Neelakrishna - Part 20 in Gujarati Anything by કૃષ્ણપ્રિયા books and stories PDF | નિલક્રિષ્ના - ભાગ 20

Featured Books
Categories
Share

નિલક્રિષ્ના - ભાગ 20

વૃજાએ તોતીંગ પક્ષીઓને મગરમચ્છની ચણ નાખીને એ રીતે સજ્જ કર્યા હતા કે, એ પક્ષીઓ આકાશમાં કાલીશક્તિઓનુ પણ આહવાન કરી શકતાં હતાં.એ ઉડતાં હોય એ આકાશ એનું જ બની જતું હતું.નતનવીન ચાળા કરતી એ કરગરતી પક્ષીઓની સામે રડવા માંડે અને પોતાને વધુ દુઃખ છે એવું બતાવવા પોતાના હાથ નીચે પછાડવા લાગે. આવાં એનાં ઢોંગથી સહાનુભૂતિ આપવા તૈયાર હરકોઈ પક્ષીને એ પવનમહેલ તરફ દોરી જતી હતી. અતિ ક્રુર વૃજાનુ આ સ્વરૂપ ખોટા છલકાતાં આંસુ સાથે દયા ઉપજાવતું દેખાવમાં લાગતું હતું.આવા એનાં કરૂણ રુદનથી એને સહાનુભૂતિ આપવા આકાશમાં વિહરતુ હરકોઇ પક્ષી એનાં તરફ ખેંચાય જતું હતું.આ પક્ષીઓને ખંભે બેસાડી એ આખાં પવન મહેલમાં ચક્કર લગાવી એનો મગજ ફેરવી નાંખતી હતી.એ હદે પક્ષીઓમાં રાક્ષસી વૃતિ ભરતી હતી કે,એ બીચારા પક્ષીઓ જમીનમાંથી ઉગેલા અનાજની ચણ ચણવાને બદલે દરિયાઈ જળચર પ્રાણીઓની ચણ ચણવા મજબૂર થઇ જતાં હતાં.

    આમ રોજ રોજ વૃજાનું કરુણ રૂદન સાંભળી કોઈ ને કોઈ પક્ષી પવનમહેલમા અંદર આવી જ જતું હતું.
એનાં અંદર પ્રવેશતા જ એ પોતાનું અસલી રૂપ બતાવતા  બીલકુલ ન સંકોચાતી.દયાભાવ દાખવનાર એ પક્ષીઓની સાથે એ અનોખી રીતે વાર્તાલાપ કરતાં કહેતી હતી કે,

" હે પક્ષી પ્રીયે ! મારી દુઃખ ગાથા સાંભળવા તું મારી પાસે આવ્યું છે...! તો સાંભળ,આ બધો ભ્રમ વિલાપ હતો.  કળીયુગ છે આ કળીયુગ ! એમ કોઈનાં રૂદનથી એની પાસે જવા ઉતેજીત ન થવાય.પૃથ્વી પર જરા નજર કર કોઈપણ માનવ મળેલી ક્ષણની એક પળ પણ નથી છોડતું! તો હું તો એક રાક્ષસી છું.કેમ છોડુ આ મળેલી તક...! હું તો હવે તને ગુલામ બનાવીને જ જંપીશ."

      આમ પવનમહેલની આસપાસ ઉડતા હરેક પક્ષી વૃંજાના આ ઢોંગમાં ફસાઈ જતાં હતાં.એની પાસે આવેલા પક્ષીને એ મગરમચ્છની ચણ નાખતી અને તોતિંગ બનાવતી.એ ચણમાંથી માસ મટર એ પક્ષીઓ આરોગતાં નહીં.માત્ર મગરમચ્છની શક્તિ અને વિશાળ સ્વરૂપ જ આરોગતાં.તેથી બધાં પક્ષીઓમાં વધું વજન ન ભરાતો હતો.પરંતુ શક્તિ અને સ્વરૂપથી આંખ ખોલીને જોતાં, આપણને અશક્ય લાગે એવું એ ઉડતા તોતીંગ પક્ષી બની જતા હતાં.પોતાની પાંખોમાં દસ બાર હાથી સમાય જાય એવાં વિશાળ કદના હજારો પક્ષીઓ અત્યારે આ પવન મહેલમાં રહેતા હતાં.આ વાત પરથી આપણે વીચાર પણ ન કરી શકીએ કેટલો વિશાળ આ મહેલ હોય શકે? આ પક્ષીઓની એક વિશેષતા એ હતી કે જે જગ્યાએથી એ ઉડતા એ જગ્યાનાં પણ એનાં વેગથી હજારો ટુકડાં થય જતાં હતાં.

