પદમાર્જુન

(340)
  • 103.7k
  • 18
  • 47.2k

गङ्गे च यमुने चैव गोदावरि सरस्वति । नर्मदे सिन्धु कावेरि जलेऽस्मिन् संनिधिं कुरु ॥ ચાર રાજકુમારોએ નદીમાં સ્નાન કરતાં પહેલાં મંત્રનો જાપ કર્યો. ત્યાર બાદ પોતાના હાથ વડે નાક પકડી ચારેય રાજકુમારોએ નદીમાં ડૂબકી મારી. ભારતવર્ષનાં ઉત્તર-પૂર્વીય વિસ્તારમાં વિરમગઢ નામનું એક સુંદર,મોટું અને તાકાતવર રાજ્ય વસેલું હતું. ત્યાં ન્યાયપ્રિય અને બળવાન રાજા વિરાટનું શાસન હતું.તેનાં અને તેનાં નાના ભાઈ,સેનાપતિ સુકુમારનાં અથાગ પરિશ્રમથી વિરમગઢની કીર્તિ ચારેબાજુ પ્રસરી હતી.વિરમગઢ સાંદિપની નદીની એક બાજુ વસેલું હતું,બીજી તરફ હતું ગાઢ જંગલ અને બંનેની વચ્ચે આવેલો હતો સમગ્ર ભારતવર્ષમાં પ્રસિદ્ધ સાંદિપની આશ્રમ.

Full Novel

1

પદમાર્જુન - (ભાગ ૧)

નમસ્તે વાચકમિત્રો, આશા રાખું છું કે આપ સૌને મારી નવી ધારાવાહિક પસંદ આવશે. પદમાર્જુન મુખ્ય પાત્રો :- અર્જુન કથાનાયક પદમા :કથાનાયિકા પદ્મિની:કથાનાયિકા સારંગ : સારંગગઢનો રાજા શાશ્વત : પદમાનો મિત્ર દુષ્યંત, યુયૂત્સુ અને વૈદેહી :અર્જુનના ભાઇ-બહેન વિદ્યુત : સારંગનો ભાઈ, મલંગ રાજ્યનો રાજા લક્ષ, નક્ષ, વિસ્મય અને વેદાંગી : સુકુમાર(અર્જુનનાં કાકા)નાં સંતાનો સંદીપ : સાંદિપની આશ્રમનાં મુખ્ય ગુરૂ તપન : તપોવન આશ્રમનાં મુખ્ય ગુરુ ... गङ्गे च यमुने चैव गोदावरि सरस्वति । नर्मदे सिन्धु कावेरि जलेऽस्मिन् संनिधिं कुरु ॥ ચાર રાજકુમારોએ નદીમાં સ્નાન કરતાં પહેલાં મંત્રનો જાપ કર્યો. ત્યાર બાદ પોતાના હાથ વડે નાક પકડી ચારેય રાજકુમારોએ નદીમાં ડૂબકી ...Read More

2

પદમાર્જુન - (ભાગ ૨)

“અર્જુન,તારા તીરનું નિશાન ક્યારેય પણ નથી ચૂકતું.એટલે મારો આદેશ છે કે તું આર્યા ઉપર તીર ચલાવ.”ગુરુ સંદીપે પોતાનું તીર આપીને કહ્યું.“ગુરુદેવ?”અર્જુન ચોંકીને બોલી ઉઠ્યો.“અર્જુન,આ મારો આદેશ છે.”ગુરુ સંદીપ ક્રોધિત થઇને કહ્યું.“જી, ગુરુદેવ.”અર્જુને પોતાનું મસ્તક નમાવીને કહ્યું અને આર્યા તરફ નિશાન તાક્યું.”આર્યાથી રાજકુમાર દુષ્યંત સામે જોવાઇ ગયું જે ચિંતિત નઝરે તેની સામે જ જોઈ રહ્યો હતો.અર્જુને ઉંડો શ્વાસ લીધો અને તીર ચલાવ્યું. તે તીર આંખોના ઝબકારમાં જ આર્યા પાસે પહોંચી ગયું પણ આર્યાને સ્પર્શે એ પહેલાં જ એક બીજું તીર આવ્યું અને એ તીરના વચ્ચેથી બે ભાગ કરી નાંખ્યા.બધાં વિચારવા લાગ્યા કે આ બીજું તીર ક્યાંથી આવ્યું.ત્યાં જ બધાનું ધ્યાન ...Read More

3

પદમાર્જુન - (ભાગ ૩)

સાંદિપની આશ્રમસૂર્યાસ્ત થવાં આવ્યો હતો. અર્જુન, વિસ્મય, યુયૂત્સુ અને દુષ્યંત આશ્રમની ચારેતરફ જઈને આશ્રમની સુરક્ષાની ચકાસણી કરી રહ્યાં લક્ષ અને નક્ષ વિરમગઢનાં સૌથી નાના રાજકુમાર વિસ્મયના સગાં ભાઈઓ હતાં છતાં પણ તેઓ કરતાં વિસ્મયને દુષ્યંત, યુયૂત્સુ અને અર્જુનનો સાથ વધારે ગમતો તેથી પહેલાં મહેલમાં અને અત્યારે આશ્રમમાં વિસ્મય પોતાનો મોટાં ભાગનો સમય તેઓની સાથે જ પસાર કરતો.સૌ પ્રથમ દુષ્યંત ચાલી રહ્યો હતો અને તેની પાછળ યુયૂત્સુ,વિસ્મય અને અર્જુન. યુયુત્સુએ વિસ્મય સામે જોયું અને તેને ઇશારાની ભાષામાં કંઇક કહ્યું. એ જોઇને વિસ્મયે ગંભીર થવાનો અભિનય કર્યો અને અર્જુનને પૂછ્યું,“ભ્રાતા અર્જુન,કાલે જ્યારે ગુરુજીએ તમને આર્યા પર તિર ચલાવવાનો આદેશ આપ્યો ત્યારે ...Read More

4

પદમાર્જુન - (ભાગ ૪)

… સાંદિપની આશ્રમઅર્જુનની આંખો પર પટ્ટી બાંધેલી હતી અને હાથમાં ધનુષ હતું. તેની બાજુમાં વિસ્મય ઉભો હતો. તેણે પોતાનાં રહેલો પથ્થર સામેની તરફ ફેંકયો જે પાણી ભરેલાં પાત્ર સાથે અથડાયો અને અવાજ ઉત્પન્ન થયો. એ અવાજ પરથી પાત્રનો અંદાજો લગાવી અર્જુને સામેની તરફ તીર છોડ્યું.એ તીર સીધું પાણી ભરેલાં પાત્રની કિનારી સાથે અથડાયું.તેથી પાત્ર નીચે પડી ગયું.“વાહ, ભ્રાતા અર્જુન.તમે તો આંખો પર પટ્ટી બાંધીને પણ લક્ષ્ય-ભેદન કરી દીધું.”વિસ્મયે ખુશ થઇને કહ્યું.અર્જુને પોતાની આંખો પરથી પટ્ટી હટાવી અને સામેની તરફ જોયું.નીચે પડેલાં પાત્ર તરફ જોઈને તેને ગુરુજી સામે જોયું.“અર્જુન, તારે હજુ પણ થોડી મહેનતની જરૂર છે.”ગુરુ સંદીપે કહ્યું.“શિષ્યો, આજની શિક્ષા અહીં ...Read More

5

પદમાર્જુન - (ભાગ-૫)

