Miss kalavati - 19 in Gujarati Women Focused by કરસનજી રાઠોડ તંત્રી books and stories PDF | મિસ કલાવતી - 19

Featured Books
Categories
Share

મિસ કલાવતી - 19

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માં આ વખતે કલાવતી ના પક્ષના ૧૧૫ ધારાસભ્યો ચૂંટાઈ આવ્યા હતા.તે પક્ષ નેં સ્પષ્ટ બહુમતી મળી હતી. તેથી સરકાર તે પક્ષની જ બન
વાની હતી.વિરોધ પક્ષના ૬૫ ધારાસભ્યો જીત્યા હતા. જ્યારે ૨ અપક્ષ ઉમેદવારોને પણ ધારાસભ્ય તરીકે જીત વામાં સફળતા મળી હતી. પરંતુ ખરેખરો ખેલ હવે ચાલુ થયો હતો. આમ તો દરેક પક્ષ તેમના ચૂંટણી ઢંઢેરા ની સાથે જ, જો લોકસભાની ચૂંટણી હોય તો પી.એમ.ના ઉમેદવાર અને વિધાનસભાની ચૂંટણી હોય તો સી.એમના ઉમેદવારનું નામ પહેલે થી જાહેર કરતા હોય છે.  જેથી તેમની પ્રતિભા અને 'નામ' નો લાભ, પક્ષ ને અને ધારાસભ્ય કે સંસદ સભ્ય ની ચૂંટણી લડતા ઉમેદવારો ને થઈ શકે. પરંતુ જે પક્ષમાં જૂથવાદ હોય કે એક 'પદ'ના ઘણા દાવેદાર હોય, તેવા સંજોગોમાં કોઈ પણ પક્ષ કોઈ'ના નામની અગાઉ થી જાહેરાત કરતો નથી. પરંતુ ચૂંટાયા પછી ધારાસભ્ય દળ ની બેઠકમાં વિધાનસભા ગૃહ ના નેતા ની વરણી કરવામાં આવે છે . આ વરણી લગભગ સર્વાનુમતે થતી હોય છે . અને તેમાં ધારાસભ્યોના અભિપ્રાય કરતાં , 'હાઈ કમાન્ડ' ની ભૂમિકા વધુ ભાગ ભજવતી હોય છે .
  આ ચૂંટણીમાં પણ પક્ષે સી.એમ.ના ઉમેદવાર તરીકે કોઈ નુ નામ પ્રોજેક્ટ કરેલ ન હતું .તેથી જુદા- જુદા ધારાસભ્યો પોતાના 'ગોડ ફાધર 'દ્વારા સી.એમ. પદ માટે, કે મંત્રીમંડળ માં સ્થાન મેળવવા માટે લોબિંગ કરવા લાગ્યા. કલાવતી ની મહત્વકાંક્ષા તો પોતાનું નામ ડાયરેક્ટ સી.એમ. તરીકે કે, ડેપ્યુટી સી.એમ. તરીકે પસંદ કરે તેવી હતી . પરંતુ બારોટ સાહેબ હજુ તેની જેમ હવામાં ન હતા.  તે હજુ જમીન ઉપર હતા !'
    વી. કે. બારોટ સાહેબે હાઈ કમાન્ડમાં કેટલીયે દલીલો કરીને, 'કલાવતી'ની ખુલ્લી તરફદારી કરીને મહામહેનતે તેણી નુ નામ, રાજ્યકક્ષાના મંત્રી તરીકે હાઈ કમાન્ડ પાસે પસંદ કરાવ્યું હતું. તેમાં વધુ મહેનત પડવાનું કારણ એ હતું કે' કલાવતી હજુ પ્રથમ વખત જ 'ધારાસભ્ય' તરીકે ચૂંટા ઈ હતી. અને ઉંમર અને અનુભવ બંને માં તે બીજા 'ધારા સભ્યો' કરતાં 'જુનિયર' હતી .
     ગાંધીનગર સેક્ટર- 22 માં આવેલા ખુલ્લા વિશાળ મેદાન માં વિશાળ સમીયાણો બાંધવા માં આવ્યો હતો. રાજ્યભરમાંથી મોટા- મોટા નેતાઓ અને કાર્યકર્તા ઓ ઉમટી પડ્યા હતા. રાજ્યપાલનું આગમન થયા પછી'શપથ ગ્રહણ' ચાલુ થયું સૌપ્રથમ મુખ્યમંત્રીએ શપથ ગ્રહણ કર્યા ત્યારબાદ 'કેબિનેટ' કક્ષાના - નવ મત્રીઓએ શપથ ગ્રહણ કર્યા. હવે રાજ્યસભાના -12 મંત્રીઓ ને 'શપથ ગ્રહણ' કરવાના હતા. 'રાજ્ય કક્ષા'ના મંત્રીઓમાં સૌ પ્રથમ 'કલા વતી' નામની ઘોષણા થઈ. અને કલાવતી શપથ લેવા માટે ઊભી થઈ .
  'હું. કુમારી કલાવતી બહેન રણજીતભાઈ સોલંકી. ઈશ્વર ના નામે શપથ લઉં છું કે' રાજ્યકક્ષા ના પ્રધાન તરીકે મને સોપવામાં આવેલી જવાબદારી, હું પુરી નિષ્ઠા ,અને ઈમાન દારી થી નિભાવીશ !'