     વૃજા આમ તોતિંગ પક્ષીઓ ભેગા કરીને કોઈ વિનાશની તૈયારી કરી રહી હતી.ક્યારે અને કોનાં ઉપર એ પ્રહાર કરશે એ તો એજ જાણતી હતી.આ બધું જોતાં તો પૃથ્વીનો વિનાશ દેખાઈ રહ્યો હતો.

આ પવનમહેલ જોવામાં એવો હતો કે,
"હરકોઈનાં મનમાં જે મહેલ હોય,એણે એવો જ પુર્ણ રીતે દેખાય."

ધરાને પવનમહેલ લઈ જનાર એ તોતિંગ પક્ષી વૃજાનું જ એક ગુલામ હતું.રસ્તામાં જતા મને બાબા આર્દના શબ્દો પણ યાદ આવતાં હતાં.હજું કંઈ વિચારું એ પહેલાં અચાનક વાદળોનો ગડગડાટ સંભળાયો.

વાતાવરણમાં પલટો આવતાં મેં વિચાર્યું કે, હું પહેલાં ઘરે પહોંચી જઉં,પછી આગળ વધું ધ્યાન લગાવીશ.હજું તો થોડું આગળ ચાલી ત્યાં પુરજોશથી વરસાદ શરૂ થઈ ગયો હતો.જ્યારે મંદિરથી નીકળી ત્યારે જ આકાશમાં જે રીતે વાદળોની ગોઠવણ થઈ રહી હતી એ પરથી લાગતું જ હતું કે, "વરસાદ આવવાનો છે." આમ,પણ ચોમાસું બેસી ગયું હતું એટલે રોજની હેલી આમ ગોઠવાઈને વરસી જતી હતી.અડઘો રસ્તો કાપ્યો ત્યાં છાંટાનુ જોર વધવા લાગ્યું.એક ઝાપટાંમાં તો શરીર પલળી ગયું.શરીરમા ઠંડી ચડે એ પહેલાં આંખ ઉપર હાથ રાખી જીણી નજરે જોતાં થોડે દૂર એક છાપરું હોય એવું દેખાતા એ છાપરાં તરફ જલ્દીથી દોડીને પહોંચી ગઈ.એ છાપરાં નીચે આવીને હું ઉભી હતી ત્યારે મેં આસપાસ નજર કરી તો કોઈ જ મને દેખાય રહ્યું ન હતુ.મન થોડું હિચકિચાટ અનુભવી રહ્યું હતુ.હવે ઉભી રહી ગઈ હતી જ તો મન થોડું કઠણ કરીને,વરસાદ થોડો ઓછો થાય એની રાહ જોવા લાગી ગઈ.ત્યાં અચાનક કોઈ અવાજ આવતો સંભળાયો.

"આ સૃષ્ટિ મને રહસ્યમય લાગે છે.અહીના જીવો અને આખું વિશ્વ જાણે જાદુંની દુનિયા જેવું લાગે છે." 

સમુદ્રથી ઉપર આવતી હેત્શિવા અને નિલક્રિષ્ના વચ્ચે વાતો ચાલતી હતી.એ વાતો મારાં કાન સુધી પહોંચતી હતી.મેં વળી વળીને આસપાસ બધે જોયું પરંતુ એ બંનેમાંથી એકેય ક્યાંય નજર આવી રહ્યા ન હતાં.આમ પણ વરસાદ થોડો ઓછો થયો એટલે હું ત્યાંથી ઘર તરફ જવા નીકળી ગઈ.મારું મન અલગ રીતે વિચારી રહ્યું હતું.આમ પણ હજું બાબા આર્દની વાતોમાં સંપૂર્ણ વિશ્વાસ નહોતો બેઠો,તેથી આ આવતા અવાજ ને મેં ફોલો કરવો જરૂરી ન સમજ્યો.મારું મન હવે પવનમહેલની ગલી ગલીમાં ધરાને જ શોધતું હતું.ધરા પવનમહેલમાં છે એ જાણ્યા પછી વાતાવરણમાં પલટો આવતાં મારું ધ્યાન છૂટી ગયું હતું.એટલે હું ઘરે જવા નીકળી ગઈ હતી.આગળ રસ્તે ચાલતા મને બાબા આર્દનાં શબ્દો પણ યાદ આવતાં જતાં હતાં.એણે મને એકવખત કહ્યું હતું કે,