શાંતિ આશ્રમસૂર્યાસ્ત થવાં આવ્યો હતો. શ્લોક આશ્રમમાં કામ કરતી સ્ત્રીઓને સુરક્ષિત નગર પહોંચાડી પરત ફરી રહ્યો હતો. ચાલતાં-ચાલતાં પદમાને કેરી તોડવામાં સહાયતા કરી એ પ્રસંગ યાદ કરી રહ્યો હતો. એ વાતને એક માસ કરતાં પણ વધારે સમય પસાર થઇ ગયો હતો છતાં પણ એની સ્મૃતિ શ્લોકનાં મગજમાંથી જવાનું નામ નહોતી લેતી. એ પ્રસંગ બાદ પણ અમુક વખત તે બંને ભેગા થયાં હતાં પરંતુ બંને વચ્ચે માત્ર હાસ્યની જ આપ-લે થતી એથી વિશેષ કહી જ નહીં.શ્લોક આ બધાં વિચારો સાથે જ આશ્રમ તરફ આગળ વધી રહ્યો હતો. તેમાં તેનું ધ્યાન રસ્તા પરના મોટા પથ્થર પર ન પડ્યું. તેથી તેનો પગ ...Read More

6

પદમાર્જુન - (ભાગ-6)

શાંતિ આશ્રમશ્લોક પોતાની કુટિરમાં આરામ કરી રહ્યો હતો. શારદાદેવી તેની સામે બેઠા હતા.“અરે તું લેપ લઇ આવી?”શારદાદેવીએ કહ્યું.શ્લોકને લાગ્યું પદ્મિની લેપ લઈને આવી હશે. તેથી તેણે ઉત્સાહપૂર્વક પાછળ ફરીને જોયું પરંતુ પદ્મિનીનાં બદલે મેઘાને જોઈને તેનો ઉત્સાહ ઘટી ગયો.મેઘાએ શ્લોકનો ઘાવ સ્વચ્છ કરી ફરીથી લેપ લગાવી દીધો.“ગુરુમાં, બધા આવી ગયા છે.”મેઘાએ કહ્યું.“પુત્ર શ્લોક, આજનો દિવસ તું આરામ કરજે. હું નગરમાંથી કોઈકને બોલાવી લઇશ કઇ કામ પડશે તો.”શારદાદેવીએ કહ્યું અને તેઓ અને મેઘા કુટિરની બહાર નીકળ્યા.એકલો પડેલો શ્લોક વિચારવા લાગ્યો, “મેઘાતો મારા બાળપણની સખી છે અને મને તેનો સાથ ગમે છે. છતાં પણ અત્યારે પદ્મિનીનાં બદલે મેઘા લેપ લગાડવા આવી ...Read More

7

પદમાર્જુન - (ભાગ -૭)

શ્લોક પણ પોતાની કુટિરમાં આડો પડ્યો.પરંતુ આજે નીંદરનાં બદલે પદ્મિનીએ તેની આંખોમાં સ્થાન લઇ લીધું હતું.… બીજે દિવસે સવારે શ્લોકની આંખો પદ્મિનીને શોધવા લાગી.આખરે તેની શોધ બગીચામાં પુરી થઇ. પદ્મિની બગીચામાં ફુલો ચુંટી રહી હતી. શ્લોકે આજુ-બાજુ જોયું. શારદાદેવી પોતાના કાર્યમાં વ્યસ્ત હતા અને બહાર પદ્મિની સિવાય બીજું કોઈ દેખાતું નહોતું.તે પદ્મિની પાસે જઇને ઉભો રહ્યો. પદ્મિનીએ તેની ભુજાઓ સામે જોઇને પૂછ્યું,“કેમ છે તમારી ભુજાઓમાં?”“હવે સારું છે.”શ્લોકે કહ્યું.પદ્મિની ફરીથી ફૂલ ચૂંટવા લાગી.શ્લોક વિચારી રહ્યો હતો કે પોતાના મનમાં ચાલી રહેલા વિચારો પદ્મિની સમક્ષ કેવી રીતે રજૂ કરવા. અંતે તેને શરૂઆત કરી.“પદ્મિની,મારે તારી સાથે વાત કરવી છે.”“હા, કહોને.”શ્લોકે હિંમત એકઠી કરી ...Read More

8

પદમાર્જુન - (ભાગ -૮)

શ્લોક ઉઠીને સીધો જ પદ્મિનીને શોધવા લાગ્યો.તે આખો આશ્રમ ફરી વળ્યો પરંતુ તેને ક્યાંય પણ પદ્મિની દેખાઈ નહીં. તેણે પણ પૂછ્યું પરંતુ મેઘાએ પણ આજે સવારથી તેને જોઇ નહોતી.તેથી શ્લોકે શારદાદેવીને પૂછવાનું વિચાર્યું પણ તેઓ પોતાના કાર્યમાં વ્યસ્ત રહ્યાં તેથી સાંજ સુધી તે શારદાદેવીને પણ પદ્મિની વિશે કંઇ પૂછી ન શક્યો.શારદાદેવીનું કાર્ય પૂરું થયું ત્યાર બાદ શ્લોકને બધી સ્ત્રીઓને સુરક્ષિત નગરમાં પહોંચાડવા જવું પડ્યું. માટે સવારનો અધીરો બનેલો શ્લોક નગરમાંથી આવીને સીધો શારદાદેવી પાસે ગયો.“માતા, તમે પદ્મિનીને જોઈ?હું આજ સવારનો તેને શોધું છું પણ એ મને ક્યાંય ન દેખાણી.”શ્લોકે પૂછ્યું.શારદાદેવીએ શ્લોકને પોતાની પાસે બેસાડ્યો અને પદ્મિની અને તેઓની વચ્ચે ...Read More

9

પદમાર્જુન - (ભાગ -૯)

થોડાં સમય બાદ લક્ષની યોજનાથી અજાણ દુષ્યંત, યુયૂત્સુ, અર્જુન અને વિસ્મય આવ્યાં અને ભોજન કરીને સુઈ ગયાં.… લક્ષ નક્ષ પોતાની પ્રાતઃક્રિયાઓ પતાવી પોતાની કુટિરમાં આવ્યાં. ત્યાં દુષ્યંત, યુયૂત્સુ,અર્જુન અને વિસ્મય ઔષધિની અસરનાં કારણે હજું પણ સૂતાં હતાં.તેઓની તરફ જોઈને લક્ષ અને નક્ષ બંને હસ્યાં અને કુટિરની બહાર ચાલ્યાં ગયાં.બધાં શિષ્યો ક્રીડાંગણમાં એકઠાં થયાં અને ગુરુ સંદીપને પ્રણામ કર્યા.“વિરાટપુત્રો અને વિસ્મય ક્યાં છે?”ગુરુ સંદીપે પૂછ્યું.“ગુરુજી, કાલે સાંજે તેઓ બહું મોડાં આવ્યાં ત્યારે કહેતાં હતાં કે તેઓ થાકી ગયાં છે. માટે કદાચિત તેઓ આરામ કરી રહ્યાં હશે.”નક્ષે કહ્યું.“આરામ?ઠીક છે કરવાં દો તેમને આરામ?”ગુરુ સંદીપે ગુસ્સાથી કહ્યું.આ બધું સાંભળીને આર્યા કોઈને ખબર ન ...Read More

10

પદમાર્જુન - (ભાગ -૧૦)

