલ્લાં દસ વરસ દરમ્યાન જે ત્રણ દરદો : પાંસળાનો વરમ, મરડો ને ‘ઍપેન્ડિક્સ’નો વરમ, મને થયાં તે ન જ થાય. હું માનું છું કે નીરોગી આત્માનું શરીર પણ નીરોગી હોય. એટલે જેમ આત્મા નીરોગી - નિર્વિકારી - થતો જાય તેમ તેમ શરીર પણ નીરોગી થતું જાય. આનો અર્થ એવો નથી કે નીરોગી શરીર એટલે બળવાન શરીર. બળવાન આત્મા ક્ષીણ શરીરમાં જ વસે છે. જેમ આત્મબળ વધે તેમ શરીરક્ષીણતા

હું પૂર્ણત્વથી તો બહુ છેટે છું, પૂર્ણત્વનો હું એક નમ્ર સાધક છું. અને મને સાધનની પણ ખબર છે. પણ સાધન જાણ્યું એટલે સાધ્યને પહોંચ્યા એવું તો નથી જ. જો હું પૂર્ણ હોત, જો મેં મારા પણ પૂર્ણ - સ્વસ્થ હોત. હું વિનાસંકોચે કબૂલ કરું છું કે મારે દરરોજ મારા વિચારો ઉપર કાબૂ મેળવવાને મારા મનની પુષ્કળ શક્તિનો વ્યય કરવો પડે છે. જો આમાં મને કદી સફળતા મળે તો સેવા માટે કેવડો મોટો શક્તિનો ભંડાર ખુલ્લો ખુલ્લો થશે ! ‘ઍપેન્ડિસાઇટિસ’નો રોગ વિચાર અથવા મનની નબળાઇને લીધે થયો એમ હું માનું છું, તેમ જ એ પણ કબૂલ કરું છું કે હું શસ્ત્રક્રિયાને વશ થયો તેયે મારા મનની એક વધુ નબળાઇ હતી. જો મારામાં અહંતાનો અવશેષ જ રહ્યો ન હોત તો તો બનવાકાળ બનશે એમ માનીને હું નિશ્ચિત બેસી રહ્યો હોત. પણ મારે તો મારો આ દેહ ટકાવી રાખીને જ જીવવું હતું. સંપૂર્ણ અનાસક્તિ એ કાંઇ યાંત્રિક ક્રિયા નથી. એ તો સતત, અનવરત પ્રયત્ન અને પ્રાર્થનાએ જ પ્રાપ્ત કરી શક્યા

નવજીવન, ૬-૪-૧૯૨૪

વધે. સંપૂર્ણ રીતે નીરોગી શરીર ઘણું ક્ષીણ હોઇ શકે. બળવાન શરીરમાં ઘણે ભાગે રોગ તો હોય જ. રોગ ન હોય તોપણતે શરીર ચેપો વગેરેનો ભોગ તુરત થાય, જ્યારે સંપૂર્ણ રીતે નીરોગી શરીરને ચેપ લાગી તુરત થાય, જ્યારે સંપૂર્ણ રીતે નીરોગી શરીરને ચેપ લાગી જ ન શકે. શુદ્ધ લોહીમાં એવા જંતુને દૂર રાખવાનો ગુણ હોય છે....

બ્રહ્મચર્યનો લૌક્કિ અથવા પ્રચલિત અર્થ તો એટલો જ માનવામાં આવે છે કેવિષયેન્દ્રિયનો મન, વચન, કાયાથી સંયમ, સ્વાદેન્દ્રિય-સંયમ ઉપર એટલો જ ભાર નથી મુકાયો, તેથી વિષયેન્દ્રિય-સંયમ વધારે મુશ્કેલ બન્યો છે, લગભગ અશક્ય જેવો થઇ ગયો છે....

