Architecture of ideas in Gujarati Motivational Stories by Mital Patel books and stories PDF | વિચારોનું વાસ્તુશાસ્ત્ર

Featured Books
  • अधूरे इश्क की पूरी दास्तान - 16

    मनीष ने पहली बार इतना डर महसूस किया था।अपनी पत्नी के गुजर जा...

  • वाशिकारिणी - 6

    इच्छा : प्रेम या प्रेतखाई के किनारे खड़ा शक्ति काँप रहा था।न...

  • हमराज - 17

    फिर बादल उठा और ज़ेबा के करीब जाकर बोला, " ज़ेबा हम आपका दर्...

  • Whisper in The Dark - 7

    अब आगे।।फ्लैशबैक।।नियति अपने पेरेंट्स के साथ वापस शिमला आ चु...

  • दोस्ती का सफर

     दोस्ती का सफ़र"---कहानीप्रस्तावनाआज की डिजिटल दुनिया में दो...

Categories
Share

વિચારોનું વાસ્તુશાસ્ત્ર


આણંદથી પબ્લિશ થતાં દૈનિક ન્યૂઝ પેપર.. ગુર્જર ગર્જના માં....મારી કોલમ....."પરિભાષા".....નો લેખ......


વિચારોનું વાસ્તુશાસ્ત્ર...☕💫✍️🗞️






તુફાન મેં ફસ ગયે હમ અપને હી ખયાલો કે..

વરના વજહ કુછ ન થી ગુમનામ હોને કી...


સાફ દિખ રહા થા રસ્તા ઔર મંજિલ ભી કરીબ થી....

પર સમજો વક્ત હી નિકલ ગયા..

અપને વિચારો કો સુલજાને મેં...


સંભલ શખતે છે હમ ભી....

મન કે ઝખ્મો કો રુઝાતે હુંયે..


પર વક્ત હી ન મિલા...

ઘાવ કે કરીબ જાકર સમજને ઔર મલ્હમ લગાને કે લીયે..





વિચારશીલ હોવું અને ઓવર થીંકીંગ કરવું બંને અલગ વસ્તુ છે. વાંચન, લેખન, સંગીત, કળા, પ્રેમ, સંવેદનશીલતા વગેરે માણસને વિચારશીલ બનાવે છે. પણ કોઈ પણ વસ્તુની અતિશયોક્તિ હંમેશા નુકસાન કરે છે. તેવી જ રીતે કોઈ સંબંધ, કોઈ વ્યક્તિ કે કોઈ પરિસ્થિતિને લઈને સતત વિચારોનાં વાવાઝોડામાં ફસાઈ રહેવું એ માણસને ક્યારેય સ્થિર નથી થવા દેતું. શ્રીમદ્ ભાગવત્ ગીતામાં કહ્યા મુજબ:" પ્રસન્નચિત્ત માણસ જ જલ્દી સ્થિર થાય છે." અને માણસ પ્રસન્ન ક્યારે રહી શકે? જ્યારે તે હળવાં રહી શકે. અને હળવાં રહેવા માટે વિચારોને મેનેજ કરવા, શિસ્તબદ્ધ કરવા ખૂબ જરૂરી છે.





વિચારોના વંટોળીયા કેટલીક વાર માણસને આખા આખો લઈને ડૂબે છે. કોઈ મુશ્કેલી હોય, કોઈ ગૂંચવાડો હોય તો તેના તેહ સુધી જઈને તેનો ઉકેલ લાવો. નહીં કે સતત પ્રયત્ન કે કર્મશીલ રહ્યા વગર માત્ર વિચારો કર્યા કરવા. તેનો ઉકેલ શોધવા મંડી પડો. મહેનત કરો પૂરેપૂરી નિષ્ઠાથી. હાં, સતત કોઈ પરિસ્થિતિ કે વ્યક્તિને જજ કર્યા કરવા કરતાં વહેતા રહો. પોતાનાં નૈમિત્તિક કર્મો કરતાં રહો. સ્થગિત ન થઈ જાઓ. ભલે પરિસ્થિતિ વિપરીત હોય. સામે પાર તરવાનું આવે. બસ મહેનત કરતાં રહો.




હમ ઉમ્ર છે ...ઝખ્મ ઔર હમ...


વક્ત કભી હમારા ન હુઆ ,ન સાલો મેં જીયે હુયે પલ...




માત્ર તર્ક કર્યા કરવાથી ક્યારેય કોઈ પરિસ્થિતિનો ઉકેલ મળતો નથી. કોઈપણ સંબંધમાં કે પરિસ્થિતિમાં સાચું જીવવા માટે દરેક એન્ગલથી તેને ચકાસીને મર્મ સુધી પહોંચવું પડે છે. જેમ વલોણું ફેરવીને મિસરી છૂટી પાડી શકાય છે. તેમ એક હકારાત્મક અભિગમના હોકાયંત્રથી જે તે પરિસ્થિતિને સાર્થક રીતે સમજી શકાય છે. આપણે માત્ર એક જ એન્ગલથી પરિસ્થિતિને જોતાં હોઈએ છીએ. જ્યારે જિંદગી ક્યારેય એક જ પ્રકારની પરિસ્થિતિ નથી આપતી. સામેવાળા વ્યક્તિની તરફથી, તેનાં એન્ગલ થી, તેની જગ્યાએ પોતાની જાતને મૂકીને જો પરિસ્થિતિને જોવામાં આવે તો ઉકેલ ઝડપથી મળી જશે. જ્યારે માત્ર કાલ્પનિક વિચારોનાં ધુમાડા ઉડાવ્યા કરવાથી માનસિક રોગ જ મળશે.