આગળનાં ભાગમાં આપણે જોયું : “આ મને શું થઇ રહ્યું છે?”અર્જુને પોતાનાં માથાં ઉપર હાથ રાખતાં કહ્યું. ત્યાંજ તેનું સામેની ઝાડીઓમાંથી આવતાં વાઘ તરફ પડ્યું.તેણે પોતાની બાજુમાં પડેલ ધનુષ ઉઠાવવાનો પ્રયત્ન કર્યો પણ તેનાં અશક્ત થઇ ગયેલાં હાથે તેનો સાથ ન આપ્યો. એ વાઘ ધીરે-ધીરે તેની તરફ આગળ વધ્યો અને છલાંગ મારી. અર્જુને પોતાની આંખો બંધ કરી દીધી.ત્યાં જ એક તિર આવ્યું અને વાઘની પીઠમાં ખુંપી ગયું. ... હવે આગળ, તિર વાગવાથી તરાપ મારી રહેલો વાઘ દુર ફંગોળાયો.પોતાની મોત વાઘ રૂપે જોઇ ગયેલાં અર્જુને ધીમે-ધીમે પોતાની આંખો ખોલી. તેનાં આશ્ચર્ય વચ્ચે વાઘ બેભાન થઇને નીચે પડ્યો હતો અને તેની ...Read More

11

પદમાર્જુન - (ભાગ -૧૧)

બીજે દિવસે બધા શિક્ષણ માટે ગયા એટલે અર્જુન એકલો પડ્યો.તેનાં માનસપટમાં ગઈકાલની ઘટના તાજી થઈ. “તે હાથમાં ધનુષ લઈને તરફ આવી.તે બહાદુર યુવતીનો ચહેરો દેખાય એ માટે તેની તરફ જોયું પણ તેનો ચહેરો નકાબ વડે ઢાંકેલો હતો.દેખાતી હતી તો માત્ર તેની સુંદર આંખો, એનાં ન દેખાતાં ચહેરાની સુંદરતામાં વધારો કરતી એ નમણી આંખો.” “લાગે છે કે આ હૃદયનાં વમળો એને મળ્યાં પછી જ શાંત થશે.” … કાલે બધા શિષ્યોનો આશ્રમમાં છેલ્લો દિવસ હતો.આ વાતથી દુઃખી આર્યા કેટલાય પ્રયત્નો કરવાં છતાં પણ સુઈ શકતી નહોતી. તેની આંખો સમક્ષ બે વર્ષ પહેલાંની એક ઘટના ઉપસી આવી. તે બધા શિષ્યોને ખીર પીરસી ...Read More

12

પદમાર્જુન - (ભાગ -૧૨)

પદમાર્જુન ( ભાગ : ૨) સારંગપુર ખુલ્લા મેદાનમાં એક અઢારેક વર્ષનો યુવાન તલવાર પકડીને ઉભો હતો. તેની સામે શ્વેત વડે મોં ઢાંકીને એક પંદર વર્ષની યુવતી પણ પોતાનાં નાજુક હાથો વડે તલવાર પકડીને ઉભી હતી. “શાશ્વત, આજે તો હું તને હરાવીને જ રહીશ.”તે યુવતી બોલી. “એ તો સમય જ કહેશે અને એમ પણ તારાં અવાજ પરથી સ્પષ્ટ છે કે તું મારાથી ગભરાઈ ગઈ છો.”શાશ્વતે હસતાં -હસતાં કહ્યું. “ગભરાઉ અને એ પણ તારાથી? હઅહ..પદમા ક્યારેય કોઈથી ગભરાતી નથી.”પદમાએ તલવાર પરની પકડ મજબુત કરી જુસ્સા સાથે કહ્યું. પદમાનો જુસ્સો જોઈને શાશ્વતે પોતાની તલવાર વડે તેનાં પર પ્રહાર કર્યો પરંતુ પદમા પણ ...Read More

13

પદમાર્જુન - (ભાગ - ૧૩)

"તું રાજમહેલ ન રોકાણો?"ગુરુ તપનનાં એક શિષ્યે તે યુવાનને પૂછ્યું.આ જોઈને ગુરુ તપને પોતાના શિષ્ય સામે ગુસ્સાથી જોયું અને યુવાન તરફ જોઈને કહ્યું,"પુત્ર શાશ્વત, તું આજે મારા આશ્રમમાં જ રોકાઇ જજે અને મને સ્પર્ધાનું આયોજન કરવામાં મદદ કરજે.""હા ગુરુદેવ,હું માત્ર રાજકુમાર વિદ્યુતને પ્રોત્સાહિત કરવા માટે અને તમને આયોજનમાં સહાયતા કરવા માટે જ સારંગગઢ આવ્યો છું."શાશ્વતે કહ્યું અને બધાને ફરીથી પ્રણામ કરી સ્પર્ધાનું આયોજન કરવામાં લાગી ગયો."મિત્ર તપન,તું તારું કાર્ય પૂરું કરી લે ત્યાં સુધીમાં અમે આશ્રમ જોઇ લઇએ."ગુરુ સંદીપે કહ્યું અને બધાને લઇને આશ્રમ જોવા ગયાં.તેઓનાં ગયા બાદ ગુરુ તપને પોતાના શિષ્યને નારાજગીથી કહ્યું,"પુત્ર,તું હવે જઇ શકે છે.તારે આયોજનમાં ...Read More

14

પદમાર્જુન - (ભાગ - ૧૪ )

અર્જુને સારંગ પરથી હાલ પુરતું ધ્યાન હટાવી શોર્યસિંહ,ગુરુ સંદીપ અને દુષ્યંતનાં આશીર્વાદ લીધાં.બાકી બધા ભાઈઓને ગળે મળી અર્જુન મેદાનમાં સ્પર્ધાની શરૂઆત થઈ. પ્રથમ ત્રણ ભાગ પુર્ણ થયાં જેમાં અર્જુન, વિદ્યુત અને અન્ય ત્રણ રાજકુમારો વિજયી થયાં. ત્યાર બાદ શરૂ થયો ચોથો ભાગ.ગુરુ તપને તેના વિશે માહિતી આપતાં કહ્યું, રાજકુમારો,અહીં તમારી સમક્ષ બે લોલક રાખવામાં આવ્યાં છે.તેને હું જુદી-જુદી ગતિ આપી, અલગ-અલગ દિશામાં દોલન કરાવીશ.તમને બધાને ચોક્કસ રંગના બે તિર આપવામાં આવશે. જે બે રાજકુમારો માત્ર બે તિર વડે જ આ બંને લોલકને ભેદવામાં સફળ રહેશે તે આગળનાં ભાગમાં પહોંચશે.”એટલું કહી ગુરુ તપને બંને દોલકોને ગતિ આપી અને હાથ વડે ...Read More

15

પદમાર્જુન - (ભાગ - ૧૫)

આગળનાં ભાગમાં આપણે જોયું: વિદ્યુતે સારંગ સામે જોયું અને કહ્યું, “જ્યેષ્ઠ, મને માફ કરી દો.હું તમારું અને પિતાજીનું સ્વપ્ન પૂરું કરી શક્યો.” “વિદ્યુત, મને ખબર છે કે તે આ સ્પર્ધા જીતવા માટે બહુ મહેનત કરી છે અને તે આ સ્પર્ધામાં પણ તારું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. પરંતુ હોઇ શકે કે વિજેતા બનેલાં અર્જુને તારાં કરતાં પણ વધુ મહેનત કરી હોય. માટે તું ચિંતિત ન થા અને ખુશી સાથે પરિણામનો સ્વીકાર કર.”એટલું કહી સારંગે અર્જુન સામે જોયું અને મનમાં બોલ્યો, “આશા રાખું છું કે આપણો રણમેદાનમાં ભેટો થાય.નહીં તો એ તારાં માટે સારું નહીં રહે.” આ તરફ શાશ્વત આશ્રમનાં બગીચામાં ...Read More

16

પદમાર્જુન - (ભાગ-૧૬)

