Padmarjun book and story is written by Pooja Bhindi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Padmarjun is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પદમાર્જુન - Novels
by Pooja Bhindi
in
Gujarati Fiction Stories
गङ्गे च यमुने चैव गोदावरि सरस्वति ।
नर्मदे सिन्धु कावेरि जलेऽस्मिन् संनिधिं कुरु ॥
ચાર રાજકુમારોએ નદીમાં સ્નાન કરતાં પહેલાં મંત્રનો જાપ કર્યો. ત્યાર બાદ પોતાના હાથ વડે નાક પકડી ચારેય રાજકુમારોએ નદીમાં ડૂબકી મારી.
ભારતવર્ષનાં ઉત્તર-પૂર્વીય વિસ્તારમાં વિરમગઢ નામનું એક સુંદર,મોટું અને તાકાતવર રાજ્ય વસેલું હતું. ત્યાં ન્યાયપ્રિય અને બળવાન રાજા વિરાટનું શાસન હતું.તેનાં અને તેનાં નાના ભાઈ,સેનાપતિ સુકુમારનાં અથાગ પરિશ્રમથી વિરમગઢની કીર્તિ ચારેબાજુ પ્રસરી હતી.વિરમગઢ સાંદિપની નદીની એક બાજુ વસેલું હતું,બીજી તરફ હતું ગાઢ જંગલ અને બંનેની વચ્ચે આવેલો હતો સમગ્ર ભારતવર્ષમાં પ્રસિદ્ધ સાંદિપની આશ્રમ.
નમસ્તે વાચકમિત્રો, આશા રાખું છું કે આપ સૌને મારી નવી ધારાવાહિક પસંદ આવશે. પદમાર્જુન મુખ્ય પાત્રો :- અર્જુન : કથાનાયક પદમા :કથાનાયિકા પદ્મિની:કથાનાયિકા સારંગ : સારંગગઢનો રાજા શાશ્વત : પદમાનો મિત્ર દુષ્યંત, યુયૂત્સુ અને વૈદેહી :અર્જુનના ભાઇ-બહેન વિદ્યુત ...Read Moreસારંગનો ભાઈ, મલંગ રાજ્યનો રાજા લક્ષ, નક્ષ, વિસ્મય અને વેદાંગી : સુકુમાર(અર્જુનનાં કાકા)નાં સંતાનો સંદીપ : સાંદિપની આશ્રમનાં મુખ્ય ગુરૂ તપન : તપોવન આશ્રમનાં મુખ્ય ગુરુ ... गङ्गे च यमुने चैव गोदावरि सरस्वति । नर्मदे सिन्धु कावेरि जलेऽस्मिन् संनिधिं कुरु ॥ ચાર રાજકુમારોએ નદીમાં સ્નાન કરતાં પહેલાં મંત્રનો જાપ કર્યો. ત્યાર બાદ પોતાના હાથ વડે નાક પકડી ચારેય રાજકુમારોએ નદીમાં ડૂબકી
“અર્જુન,તારા તીરનું નિશાન ક્યારેય પણ નથી ચૂકતું.એટલે મારો આદેશ છે કે તું આર્યા ઉપર તીર ચલાવ.”ગુરુ સંદીપે પોતાનું તીર અર્જુનને આપીને કહ્યું.“ગુરુદેવ?”અર્જુન ચોંકીને બોલી ઉઠ્યો.“અર્જુન,આ મારો આદેશ છે.”ગુરુ સંદીપ ક્રોધિત થઇને કહ્યું.“જી, ગુરુદેવ.”અર્જુને પોતાનું મસ્તક નમાવીને કહ્યું અને આર્યા ...Read Moreનિશાન તાક્યું.”આર્યાથી રાજકુમાર દુષ્યંત સામે જોવાઇ ગયું જે ચિંતિત નઝરે તેની સામે જ જોઈ રહ્યો હતો.અર્જુને ઉંડો શ્વાસ લીધો અને તીર ચલાવ્યું. તે તીર આંખોના ઝબકારમાં જ આર્યા પાસે પહોંચી ગયું પણ આર્યાને સ્પર્શે એ પહેલાં જ એક બીજું તીર આવ્યું અને એ તીરના વચ્ચેથી બે ભાગ કરી નાંખ્યા.બધાં વિચારવા લાગ્યા કે આ બીજું તીર ક્યાંથી આવ્યું.ત્યાં જ બધાનું ધ્યાન