  'ધેરા ગુલાબી રંગ'ની સાડી માં સજ્જ એક ખૂબ -સુરત યુવતી એ પોતાના ના મીઠા અને સૂરીલા અવાજમાં 'હોદો' અને 'ગુપ્તા'ના શપથ પૂરા કર્યા ત્યારે સમગ્ર મંડપ તાળી ઓના ગડગડાટ થી ગાજી ઉઠ્યો . સમગ્ર ગુજરાતના પક્ષ આગેવાનો અને કાર્યક્રમને પહેલી વખત જ ખ્યાલ આવ્યો કે' તેમના પક્ષમાં આવી પ્રતિભા સંપન્ન મહિલા પણ 'ધારા સભ્ય' તરીકે ચૂંટાઈને આવી છે. અને તેણીને 'મંત્રીમંડળ' માં સ્થાન મળ્યું છે. શપથવિધિ કાર્યક્રમ પૂરો થતાં ખાતાં ની ફાળવણી આવતીકાલે થવાની હતી .
   અહીં પણ 'કલાવતી'ની મહત્વકાંક્ષા તો એવી હતી કે' તેણી ને ડાયરેક્ટ નાણાં , મહેસુલ ,કે ગ્રહ ખાતા જેવું મહ ત્વનું ખાતું ફાળવવામાં આવે. પરંતુ મુખ્યમંત્રી એ તેણી ને 'મહિલા અને બાળ વિકાસ ,અને શહેરી વિકાસ મંત્રાલય' ફાળવ્યું હતું. અલબત્ત બારોટ સાહેબ ના અતિ દબાણ ને વશ થઈ,  કલાવતી 'રાજ્ય કક્ષા'ની પ્રધાન હોવા છતાં, તેણી ને ફાળવેલ 'ખાતા'નો તેને 'સ્વતંત્ર હવાલો' સોંપવા માં આવ્યો હતો. 
     આજે જ કલાવતીને ખબર  કે' પક્ષમાં બારોટ સાહેબ એકલા જ માત્ર સર્વેસર્વા નથી.  તેમની ઉપર પણ કોઈક બેઠું છે. અને તેથી જ બારોટ સાહેબની પણ કંઈક મર્યાદા છે !'
    પ્રથમ વખત જ ધારાસભ્ય બનવા છતાં, કલાવતી ને 'મંત્રી પદ' મળ્યું. તેથી પક્ષના જ કેટલાક સિનિયર 'ધારા સભ્યો' નારાજ થયા હતા .ને તેમનો એ બળાપો ક્યાંક - ક્યાંક એ લોકો જાહેરમાં પણ ઠાલવતા હતા. પરંતુ થોડો સમય જતાં એ બધું ધીમે- ધીમે શમી ગયું. મંત્રી પદ નહોતું મળ્યું એવા નેતાઓ ભલે નારાજ હતા પરંતુ બનાસકાંઠાની પ્રજા ખૂબ જ ખુશ હતી. કારણ કે તેમને સરકારમાં પ્રતિ નિધિત્વ મળ્યું હતું. ને ડીસા ની પ્રજા તો વધારે ખુશ હતી. કારણ કે કલાવતી તેમની ધારાસભ્ય હતી .
    સરકારના નિયમ પ્રમાણે કલાવતી ને રહેવા માટે સેક્ટર - 20 માં વિશાળ સરકારી બંગલો ફાળવવામાં આવ્યો હતો. સચિવાલય માં પાંચ રૂમની બધી જ સુવિધાઓ થી સજ્જ ઓફિસ ફાળવવામાં આવી હતી. અને તે ઓફિસ માં પટાવાળા થી લઈને 'સચિવ' કક્ષા ના અધિકારીઓ સુધી નો બધો સ્ટાફ ફાળવવામાં આવ્યો હતો. ફરવા માટે ઉપર લાલ લાઈટ વાળી સરકારી 'કોન્ટેસા'ગાડી પણ ડ્રાઇ વર સાથે ફાળવવામાં આવી હતી. અને તેના 'અંગ રક્ષક' તરીકે- 24 કલાક એની સાથે રહે તેવા એક 'કમાન્ડો'ની ફાળવણી પણ કરવામાં આવી હતી. 
  આ ઉપરાંત તેના સરકારી નિવાસ્થાને, ચોકીદાર, પટાવા ળો, માળી, રસોઈયો, વગેરેનો અલગ સ્ટાફ પણ ફાળવવા માં આવ્યો હતો. આટલી સગવડ મળવા છતાં કલાવતી એ પોતાના જૂના ડ્રાઇવર 'અજીત'ને પોતાની સાથે જ રાખ્યો હતો.
   નવી સરકારે પોતાનું કામકાજ ચાલુ કરી દીધું. સચિવાલ ય દર મંગળવાર એ મંત્રીઓને આમ જનતા સાથે મુલાકાત માટે ફાળવવામાં આવ્યો હતો. દર બુધવાર ધારાસભ્યોને, અને સંસદ સભ્યોને મુલાકાત માટે ફાળવવામાં આવ્યો હતો . તેથી આ બે દિવસ મંત્રીઓને લગભગ ફરજિયાત સચિવાલયમાં હાજર રહેવું પડતું. તે ઉપરાંત અઠવાડિયા માં એક વખત 'કેબિનેટ'ની બેઠક ફરજિયાત મળતી ,તેમાં પણ ફરજિયાત હાજર રહેવું પડતું .
