svikar nathi books and stories free download online pdf in Gujarati

સ્વીકાર નથી

જીવતા  જેને  મને  ના  સ્વીકાર  કર્યો  ,

મર્યા પછી  ,

મારી  ચિતા  ને  એનો અગ્નિદાહ  સ્વીકાર  નથી  ...(૧)

 

આખી  જિંદગી  નાહક  નો  ધીક્કાર્યો  મને  ,

મર્યા  પછી  ,

તું  મારી  પ્રશંશા  કરે  એ  વાત  મને  સ્વીકાર નથી  ...(૨)

 

જીવનભર  મને  સમજી  ના શક્યા ,

મર્યા  પછી  ,

મારા  દુખો  ને  તું  બયા કરે  તો  તું  સમજદાર નથી ...(૩)

 

જીવતા  કદી  મારી  સાથે  હાથ  ના  મિલાવ્યો  ,

મર્યા  પછી  ,

તું  મને  ખંભે  ઉચકે  એ  વાત  નો  કોઈ  પ્રભાવ  નથી  ...(૪)

 

જીવતા  કદી  પ્રેમ થી  મારી  સાથે  ના  જમ્યો  ,

મર્યા  પછી  ,

તારી  કાગવાસ  નો   મને  સ્વીકાર  નથી  ...(૫)

 

જીવતા  તે  કદી  મારી  એક ના  શામ્ભળી ,

મર્યા  પછી  ,

તારી  ગરુડપુરાણ  શામ્ભળુ  એ  વાત  મને  સ્વીકાર  નથી ...(૬)

 

જીવતા  તું  મને  કદી મંદિર  ના  લઇ  ગયો  ,

મર્યા  પછી  ,

તું  મારા  માટે  તીર્થયાત્રા  કરે  એ  વાત  મને  સ્વીકાર  નથી  ...(૭)

 

જીવતા  તું  કદી મારી  લાઠી  ના  બન્યો  ,

મર્યા  પછી  ,

તું  અફશોસ  કરે  તો  એ  વાત  મને  સ્વીકાર  નથી  ...(૮)

 

જીવતા  તું  મને  વૃધાશ્રમ  મા  મૂકી  આવ્યો  ,

મર્યા  પછી  ,

તું  મારો  પાળિયો કરે  એ  વાત  મને  સ્વીકાર  નથી  .... (૯)

 

જીવતા  તે  મને  કદી  યાદ  ના  કર્યો  ,

મારા  મર્યા  પછી  ,

તું  મારી  તિથી  યાદ  રાખે  એ  વાત  મને  સ્વીકાર  નથી  ....(૧૦)

 

જીવતા  તે  મને  અનેક  દુખો  દીધા  ,

મર્યા  પછી  ,

મારા  બીજા  જન્મ ના  સુખ  ની  તું  કામના કરે  તો  ,

એ  વાત  મને  સ્વીકાર  નથી  ....(૧૧)

 

જીવતા  તે  કદી  મને  કંઈજ ના  ગળ્યો  ,

મર્યા  પછી  ,

તું  મારા  ઉપકારો  ની  ચર્ચા  કરે  ,

એ  વાત  મને  સ્વીકાર  નથી  ...(૧૨)

 

જીવતા  તે  કદી  મને  પ્રેમ  થી  ના  સુવડાવ્યો  ,

મારા  મર્યા  પછી  ,

તું  શયાદન  કરે  ,

એ  વાત  મને  સ્વીકાર  નથી  ....(૧૩)

 

જીવતા  કદી  તું  મારી  પાસે  ના  બેશ્યો  ,

મર્યા  પછી  ,

તું  મારી  શોક શભા  બેશાડે  ,

એ  વાત  મને  સ્વીકાર  નથી  ....(૧૪)

 

જીવતા  કદી  તને  મારી  યાદ  ના  આવી  ,

અને  મર્યા  પછી  ,

તું  મારી  વર્ષી  વારે  એ  વાત  મને  સ્વીકાર  નથી ...(૧૫)

 

જીવતા  તે  કદી  મને  ભાવતું  ના  પૂછ્યું  ,

મર્યા  પછી  ,

તું  મારું  ભાવતું  જમાડે  એ  વાત  મને  સ્વીકાર  નથી  ...(૧૬)

 

જીવતા  તે  કદી  મને  પ્રેમ  થી  ના  નવડાવ્યો  ,

મર્યા  પછી  ,

તું  મારું  ગંગા  મા  અશ્થી  વિશર્જન  કરે  ,

એ  વાત  મને  સ્વીકાર  નથી  ...(૧૭)

 

જીવતા  કદી  મને  સાથે  ના  રાખ્યો  ,

મર્યા  પછી ,

તું  મારી  છબી  પૂજે  ,

એ  વાત  મને  સ્વીકાર  નથી  ...(૧૮)

 

જીવતા  કદી  મારું  સારું  ના  બોલ્યો  ,

મર્યા  પછી  ,

તું  મારું  ગુણ - ગાન  કરે  ,

એ  વાત  મને  સ્વીકાર  નથી  ...(૧૯)

 

જીવતા  કદી  મારી  પાછળ  પાઈ  પણ  ના  ખર્ચી  ,

મર્યા  પછી  ,

તું  મારે  નામે  દાન  કરે  ,

એ  વાત  મને  સ્વીકાર  નથી  ....(૨૦)

 

જીવતા  તે  કદી  મારી  હાલત  ના  શામ્ભળી ,

મર્યા  પછી  ,

પીતરું  બની  ને  તારી  ઉપર  આશા  રાખું  ,

એ  વાત  મને  સ્વીકાર  નથી  ...(૨૧ )

 

જીવતા  કદી  મારી સામે  ના જોયું  ,

મર્યા  પછી  ,

તું  મારી  સામે  બેસી  ને  રડે  ,

એ  વાત  મને  સ્વીકાર  નથી  ...(૨૨)

 

જીવતા  દરરોજ  મરણ  પમાડ્યો ,

મર્યા  પછી  ,

મારા  જીવતા  થવાની  દુઆ  કરે  ,

એ  વાત  મને  સ્વીકાર  નથી...(૨૩)