સાંદિપની આશ્રમસૂર્યાસ્ત થવાં આવ્યો હતો. અર્જુન, વિસ્મય, યુયૂત્સુ અને દુષ્યંત આશ્રમની ચારેતરફ જઈને આશ્રમની સુરક્ષાની ચકાસણી કરી રહ્યાં હતાં. લક્ષ અને નક્ષ વિરમગઢનાં સૌથી નાના રાજકુમાર વિસ્મયના સગાં ભાઈઓ હતાં છતાં પણ તેઓ કરતાં વિસ્મયને દુષ્યંત, યુયૂત્સુ અને ...Read Moreસાથ વધારે ગમતો તેથી પહેલાં મહેલમાં અને અત્યારે આશ્રમમાં વિસ્મય પોતાનો મોટાં ભાગનો સમય તેઓની સાથે જ પસાર કરતો.સૌ પ્રથમ દુષ્યંત ચાલી રહ્યો હતો અને તેની પાછળ યુયૂત્સુ,વિસ્મય અને અર્જુન. યુયુત્સુએ વિસ્મય સામે જોયું અને તેને ઇશારાની ભાષામાં કંઇક કહ્યું. એ જોઇને વિસ્મયે ગંભીર થવાનો અભિનય કર્યો અને અર્જુનને પૂછ્યું,“ભ્રાતા અર્જુન,કાલે જ્યારે ગુરુજીએ તમને આર્યા પર તિર ચલાવવાનો આદેશ આપ્યો ત્યારે
… સાંદિપની આશ્રમઅર્જુનની આંખો પર પટ્ટી બાંધેલી હતી અને હાથમાં ધનુષ હતું. તેની બાજુમાં વિસ્મય ઉભો હતો. તેણે પોતાનાં હાથમાં રહેલો પથ્થર સામેની તરફ ફેંકયો જે પાણી ભરેલાં પાત્ર સાથે અથડાયો અને અવાજ ઉત્પન્ન થયો. એ અવાજ પરથી પાત્રનો ...Read Moreલગાવી અર્જુને સામેની તરફ તીર છોડ્યું.એ તીર સીધું પાણી ભરેલાં પાત્રની કિનારી સાથે અથડાયું.તેથી પાત્ર નીચે પડી ગયું.“વાહ, ભ્રાતા અર્જુન.તમે તો આંખો પર પટ્ટી બાંધીને પણ લક્ષ્ય-ભેદન કરી દીધું.”વિસ્મયે ખુશ થઇને કહ્યું.અર્જુને પોતાની આંખો પરથી પટ્ટી હટાવી અને સામેની તરફ જોયું.નીચે પડેલાં પાત્ર તરફ જોઈને તેને ગુરુજી સામે જોયું.“અર્જુન, તારે હજુ પણ થોડી મહેનતની જરૂર છે.”ગુરુ સંદીપે કહ્યું.“શિષ્યો, આજની શિક્ષા અહીં
શાંતિ આશ્રમસૂર્યાસ્ત થવાં આવ્યો હતો. શ્લોક આશ્રમમાં કામ કરતી સ્ત્રીઓને સુરક્ષિત નગર પહોંચાડી પરત ફરી રહ્યો હતો. ચાલતાં-ચાલતાં તે પદમાને કેરી તોડવામાં સહાયતા કરી એ પ્રસંગ યાદ કરી રહ્યો હતો. એ વાતને એક માસ કરતાં પણ વધારે સમય ...Read Moreથઇ ગયો હતો છતાં પણ એની સ્મૃતિ શ્લોકનાં મગજમાંથી જવાનું નામ નહોતી લેતી. એ પ્રસંગ બાદ પણ અમુક વખત તે બંને ભેગા થયાં હતાં પરંતુ બંને વચ્ચે માત્ર હાસ્યની જ આપ-લે થતી એથી વિશેષ કહી જ નહીં.શ્લોક આ બધાં વિચારો સાથે જ આશ્રમ તરફ આગળ વધી રહ્યો હતો. તેમાં તેનું ધ્યાન રસ્તા પરના મોટા પથ્થર પર ન પડ્યું. તેથી તેનો પગ