આટલી વ્યસ્તતા વચ્ચે પણ કલાવતી પોતાના મતવિસ્તાર ડીસા ની મહિનામાં એકાદ વખત તો મુલાકાત અચૂક લેતી તે 'સરકારી ગેસ્ટ હાઉસ'માં બેસતી.  લોકો તેની પાસે જે પ્રશ્નો લઈને આવે તે શાંતિથી સાંભળતી. અને શક્ય હોય તો તે જ વખતે તેનું નિરાકરણ લાવતી. તેની પાસે આવતા મોટા ભાગના પ્રશ્નોમાં. મકાન મંજુર કરવું છે.  રેશનકાર્ડ કઢાવવું છે. લાભાર્થી યાદીમાં નામ દાખલ કરવું છે. તલાટી દાખલો નથી આપતો. સર્કલ એન્ટ્રી મજૂર નથી કરતો. બિટ જમાદાર હેરાન કરે છે. જેવા નાના પ્રશ્નો જ હોતા .
   કલાવતી સમજતી હતી કે તે હવે રાજ્યની મિનિસ્ટર છે અને તેની કક્ષાના આ પ્રશ્નો નથી.  છતાં તે આવેલા લોકોને નિરાશ ન કરતી. લાગતા અધિકારીઓને સૂચના આપી તેનું નિરાકરણ કરતી. તે જાણતી હતી કે આ નાના -નાના પ્રશ્નો લઈને આવતા સામાન્ય લોકો જ પોતાના વિજયના સાચા શિલ્પી હતા.  નહીં તો છેક ગાંધીનગર આવીને કલેકટર ડી.એસ.પી. કે, ડી.ડી.ઓની બદલી કરાવવા માટે આવનાર મોટાં માથાં તેમનું ચાલે તો પોતાની જ' બદલી' કરી નાંખે એટલા 'ખતરનાક' હતાં .
    કલાવતી જાણતી હતી ,કે તે હવે માત્ર એકલા ડીસા કે બનાસકાંઠાની જ નેતા નથી .પરંતુ સમગ્ર ગુજરાતની સર કારની પ્રતિનિધિ છે. તેથી તેણીએ પોતાનું કાર્યક્ષેત્ર હવે સમગ્ર ગુજરાત રાજ્યને બનાવી દીધું હતું !'રાજ્યના જુદા - જુદા ખૂણેથી આગેવાનો, નેતાઓ, અને કાર્યકર્તાઓ તેણી ને મળવા આવતા. જાતજાતનાં કામો ભળાવતા અને તેમના ગામ, શહેર , કે વિસ્તારની મુલાકાત લેવાનું તેણીને આમંત્રણ પણ આપતા.  એ લોકો એવો કોઈ 'કાર્યક્રમ' ગોઠવે અને તેમાં હાજર રહેવાનો ઘણો આગ્રહ કરે, તો' તેવા કાર્યક્રમો તે જતી પણ ખરી.  અહીં નવા- નવા નેતા ઓ, આગેવાનો, અને કાર્યકર્તાઓ સાથે તેણીને પરિચય થતો. ઓળખાણ થતી. એકબીજાના ફોન નંબરની આપ લે થતી.  ને તે પછી પણ ફોન દ્વારા તેમના સાથે નો  સંપર્ક સતત જળવાઈ રહેતો .
   ત્રણ- ચાર મહિને તેં સરકારના પ્રતિનિધિ તરીકે ક્યારેક પ્લેનમાં 'દિલ્હી' જતી. અહીં તેણીને મિનિસ્ટર તરીકે માન - સન્માન અને સરકારી સવલતો મળતી. બારોટ સાહેબના સરકારી નિવાસ્થાને તે ત્રણ-ચાર કલાક રોકાતી . જરૂરી રાજકીય ચર્ચાઓ કરતી, અને વહીવટી માર્ગદર્શન મેળવીને ત્યાંથી પરત ગાંધીનગર આવી જતી .
    આ બાજુ કેશારામ બાપુ પણ 'વિશ્વ ગુરુ' બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યા હતા. નવા નવા ભક્તો, શિષ્યો સેવકો અને સાધકો ઉમેરાયે જતા હતા.  જુદાં -જુદાં શહે ર માં ,નવા - નવા આશ્રમો સ્થપાયે જતા હતા . બાપુ ની 'સાપ્તાહિક સત્સંગ કથા' આજે અમદાવાદ હોય, તો પછી ના -15 દિવસે જયપુર હોય, તે પછીના- 15 દિવસે કલકત્તા હોય, તો તે પછીના -15 દિવસે ચેન્નાઈ હોય આમ જુદા - જુદા શહેરોમાં સત્સંગ કથા ચાલુ રહેતી હતી.  આ કથામાં આવનાર દરેક લોકોને 'મફત ભોજન ' આપવામાં આવતું હતું .અને ભારતમાં જ્યાં 'મફત' ભોજન મળે ત્યાં લોકોની 'ભીડ' ઓટોમેટિક ઉમટી પડે છે .આમ બાપુ ની લોકપ્રિયતા અને સંપત્તિ બંનેમાં વધારો થયે જતો હતો .
  ત્રીજી ત્રીજી બાજુ કલાવતી નું ગુપ્ત આર્થિક સામ્રાજ્ય પણ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું હતું. 'રીંગરોડ' ની આજુ-બાજુની ખરીદેલ જમીનમાંથી મળેલા રોકાણ નાં પચીસ- ત્રીસ ધણાં નાણાં નું રોકાણ તેમણે અમદાવાદ, રાજકોટ, વડોદરા, કે સુરત જેવાં શહેરોમાં મોકા ની જમીન ખરીદીને તેમાં 'કન્ટ્રક્શન'ના કામમાં તે નાણાં રોકી દીધાં હતાં . કારણકે અત્યારે સૌથી વધારે નફો 'કન્ટ્રક્શન'ના ધંધામાં હતો .તે ઉપરાંત મંત્રી તરીકે કલાવતી પાસે 'શહેરી વિકાસ ખાતા' નો 'સ્વતંત્ર હવાલો' પણ હતો .તેથી તેણી કોઈ પણ ટી.પી. સ્કીમ કે પ્રોજેક્ટ પાસ કરવા ની ફોન દ્વારા માત્ર 'મૌખિક' ભલામણ કરે તો પણ તે 'પાસ' થઈ જતી હતી.
