Sherbajarma rokanni gadmathal - 3 in Gujarati Business by Naresh Vanjara books and stories PDF | શેરબજારમાં રોકાણની ગડમથલ - 3

Featured Books
  • Split Personality - 93

    Split Personality A romantic, paranormal and psychological t...

  • One Step Away

    One Step AwayHe was the kind of boy everyone noticed—not for...

  • Nia - 1

    Amsterdam.The cobbled streets, the smell of roasted nuts, an...

  • Autumn Love

    She willed herself to not to check her phone to see if he ha...

  • Tehran ufo incident

    September 18, 1976 – Tehran, IranMajor Parviz Jafari had jus...

Categories
Share

શેરબજારમાં રોકાણની ગડમથલ - 3

શેરબજારના પ્રલોભનો :

શેરબજારમાં તો ખુબ કમાણી છે “પછી આ ભાવે આ કંપનીનો શેર નહિ મળે “ આ પ્રકારના પ્રલોભનો સાંભળી સામાન્ય માણસો શેરબજારમાં રોકાણ કરવા લલચાય એમાં નવાઈ શી ?

શેરબજારના ખાં એક્સપર્ટ સૌથી શ્રીમંત એવા રોકાણકાર વોરન બફે કહે છે કે “શેરબજારના પ્રલોભનો સાંભળી વિચલિત ના થતા પરંતુ એ પ્રલોભન છે કે રોકાણ કરવાની તક એ કઈ રીતે સમજવું ?

ટીવી ની આર્થિક ચેનલો પર આવો સિનારિયો તમે જોયો જ હશે જે પ્રોગ્રામમાં એક આર્થિક (શેરબજારનો ) નિષ્ણાત દર્શકો ના ફોન લેતો હોય છે

દર્શકો સામાન્ય રીતે આ પ્રકારનાં પ્રશ્નો પુછતા હોય છે કે :

" મે ફલાણી કંપનીનો શેર રૂ ૨૦૦ એ ૧૫૦ શેર લીધા હતાં હવે આ શેરનો ભાવ ૨૫૦ રૂ છે તો મારે શું કરવું ?...."

આવા પ્રકારનાં સવાલ જો હું એ ચેનલ પર નિષ્ણાત તરીકે હોઉં અને મને જો પૂછવામાં આવે તો મારો જવાબ આ જ હોય કે :

" ભાઈશ્રી આપે એ ફલાણી કંપનીના શેર જયારે લીધા હતા ત્યારે મને પૂછ્યું હતું કે હું લઉં કે ના લઉં ? તો હવે મને કેમ પૂછી રહ્યા છો ? જાવ જેમણે તમને આ શેર લેવડાવ્યા એને જ જઈને પૂછો ને કે હવે શું કરવું "

આવા પ્રશ્નોનો આવો જ સીધોને સટ જ જવાબ હોય અન્ય કોઈ હોઈ ના શકે પરંતુ ટીવી ચેનલ અને એ નિષ્ણાતને ટીઆરપી ની ચિંતા સતાવતી હોવાથી એ ગોળ ગોળ શુષ્ટ જવાબ આપશે

જરા વિચાર કરો કે મુંબઈ સ્ટોક એક્સેંજ પર ૨૦૦૦ થી વધુ લીસ્ટેડ કંપનીના સોદા રોજેરોજ પડતા હોય છે અને આ કેહવાતા નિષ્ણાતો આમાની કોઈપણ કંપની નો શેર ક્યારે કયા ભાવે લેવો કે વેચવો એની સલાહ એક સેકન્ડમાં એની સામે મુકેલા કમ્પ્યુટરની ચાપ દબાવી તમને સલાહ આપે છે ???

