અસવાર

(2)
  • 254
  • 0
  • 222

“આ નવલકથાના મૂળિયાં માત્ર ને માત્ર લેખકની કલ્પનામાં રોપાયેલા છે. આમાં આવતા પાત્રો, ગામના નામ કે ઘટનાઓને કોઈ જીવિત કે મૃત વ્યક્તિ સાથે કે વાસ્તવિક ઈતિહાસ સાથે સ્નાન-સૂતકનોય સંબંધ નથી. સાણથલી ગામ કે પાત્રો જો કોઈ વાસ્તવિક વ્યક્તિ સાથે મળતા આવે, તો તેને માત્ર કુદરતી સંજોગ ગણવો. આ સત્ય ઘટના નથી, પણ સત્યની નજીક પહોંચવાની એક સર્જનાત્મક કોશિશ છે.”

1

અસવાર - ભાગ 1

પંચાળનો શુરવીર અસવાર દેવાયત એક ગોઝારા અકસ્માતમાં પોતાના પગ ગુમાવી બેસે છે. જેની જિંદગી ઘોડાની પીઠ પર હતી, તે કેદ થઈ જાય છે. દુનિયાની દયા અને તિરસ્કાર વચ્ચે દેવાયતની જિંદગીમાં પ્રવેશ થાય છે ‘સારંગ’નો—એક એવો ખૂંખાર અને ‘શ્રાપિત’ ઘોડો જેને લોકો કતલખાને મોકલવા તૈયાર હતા. એક અપંગ માણસ અને એક ગાંડા ઘોડાની આ જોડી જોઈને આખું ગામ મજાક ઉડાવે છે. પણ વાત ત્યારે પલટાય છે જ્યારે રાજ્ય કક્ષાની અશ્વદોડમાં દેવાયત ભાગ લેવાનો પડકાર ફેંકે છે. સવાલ એ છે કે, જે ઘોડા પર કોઈ ચડી નથી શકતું, તેને પગ વગરનો ...Read More

2

અસવાર - ભાગ 2

ભાગ ૨: ગ્રહણ: સૂર્યનો અસ્તસમય: મે, ૧૯૯૯ (વિક્રમસંગ સામેની જીતના ૧૫ દિવસ પછી)સ્થળ: સાણથલી ગામ અને બાજુનું રામપર ગામવિક્રમસંગની હરાવ્યા પછી દેવાયતનું નામ પંચાળના સીમાડા વળોટીને આખા સૌરાષ્ટ્રમાં ગુંજતું થઈ ગયું હતું. ગામના ચોરે, ડાયરામાં અને લગ્નપ્રસંગોમાં બસ એક જ વાત થતી – “મરદ હોય તો દેવાયત જેવો, બાકી તો બધા પાણીના પરપોટા!”દેવાયત હવે જમીન પર નહોતો ચાલતો, સાચે જ હવામાં ઉડતો હતો. તેની ચાલમાં એક પ્રકારનો તોર આવી ગયો હતો. સવાર-સાંજ તેના ઘેર લોકો મળવા આવતા. કોઈ ઘોડાની સલાહ લેવા, તો કોઈ બસ ‘પંચાળના શુરવીર’ ને જોવા. અભિમાન ધીમે ધીમે દેવાયતની નસોમાં લોહી બનીને દોડતું હતું. પણ કહેવાય ...Read More