આવી સ્કીમીઓમાં કલાવતી ને એક પણ રૂપિયાના રોકાણ વિના જ, માત્ર ભલામણ કરવાના જ સ્કીમ ના 'નફા'માંથી પાંચ, દસ, કે પંદર ટકા નફો આપવાની ઓફર્સ 'બિલ્ડર્સ' સામેથી કરતા હતા .અને એવી કેટલીયે સ્કીમો. કલાવતીના માત્ર એક જ ફોનથી પાસ થઈ ગઈ હતી .
  કલાવતીએ પોતાની દિન ચર્ચા હવે નિયમિત અને સમય બદ્ધ રીતે ગોઠવી દીધી હતી. તેણી દરરોજ સવારે વહેલા ચાર વાગે જાગી જતી.  અડધો એક કલાક દૈનિક ક્રિયા અને બ્રશ વગેરેમાં વિતાવી - 4:30 વાગે તે પોતાના અભ્યા સ ખંડ માં, 'સાધના કક્ષ'માં ચાલી જતી અહીં તે પૂરા ત્રણ કલાક અભ્યાસમાં ,સાધનામાં, ગાળતી . ૭-૩૦ વાગે તે કક્ષની બહાર નીકળતી. અડધા એક કલાકમાં સ્નાનાદિ પતાવીને, તૈયાર થઈને 8:00 વાગે તે પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ માટે તૈયાર હોતી . આ તેનો નિત્યક્રમ હતો.  તે ચાહે પછી તેના સરકારી નિવાસ્થાને હોય,  સેક્ટર - 21 માં આવેલા પોતાના પ્રાઇવેટ બંગલે હોય, કે પછી પાલનપુર પાસે આવે લા પોતાના 'કલા- નિકેતન ફાર્મ હાઉસ'માં હોય . કે પછી રાજ્યની ક્યાંય બહાર હોય !'  પરંતુ સવાર ના ચાર થી આઠ વાગ્યા સુધી .ચાર કલાકનો સમય તેણીએ પોતાની 'સાધના 'અભ્યાસ માટે 'અનામત' રાખ્યો હતો. 
  કલાવતી ની આ દિનચર્યા ની જાણ તેના સિનિયર મંત્રી ઓને, અને મોટી કક્ષાના નેતાઓને થઈ.  ત્યારે સૌને આશ્ચ ર્ય થયું. સાથે તેણીની 'ઈર્ષા' પણ જાગી. ઈર્ષા એટલા માટે કે તેઓ સવારે 8:00 વાગે તો માંડ તેમની પથારીમાં થી બેઠા જ થતા હતા. જ્યારે આટલા વાગે તો કલાવતી બધાં જ કામ આટોપી ને તૈયાર થઈને, કાર્યક્રમ માટે નીકળી જતી હતીં.
   કોઈ- કોઈ સમયે 'કલાવતી' કેશારામ બાપુના આશ્રમમાં જઈને, સાધના- કુટીરમાં બેસીને, ત્રણ- ચાર કલાક એકાંત માં ધ્યાન ધરે છે. એવી વાતો સાંભળીને નેતાઓને લાગતું કે 'કેશારામ બાપુના પ્રભાવ માં આવીને,  ભક્તિના વૈરાગ્ય તણાઈ ને, તેણી ક્યાંક રાજકારણ તો નહીં છોડી દે ને ?નહીં તો રાજકારણમાં આટલા ઊંચા પદે પહોંચ્યા પછી, 'ઋષિમુનિઓ'ની જેમ દરરોજ ત્રણ- ત્રણ કલાક એકાંત માં ધ્યાન ધરવાની કે સાધના કરવાની હવે જરૂર જ શું છે?'
   પરંતુ કલાવતી ના એ 'મહા સ્વપ્ન'ની આ લોકોને ખબર જ ન હતી. ને એ 'સ્વપ્ન સિદ્ધિ' માટે જ તેણી આ બધી મહેનત, મથામણ, અને પ્રવ્રુતિ કરતી હતી.  તે વિચારતી હતી, કે' આટલાં સુધી તો તેણીને બારોટ સાહેબે આંગળી પકડીને પહોંચાડી હતી . જોકે તેમાં પોતાની 'પ્રતિભા' અને આવડત નું પણ યોગદાન તો હતું જ . પરંતુ હવે પછી ના ઉંચા -ઉડાન ની ની તૈયારી, તેણીએ જાતે જ કરવાની હતી અને તેની તૈયારી માટે જ તેણી દરરોજ ત્રણ- ત્રણ કલાકનું 'તપ' કરતી હતી .
