🌹🙏ૐ શ્રી ગુરુમાઁબાબા મનસા જરાત્કારું વનદૈવ્યે નમઃ 🙏🌹
પ્રણયમાં વિરહની પીડા.. પ્રિયજનની ચિંતા.. મિલનની પ્યાસ..
પ્રેમ થકી મિલનનાં આનંદની અનુભૂતિ સ્વર્ગીય ને આલ્હાદક હોય છે. પરંતુ....
વિરહમાં પીડાની અનુભૂતિ પ્રેમને સર્વોચ્ચ સ્થાન આપે છે. ઈશ્વર પૃથ્વી પર મનુષ્ય રૂપે અવતરણ કરે.. જન્મ લે તો.. એમની લીલામાં પ્રેમ, વિરહ અને મિલનની કેવી અદ્ભૂત અનુભૂતિ કરાવે છે..
ભગવાન શ્રીરામ સોનેરી મૃગની પાછળ જાય છે સીતાજી લક્ષ્મણને શ્રીરામજીની ભાળ લેવાં મોકલે છે..
ત્યાં રામજી અને સીતાજી માટે વિરહની ઘડીનું નિર્માણ થાય છે.. રાવણ સીતાજીનું અપહરણ કરી લંકા પ્રયાણ કરે છે...
જયારે રામચંદ્રજી તથા લક્ષ્મણજીને ખ્યાલ આવે છે કે સીતાજી કુટિરમાં નથી પછી એમની શોધ આરંભે છે..
પ્રભુ શ્રીરામ ઈશ્વરનાં અવતાર છે પણ મનુષ્યદેહ ધારણ કરેલ છે.. જીવનની વાસ્તવિકતાઓથી તેઓ પરે નથી.. એમનો સીતાજી માટેનો અપાર પ્રેમ.. વિરહની પીડા છતી થાય છે...
શ્રીરામજી સીતાજીની શોધમાં વન વન ફરે છે.. હે સીતે... હે સીતે બોલતા બોલતા શ્રુષ્ટિમાં સર્વને પૂછતાં પૂછતાં રખડી રહ્યાં છે.. વિરહની પીડાની આગમાં સળગી રહ્યાં છે.. આંખોમાંથી અશ્રુધારા વહી રહી છે. જે વિરહની સ્થિતિનું નિર્માણ થયું છે એ અસહ્ય બની છે તેઓ જંગલમાં પશુ પંખી બધાને પૂછી રહ્યાં છે તમે મારી સીતાને જોઈ? એ રાજકુંવરી ની ભાળ છે? વૃક્ષે વૃક્ષે ટહેલ નાંખી શોધી રહ્યાં છે વૃક્ષોનાં થડને વળગી આંસુ સારી પૂછે છે તમે મારી વૈદેહીને જોઈ? હે સીતે તમે ક્યાં છો? ધરતી ગળી ગઈ કે ગગનમાં અદ્રશ્ય થયાં હે સીતે.. હે સીતે કહેતાં વિલાપ કરી રહ્યાં છે..એમનાં કાળજાથી સીતાજીના વિરહમાં ચીખ નીકળી રહી હતી...
ઈશ્વર પણ પ્રેમવવિરહની પીડામાંથી બાકાત નથી વિરહનો વિષાદ એમને પણ ખાઈ રહ્યો છે...
પ્રેમ વિરહની શું વાત કરવી? જેમ પ્રેમની અનુભૂતિ અવૅરણીય છે એમ વિરહની આગ અત્યંત દઝાડનારી છે... શું વર્ણન કરવું?....
ભગવાન શિવજી માઁ સતી નાં વિયોગમાં એમનું મૃત શરીર હાથોમાં ઉંચકી બાહોમાં સમાવી આખાં બ્રહ્માંડમાં ફર્યા.. સતીના વિરહમાં આંખોમાંથી પીડાના અશ્રુ વહ્યાં..વિયોગ સહન ના કરી શક્યા ત્યારે આખું બ્રહ્માંડ માથે લીધું હતું. બધાં દેવો સાથે શ્રુષ્ટિ ડરી ગઈ હતી. વિરહની આગ ભભુકે ત્યારે કારણો ભસ્મ થવાં સર્જાય છે અને અત્યંત પીડાકરક વિરહ પછી... અણમોલ મિલનની ઘડી પણ અચૂક આવે છે..
પ્રણય ઈશ્વરનું સ્વરૂપ છે નાં એ મેલું થાય ના ભ્રષ્ટ એ પવિત્ર પ્રેમ ઝરણું સ્વર્ગથી ઉતરી આવ્યું છે. એમાં જે નાહ્ય ઓતપ્રોત થાય એ ઈશ્વરીય સ્વર્ગીય અનુભૂતિ કરે એમાં શંશય નથી.
વિરહ પ્રેમમાં પાત્રતા અને પવિત્રતા વધારે છે કારણકે એ પ્રણ્યાગ્નિમાં બળી સળગી પીડા સહી પાવન થાય છે.. ના માયા ના વાસના કે કોઈ ઈર્ષા સ્પર્શી શકે છે.. આવી પવિત્ર પાત્રતા ક્યાં શોધવી???.
દક્ષેશ ઇનામદાર. "દિલ"..
🌹🙏ૐ શ્રી ગુરુમાઁબાબા મનસાજરાત્કારું વનદૈવ્યે નમઃ 🙏🌹
*સબસે ઊંચી પ્રેમ સગાઈ..*
પ્રેમ સાવ નાનકડો માત્ર અઢી અક્ષરનો શબ્દ..
પ્રેમનાં આ અઢી અક્ષરમાં પ્રેમ કરનાર બે પાત્ર.. એમાં અડધા અક્ષરની માત્રામાં આખા બ્રહ્માંડની ઈશ્વરીય શક્તિનાં આશીર્વાદ સમાયાં..
ના વાસના ના શારીરિક પ્રેમ ના અપેક્ષા ના ફરિયાદ..
એક નૈસર્ગીક પરાશક્તિ જે પ્રેમ થકી એક પવિત્ર યુગ્મ ઓરામાં પરિવર્તિત થાય.
આરાધ્યા પરાશક્તિ માઁ રાધાનું ચરિત્ર પ્રતિત થાય. કૃષ્ણનાં વિયોગમાં યોગશક્તિએ યુગ વિતાવ્યા પણ વિરહની પીડામાં વધું પ્રેમશક્તિ પ્રજવલિત કરી.. એ સહનશક્તિએ નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરી..
ભોગમાં જ તૃપ્તિ છે???
માઁ સીતા રામ વિના અશોકવાટિકામાં રહી યોગશક્તિ મેળવી.. વિરહનાં તાપમાં યોગમાયા બન્યા એક દ્રષ્ટાંત પૂરું પાડ્યું.
પ્રેમની શું વ્યાખ્યા કરવી..? જેટલું પુનિત પવિત્ર ઝરણું "દિલ"માંથી વહે એટલું મજબૂત થાય. એનાં કોઈ પુરાવા સાબિતી ના હોય એ સ્વયંભુ પ્રતિત થાય જ.
સંક્ષિપ્તમાં ઘણું કહી જાય.. વરસી જાય.. અભિભુત થાય.. એનું નામ પ્રેમ..
દક્ષેશ ઇનામદાર."દિલ"..