📖 પ્રસ્તાવના
"અતિત કદી પૂર્ણ થતું નથી, એ ફક્ત ઊંડે સંતાઈ જાય છે..."
આ કથા છે એવા પ્રેમની, જે જન્મોને પાર કરે છે. એવા રહસ્યની, જે કલ્પના કરતાં વધુ સાચું લાગે છે. અને એવા હાસ્યની, જે ગળામાં હસવીનો ઝળકો છોડી જાય. દરેક માણસના જીવનમાં કંઈક એવું હોય છે જે શબ્દોથી પરે હોય. કોઈ સ્થાન, કોઈ અવાજ, કે કોઈ ઝલક – જે બતાવે કે એ અનુભવો પહેલાં પણ આવી ચુક્યા છે.
આવી જ અનુભૂતિ કરે છે નિહાલ, એક અભ્યાસી અને સંવેદનશીલ યુવાન. શહેરના રંગીન જીવનમાં તેમ છતાં એક પ્રકારની અંદરથી ખાલી લાગણી જીવંત છે. જીવનની સહેલાઈ વચ્ચે પણ એના મનમાં અવિચલ તલપ છે – શાંતિ, સચ્ચાઈ અને જીવનનો હેતુ શોધવાની તલપ.
જ્યારે એ પોતાના પિતાની કામગીરીના સંદર્ભમાં સોહમપુર ગામ પહોંચે છે, ત્યારે એની અંદર કંઈક જુદું જ ઊતરી આવે છે. ગામનો ઠંડો પવન, વૃક્ષોની છાંયાવાળી ગલીઓ અને મંદિરના ઘંટનાદ એના અંતરમાં છુપાયેલા સંસ્મરણોને જગાડે છે. અને અચાનક, સપનાઓ શરૂ થાય છે — જૂના મંદિર, અજાણી છબી, અને એક નામ: કીર્તી.
કીર્તી — સોહમપુર ગામની શાંત અને શિષ્ઠ યુવતી. એની આંખોમાં જાણે શબ્દોથી વધુ કહાની હોય. નિહાલને લાગે છે કે એ પહેલી વાર મળ્યો નથી. બંને વચ્ચે એક અજાણું પણ ઊંડું જોડાણ છે. વાતાવરણ ગૂંજે છે જૂના સંબંધોની ઉજાસથી. તેમના સપનાઓ અને વર્તમાનના પળો એકબીજાને વણતા જાય છે.
નિહાલના જીવનમાં ઘણું બધું હતું — સુખાકારી, સારા મિત્રો અને એક સુવિધાજનક નોકરી. છતાં તેની અંદર એક શૂન્ય જેવું કંઈક સતત ઊંડે ઊંડે ટકોરા મારતું હતું. તે શૂન્યતા ન સપનાઓથી ભરાતી હતી, ન વાસ્તવિકતાથી. કદાચ એ સમયનો એક ભાગ હતો, જેને ભૂલી જવાયું હતું, પણ અંતરમનમાં ક્યાંક જીવતો રહ્યો હતો.
એના ગામમાં પગ મૂકતાની સાથે એએ એ ઉર્જાનો અનુભવ કર્યો — જાણે આખું વાતાવરણ એને ઓળખતું હતું. વૃક્ષોનું ઘસાતું પાન, પવનની સરસર, અને મંદિરના ઘંટનાદમાં કંઈક જાણીતું હતું. તેણે ત્યારે સમજાયું કે જે સપનાઓમાં તે દિવસો પસાર કરતો હતો, એ સપના નહીં, કદાચ સ્મૃતિ હતી.
પણ આ વાર્તા માત્ર પૂર્વજન્મના પ્રેમની નથી. એ છે જીવનના તત્વોની – પ્રેમ, શ્રદ્ધા, હાસ્ય અને અધ્યાત્મની. જ્યાં ભૂતકાળનો બોજો પણ હળવો થઈ જાય છે કારણ કે કેટલાક પાત્રો – જેમ કે ભાઈદાસ કાકા, ગામના શરારતી પંડિત, અને ચમકડો, નિહાલનો પાજીટિવ અને રમૂજી મિત્ર – વાર્તાને જીવંત અને મઝેદાર બનાવી દે છે.
"પુનર્જન્મનું રહસ્ય – એક પ્રેમ અને હાસ્યયાત્રા" એ માત્ર વાંચવા જેવી કથા નથી, એ અનુભવો જેવી યાત્રા છે. જે વાચકને હસાવે છે, રડાવે છે, અને દિલની ઊંડાણમાં ઉતારી જાય છે. પ્રેમ અહીં માત્ર શારીરિક આકર્ષણ નથી, પણ આત્માનું સંબંધ છે – જે જનમો સુધી જીવે છે.
આ પુસ્તક તમને લઈ જશે એવી યાત્રા પર:
જ્યાં ભૂલાયેલી ઓળખ ફરી મળવાની આશા રહે છે,
જ્યાં દર સપનામાં કોઇ રહસ્ય છુપાયેલું હોય છે,
અને જ્યાં જીવનનું સાચું તત્વ પ્રેમ અને જોડાણમાં જ છુપાયેલું હોય છે.
ક્યારેક આપણે જે પૂછતા નથી એ જવાબ આપણું જીવન આપતું રહે છે. આ કથા એ જવાબોની શોધ છે. ન કેવળ અંત, પણ એક નવા આરંભની પૂર્વકથા છે.
અહી બધું Ordinary લાગ્યા બાદ પણ કંઈક Extraordinary બનતું જાય છે.
ચાલો, નિહાલ અને કીર્તી સાથે આ અલૌકિક યાત્રામાં જોડાઈએ – જ્યાં દરેક પાના સાથે એક નવી ગૂંથણીઓ ઉકેલાય છે… અને પાછલી કાળગતિમાં આપણું નવું ભવિષ્ય છુપાયેલું હોય છે.
Writing by
Vrunda Amit Dave