પ્રેમ નો કરુણ અંજામ
“મુલાકાત જે બદલાઈ ગઈ પ્રેમ માં”
સ્થળ: એક નાનું ગામ – હરિપુર
પાત્રો:
અંજલિ – ગામની સુંદર અને શાંત મિજાજવાળી યુવતી
અરવિંદ – શહેરથી ગામ આવેલા એક શિક્ષક
ભીમજી કાકા – અંજલિના પિતા
મનોરમા બેન – અંજલીની માતા
હરિપુર ગામ,જ્યાં જીવતર હજી પણ કુદરતના સંગાથે વહેંચાય છે. સવારે પંખીના કલરવથી ઉઠતું આખું ગામ, સાંજે વાવેલી ખેતરમાંથી થાકેલા ખેડૂતના પગલાંઓના અવાજથી ભરાતું.
ત્યાં રહેતી હતી અંજલિ – એક નિર્વિઘ્ન અને શાલીન યુવતી. વાળમાં હંમેશાં ગુલાબનું ફૂલ મુકતી અને આંખોમાં સપનાનું ઝરણું છલકાતું. છોકરીઓમાં સૌથી સુંદર, છતાં અભિમાનથી બિલકુલ દૂર. તેનો સમય ક્યારેક ખેતર સાથે વીતતો,તો ક્યારે પુસ્તકો સાથે.
એક દિવસ ગામમાં અરવિંદ નામનો યુવાન શહેરથી આવ્યો. અભ્યાસ માટે શહેરમાં ભણેલો અને હવે ગામમાં સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરીએ જોડાયો. તરોતાજા વિચારો, સમજદાર વાતો અને સહજ વ્યવહારને કારણે થોડા દિવસમાં જ ગામના લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી.
અંજલિ અને અરવિંદની પ્રથમ મુલાકાત ગ્રામ પંચાયતના પુસ્તકાલયમાં થઈ.અંજલિ નવલકથાની શોધમાં હતી અને અરવિંદ નાનાં બાળકો માટે શિક્ષણ વિષયક પુસ્તકો જોઈ રહ્યો હતો. બંનેની નજર અચાનક એકજ પુસ્તક પર પડી – “પ્રેમ અને પવિત્રતા” થોડી શરમ, થોડી નજર, થોડું સંકોચ...
"માફ કરો... તમારું પુસ્તક પહેલાં."
"નહીં નહીં, તમે વાંચી લો... હું બીજું જોઈ લઉં છું."
અનાયાસે એ મુલાકાત એક નવી ઓળખ બની.
પુસ્તકાલયે મુલાકાત વધતી ગઈ, પછી શાળામાં શિક્ષણના કાર્યક્રમો સાથે વાતચીત શરૂ થઈ.પછી ગામના તહેવારોમાં સાથે કામ કરવું અને પછી એક અજાણી લાગણી બંનેના હ્રદયમાં ઉગવા લાગી.
અંજલિએ પહેલા તો એ લાગણીઓને નામ આપવાનું ટાળ્યું. પણ દરેક મુલાકાત પછી જે છબી તેનાં મનમાં રહી જાય, એની ઉદાસી અને આનંદ સમજી શકાયો નહીં.
અરવિંદ પણ વિચારતો રહ્યો – "આ પ્રેમ છે કે સહાનુભૂતિ? કે એનાથી કંઈક વધુ?"
એક સાંજ, ગામના તળાવ પાસે બંને મળ્યા.ઝાકળ જેવી હળવી હવા, પાંખે પાંખ લાવતી શાંતિ અને એ વાક્ય:
"અંજલિ, હું દરેક વાતે તને યાદ કરું છું,તું મનથી દૂર જતી નથી."
અંજલિના હોઠ થરથરાયા, પણ આંખો બોલી ગઈ "મને પણ એ જ લાગણી છે."
પણ... પ્રેમનું આ સપનું કાગળ ની પાંખ જેવું હતું.
અંજલિ અને અરવિંદ એ પ્રેમ નું પહેલું પગલું ભર્યું પણ સમય નો નિયમ છે તે હમેશાં બદલાવ લાવે છે...
પ્રેમની કાળી શાહી હજી કાગળ પર લહૂ લહૂ થઈ રહી હતી, ત્યાં જ ગામના વાતાવરણમાં કંઈક બદલાવ આવતો દેખાયો.