હાવ એમ્યુંઝીંગ ? દાદ દેવી પડે એમની રીસર્ચ ક્ષમતા ને મુદ્દે અહીં જેમના કહેવાથી તમે એની મફતની સલાહ માની શેર લીધા હતા એ એક પ્રલોભન જ હતું તમારું અને હવે જો તમે એ નક્કી નથી કરી શકતા કે એ લીધેલ શેરનું શું કરવું એથી તમે જો આમ ટીવીમાં બેસેલા નિષ્ણાત પર ભરોસો મૂકી નિર્ણય લેતાં હોવ તો એ હવે એથી પણ મોટું નુકસાનકર્તા પ્રલોભન જ છે તમારું ટીવી પરના આવા કંપની સ્પેસિફિક લે વેચની સલાહ અને નિર્મલબાબાની જ્યોતિષ અંગેની ટીવી પરની સલાહમાં કોઈ જ ફરક નથી બંને સરખી ગેરમાર્ગે દોરનારી અને નુકસાનકર્તા જ છે ખાસ તો આર્થિક નુકસાનકર્તા ટીવી પરના આવા પ્રશ્નોત્તર અંગે મારો કાનૂની અભિપ્રાય એ છે કે જો આવા પ્રશ્નો છાપા કે સામયિકમાં છપાય અને નિષ્ણાત જવાબ આપે તો એ માટે જો કોઈ નુકસાન થાય તો છાપાના માલિક અને તંત્રી સહિત નિષ્ણાત સામે નુકસાન વળતરનો દાવો માંડી શકાય કારણકે એનો લેખિત પુરાવો છાપાની નકલ રૂપે એ તમારાં હાથમાં હોય છે પણ ટીવી પરની આવી સલાહ નો કોઈ પુરાવો તમારી પાસે રહેતો નથી એથી આ લોકો સામે કામ ચલાવવું મુશ્કેલ જ છે વળી ચેનલમાં બેઠેલો નિષ્ણાત દિલ્હીમાં હોય અને તમે હોવ મુંબઈ કે દેશનાં કોઈ ખૂણા ના ગામડે અને તમારી પાસે હોય માંડ ૧૦૦ કે ૫૦૦ શેરની નાનકડી રકમ એથી લડી કઈ રીતે શકાય ?

અહીં મહત્વનો મુદ્દો એ જ કે આવી સલાહ એક વ્યક્તિ સ્પેસિફિક એટલે કે અંગત જ કહેવાય અને છતાં ટીવી પર એ સલાહ સાંભળી બીજા હજારો એ કંપનીના નાના નાના રોકાણકારો એની સલાહ માનવા પ્રેરાઈને એક્શન લેશે એ સ્વીકાર્ય બાબત છે વળી આ નિષ્ણાતો કંપનીના હકારત્મક પાસાઓ પર જ વધુ ચર્ચા કરતાં હોય છે અને કંપનીના શેરમાં રોકાણ અંગેના નકારત્મક પાસાઓ પર ભાગ્યેજ તેઓ પ્રકાશ પાડતા કે ચર્ચા કરતાં હોય છે જે નુકસાનીની માત્રા અને છેતરપીંડીની શક્યતા છે અહીં પેઈડ ન્યુઝ ને મોકળું મેદાન મળે છે

જો ટીવી પર રાજકારણના મુદ્દાઓ અને રાજકારણીઓ વિશે શાશક અને વિરોધ પક્ષ વચ્ચે એ મુદ્દાના જમા અને ઉધાર પાસાઓ એમની ટીકાઓ થઇ શકતી હોય તો જે કંપનીમાં લાખો નાના નાના રોકાણકારો હોય એ કંપનીના પેર્ફોર્મન્સ એની નકારત્મક બાજુઓની ચર્ચા કેમ ના થઇ શકે ?

પરંતુ અહી ટીવી પર કંપનીના નકારત્મક પાસા વિષે ખાસ ચર્ચા નથી થતી તો ટીવી પરના આવા નિષ્ણાતોને તમને મફતમાં સલાહ આપવા અને એમનો સમય બગાડવા એમની સાથે વ્યવસાયિક કરાર થતાં હોય છે પણ એ નિષ્ણાતો તમે ફોનથી પ્રશ્ન પૂછનાર જોડે કોઈ કરારથી બંધાએલો નથી હોતો તો હવે ટીવી જોતાં આવા નિષ્ણાતોની સલાહ કેટલી મૂલ્યવાન તમારાં માટે હોઈ શકે એ તમે જ નક્કી કરો અને એને અનુસરો તો એ તમારી મરજી

ધારોકે તમને કોઈ એમ કહે કે “મને અમુક કંપનીના શેર ખરીદવાની ટીપ મળી છે જેના ભાવ એક મહિનામાં બમણા થશે “ એ ઉપરાંત એ એમાં ઉમેરે કે “આ ટીપ મને પ્રતિષ્ઠિત દલાલના રીસર્ચ વિભાગમાંથી મળી છે એથી અધિકૃત છે “ તો આ સાંભળી તમારા મનમાં સવાલ એ ઉભો થવો જોઈએ કે આ માણસ મારા જેવા સાવ નાના રોકાણકાર કે જે માત્ર ૧૦૦ થી ૩૦૦ શેર ખરીદવાનો છે એને કયા સંબંધ ને આધારે ટીપ આપી રહ્યો છે ? શક્ય છે એ કોઈ શેર પ્રચારક નો જ એજન્ટ હોય એને આ ટીપ એ શેર્દાલાલના રીસર્ચ ખાતાના કોઈ કારકુને આપી હોય જેને રીસર્ચ જોડે કોઈ સંબંધ ના હોય જે કંપનીના શેર લેવાનું એ કહે એ ભલે પ્રતિષ્ઠિત કંપની હોય પણ અહી જે નફાનો અંદાજ દર્શાવી રહ્યો છે