“પેલી યુવતી કોણ છે?એને માન સાથે સભાખંડમાં લઇ આવો.”શોર્યસિંહે કહ્યું. “જી દાદાશ્રી.”તે સૈનિક બહાર ગયો અને અન્ય બે સૈનિક તે યુવતીને સભાખંડમાં લઇ આવ્યો. “શ્વેત નકાબ પહેરેલી, સુંદર આંખોવાળી અને પોતાનાં હૃદયમાં વમળો ઉત્પન્ન કરવાં વાળી યુવતીને જોઇને અર્જુન ચોંકી ગયો પરંતુ વિરાટની વિરાટ સભામાં ઉભેલી પદ્મિનીનું હજુ સુધી અર્જુન તરફ ધ્યાન પડ્યું નહતું. તેની આંખો થાકનાં લીધે ઝુકેલી હતી.તેણે પોતાની આંખો ઊંચી કરી અને ધીમે-ધીમે બધા તરફ ફેરવી.તેની જ સામે ઉત્સુકતાથી જોઇ રહેલ અર્જુન પર તેની નજર થોડી વાર ઉભી રહી.કિંમતી વસ્ત્રો અને આભૂષણો,માથાં પરનો મુકુટ અને સભામાં તેનું સ્થાન જોઈને પદ્મિનીને અંદાજો આવી ગયો કે અર્જુન અહીંનો ...Read More

17

પદમાર્જુન - (ભાગ - ૧૭)

પોતાનાં વિચારને અમલમાં મૂકવા માટે પદ્મિની ચોરીછુપીથી પાછળનાં ભાગેથી આશ્રમમાં પ્રવેશી.બગીચામાં જઇ થોડે દુરનાં ઘટ્ટ વૃક્ષની પાછળ સંતાઈ ગઈ.બાજુનાં ભરાવદાર ડાળખીઓ તોડી પોતાની ફરતે ગોઠવી દીધી.એ વૃક્ષની થોડે આગળ પોતાની પાસે રહેલ ગુલાબનાં છોડમાંથી નાની-નાની કાંટાળી ડાળખીઓ કાઢી રાખી દીધી.જેથી કરીને કોઇ સૈનિક પોતાની તરફ આવે તો અંધારાનાં કારણે કાંટાળી ડાળખી પર તેનો પગ પડે અને તેની ચીસથી પદ્મિનીની ઊંઘ ઊડી જાય. પોતાની આસપાસ એક ઔષધિ છાંટી દીધી જેની સુવાસથી જીવજંતુઓ તેનાથી દૂર રહે.બધું સુનિશ્ચિત કર્યા બાદ તે આશ્રમનાં બગીચામાં સુઈ ગઈ. હવે આગળ : અડધી રાત્રી પુરી થવાં આવી હતી. અચાનક અવાજનાં કારણે પદ્મિનીની ઉંઘ ઉડી ગઇ. તેણે ...Read More

18

પદમાર્જુન - (ભાગ - ૧૮)

આગળનાં ભાગમાં આપણે જોયું : વિરમગઢ આવવાં માટે નીકળી હતી.સૂર્યાસ્ત થઇ ચુક્યો હતો માટે હું રાત્રીનીવાસ માટે કોઇક સ્થળ રહી હતી.તેવામાં મને સાંદિપની આશ્રમ દેખાણો.ત્યાં શિષ્યોને બદલે માત્ર સૈનિકોને જોઈને મને લાગ્યું કે દુશ્મન રાજ્યનાં સૈનિકોએ આશ્રમ પર અનીતિથી કબજો કરી લીધો છે. રાત્રી દરમિયાન વનમાં વાસ કરવો શક્ય નહતો તેથી હું પાછળનાં રસ્તેથી આશ્રમમાં પ્રવેશી.” “પછી તો શું બન્યું એ તમે જાણો જ છો. લૂંટારુઓ ભાગી ગયા ત્યાર બાદ હું ત્યાંથી જવા લાગી કારણકે મેં વિચાર્યું કે સૈનિકો જરૂર મને કોઈ દૂત સમજીને કેદ કરી લેશે અને થયું પણ એવું.હું જેવી ભાગવા લાગી કે તરત જ એક સૈનિકે ...Read More

19

પદમાર્જુન - ( ભાગ - ૧૯ )

રાજા વિરાટનાં કક્ષમાં શોર્યસિંહ, વિરાટ, સુકુમાર, દુષ્યંત, યુયૂત્સુ, અર્જુન અને વિસ્મય નક્ષ અને લક્ષની રાહ જોઇને ઊભાં હતા.બધા રાજકુમારો વાત હશે એ જાણવા માટે ઉત્સુક હતાં. વિરાટનાં કક્ષમાંથી નીચેનો બગીચો સરસ દેખાતો હતો. ત્યાં રાજકુમારી વૈદેહી,રાજકુમારી વેદાંગી, આર્યા અને પદ્મિની બેઠાં હતાં.થોડાં સમય બાદ લક્ષ અને નક્ષ ત્યાં આવ્યાં.“પ્રણીપાત.”તેઓએ કહ્યું.“કલ્યાણ હો.”“પુત્રો કાલે રાજસભામાં બધા પ્રજાજનો સમક્ષ વાત રજુ કરું એ પહેલાં મારે તમને બધાને એક મહત્વપૂર્ણ વાત જણાવવી છે.”વિરાટે કહ્યું.તેઓની વાત સાંભળીને બધા રાજકુમારોએ તેમની સામે ઉત્સુકતાથી જોયું.“પુત્ર દુષ્યંત, હવે તારું શિક્ષણ પણ પૂરું થઇ ગયું છે અને તને રાજનીતિ વિશે પણ સારી એવી માહિતી છે.માટે અમે એટલે કે ...Read More

20

પદમાર્જુન - ( ભાગ - ૨૦ )

“વૈદેહી અને વેદાંગી નથી?આજે મહેલમાં શાંતિ લાગી રહી છે.” “જ્યેષ્ઠ, શાંતિ કે અશાંતિ ?”વિસ્મયે કહ્યું. “અર્જુન,આ તારી અશાંતિ પાછળનું પદ્મિનીની ગેરહાજરી તો નથી ને?”યુયુત્સુએ કહ્યું અને હસવાં લાગ્યો. “જ્યેષ્ઠ, તો તો તમારી આ અશાંતિ હમણાં દુર નહીં થાય કારણકે આર્યા અને પદ્મિની આપણી બહેનો સાથે માતાજીનાં મંદિરે ગઇ છે.” “વિસ્મયની વાત સાંભળીને અર્જુન અને દુષ્યંત ચોંકી ગયાં અને પોતાના હથિયાર લઈને ભાગ્યા. “જ્યેષ્ઠ, શું થયું?” “વિસ્મય, થોડાં દિવસ પહેલાં લૂંટારુઓ પણ એ બાજુ દેખાયાં હતાં.”અર્જુને ભાગતાં-ભાગતાં જ કહ્યું. તેની વાત સાંભળીને વિસ્મય અને યુયૂત્સુ પણ ભાગ્યાં. હવે આગળ : “આર્યા, હું ખોટી બળજબરી નથી કરવાં માંગતો.માટે મારી વાત માની ...Read More

21

પદમાર્જુન - (ભાગ - 21)

