મિત્રો આપણે એ તો જાણીએ જ છીએ કે દક્ષ રાજા દ્વારા ભગવાન શંકરનું જ્યારે અપમાન કરવામાં આવ્યું હતું ત્યારે માતા પાર્વતીએ અગ્નિમાં સમાધિ લીધી હતી તે વખતે ભગવાન શંકર દક્ષ રાજા ઉપર ક્રોધિત થઈ ગયા હતા અને તેમણે માતા પાર્વતીના શરીરને અગ્નિકુંડમાંથી ઉપાડી તાંડવ શરૂ કર્યું હતું જેના કારણે માતા પાર્વતીના શરીર દરેક અંગ અલગ અલગ જગ્યાઓ પર પડ્યા હતા. તે સ્થળો ને આજે શક્તિપીઠ તરીકે માનવામાં આવે છે. તેનું ધાર્મિક અને પૌરાણિક મહત્વ ખૂબ જ છે. તેની સત્ય ઘટના સાથે પણ અલગ ઇતિહાસ જોડાયેલો છે તો આપણે એ 52 શક્તિપીઠો વિશે સાંભળ્યું તો હશે પરંતુ આજે હવે આપણે 52 શક્તિપીઠો વિશે વિસ્તારથી માહિતી મેળવશું જે તે શક્તિપીઠનું ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ તેની સ્થાપના અને જગ્યા/ સ્થળવિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું. હમણાં થોડા સમય બાદ જ માતા જગદંબા જગ જનનીની આરાધના નો ઉત્સવ પર્વ એટલે કે નવરાત્રિ પણ આવવાની છે તો આ પાવન અવસર પર આવો જાણીએ માં જગજનનીના 52 શક્તિપીઠ વિશે. 1 - હિંગળાજ માતા મંદિર( કરાચી - પાકિસ્તાન)હિંગળાજ માતાનું મંદિર બલુચિસ્તાનના હિંગુલ નદીના કિનારે આવેલું છે. હિન્દુ ધર્મના પવિત્ર 52 શક્તિપીઠો માનું આ એક મંદિર છે. આ મંદિરમાં હિન્દુ અને મુસ્લિમ બંને જ્ઞાતિના લોકો ભેદભાવ વિના દર્શનાર્થે આવે છે અને પૂજા અર્ચના કરે છે. પાકિસ્તાનના લોકો આ મંદિરને નાની નો હજ કે નાની નું મંદિર એ નામથી ઓળખે છે. નવરાત્રિના નવ દિવસ સુધી મા આધ્યાશક્તિની ઉપાસનાનું ઘણું જ મહત્વ છે. એક પૌરાણિક માન્યતા મુજબ દેવીપુત્ર ચારણોની કુળદેવી હિંગળાજ માતા છે. પાકિસ્તાનમાં આવેલું બલુચિસ્તાન માતાજીનું નિવાસસ્થાન છે. એક માન્યતા મુજબ દરેક માં આવેલ દેવીઓનો રાત્રિના સમયે આ મંદિરમાં રાસ રચાય છે. સવાર થતા તમામ દેવીઓ માં હિંગળાજ ના સાનિધ્યમાં આવી જાય છે. આદ્યશક્તિમાં હિંગળાજે આઠમી શતાબ્દીમાં સિંધ પ્રદેશમાં આવળદેવી ના રૂપમાં બીજો અવતાર ધારણ કર્યો હતો. તેઓ સાત બહેનો હતી. કહેવાય છે કે તેમની સુંદરતા પર સિંધ પ્રદેશનો યોવન રાજા હમીર શુમરાહ મોહિત થઈ ગયો હતો. બાદશાહે તેમની સાથે લગ્નનો પ્રસ્તાવ મોકલ્યો. દેવી ના પિતાએના પાડતા રાજાએ તેને કેદ કરી લીધા. આ જોઈ સાતમાંથી છ બહેનો સિંધ નજીકના પર્વત પર આવી ગઈ અને એક બહેન કાઠીયાવાડના તાતણીયા ધરાના નદી સ્થળમાં પોતાનું સ્થાન બનાવ્યું. આ માતાજીના ભાવનગરના કુળદેવી તરીકે માનવામાં આવે છે. સમસ્ત કાઠિયાવાડમાં પણ લોકો તેમના પ્રત્યે ખૂબ જ શ્રદ્ધા ધરાવે છે. તેમનું સ્થાન રાજસ્થાનના જેસલમેર થી 20 કિમી દૂર એક પર્વત પર પણ આવેલું છે. 