લાઇફમાં થોડું થ્રીલ, થોડો રોમાંસ, થોડું રહસ્ય હોવું જોઇએ એવી મારી ફીલસૂફી છે. એટલે જ કદાચ એક કોમર્સ ગ્રેજ્યુએટ થઇને વેપાર કરતો હોવા છતાં ગુજરાતી સાહિત્ય તરફ માત્ર રોમાંચ ખાતર સફર ખેડી. તેમાં માત્રૃભારતીનાં સંગાથે ઘણો રંગ જમાવ્યો. પહેલેથી મને રહસ્ય કથાઓ વાંચવાનો જબરો શોખ રહયો છે. એટલે જ કદાચ હું એ જોનરની નવલકથાઓ લખી શકતો હોઇશ. અત્યાર સુધીમાં આવેલી મારી તમામ નવલકથાઓ સુપરહીટ સાબીત થઇ છે, અને મારા વાચકમિત્રોએ પણ સતત મારો ઉત્સાહ વધાર્યો છે એ બદલ હું તેમનો આભાર માનું એટલો ઓછો પડશે. બસ...આમ જ વાંચતાં રહેજો અને જો તમને પણ લખવાનું મન થાય તો માત્રૃભારતી સાથે જોડાઇ જજો. આભાર.

No Bites Available

No Bites Available