“આજે જ્યારે આર્યાનાં માતા-પિતા તેની સુરક્ષાને લઈને ચિંતિત હતાં એટલે વિરાટે વિવાહ પ્રસ્તાવ મુક્યો.” શોર્યસિંહની વાત સાંભળીને દુષ્યંત અને તેમનાં આશીર્વાદ લીધાં. “સુખી રહો.” હવે આગળ : આ તરફ વૈદ્ય પદ્મિનીની સારવાર કરી રહ્યાં હતાં.ત્યાં અર્જુન આવ્યો. “હવે કેમ છે પદ્મિનીને?” “માથાં પર તો બહુ ઉંડો ઘા નથી માટે ચિંતાનો કોઈ વિષય નથી.મને લાગે છે કે પદ્મિની ભયનાં કારણે મૂર્છિત થઈ હશે.આ ઔષધિ તેનાં પેટમાં જશે એટલે તેને સારું થઇ જશે.”વૈદ્યએ કહ્યું અને પદ્મિનનાં ચહેરા પરથી નકાબ હટાવવા ગયાં. “નહીં વૈદ્યજી.પદ્મિની પોતાનાં ચહેરા પરનું નકાબ કોઈની પણ સમક્ષ ઉતારતી નથી.”અર્જુને વિનમ્રતાથી કહ્યું. “ઠીક છે પુત્ર, તો તું જ કોઈક ...Read More

22

પદમાર્જુન - (ભાગ - 22)

“પદ્મિની, હું થોડાં દિવસ માતા સાથે રહેવાં માંગુ છું.”આર્યાએ કહ્યું. “ઠીક છે આર્યા. તો હવે હું અને રાજકુમાર અર્જુન નીકળીએ એટલે સૂર્યાસ્ત પહેલાં રાજમહેલ પહોંચી જઈએ.”પદ્મિનીએ કહ્યું. અર્જુન અને પદ્મિની ગુરુ સંદીપની આજ્ઞા લઈને પરત જવા માટે નીકળ્યાં. અડધાં કરતાં પણ વધુ માર્ગ કપાઇ ગયો હતો છતાં પણ બંને વચ્ચે એક પ્રકારનું મૌન પથરાયેલું હતું. હવે આગળ : “રાજકુમાર,તમે હજુ પણ મારાથી ક્રોધિત છો?”પદ્મિનીએ પૂછ્યું. અર્જુને પદ્મિની સામે એક ક્ષણ પૂરતું જોયું અને ફરીથી આગળ જોઈને ચાલવા લાગ્યો.તેનો આવો વર્તાવ જોઈને પદ્મિનીએ ચાલતાં-ચાલતાં જ કહ્યું, “રાજકુમાર, મારાં માતા-પિતા કહેતાં કે હું જ્યારે નાની હતી ત્યારે બહું જ ડાહી હતી. ...Read More

23

પદમાર્જુન - (ભાગ - 23)

સ્વયંવરનો દિવસ નજીક આવી ગયો હતો. બે દિવસ બાદ સ્વયંવર યોજવવાનો હોવાથી દુર-દુર થી વિવિધ રાજાઓ અને રાજકુમારો એક પહેલા જ આવી જવાનાં હતાં. તેથી સમગ્ર વિરમગઢમાં સ્વયંવરની હર્ષોલ્લાસથી તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી.અંતે એક પછી એક રાજવીઓ આવવાં લાગ્યાં. વિદ્યુત પણ પોતાના મિત્ર અને મલંગ દેશનાં સેનાપતિ શાશ્વત સાથે ત્યાં આવી પહોંચ્યો હતો. સ્વયંવરની આગલી રાત્રે તે અને શાશ્વત અર્જુનનું નિમંત્રણ સ્વીકારીને તેનાં કક્ષમાં થોડાં સમય માટે ગયાં.આ દરમિયાન ઉત્સુક વેદાંગી પદ્મિની સાથે પોતાના સ્વયંવરની પ્રતિયોગીતા વિશે જાણવા માટે વિસ્મયનાં કક્ષ તરફ જઈ રહી હતી.ત્યાં જ પદ્મિનીનું ધ્યાન સામેથી આવી રહેલાં વિદ્યુત અને શાશ્વત પર પડ્યું. તેઓને જોઈને ...Read More

24

પદમાર્જુન - ( ભાગ - ૨૪ )

“પદ્મિની, તારું પ્રિય ભોજનનો દુનો મારાં હાથમાં આપ.”અર્જુને પોતાનો હાથ લંબાવીને કહ્યું.પદ્મિનીએ દાળભાત ભરેલ દુનો અર્જુનનાં હાથમાં આપ્યો.અર્જુને તેમાંથી કોળિયો તૈયાર કર્યો અને પદ્મિની તરફ લંબાવ્યો.પદ્મિની અર્જુન સામે જોઇ રહી.“પદ્મિની, મારી આંખો પર પટ્ટી છે એટલે હું જોઇ નહીં શકું કે તારું મુખ ક્યાં છે?”પદ્મિનીએ પોતાનાં ચહેરા પરથી નકાબ હટાવ્યું અને ભાતનો કોળિયો ખાધો.“પદ્મિની, હું નથી જાણતો કે એવું તે કયું કારણ છે જેનાં લીધે તું તારાં ચહેરા પર હંમેશા નકાબ રાખે છે, શા માટે તારાં ભૂતકાળ વિશે કોઈને પણ જણાવતી નથી?અને તારી મરજી સિવાય એ કંઇ હું તને પૂંછવા પણ નથી માંગતો. હું તો બસ મારાથી જેટલાં થાય ...Read More

25

પદમાર્જુન - (ભાગ-૨૫)

આગળનાં ભાગમાં આપણે જોયું: પદ્મિની નૃત્ય કરી રહી હતી. વૃક્ષ પાછળ છુપાયેલ અર્જુન પદ્મિનીની વિરુદ્ધ દિશામાં મોં રાખીને ઉભો જ તેનું ધ્યાન સામેથી આવી રહેલાં સૈનિકો પર પડ્યું.વિરમગઢનાં સૈનિકોની એક ટુકડી તેમની તરફ આવી રહી હતી. “અરે નહીં,જો સૈનિકોએ પદ્મિનીને જોઇ લીધી તો?”અર્જુને વિચાર્યું અને દોડીને પદ્મિનીપાસે ગયો.પદ્મિની કઇ વિચારે કે બોલે એ પહેલાં તો અર્જુન તેનો હાથ પકડીને ઝાડ પાછળ લઇ ગયો અને પોતે તેની આડો ઉભો રહી ગયો.સૈનિકોની ટુકડી પસાર થઇ ગઇ એ બાદ બંનેએ એકબીજા સામેં જોયું.પદ્મિનીનાં ચહેરા પર નકાબ નહતો તેથી અર્જુને પોતાની પાસે રહેલ વસ્ત્ર તેનાં ચહેરા પર બાંધી દીધું અને પદ્મિનીથી સહેજ દુર ...Read More

26

પદમાર્જુન - (ભાગ-૨૬)

પદમાર્જુન ( ભાગ : ૨૫ ) પદ્મિનીની ભાગતી જોઈને ભાનું સારંગનાં કક્ષમાં ગયો.તેનાં કક્ષમાં ચો-તરફ અંધકાર હતો.એક માત્ર દીપકની પ્રકાશે તે બેઠો હતો. તેના હાથમાં એક યુવતીનું ચિત્ર હતું જેને તે નીરખીને જોઈ રહ્યો હતો. તેણે તે ચિત્ર પર હાથ ફેરવ્યો અને કહ્યું, “તે મારી વાત માની હોત તો આજે વિદ્યુત અને વેદાંગીની જેમ આપણું પણ એક સંતાન હોત.તું કેમ મને છોડીને ચાલી ગઈ?મેં જે કંઇ કર્યું એ તારા માટે જ તો કર્યું હતું. તે તે દિવસે ભાગવાનો પ્રયાસ ન કર્યો હોત તો…”એટલું કહી સારંગે નિસાસો ફેંકયો. ભાનુએ અંદર આવીને સારંગના ખભા પર હાથ રાખ્યો અને કહ્યું, “મિત્ર, તારી ...Read More