અંજલિના પિતા ભીમજી કાકા – ગામના પ્રતિષ્ઠિત માણસ. તેમને સંતાનમાં એકમાત્ર અંજલિ જ હતી, જેને લઈને તેમણે અનેક સપનાઓ ના નિર્માણ કર્યા હતા. તેઓ ઇચ્છતા હતા કે અંજલિ કોઈ સંપન્ન ખેતીવાડીને લગ્ને જાય, જ્યાં વિદેશના આંટા આવે, વધુ પૈસા હોય, અને સમાજમાં નામ પણ.
અંજલિ અને અરવિંદની નજીકીઓ હવે છુપેલી નહોતી. ગામમાં લોકોના કાન અને જીભ બંને ચપળ હોય છે. લોકોની લાકડીઓ ની જેમ તેમના શબ્દો પણ ઘાવ કરતા.
"ભીમજીના ઘરમાં હવે શિક્ષક આવ્યો છે.શૈક્ષણિક પ્રેમ!"
"શહેરી છોકરો છે, આજે છે તો કાલે જઇ પણ શકે."
"કેમ દીકરીને શિક્ષક સાથે જોડવી? પૈસા નથી એના હાથમાં!"
આ રીતે ગામે વાતો વહેતી ગઈ.
એક સાંજ ભીમજી કાકા ઘેર આવીને અંજલિને ઠપકો આપ્યો:
"આ શું ચાલે છે? સ્કૂલનો માસ્ટર, અને તું એની પાછળ છે? તને ખ્યાલ છે કે સમાજ શું કહે છે?"
"પણ બાપુજી… અરવિંદ એક સારો માણસ છે. એના વિચારો સાચા છે. અને હું તેને પ્રેમ કરું છું."
"પ્રેમ? આ કોલેજ ના રંગીન ખ્વાબ છે! આજે પ્રેમ કહે છે, કાલે છોડીને શહેર ચાલ્યો જશે. હું એ છોકરાને ક્યારેય મારી દીકરી આપી નથી શકતો."
અંજલિનું મન ભળી ગયેલું.સંયમ અને શાંતવૃત્તિ ધરાવતી છોકરી આજે અંદરથી તૂટી ગઈ.
તે રાતે અંજલિએ અરવિંદને મળવા તળાવ પાસે બોલાવ્યો.
"અરવિંદ..પિતાજી રાજી નથી..તેઓ કદી પણ આ સંબંધ સ્વીકારશે નહીં."
"પણ અંજલિ, શું આપણો પ્રેમ એટલો નબળો છે કે સમાજ અને સંપર્કમાં તૂટી જાય?"
"મને ખબર નથી, પણ... હું બે રસ્તા વચ્ચે ઊભી છું. એક તરફ પિતાની પ્રતિષ્ઠા... બીજી તરફ તમારો પ્રેમ."
બન્નેની આંખોમાં ભેજ, પરંતુ સ્નેહ હજુ જીવંત હતો.
એની સાંજ “પ્રેમ” માટે અજમાઇશ બની ગઈ.
“ફેસલો જેના પાછળ તૂટી ગઈ જિંદગી”
તળાવની એ સાંજ બાદ અંજલિ અને અરવિંદ બંનેની દુનિયા બદલાઈ ગઈ.પ્રેમ હતો, પણ રસ્તાઓ ભિન્ન હતાં.
અંજલિની અંદર એક જંગ ચાલી રહી હતી — એક તરફ પિતાની ઇજ્જત, જેઓએ દિકરીને આંખોના તારા જેવી પાળેલી, બીજી તરફ એ પ્રેમ જે જીવનનો અર્થ બની ગયો હતો.
ભીમજી કાકાનો દબાવ
ભીમજી કાકા હવે શાંત ન રહ્યા.
એક દિવસ સવારે, અંજલિ રસોડામાં ચા બનાવી રહી હતી, ત્યારે પિતા ઘરની બહારના ઓટલામાં બેઠા હતા અને બોલ્યા
"બેટા અંજલિ..."
"હા બાપુજી?"
"મેં તારું મંગળ નક્કી કરી દીધું છે."