    તેણીએ વાંચ્યું હતું કે' સતત પ્રયત્ન , સખત પરિશ્રમ, યોગ- સાધના, અભ્યાસ, સાચી લગનથી કરવામાં આવે, તો દુનિયામાં કોઈ પણ વસ્તુ અશક્ય નથી.  કલાવતી ને ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ત્રણેય ભાષા લખતાં અને વાંચતાં આવડતી હતી .તેમાં પણ હિન્દી અને ગુજરાતી ઉપર બોલવાનું જોરદાર પ્રભુત્વ હતું.  પરંતુ એક સમયે દેવો ની ભાષા ગણાતી 'સંસ્કૃત' તેણીને આવડતી ન હતી. અને તેણીએ જોયું તો ભારતનો 'ભવ્ય ભૂતકાળ' કલા, સાહિત્ય, જ્ઞાન, આ બધાનો ભંડાર 'સંસ્કૃત ભાષા' માં લખાયેલાં પુસ્તકોમાં જ ભંડારાયેલો પડ્યો છે .
   અને એ બધું જાણવા માટે સંસ્કૃત ભાષા જાણવી ખૂબ જ જરૂરી હતી. અને એ ભાષા શીખવા માટે સંસ્કૃત ભાષા ના એક વિદ્વાન પંડિત ને ઊંચા પગારથી રોકીને 'સંસ્કૃત'નો અભ્યાસ પણ કલાવતી એ ચાલુ કર્યો હતો .
    કલાવતી ના અભ્યાસ ખંડમાં હિન્દી, ગુજરાતી, અને અંગ્રેજી, ત્રણેય ભાષા નાં સાહિત્ય, કલા, વિજ્ઞાન નાં પુસ્તકો ઉપલબ્ધ હતાં . તે ઉપરાંત દેશ અને દુનિયા ની અર્થવ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા, કાયદા- કાનૂન,શાસન પદ્ધતિ વગેરેનાં પુસ્તકો પણ ઉપલબ્ધ હતાં .
  આ ઉપરાંત કેશારામ બાપુએ તિબેટ ના લામાઓ પાસેથી મેળવેલું દુર્લભ પુસ્તક 'કાલ- વિજ્ઞાન' પણ હતું જે બાપુએ તેણીને 'ભેટ'આપ્યું હતું. એવું માનવામાં આવે છે કે વહેલી સવારે આપણું 'મન' અને 'આત્મા બંન્ને પ્રફુલ્લિત હોય છે. તેથી તે સમયે વાંચેલું બધું જ યાદ રહી જાય છે.   તેથી કલાવતી પણ વહેલી સવારે આ પુસ્તકોનો અભ્યાસ કરતી હતી .ચિંતન કરતી હતી .અને મનન કરતી હતી .'
    કલાવતી ની આગવી પ્રતિભા, મિનિસ્ટર તરીકેની તેની કામગીરી, તેની વાણી, વર્તન અને લોકો સાથેનો વહેવાર, સરકાર અને પક્ષ પ્રત્યેની તેની નિષ્ઠા અને મહેનતને લીધે તેનું વજન અને પ્રભાવ થોડા સમયમાં સરકાર માં અને સમગ્ર ગુજરાત રાજ્યમાં વધી ગયાં હતાં . સરકાર માં ક્લાર્ક થી લઈ ને 'કમિશનર 'કક્ષાના અધિકારીઓ સુધી તેમની એવી ધાક બેસી ગઈ હતી કે' તેના માત્ર નામ થી જ દરેક કામ ફટા-ફટ થઈ જતાં હતાં.
    ગુજરાત રાજ્યની રાજ્ય વ્યવસ્થા, અને તેના કાયદા ઓ નો અભ્યાસ, એનું અવલોકન,તેણી એ તટસ્થ ભાવે કર્યું. તેણીએ જોયું કે' અહીં સત્તાનું વિકેન્દ્રીકરણ થવા ને બદલે સત્તાનું 'એકત્રીકરણ' થઈ રહ્યું છે. પ્રજાના ચૂંટાયેલા પદાધિકારીઓ ના 'પાવર્સ ' ધીમે -ધીમે કાપી ને અધિકારી ઓને આપવામાં આવી રહ્યા છે.  લાખો લોકોના 'મત'થી ચૂંટાયેલા 'ધારાસભ્યો' પણ અહીં લાચાર હતા. કારણકે લોકોનાં વિકાસનાં અને વહીવટના કામો કરવા માટે તેમને માંગણી કરવાની હતી. રજૂઆત કરવાની હતી તેનો અમલ તો માત્ર 'અધિકારીઓ'ને જ કરવાનો હતો .
     અધૂરામાં પૂરું, સરકારમાં હમણાં એક નવી પ્રથા ચાલુ થઈ હતી. 'પ્રભારી મંત્રી'ની . પ્રભારી મંત્રી એટલે જિલ્લા બહારના કોઈ 'મંત્રી'ને જિલ્લા ની જવાબદારી સોંપી હોય તે !'  ક્યારેક એવું પણ થતું કે પ્રભારી મંત્રી જિલ્લા ની ભૌગોલિક પરિસ્થિતિ, રાજકીય પરિસ્થિતિ, કે સામાજિક પરિસ્થિતિ થી બિલકુલ વાકેફ જ ન હોય. તે પક્ષ ના, તાલુ કાના, જિલ્લાના, કોઈ હોદ્દેદાર ,આગેવાન ,કે કાર્યકર ને ઓળખતો પણ ન હોય. તેવા 'સુરત' બાજુના કોઈ મંત્રીને બનાસકાંઠા નો 'પ્રભારી' બનાવી દેવામાં આવતો હતો. અને સમગ્ર જિલ્લાનાં વિકાસનાં કામોના બધા જ 'પાવર્સ' તેને આપી દેવાતા હતા .