મારો અનુભવ તો એવો છે કે જેણે સ્વાદને જીત્યો નથી તે વિષયને જીતી શકતો નથી. સ્વાદને જીતવો બહુ કઠિન છે. પણ એ વિજયની સાથે બીજો વિજય સંભવે છે. સ્વાદ જીતવાને સારુ એક તો એ નિયમ છે કે મસાલાઓનો સર્વથા અથવા બને તેટલો ત્યાગ કરવો. અને બીજો વધારે જોરાવર નિયમ એ છે કે માત્ર શરીરપોષણને સારુ જ આપણે ખાઇએ છીએ પણ સ્વાદ સારુ કદી નહીં ખાઇએ એવી ભાવના હમેશાં પોષવી. આપણે હવા સ્વાદને સારુ નથી લેતા પણ શ્વાસ સારુ. પાણી તરસ મટાડવા તેમ જ અન્ન કેવળ ભૂખ મટાડવા લેવાય. બચપણથી જ આપણને માબાપ એથી ઊલટી ટેવ પાડે છે. આપણા પોષણને સારુ નહીં પણ પોતાનું વહાલ બતાવવા આપણને અનેક જાતના સ્વાદ શીખવી આપણને બગાડે છે. આવા વાતાવરણની સામે આપણે થવાનું રહ્યું છે.

પણ વિષય જીતવાનો સુવર્ણ નિયમ તો રામનામ અથવા એવો કોઇ મંત્ર છે. દ્ધાકશ મંત્ર૧ પણ એ જ અર્થ સારે છે. જેને જેવી ભાવના તે પ્રમાણે તે મંત્ર જપે. મને બચપણથી રામનમ શીખવવામાં આવેલ હોવાથી ને એનો આધાર મને મળ્યા જ કરે છે તેથી મેં તે સૂચવ્યો છે. જે મંત્ર લઇએ તેમાં આપણે તલ્લીન થવું જોઇએ. ભલે મંત્ર જપતાં બીજા વિચારો આવ્યા કરે, તે છતાં શ્રદ્ધા રાખી જે મંત્રનો જપ જપ્યા જ કરશે તે અંતે વિજય મેળવશે એમાં મને લેશ પણ શંકા નથી. એ મંત્ર તેની જીવનદોરી થશે અને બધાં સંકટોમાંથી તેને બચાવશે.૨ એવા પવિત્ર મંત્રનો ઉપયોગ કોઇએ આર્થિક લાભને સારુ ન જ કવરો જોઇએ. એ મંત્રનો ચમત્કાર આપણી નીતિને સુરક્ષિત કરવામાં રહેલો છે. અને એ અનુભવ દરેક પ્રયત્નવાનને થોડી જ મુદતમાં મળી રહેશે. હું, એટલું યાદ રાખવું જોઇએ કે એ મંત્ર પોપટની માફક ન પઢાય.

૧. ૐ નમો ભગવતે વાસુદેવાય ।

૨. એક બ્રહ્મચારીને બ્રહ્મચર્ય સાધવાનાં સાધનો ગણાવતાં ગાંધીજીએ લખ્યું :

(અ) “ચોથું (સાધન) સત્સંગ સેવે. સારાં પુસ્તકો વાંચે ને આત્મદર્શન વિના વિકારોનો સર્વથા નાશનથી જ એમ જાણી રામનામાદિ હમેશાં રટી ઇશ્વરપ્રસાદની યાચના કરે.” - ‘નવજીવન’, ૪-૪-૧૯૨૬

(બ) એક દુઃખીને લખ્યું :

“રામની મદદ લઇને રાવણનો વધ કરવાનો રહ્યો છે. અને તે શક્ય છે. જો રામની ઉપર ભરોસો રાખી શકો ને રાખો તો પછી તમે નિશ્ચિંતપણે રહેજો. ખાવામાં ખૂબ માપ જાળવજો; ઘણી જાતની વાનીઓ ન ખાશો.”

-‘નવજીવન’, ૨૩-૧૨-૧૯૨૮

તેમાં આત્મા પરોવવો જોઇએ. પોપટ યંત્રની જેમ એવો મંત્ર પઢે છે, આપણે તેને જ્ઞાનપૂર્વક પઢીએ; ન જોઇતા વિચારોનું નિવારણ કરવાની ભાવના ધરીને અને તેમ કરવાની મંત્રની શક્તિમાં વિશ્વાસ રાખીને.

નવજીવન, ૨૫-૫-૧૯૨૪