એ ખોટો હોય અને જો અંદાજ ખોટો હોય તો એ એક જાતનું પ્રલોભન જ છે કારણકે શેરનો ભાવ એક મહિનામાં બમણો ના પણ થાય અને માત્ર દસ ટકા જ વધે પણ તમે તો બમ્પ્પર નફો સાંભળીને શેર ખરીદ્યો છે એમ કહેવાય

નોંધી લો કે જયારે કોઈ સામાયિક કે ટીવી જેવા માધ્યમમાંથી આવી ટીપ આવે કે અમુક શેર આ ભાવે ખરીદવા જેવો છે ત્યારે મેન્યુપ્લેટરો એ શેર વધુ કે ઓછા ભાવે ખરીદવા કે વેચવા જ બેસેલા હોય

ઘણી કંપનીના શેર લાંબાગાળા માટે રાખી મુકવા જેવા હોય છે આ લાંબો ગાળો એક વર્ષ થી વધુ બે પાંચ વર્ષનો હોઈ શકે તો આવા સંજોગોમાં ટુંકાગાળામાં શે વેચીને નાના રોકાણકાર એ કંપનીમાંથી નીકળી જઈ નુકસાન જ કરતો હોય છે આમ આ પ્રકારના સવાલ જવાબ કે ટીપ પણ એક પ્રલોભન જ કહેવાય

મુંબઈ સ્ટોક એક્સચેન્જમાં જો બે દિવસમાં સેન્ક્સેક્સ ૧૦૦૦ પોઈન્ટ નીચે જાય તો શેરબજારમાં મંદીનો ભય પ્રસરે અને નવી નવી વાતો સાંભળવા મળે હજી નીચે જશે અથવા આ તો મંદીની શરુઆત છે જેમ બને એમ જલ્દી આમાંથી નીકળી જઈ નુકસાન ઘટાડો અથવા જે મળે એ નફો બુક કરો વગેરે પરંતુ આવા સમયે ડરી જઈ ઉતાવળે શેર વેચવા ના જોઈએ શક્ય છે એ ખરીદવાની ઉત્તમ તક પણ હોય માટે થોડી ધીરજ રાખી એ જોવું જોઈએ કે જેટલો સેન્સેક્સ નીચે ગયો એના પ્રમાણમાં તમારી પાસે જે કંપની છે એનો ભાવ પણ નીચે ગયો કે ?જો ના ઘટ્યો હોય અથવા એ રોજીંદી વધઘટ હોય તો એ કંપની નક્કી જ ફન્ડામેન્ટલી સ્ટ્રોગ હોવાની અને એમાંથી નીકળવું ના જોઈએ પણ પકડી રાખવો જોઈએ આનો અર્થ સેન્સેક્સ પાછો વધતા જ એ કંપનીનો ભાવ પણ વધવાનો જ

જે કંપનીમાં સટોડીયાઓ સક્રિય હોય એ કંપની જો ફન્ડામેન્ટલી નબળી હોય તો ઘટાડો વધુ જોરમાં થવાની શક્યતા વધી જાય આવા સમયે સટોડીયાઓને નુકશાન કદી થતું નથી કારણકે એ લોકો સ્ટોપ લોસ થી ધંધો કરતા હોય છે સ્ટોપ લોસ એટલે દલાલને અગાઉથી આદેશ આપવામાં આવે કે આ કંપનીનો ભાવ કોઈ ચોક્કસ રૂપિયા જેટલો ઘટે તો વેચી દેવા આ સ્ટોપ લોસમાં મોટેભાગે નફો પણ આવરી લેવામાં આવતો હોય છે એથી તમે જો સટોડીયાઓ ના ચાલે ચાલી રહ્યા હોવ તો યાદ રાખો કે “લાંબા સાથે ટુંકો જાય મરે નહિ તો માંદો થાય “આમ નુકશાન ભોગવવાનો જ વારો આવે ભૂતકાળમાં હર્ષદ મહેતા કે કેતન પારેખ સાથે ચાલનારના બેહાલ જ થયા છે

ફન્ડામેન્ટલી સ્ટ્રોગ કંપનીમાં રોકાણ કરવાથી નુકશાન ઘટી જાય છે અને નહીવત થાય છે અને એ પણ લાંબો સમય પકડી રાખવાથી આમ આવી સ્ટ્રોંગ કંપનીના શેર લેતી વખતે સેન્સેક્સ ની ચલ પર મદાર રાખવાની જરૂર નથી રહેતી

નરેશ વણજારા