   પરિણામ એ આવતું કે ,પ્રભારી મંત્રી સુરત ની તોતડી ભાષામાં બોલે તે, જિલ્લાના કાર્યકરો ન સમજી શકતા. અને કાર્યકરો બોલે તે વાત મંત્રી ન સમજી શકતા પરિણામે સરકાર અને પક્ષ ને બદનામ કરીને, પોતાના કોઠા - કબાડા પૂરા કરીને, તે 'પ્રભારી મંત્રી' પોતાનો કાર્યકાળ પૂરો કરતા હતા .
  કલાવતીએ અભ્યાસ અને અવલોકનમાં એ પણ જોયું કે અહીં અન્ય કાયદા ની તુલનામાં સહકારી સંસ્થાઓ, અને સહકારી મંડળીઓ તેમજ ચેરીટેબલ ટ્રસ્ટના કાયદાઓ માં ઘણી જ ઉદારતા બતાવવામાં આવી હતી. ઘણી જ 'છટ કબારી' ઓ રાખવામાં આવી હતી. સરકારના કાયદામાં ને સહકારી ક્ષેત્રના કાયદામાં, જમીન -આસમાનનો ફર્ક હતો. અને ગુજરાતના 50% લોકો સીધી કે આડકત્રી રીતે સહ કારી ક્ષેત્ર સાથે જોડાયેલા હતા. ને સરકારના બજેટ થી 25% નું બજેટ આ સહકારી સંસ્થાઓનું હતું .
  સહકારી કાયદાઓ ઉપરથી તો સરસ દેખાતા હતા. અને તેનો ઉદ્દેશ પણ સારો હતો. નિયમ પ્રમાણે દરેક વ્યક્તિ શેર ભરીને જે તે સંસ્થા નો 'સભાસદ' થઈ શકે આ સભાસદો પોતાનામાંથી જ 'વ્યવસ્થાપક કમિટી'ની નિમણૂક કરે અને આ વ્યવસ્થાપક કમિટી વગરના ને પણ રેકર્ડ અને 'દફતર' ના કામ માટે 'સેક્રેટરી' કે 'મંત્રી' તરીકે નિમણૂક કરે . અને ચૂંટાયેલું 'બોર્ડ' જે તે સંસ્થા નો વહીવટ કરે.
પરંતુ વાસ્તવમાં આવું કાંઈ હોતું નથી કારણ કે જે વ્યક્તિ કે માણસોએ 'પ્રાયોજક' બની આવી સંસ્થા કે મંડળી 'રજીસ્ટર્ડ 'કરાવી હોય, તો તે' માણસો તે સંસ્થામાં પોતા ના કુટુંબ, જ્ઞાતિ, કે અંગત માણસો ને જ તેના 'સભાસદ' બનાવતા હોય છે. બીજા માણસો સાથે આવી સંસ્થાઓ કે મંડળી વહીવટ તો કરે છે. પરંતુ માત્ર 'ગ્રાહક' તરીકે નો કોઈપણ ભોગે પોતાના અંગત માણસો સિવાય તે સંસ્થા માં બીજાને 'સભાસદ' બનાવતા નથી. તેથી બીજા લોકોને તેમાં 'મત્તાધિકાર' મળતો નથી .
   પરિણામે પ્રાયોજક બનીને જે તે શ્રેષ્ઠ કે મંડળી ની સ્થા પના કરનાર લોકો, તેનું કુટુંબ, જ્ઞાતિ, સમાજ કે મળતીયા ઓનો તે સંસ્થા ઉપર વર્ષો સુધી.  ને ક્યારેક તો પેઢી ઓ સુધી કબજો રહે છે. તે ઉપરાંત સહકારી કાયદામાં સૌથી મોટી 'વિસંગતતા' તો એ છે કે' એક જ વ્યક્તિ જુદા જુદા નામ ની ગમે એટલી મંડળી, કે સંસ્થા બનાવી શકે છે. તેનો સભાસદ થઈ શકે છે. કમિટી સભ્ય થઈ શકે છે અને ગમે એટલી સંસ્થાઓમાં 'ચેરમેન' જેવા હોદ્દા પણ ધારણ કરી શકે છે .
આ કાયદાનો લાભ ઉઠાવીને કાંકરેજમાં અમરાભાઇ ઠાકોર જેવા ખંધા, અને હોશિયાર નેતા એક જ ગામ માં જુદાં- જુદાં પરા નાં નામ આપીને, એક જ ગામમાં, એક જ હેતુ ની ચાર -પાંચ મંડળીઓ બનાવીને, રજીસ્ટર કરીને, જે તે સંસ્થા કે સંઘ સાથે સંયોજિત કરીને આખા સહકારી ક્ષેત્ર ઉપર કબજો જમાવીને બેઠા હતા .
   અમરાભાઇ પોતાના ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડ ળી માં, તેઓ સભાસદ, કમિટી સભ્ય  અને ચેરમેન તો તેઓ હતા જ. તે ઉપરાંત પેટા- પરા ની બીજી - ચાર દૂધ મંડળીમાં પણ તેઓ સભાસદ, કમિટી સભ્ય, અને ચેરમેન હતા. એ જ પ્રમાણે ગામની સેવા સહકારી મંડળીમાં પણ તેઓ સભાસદ, કમિટી સભ્ય, અને ચેરમેન હતા. તે ઉપ રાંત ચાર પરા ની સેવા સહકારી મંડળી માં પણ તેઓ સભાસદ, કમિટી સભ્ય, અને ચેરમેન હતા .