15મી શતાબ્દીમાં રાજસ્થાન અને અનક નાના નાના રજવાડોમાં વિભાજિત હતું લોકો સંપત્તિ માટે એકબીજાના વેરી થઈને બેઠા હતા. ત્યારે માં હિંગળાજ દ્વારા લોકોને આ ત્રાસમાંથી બચાવવા માટે સુવાબ ગામના ચારણ મેહાજીના ધર્મ પત્ની દેવળ દેવીના કુખેથી શ્રી કર્ણી દેવીના રૂપે અવતાર ધારણ કર્યો. હિંગળાજ માતાનું બીજું સ્વરૂપ તલટ માતાજી તરીકે જેસલમેરથી થોડે દુર સરહદીય વિસ્તારમાં આવેલું છે. આ મંદિર ચમત્કારી છે, જે સરહદ પર જવાનોની રક્ષા કરે છે. ભારત - પાકિસ્તાન યુદ્ધ દરમિયાન પાકિસ્તાની સૌનિકો દ્વારા મંદિર પર 3000 બૉમ્બનો મારો કરવામાં આવ્યો હતો. તે છતાં મંદિરને જરા પણ નુકસાન આવ્યું ન હતું. આજે પણ 450 જેટલાં બૉમ્બ મંદિરના સંગ્રહાલયમાં સાચવવામાં આવ્યા છે. એવુ કહેવાય છે વનવાસ દરમિયાન ભગવાન શ્રી રામે હિંગળાજ મંદિરની મુલાકાત દર્શનાર્થે લીધી હતી. ભગવાન પરશુરામના પિતા શ્રી જમદગ્નિ ઋષિ દ્વારા આ સ્થાન પર ઘણા સમય સુધી તપસ્યા કરવામાં આવી હતી. આ મંદિરમાં પૂજા અર્થે ગુરુ ગોરખનાથ અને શીખ ધર્મના પ્રવર્તક ગુરુ નાનક સાહેબ પણ અહીં દર્શન તથા અર્ચના અર્થે આવેલા છે. પૌરાણિક લોકવાયકા મુજબ ભગવાન શ્રી વિષ્ણુ નારાયણના સુર્દશન ચક્ર દ્વારા કપાય જવાથી માતાજીનું બ્ર્મ્હરન્દ્ર એટલે કે માતાજીનું મસ્તક અહીં પડ્યું હતું. પીઠો માંથી એકમાત્ર એવું શક્તિપીઠ છે જ્યાં હિન્દુ અને મુસલમાન બંને માતાજીની પૂજા અને અર્ચના કરે છે. આ મંદિર હિંગોળ નદી અને ચંદ્ર કુંભ પર્વત વચ્ચે સ્થિત છે. આ મંદિર અને માતાજીના ચમત્કાર વિશે પૌરાણિક ગ્રંથોમાં ઘણું બધું કહેવામાં આવ્યું છે. બ્રહ્મ વૈવર્તક ગ્રંથમાં એવું કહેવામાં આવ્યું છે કે જે કોઈ માનવી આ મંદિરના એકવાર દર્શન કરે તેને પૂર્વ જન્મના કર્મ માંથી મુક્તિ મળે છે. પરશુરામ એ જ્યારે 21 વખત ક્ષત્રીઓનો સંહાર કર્યો બાકી રહેલા ક્ષત્રિયોએ માતાજી સમક્ષ પોતાના પ્રાણની રક્ષા અંગે પ્રાર્થના કરી માતાજી એ તેમને બ્રહ્મક્ષત્રિય બનાવી દીધા જેથી પરશુરામ દ્વારા તેમને અભય જીવી વરદાન આપવામાં આવ્યું હતું. એક લોક વાયકા મુજબ રાવણના વધ બાદ ભગવાન શ્રીરામને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું હતું. શેમાંથી મુક્તિ મેળવવા માટે ભગવાન શ્રી રામે હિંગળાજ માતાના દર્શન કર્યા હતા. આ મંદિરમાં છડીવાળા પુરોહિત દર્શન કરાવે છે. ત્યાંથી શિવકુંડ જવાનું હોય છે જ્યાં પોતાના પાપની ઘોષણા કરવાની હોય છે. જે વ્યક્તિને પાપ માંથી મુક્તિ મળી ગઈ હોય અને માતાજીના આશીર્વાદ મળ્યા હોય તે વ્યક્તિની ભેટ અને નાળિયર માતાજી સ્વીકારી લે છે. છે વ્યક્તિ પોતાના પાપોનો સ્વીકાર કરતો નથી અને માતાજીને વચન આપતો નથી કે પોતે આ પા બીજી વાર નહીં કરે તેને આગળ જવાની મંજૂરી મળતી નથી મંદિર પર્વતની ઉપર આવેલું છે તેની અંદર રંગરંગે પથ્થરો હવામા લટકી રહ્યા છે. આમ આજે આપણે આ લેખ દ્વારા મા શક્તિના 52 શક્તિપીઠો માનું એક એવું હિંગળાજ માતાજીનું મંદિર માતાજી સાથે જોડાયેલી કથાઓ અને તેના ચમત્કાર વિશે જાણ્યું આગળ હવે પછી આપણે બીજા શક્તિપીઠ વિશેની માહિતી મેળવશું.