27

પદમાર્જુન - (ભાગ-૨૭)

પદમાર્જુન : 2 [ પદમા (પદ્મિની)નો ભુતકાળ ]સારંગગઢખુલ્લા મેદાનમાં એક અઢારેક વર્ષનો યુવાન તલવાર પકડીને ઉભો હતો. તેની સામે વસ્ત્ર વડે મોં ઢાંકીને એક પંદર વર્ષની યુવતી પણ પોતાનાં નાજુક હાથો વડે તલવાર પકડીને ઉભી હતી.“શાશ્વત, આજે તો હું તને હરાવીને જ રહીશ.”તે યુવતી બોલી.“એ તો સમય જ કહેશે અને એમ પણ તારાં અવાજ પરથી સ્પષ્ટ છે કે તું મારાથી ગભરાઈ ગઈ છો.”શાશ્વતે હસતાં -હસતાં કહ્યું.“ગભરાઉ અને એ પણ તારાથી? હઅહ..પદમા ક્યારેય કોઈથી ગભરાતી નથી.”પદમાએ તલવાર પરની પકડ મજબુત કરી જુસ્સા સાથે કહ્યું.પદમાનો જુસ્સો જોઈને શાશ્વતે પોતાની તલવાર વડે તેનાં પર પ્રહાર કર્યો પરંતુ પદમા પણ તલવારબાજીમાં કંઈ ઓછી ...Read More

28

પદમાર્જુન - (ભાગ-૨૮)

નમસ્તે વાચકમિત્રોઆશા રાખું છું કે આ ધારાવાહિક આપ સૌને પસંદ આવી રહી છે. આગળનાં ભાગમાં આપણે જોયું : સારંગે તેની સામે જોયું તેથી સૈનિકે ગભરાઇને સારંગ પર પ્રહાર કર્યો. સારંગ તેને કરેલ બધા જ પ્રહારથી બચી ગયો.તેથી સૈનિકે પોતાની પુરી તાકાત લગાવી તેના પર છેલ્લો પ્રહાર કર્યો. તે પ્રહારથી બચવા સારંગે તલવારને પોતાનાં હાથ વડે પકડી લીધી. તેનાં કારણે તેનાં હાથમાંથી લોહી વહેંવા લાગ્યું. તેણે સૈનિકનાં હાથમાંથી તલવાર છીનવી લીધી અને તેને ધક્કો માર્યો. તેથી સૈનિક સામેની દિવાલ સાથે જોશથી અથડાઈને નીચે પડી ગયો. “આશા રાખું છું કે તારી ગેરસમજ હવે દુર થઇ ગઇ હશે અને તારાં મનમાં ઉદ્દભવેલા ...Read More

29

પદમાર્જુન - (ભાગ-૨૯)

આગળનાં ભાગમાં આપણે જોયું : “જો એવું જ હોય તો તું પણ શસ્ત્રનાં કૌશલ્યોની તૈયારી શરૂ કરી દે ને.શું તેઓ પણ તારી સુંદરતા અને તારી બહાદુરી જોઈને તને પસંદ કરી લે.”પદમાએ હળવાશથી કહ્યું પરંતુ તેને ખબર નહોતી કે તેનાં બોલેલા આ શબ્દો સાચા પડવાના છે,રેવતી નહીં પરંતુ તેનાં માટે. હવે આગળ: એક પખવાડિયાનો સમય પુર્ણ થયો અને રાજ્યાભિષેકનો દિવસ આવી ગયો.સારંગગઢની બધી જ પ્રજા મહેલનાં પ્રાંગણામાં ઉપસ્થિત હતી.પુરા રાજમહેલને સુંદર ફૂલોથી સુશોભિત કરવામાં આવ્યું હતું. “સારંગઢનાં વીર અને બહાદુર મહારાજ યુવરાજસિંહ પધારી રહ્યાં છે.”સેનાપતિ કલ્પે કહ્યું. પ્રાંગણમાં ઢોલ-નગારાઓ વાગવા લાગ્યાં.મહારાજ યુવરાજસિંહ, રાજકુમાર સારંગ અને રાજકુમાર વિદ્યુત પ્રાંગણમાં આવ્યાં. તેમનાં ...Read More

30

પદમાર્જુન - (ભાગ-૩૦)

આગળનાં ભાગમાં આપણે જોયું : સારંગ ફરીથી પદમાને જોઈ રહ્યો.થોડાં સમય બાદ સારંગ આભાર માનવનાં બહાને પદમા પાસે ગયો.પરંતુ સાથે શાશ્વત પણ હતો.પદમાને શાશ્વતની સાથે વાતો કરતાં જોઈને સારંગ અત્યંત ક્રોધિત થઇ ગયો.પરંતુ હાલ પૂરતો પોતાનાં પર સંયમ રાખી તેણે કહ્યું, “શાશ્વત, પદમા તમે બંનેએ મારા રાજ્યાભિષેકનો કાર્યક્રમ ખુબ મનોરંજક બનાવ્યો એ માટે તમારા બંનેનો આભાર.”રાજકુમાર સારંગ પદમા સામે જે રીતે જોઈને વાત કરી રહ્યો હત એ શાશ્વતને જરાં પણ ન ગમ્યું પણ કદાચ પોતાનાં નિરક્ષણમાં કંઇક ભુલ થઈ ગઈ હશે એમ વિચારીને તે ચુપ રહ્યો.થોડાં સમય બાદ શાશ્વત,પદમા અને રેવતી મહારાજ યુવરાજ સિંહની આજ્ઞા લઈને પોતાના ઘર તરફ ...Read More

31

પદમાર્જુન - (ભાગ-૩૧)

આગળનાં ભાગમાં આપણે જોયું : “શાશ્વત, મને લાગે છે કે મારું અહીં રહેવું સુરક્ષિત નથી.”પદમાએ કહ્યું અને જવા માટે ફરી. પરંતુ શાશ્વતે તેનો હાથ પકડીને રોકી લીધી. “મને જવાબ તો આપતી જા.” “હમ્મ…પહેલાં આપણાં બંનેના માતા-પિતાને મનાવ પછી જવાબ મળશે.”પદમાએ પોતાનો હાથ છોડાવ્યો અને પોતાના તંબૂમાં ચાલી ગઈ. “તારી આંખોના પાંપણ એકાએક એ રીતે ઢળી ગયા, જાણે મારાં પ્રસ્તાવ પર મને તારાં હસ્તાક્ષર મળીગયાં.” શાશ્વત ત્યાં બેઠો-બેઠો મલકયો ત્યાં જ ફરીથી સિંહની ગર્જના સંભડાણી. “મને લાગે છે કે હવે તો મારું પણ અહીં રહેવું સુરક્ષિત નથી.” હવે આગળ : તેઓ સફર પરથી પરત ફરી રહ્યાં હતાં ત્યારે તેઓને સમાચાર ...Read More

32

પદમાર્જુન - (ભાગ-૩૨)

શાશ્વતે પોતાનાં માતા-પિતાને પદમા વિશે જણાવી દીધું હતું અને તેઓએ પદમાનાં માતા-પિતાને. બંને પરિવારે શાશ્વત અને પદમાનાં સંબંધ પર પસંદગીની મહોર મારી દીધી હતી તેથી પદમા અને શાશ્વવત બહુ ખુશ હતાં. ... પદમા અને રેવતી બંને બપોરનું ભોજન કરવાં બેઠાં. રેવતીએ તેની થાળીમાં ભાત આપ્યાં અને હસી. “માતા અહીં આવો.”પદમાએ કહ્યું અને રેવતી સામે જોઇને પૂછ્યું, “તું શા માટે હસી રહી છો?” પદમાનાં માતા ત્યાં આવ્યાં. “માતા, મને ભાત ખવડાવોને.”પદમાએ કહ્યું. “પદમા,તું હજુ પણ હાથે જમતા નથી શીખી.”રેવતીએ કહ્યું અને ફરીથી હસવા લાગી. “એમાં હસવા જેવું શું છે?”પદમાએ મોં ફુલવીને પૂછ્યું. “સત્ય તો કહી રહી છે રેવતી,હવે માત્ર બે ...Read More