  આ ઉપરાંત અમરાભાઇ ઠાકોર તાલુકા સંઘ ના ડિરેક્ટર અને ચેરમેન હતા. તો સાથે માર્કેટયાર્ડમાં પણ ડિરેક્ટર અને ચેરમેન હતા. તે ઉપરાંત કાંકરેજ વિસ્તારમાંથી  બનાસડેરી અને બનાસ બેંકના પણ ડીરેકટર હતાઃ સાથે જ બનાસ બેંકના ચેરમેન અને ગુજરાત કો. ઓપરેટિવ બેન્કમાં વાઇ સ ચેરમેન પણ હતા . તે ઉપરાંત જિલ્લા સંઘ ના ડિરેક્ટર અને ચેરમેન પણ હતા .
   આટલા બધા હોદ્દા ઉપર હોવા છતાં સહકારી ક્ષેત્ર ના કાયદા, અને તેમાં રહેલી 'છટકબારીઓ'ને લીધે એક પણ 'હોદ્દા' ઉપરથી તેમને કોઈ પણ હટાવી શકતું ન હતું. સહ કારી ક્ષેત્ર ઉપર તેમનું પ્રભુત્વ અને કબજો કાયમી હતો. આવું જ 'ચેરેટીબલ ટ્રસ્ટ' અને અન્ય સંસ્થાઓ માં પણ હતું. એક વખત સંસ્થા કબજે કર્યા પછી કાયમી એ લોકો પાસે જ રહેતી હતી.  પહેલાંના જમાનામાં એવી કહેવત હતી કે 'મારે તેની તલવાર !' એમ સહકારી ક્ષેત્રમાં એવું છે કે' 'જેની પાસે રેકર્ડ, તેની સંસ્થા !'
  આ ઉપરાંત સહકારી સંસ્થા ના વડા એટલે કે 'ચેરમેન'ને 'અમાપ' સત્તાઓ આપવામાં આવી હતી. 'બોર્ડ'ની બહુ મતીથી ચેરમેન ગમે તે વ્યક્તિને નોકરીમાં પણ લઈ શકે. અને છૂટા પણ કરી શકે.  ભથ્થાને અને બીજી સવલતો ના નામે ધારે એટલો સંસ્થા માંથી ખર્ચ પણ કરી શકે પરિણામે સંસ્થાઓ માં ભાઈ -ભત્રીજા વાદ કે જ્ઞાતિવાદના આધારે જ તેમાં સ્થાન મળતું હતું .
    કલાવતીએ જોયું કે સરકાર ઉપર કબજો કરવા માટે 'સહકારી ક્ષેત્ર'એક મહત્વનું પરિબળ છે. તેથી તે' ઉપર અને બીજી સંસ્થાઓ ઓ ઉપર પોતાના માણસો બેસાડ વા માટે તેણી એ ખાનગી રોડ- મેપ તૈયાર કર્યો !'
    કલાવતી તાલુકા પંચાયતી પ્રમુખ હતી ત્યારે તેણી એ 'કલા મહિલા ઉત્કર્ષ ટ્રસ્ટ,  નામનું ટ્રસ્ટ રજીસ્ટર કરાવ્યું હતું. અને તેના બંધારણમાં તેનું સમગ્ર કાર્યક્ષેત્ર 'સમગ્ર ભારત દેશ' દર્શાવવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લા ના દરેક તાલુકા મથકે પોતાની વગ નો ઉપયોગ કરી તેની શાખાઓ ખોલવા, અને કાર્યરત કરવા પોતાના માણસોને સુચના આપી અને તે કામ તેના માણસોએ પુરજોશ માં ચાલુ કરી દીધું હતું !'ભવિષ્યમાં આ સંસ્થા ની શાખાઓ તેણી સમગ્ર ભારતદેશમાં વિસ્તારવા માગતી હતી . અને તેના માધ્યમથી તેણી સમગ્ર ભારતદેશની સ્ત્રીઓને જાગૃત કરી, સંગઠિત કરી, તેમનું ઉસ્થાન કરી, પગભર કરી સમગ્ર દેશની સ્ત્રીઓમાં 'નવી ચેતના' જગાવવા માગતી હતી .
  સહકારી ક્ષેત્ર માં પગ- પેસારો કરી તેમાં પોતાના માણસો ગોઠવવા માટે ગુજરાતના ખૂણે- ખૂણાનો પ્રવાસ તેણી એ વધારી દીધો હતો. સહકારી આગેવાનો અને નેતાઓ સાથે ની ગુપ્ત મીટીંગો, અને પક્ષ અને વિપક્ષના નેતાઓ સાથેના સંપર્કો બધું જ વધારી દીધું હતું. ક્યારેક તે મહેસાણા જાય ત્યારે નટુભાઈ ને કે આત્મારામ ભાઈ ને મળતી. તો ક્યારેક પાલનપુર જાય ત્યારે દલસુખભાઈ ને મળતી, તો સાથે પર થી ભાઈ ને પણ મળતી.  ક્યારેક પોરબંદર જાય ત્યારે વિઠ્ઠ લભાઈ ને મળતી. તો ક્યારેક અમરેલી જઈ દિલીપભાઈને પણ મળતી. ક્યારે ખેડા જાય ત્યારે રામસિભાઈ ને મળતી તો હિંમતનગર જાય ત્યારે જેઠાભાઈ નો પણ સંપર્ક કરતી. આમ અલગ- અલગ જગ્યાએ જઈ ને કોઈને જાહેર માં મળતી, તો કોઈને ખાનગીમાં મળતી હતી.