રુક જાના નહી તું કહી હાર કે...


કાંટો પે ચલ કે ..... મિલેંગે સાયે બહાર કે...


‌‌ ઓ રાહી... ઓ રાહી... ......





મિત્તલ પટેલ

"પરિભાષા"


આણંદથી પબ્લિશ થતાં દૈનિક ન્યૂઝ પેપર.. ગુર્જર ગર્જના માં....મારી કોલમ....."પરિભાષા".....નો લેખ......


વિચારોનું વાસ્તુશાસ્ત્ર...☕💫✍️🗞️






તુફાન મેં ફસ ગયે હમ અપને હી ખયાલો કે..

વરના વજહ કુછ ન થી ગુમનામ હોને કી...


સાફ દિખ રહા થા રસ્તા ઔર મંજિલ ભી કરીબ થી....

પર સમજો વક્ત હી નિકલ ગયા..

અપને વિચારો કો સુલજાને મેં...


સંભલ શખતે છે હમ ભી....

મન કે ઝખ્મો કો રુઝાતે હુંયે..


પર વક્ત હી ન મિલા...

ઘાવ કે કરીબ જાકર સમજને ઔર મલ્હમ લગાને કે લીયે..





વિચારશીલ હોવું અને ઓવર થીંકીંગ કરવું બંને અલગ વસ્તુ છે. વાંચન, લેખન, સંગીત, કળા, પ્રેમ, સંવેદનશીલતા વગેરે માણસને વિચારશીલ બનાવે છે. પણ કોઈ પણ વસ્તુની અતિશયોક્તિ હંમેશા નુકસાન કરે છે. તેવી જ રીતે કોઈ સંબંધ, કોઈ વ્યક્તિ કે કોઈ પરિસ્થિતિને લઈને સતત વિચારોનાં વાવાઝોડામાં ફસાઈ રહેવું એ માણસને ક્યારેય સ્થિર નથી થવા દેતું. શ્રીમદ્ ભાગવત્ ગીતામાં કહ્યા મુજબ:" પ્રસન્નચિત્ત માણસ જ જલ્દી સ્થિર થાય છે." અને માણસ પ્રસન્ન ક્યારે રહી શકે? જ્યારે તે હળવાં રહી શકે. અને હળવાં રહેવા માટે વિચારોને મેનેજ કરવા, શિસ્તબદ્ધ કરવા ખૂબ જરૂરી છે.





વિચારોના વંટોળીયા કેટલીક વાર માણસને આખા આખો લઈને ડૂબે છે. કોઈ મુશ્કેલી હોય, કોઈ ગૂંચવાડો હોય તો તેના તેહ સુધી જઈને તેનો ઉકેલ લાવો. નહીં કે સતત પ્રયત્ન કે કર્મશીલ રહ્યા વગર માત્ર વિચારો કર્યા કરવા. તેનો ઉકેલ શોધવા મંડી પડો. મહેનત કરો પૂરેપૂરી નિષ્ઠાથી. હાં, સતત કોઈ પરિસ્થિતિ કે વ્યક્તિને જજ કર્યા કરવા કરતાં વહેતા રહો. પોતાનાં નૈમિત્તિક કર્મો કરતાં રહો. સ્થગિત ન થઈ જાઓ. ભલે પરિસ્થિતિ વિપરીત હોય. સામે પાર તરવાનું આવે. બસ મહેનત કરતાં રહો.




હમ ઉમ્ર છે ...ઝખ્મ ઔર હમ...


વક્ત કભી હમારા ન હુઆ ,ન સાલો મેં જીયે હુયે પલ...




માત્ર તર્ક કર્યા કરવાથી ક્યારેય કોઈ પરિસ્થિતિનો ઉકેલ મળતો નથી. કોઈપણ સંબંધમાં કે પરિસ્થિતિમાં સાચું જીવવા માટે દરેક એન્ગલથી તેને ચકાસીને મર્મ સુધી પહોંચવું પડે છે. જેમ વલોણું ફેરવીને મિસરી છૂટી પાડી શકાય છે. તેમ એક હકારાત્મક અભિગમના હોકાયંત્રથી જે તે પરિસ્થિતિને સાર્થક રીતે સમજી શકાય છે. આપણે માત્ર એક જ એન્ગલથી પરિસ્થિતિને જોતાં હોઈએ છીએ. જ્યારે જિંદગી ક્યારેય એક જ પ્રકારની પરિસ્થિતિ નથી આપતી. સામેવાળા વ્યક્તિની તરફથી, તેનાં એન્ગલ થી, તેની જગ્યાએ પોતાની જાતને મૂકીને જો પરિસ્થિતિને જોવામાં આવે તો ઉકેલ ઝડપથી મળી જશે. જ્યારે માત્ર કાલ્પનિક વિચારોનાં ધુમાડા ઉડાવ્યા કરવાથી માનસિક રોગ જ મળશે.






રુક જાના નહી તું કહી હાર કે...


કાંટો પે ચલ કે ..... મિલેંગે સાયે બહાર કે...


‌‌ ઓ રાહી... ઓ રાહી... ......





મિત્તલ પટેલ

"પરિભાષા"