33

પદમાર્જુન - (ભાગ-૩૩)

શાશ્વતે પદમાની આંખોમાં આવી ગયેલ આંસુઓ લૂછયાં અને પોતાની સાથે લાવેલ ચૂંદડી પદમાને ઓઢાડીને કહ્યું, “પદમા,હું શીઘ્રતિશીઘ્ર વિજયનાં સમાચાર પાછો આવીશ અને ઉંચુ મસ્તક રાખીને તારી સાથે વિવાહ કરીશ.” “હું તારી રાહ જોઇશ.”પદમાએ કહ્યું અને પોતાની બાજુમાંથી પૂજાની થાળી લઇ શાશ્વતનાં કપાળ પર તિલક કર્યું. ... ગોવિંદ ઔષધિઓ પોતાનાં થેલામાં ભરી રહ્યો હતો. “જ્યેષ્ઠ, તમે સફર પર જાવ છો?”પદમાએ પૂછ્યું. “હા,હું મલંગ રાજ્ય તરફ જાવ છું.” “પરંતુ કેમ?” “પદમા,ત્યાં યુદ્ધ થવાનું છે. માટે આપણાં સૈનિકોને મારી જરૂર પડશે.” “જ્યેષ્ઠ, શાશ્વત અને કાકાનું ધ્યાન રાખજો.”પદમાએ રડમસ અવાજે કહ્યું. ગોવિંદે તેનાં માથા પર પ્રેમથી હાથ ફેરવ્યો અને કહ્યું, “તું ચિંતિત ન ...Read More

34

પદમાર્જુન - (ભાગ-૩૪)

પદમા જરૂરી ઔષધિઓ લઇને સારંગના કક્ષમાં પહોંચી. સારંગ તેને જોઈ રહ્યો. તે સાદા વસ્ત્રોમાં પણ અત્યંત સુંદર લાગી રહી પદમા પાસેથી ઔષધિઓ લઇને કલ્પે ફરીથી લેપ તૈયાર કર્યો અને સારંગને લગાડ્યો. “રાજન, અમને આજ્ઞા આપો.”કલ્પે કહ્યું. “રાજવૈદ્ય, મારે તમારી સાથે એક અગત્યની વાત કરવી છે.” “હા, કહો.” “એકાંત.”સારંગે કહ્યું.બધા સૈનિકો કક્ષની બહાર ચાલ્યા ગયાં. હવે કક્ષમાં માત્ર કલ્પ, પદમા,સારંગ અને ભાનું જ હાજર હતાં. “રાજવૈદ્ય, હું તમારી પુત્રી સાથે વિવાહ કરવાં માંગુ છું.”સારંગે કહ્યું. કલ્પને લાગ્યું કે સારંગ રેવતી વિશે વાત કરી રહ્યો છે. તેથી તેણે કહ્યું, “પરંતુ રાજન,એ કંઇ રીતે શક્ય બને?તમે રાજા છો જ્યારે અમે તો માત્ર ...Read More

35

પદમાર્જુન - (ભાગ-૩૫)

સારંગ કલ્પ પાસે ગયો અને તેનાં હાથમાંથી તલવાર લઇને કહ્યું, “તમે જે સાંભળ્યું એ અને રાજવૈદ્ય મને ખબર મળી કે તમારો એકમાત્ર પુત્ર ગોવિંદ પણ ઘાયલ સૈનિકોનો ઇલાજ કરવાં માટે મલંગ ગયો છે. પરંતુ જો એણે કઇ થઇ ગયું તો એનો ઇલાજ કોણ કરશે?” “અને પદમા તારો પ્રેમી શાશ્વત પણ યુદ્ધમાં ગયો છે ને?જો એને કંઇ થઇ ગયું તો?” “શાશ્વત બહાદુર છે.” “હા, એ તો હું જાણું છું. પણ જો મલંગરાજે આપણાં સૈનિકો સાથે મળીને જ એને જાળમાં ફસાવી લીધો તો?”સારંગે હસીને પૂછ્યું. “તાત્પર્ય?” “પદમા,તું ન સમજી શકે એટલી ભોળી નથી." “એટલે કે તે જાણીજોઇને શાશ્વત અને સોમકાકાને યુદ્ધ ...Read More

36

પદમાર્જુન - (ભાગ-૩૬)

આ તરફ બીજે દિવસે સવારે વિદ્યુતને આ બનાવ વિશે જાણ થઈ. એ અને શાશ્વત બંને હમઉમ્ર હોવાથી સારા મિત્રો અને પદમા શાશ્વતની વાગદત્તા હતી.તેથી જેવી તેને ખબર પડી કે તેનાં જ્યેષ્ઠે પદમાને કેદ કરી છે એટલે એ તરત જ ક્રોધિત થઈને સારંગના કક્ષ તરફ ગયો.ત્યાં પ્રવેશદ્વાર પાસે ઉભેલા ભાનુએ એને રોક્યો. “મારે જ્યેષ્ઠ ભ્રાતાને મળવું છે.” “સારંગ અત્યારે આરામ કરી રહ્યો છે.” “મારે જયેષ્ઠને મળવાં માટે તારી પરવાનગી લેવાની કોઇ આવશ્યકતા નથી.”વિદ્યુતે કહ્યું અને સારંગના કક્ષ તરફ આગળ વધ્યો પરંતુ ભાનુએ તેને રોકી લીધો. “ક્ષમા કરજો રાજકુમાર.મિત્રની આજ્ઞા છે તેથી હું તમને અંદર નહીં પ્રવેશવા દવ.” “ઠીક છે. તો ...Read More

37

પદમાર્જુન - (ભાગ-૩૭)

આગળનાં ભાગમાં આપણે જોયું: “મહારાજ, પદમાએ બે દિવસથી ભોજન નથી લીધું.” “આ વાત તું મને હવે જણાવી રહી છો?”સારંગ પર તાડુક્યો અને તેનાં હાથમાંથી ભોજનની થાળી લઇ પદમાનાં કક્ષ તરફ ગયો. પદમા પોતાનાં કક્ષમાં બારી પાસે શૂન્યમનસ્ક બેઠી હતી.વો ઝુર્મ કિયા ના જો મૈને કયું ઉસકી સજા યે પાઇ હૈ? અબ મરના ભી આસાન નહીં ઔર જીનેમેં રુસ્વાઈ હૈ જીતે જી મુજકો માર દિયા…” હવે આગળ : પદમાની આંખોમાંથી આંસુ સરી પડ્યા.એ જોઇને સારંગ તેની પાસે ગયો અને તેનાં આંસુ લૂછયાં. “તારી હિંમત કેમ થઇ મને સ્પર્શ કરવાની?”પદમા ચિલ્લાઈ. “ઠીક છે. તને પસંદ નથી તો હું તારાથી દુર રહીશ.”સારંગે ...Read More

38

પદમાર્જુન - (ભાગ-૩૮)