"આપણું મન ત્રણ વસ્તુનું બનેલું છે.વિચાર, ઈચ્છા....
પરંતુ આપણાં મગજ બે છે.એક 'જ્ઞ' મગજ, અને બીજું 'અજ્ઞ' મગજ...! 'જ્ઞ' મગજ જાગ્રત અવસ્થામાં ૨૫% કામ કરે છે.જ્યારે 'અજ્ઞ' મગજ અજાગ્રત અવસ્થામાં શયન ટાઈમે ૭૫% કામ કરે છે. જો આપણું 'અજ્ઞ' મગજને જાગ્રત અવસ્થાના ટાઈમે કાર્યરત કરવું હોય તો પહેલાં 'જ્ઞ' મગજને એક જગ્યાએ સ્થિર કરવું જરૂરી છે...!પહેલાનાં સમયમાં ઋષિ મુનિઓ 'જ્ઞ' મગજને સ્થિર કરવા માટે કોઈ એક મૂર્તિને નિહાળી પોતાનું જાગૃત મગજ સ્થિર કરતાં હતાં.જ્યારે કંઈ જ આપણને ના ફીલ થાય,ના દેખાય,કંઈ પણ દુઃખાવાની કંઈજ ખબર ન પડે ત્યારે અજ્ઞ મગજ કામ કરતું હોય છે.આપણે ઘણી વખત સપનાની દુનિયામાં એટલાં ખોવાઈ જઈએ છીએ કે એ બધું આપણે વિના મહેનતે અનુભવી શકીએ છીએ.અત્યારે જાગ્રત અવસ્થામાં જો મચ્છર કરડે છે તો પણ ખંજવાળવુ પડે છે. પરંતુ તું એવું કર કે તારું 'જ્ઞ' મગજ સ્થિર થઇ જાય.એટલે તને કોઈ તાપ,તડકો, દુઃખ, દર્દ, કઈજ ખબર નહીં પડે.માત્રને માત્ર નવી ઉર્જા ઉત્પન્ન થતી રહેશે.અને એ જે શક્તિ અજ્ઞ મગજમાં છે એ જાગ્રત કરી લે.તો તારે ધ્યાન પણ લગાવવું નહીં પડે અને આપોઆપ તારામાં જે શક્તિઓ છે એ બહાર આવવા લાગશે અને તું પુર્ણ બની જઈશ."

  બાબા આર્દની આ વાત મારાં મનમાં સ્થિર થતી જતી હતી.મારાં જાગ્રત મને વરસાદનાં છાંટા અનુભવવાનું બંધ કરી દીધું હતુ.આગળ થોડું ચાલી તો અચાનક દરવાજા પરથી દરવાજા ખુલતાં હોય એમ,મારી નજર સામે કેટલાંય દરવાજા ખુલવા લાગ્યા.અને આખરે છ દરવાજા ખુલ્યા પછી હું સાતમો દરવાજો ખુલતાં જ અવકાશમાં પ્રવેશી ગઈ.આજે હું એવાં વાદળો વચ્ચે આવીને ઊભી હતી કે,જ્યાં પુણ્યશાળી આત્માઓ જ વિહાર કરી શકે.

  ત્યાંની ઠંડક અને ભવ્યતા જોઈને મેં પોતાને જ આમ સવાલ કર્યો,   "આ સ્વર્ગ છે કે શું ?"  જાણે હું જીવતાં જીવ જ સ્વર્ગને મળી રહી હોય એમ અહીં આસપાસથી મારાં શ્વાસોમાં ફુલોની સુંગધ સ્પર્શી રહી હતી.વાતાવરણ આહલાદક અને મારા અનુભવોથી પરે હતું.

   ચારેબાજુ મોટા વાદળો તૈયાર કરવા રીછડીઓની ફોજ દોડી રહી હતી.હું પણ એને પકડવા બંને હાથથી ઝટપટ ઝટપટ બાહોમાં ભરી રહી હતી, પરંતુ એ મારાં બન્ને હાથ વચ્ચેથી છટકી જતી હતી. આમ કરતાં કરતાં હું પવનમહેલ આગળ આવીને ઊભી રહી ગઈ.પાછળ વળીને જોયું તો બધાં જ દરવાજા ગાયબ થય ગયાં હતાં.આ બધુ મારી સમજ બારનું હતું.પર મેં જાણવું જરૂરી સમજ્યું.

     આગળ ચાલતા એક સ્ત્રીનાં રુદનનો અવાજ આવી રહ્યો હતો. પરંતુ હું જાણતી હતી કે, 

(ક્રમશઃ)

- હેતલ ઘેટીયા " કૃષ્ણપ્રિયા" ✍️