   કલાવતી ની આ પક્ષ, અને વિપક્ષના આગેવાનો સાથેની 'ગુપ્ત મીટીંગો'થી સરકારમાં અને પક્ષમાં થોડો ચણ-ભણા ટ ચાલુ થયો હતો. પરંતુ સીધી રીતે સહકારી માળખા ને બધા પક્ષા- પક્ષીથી પર માનતા હતા. તેથી બીજા નેતા ઓ પણ એક-બીજાને મળતા હતા .અને એકબીજાની મિલી- 
ભઞત થી જ વર્ષોથી તે 'હોદા' ઉપર ચીપકી રહ્યા હતા. તેથી બધાને ચુપ રહેવું પડ્યું હતું .

     આ બધી ગતિ-વિધિઓ વચ્ચે દેશમાં ૧૦ રાજ્યો માં વિધાનસભા ની મુદત પૂરી થઈ હતી. ત્યાં ચૂંટણી જાહેર થઈ હતી. જેમાંથી ૬ રાજ્યમાં કલાવતી ના પક્ષની સરકાર હતી. જ્યારે અન્ય ૪ રાજ્યોમાં જુદા- જુદા પક્ષો ની સરકાર હતી. વ્યવસ્થા ના ભાગરૂપે મતદાન ત્રણ તબક્કા માં થવાનું હતું . પ્રથમ તબક્કામાં- ૫ રાજ્યમાં, બીજા તબ ક્કામાં-૩ રાજ્યમાં ,જ્યારે ત્રીજા તબક્કામાં-૨ રાજ્યોમાં મતદાન થવાનું હતું. આમ આ ચૂંટણી લગભગ બે મહિના જેટલો લાંબો સમય ચાલવાની હતી .
   કલાવતી એ સરકારમાં અને પક્ષ માં કરેલ કામગીરીથી પ્રભાવિત થઈ. 'કેન્દ્રીય મોવડી મંડળે' તેની પ્રતિભા અને લોકપ્રિયતાનો આ ચૂંટણીમાં 'લાભ' ઉઠાવવાનું નક્કી કર્યું. અને પક્ષ ની કેન્દ્રીય નેતાગીરી એ 'પક્ષ'ના કેન્દ્રીય 'સ્ટાર પ્રચારકો'ની યાદીમાં તેની પસંદગી કરી હતી. એ યાદી માં સ્થાન પામનાર ગુજરાતની તે એકમાત્ર 'નેતા' હતી .
   તેમના પક્ષે પ્રથમ ચરણમાં જે પાંચ રાજ્યોમાં મતદાન થવાનું હતું. ત્યાં પ્રચારમાં પ્રથમ જોર આપ્યું.' કલાવતી' પક્ષની રાષ્ટ્રીય સ્ટાર પ્રચારક હોવાથી તેના પ્રવાસની, વાહ નની, રહેવાની, જમવાની, બધી જ વ્યવસ્થા પક્ષે કરવાની હતી. તેનું કામ પક્ષે ગોઠવેલી જાહેર 'સભા'માં જઈ ને સભા માં હાજર જનમેદની  પ્રમાણે નું પ્રવચન કરી, તેમને આકર્ષવાનું હતું .
   જાહેર સભા માં પ્રવચન આપવા કલાવતી હંમેશા સાડી માં સજ્જ થઇને જ જતી. ને જુદી -જુદી સભા ઓમાં અલગ- અલગ રંગની, અને જુદી- જુદી ડિઝાઈન ની સાડી પહેરીને જતી. સભામાં તેણી મોટે-ભાગે હિન્દી માં પ્રવચન કરતી.  અને ક્યાંય જરૂર હોય તો, ત્યાં અંગ્રેજી માં પણ પ્રવચન કરતી. પોતાના પ્રવચન દરમિયાન એક- બે વાક્યો ત્યાં ની સ્થાનિક ભાષામાં બોલીને, તે લોકોને ખુશ કરી દેતી 
    પોતાના પ્રવચનમાં કલાવતી, તેમના પક્ષની સરકારે કરે લાં કામોની સિદ્ધિઓ ગણાવતી .પોતાના પક્ષની નીતિ ઓ અને ભાવિ એજન્ટા જણાવતી . તે ઉપરાંત તે બેઠક ઉપર જે ઉમેદવાર ચૂંટણી લડતો  તેનાં વખાણ કરીને, ગુણગાન ગાઇ ને પક્ષ નું એવું ફૂલ- ગુલાબી ચિત્ર લોકો સમક્ષ ઉભું કરતી, કે' તેની એક વિનંતી ઉપર ઘણા -ખરા લોકો તેમના પક્ષના ઉમેદવારને જ મત આપવા તૈયાર થઈ જતા .
   અત્યારે સમય ટી.વી., પ્રચાર માધ્યમો , પ્રિન્ટ મીડિયા, અને સોશિયલ મીડિયાનો હતો. તેથી કલાવતી એક સભા માં પ્રવચન કરે ,તેની ગુંજ આ પ્રચાર માધ્યમો દ્વારા આખા 'દેશ'માં ગુંજી ઉઠતી. અને જે રાજ્યોમાં ચૂંટણી ચાલુ હતી તે રાજ્યની 'નેતાગીરી ' અને પક્ષના કાર્યકર્તાઓ 'કલાવતી ની સભા ઓ પોતાના રાજ્ય માં વધુમાં-  વધુ રાખવાની માંગણી કરતા હતા .
  હવે તો કલાવતી ના 'નામ માત્રથી જ સભામાં ઓટોમેટીક ભીડ ઉમટી પડતી હતી. કેટલાય લોકો તેનું પ્રવચન સાંભળ વા અને તેને જોવા દૂર -દૂરથી આવતા હતા.  તેની આગવી પ્રતીભા , તેનું રૂપ,  અને તેન