“નહીં, હું આમ બેસી ન શકું.મારે કંઇક તો કરવું જ પડશે.”થોડીવાર સુધી વિચાર્યા બાદ વિદ્યુતે નક્કી કર્યું કે, “અત્યારે સમય છે. જો હું અત્યારે વેશ પલ્ટો કરીને નીકળી જઇશ તો કોઈને પણ ખબર નહીં પડે અને આવતી કાલે પ્રાતઃકાળ સુધીમાં તો હું મલંગ પહોંચી પણ જઈશ અને એકવાર જો હું મલંગ પહોંચી ગયો પછી જય કઇ જ નહીં કરી શકે.”વિદ્યુતે કહ્યું અને ફટાફટ વેશપલટો કરી મલંગ જવા માટે નીકળી ગયો. … “તમે બધા શું કરી રહ્યા હતા?”સારંગ દ્વારપાળો પર ચિલ્લાયો. “મિત્ર,શાંત થઇ જા. અત્યારે ગુસ્સો કરવાનો સમય નથી.”ભાનુએ કહ્યું. “એકાંત.”સારંગે કહ્યું. તેથી બધા સૈનિકો ત્યાંથી ચાલ્યાં ગયાં. “મિત્ર, તું ...Read More

39

પદમાર્જુન - (ભાગ-૩૯)

“મને અહીંથી જાવ દો અન્યથા….”એટલું કહી પદમાએ તલવાર પોતાના ગળાની થોડીક વધારે પાસે લીધી. “પદમા,જીદ ન કર.જો તું અહીંથી સફળ રહી તો પણ મહારાજ સારંગ તને ગમે ત્યાંથી શોધી જ લેશે.” પદમા ખીણની એકદમ નજીક ઉભી હતી. તે હજુ તો કંઇક બોલે એ પહેલાં જ ત્યાંની ભીની માટીમાં તેનો પગ લપસ્યો અને તે સહસ્ત્ર મગરોથી ભરેલી એ ભયાનક ખીણમાં પડી ગઈ. … વર્તમાન સમય “નહીં…..”પદમાની વાત સાંભળીને અર્જુન ચિલ્લાયો. “પદમા,તું ઠીક તો છો ને?તને કઇ થયું તો નથી ને?”અર્જુને હાંફળા-ફાંફળા થઇને પૂછ્યું. “નહીં, રાજકુમાર અર્જુન. હું ઠીક છું.” “પદમા તું એ ખીણમાં પડી ગઈ હતી છતાં પણ તું કેવી ...Read More

40

પદમાર્જુન - (ભાગ-૪૦)

રણમેદાનમાં ચારેકોર ત્રણેયનો જયજયકાર ગુંજી ઉઠ્યો. સોમ પોતાના પુત્રની શુરવીરતા જોઇને ગદગદ થઇ રહ્યા હતાં જ્યારે શાશ્વત પદમાને મળવાનાં ખુશ થઈ રહ્યો હતો. વિદ્યુત એ વિચારીને ઉદાસ હતો કે કેમ શાશ્વતને પદમા કેદ છે એ જણાવશે જ્યારે સારંગ શાશ્વત હજુ સુધી જીવિત હતો તે કારણે ગુસ્સામાં હતો.ગોવિંદ ખુશ હતો કે પોતે પદમાને આપેલ વચન પુરુ કરવામાં સફળ રહ્યો છે જ્યારે સારંગગઢમાં તેનો પરિવાર પદમાનાં મૃત્યુની ખબર સાંભળીને શોકમાં ગરકાવ હતો. … “આ……”એક પુરુષની ચીખ સાંભળીને નાની બખોલમાં મૂર્છિત પડેલ પદમા જાગી ગઈ.તેણે જોયું તો સૂર્યાસ્ત થઇ ગયો હતો. “આ અવાજ ક્યાંથી આવ્યો.”પદમાએ કહ્યુ અને તે બહાર જોવે એ પહેલાં ...Read More

41

પદમાર્જુન - (ભાગ-૪૧)

“પુત્ર શાશ્વત, ગોવિંદ, સારંગ અત્યારે પદમાનાં મૃત્યુનાં કારણે શોકમાં છે એટલે શાંત છે. પછી એ તમને પણ નુકશાન પહોંચાડી છે.માટે હું તમને બંનેને વીંનતી કરું છું કે તમેં વિદ્યુતનો પ્રસ્તાવ સ્વીકારી લો.”સોમે કહ્યું. “હા મિત્ર શાશ્વત, હું તને વચન આપું છું કે આપણે જીતેલ મલંગ રાજ્યમાં સચ્ચાઈનું જ શાશન રહેશે અને ત્યાં તારો અને પદમાનો પરિવાર સંપૂર્ણ સુરક્ષિત રહેશે.હું તને ખાતરી આપું છું કે આ બાબતે જ્યેષ્ઠ કઇ નહીં કરી શકે.”વિદ્યુતે કહ્યું. “હા બેટા, તું મારો પ્રસ્તાવ પણ સ્વીકારી લે. મેં એક પુત્રીને તો ગુમાવી દીધી.હવે મારામાં બીજી પુત્રીને પણ ગુમાવી દેવાની તાકાત નથી.સારંગનાં ડરનાં લીધે રેવતી સાથે કોઈ ...Read More

42

પદમાર્જુન - (ભાગ-૪૨)

“આ સુંદર ચહેરો જ છે ને આ બધાનું કારણ?તો ઠીક છે, હું પ્રતિજ્ઞા લવ છું જ્યાં સુધી સારંગનું મૃત્યુ થાય ત્યાં સુધી હું મારો આ ચહેરો કોઈને નહીં બતાવું.”એટલું કહી પદમા ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગી..... વર્તમાન સમય પદમા પોતાનો ભુતકાળ યાદ કરી ફરીથી રડવા લાગી.અર્જુને પદમાને શાંત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ પદમાનાં આંસુઓ રોકાવવાનું નામ જ નહોતાં લેતાં. અર્જુને પદમાનાં માથાં પર સ્નેહથી હાથ ફેરવ્યો અને કહ્યું, “પદમા,તારે હવે તારો ચહેરો વધુ સમય સુધી છુપાવવો નહીં પડે. હું શીઘ્રતિશીઘ્ર તારાં એક-એક આંસુનો બદલો લઈશ.” અર્જુને પદમાને સહારો દઈને ઉભી કરી અને બંને મલંગ તરફ ચાલી નીકળ્યા. … સારંગ અને ભાનું ...Read More

43

પદમાર્જુન - ( છેલ્લો ભાગ )

રાજસભામાંથી બધા જઈ રહ્યા હતા ત્યાં અર્જુને કહ્યું, “પદમા,મારે તારી શાશ્વત, શ્લોક અને રેવતી સાથે એક ચર્ચા કરવી છે.”અર્જુનની સાંભળીને તેઓ રાજસભામાં જ રોકાયા અને બાકીનાં બધા ચાલ્યા ગયા. અર્જુને શ્લોક અને શાશ્વત સામે જોયું અને કહ્યું, “શ્લોક,શાશ્વત મને સારંગ પર જરા પણ ભરોસો નથી.મને પૂર્ણ વિશ્વાસ છે કે આપણે બધા જો રણમેદાનમાં ચાલ્યાં જઈશું તો સારંગ જરૂર પાછળથી પદમાને લઈ જવાનો પ્રયત્ન કરશે.માટે હું ઈચ્છું છું કે તમે બંને અને રેવતી પદમાને કોઈક સુરક્ષિત જગ્યાએ લઈ જઈ તેનું રક્ષણ કરો.” “પરંતુ અર્જુન સારંગ બહુ શક્તિશાળી છે.”શાશ્વતે કહ્યું. “મિત્ર શાશ્વત, તું ચિંતિત ન થા.મારી સાથે મારો પરિવાર અને વિદ્યુત ...Read More