અંજલિ એક પળ માટે અચકાઈ ગઈ.
"શું? કોણી સાથે?"
"વિજય..અમારે સંબંધ છે. ખેતરો છે, વેપાર છે, દિકરી ને રાની ની જેમ જીવડાવે એવા ઘરો છે."
"પણ... પણ... હું તો..."
"શુ? તું તો એને પ્રેમ કરે છે એ કહેવા જઈ રહી છે?
એ શિક્ષકને?
મને શરમ આવે છે તારા વિચારો પર! મારા જીવતે જીવ તું એની સાથે નહીં જાય. આ સંબંધ હવે પૂરો."
ભીમજી કાકાની આંખોમાં ગુસ્સો પણ હતો, અને ભય પણ.
અંજલિ મૌન રહી. આંખોથી શબ્દો આંસુ બની ને વહેવા લાગ્યા.
અરવિંદનું અંતિમ પ્રયત્ન
અંજલિએ અરવિંદને ચિઠ્ઠી લખી.
"મને માફ કરજે હું પિતાનું માન તોડી શકતી નથી. તું હંમેશા મારા દિલમાં જીવતો રહીશ..."
અરવિંદ એ પત્ર વાંચીને તરત જ એક નિર્ણય કર્યો.
એ અંજલિના ઘેર આવ્યો — પહેલીવાર... અને કદાચ છેલ્લીવાર.
ભીમજી કાકા તેને જોઈને ઉગ્ર થયા:
"તારી અહીં આવવાની હિમ્મત કઈ રીતે થઈ?ક્યાંથી આવ્યો મારી દીકરીને મળવા?"
"કાકા... હું અંજલિને પ્રેમ કરું છું. એ મારો ખરો પ્રેમ છે. દયાળુ થાઓ, એ તમારી દિકરી છે પણ એની લાગણીઓ પણ સાચી છે."
"હું મારી દિકરી કોઈ શિક્ષકને નહીં આપું. સમાજમાં મારી નાક છે! જા, જ્યાંથી આવ્યો ત્યાં ચાલે જા પાછો!"
અંજલિ અંદરથી જોઈ રહી હતી. અરવિંદના આંખોમાં લાગણી હતી, પરંતુ અવાજમાં અપમાનની એવી કઠોરતા હતી કે તેણે પાછા ફરીને એક અંતિમ નજર મારી અને ચાલ્યો ગયો... શાંત હતો, પણ ભીતરથી તૂટી ગયો હતો.
લગ્ન અને સંઘર્ષ
વિજય સાથે લગ્ન કરાવામાં આવ્યા. ભીમજી કાકાએ આખા ગામમાં વાત ફેલાવી કે, "હવે તો મારા ઘરમાં સંબંધનું સોણું ધમકે છે."
પણ... એ ઘરમાં જે દહકે છે એ તો અંજલિનું મન અને તેનું રોંદવા માં આવેલું હ્રદય હતું.
વિજય પ્રેમથી નહીં, ઘમંડથી વર્તતો. પૈસાથી સંબંધ ખરીદે તેવો માણસ હતો.અંજલિ રોજ ઠપકો સહેતી. તેનો દેહ ત્યાં હતો, પણ આત્મા ક્યાંય પડેલો હતો.
એક દિવસ અચાનક...
અંજલિ ઘરની બહારના લોનમાં બેઠી હતી. તારલાઓ જોઈ રહી હતી ત્યાં એક નાની છોકરી પુસ્તક લઈને આવી.
એ સ્કૂલે જતી હતી — "અંજલિ બહેન, આજે અરવિંદ સરે છોકરીઓ માટે ખાસ શિબિર રાખી છે.
સ્કૂલ તો છોડી દીધી હતી એમણે..પણ આજે ગામમાં પાછા આવ્યા છે."
અંજલિ નું હ્રદય ફરી ધબક્યું. "એ પાછા આવ્યો છે? કેમ? હવે કેમ?"
“મળ્યા પછી પણ અધૂરા રહી ગયા”
અંજલિએ પિતાની ઇચ્છા સામે પોતાનું પ્રેમ જીવંત રાખવાને બદલે સમર્પણ કરી દીધું અને હવે… વર્ષો પછી, જ્યારે તમામ સંબંધો ઘૂંટાઈ ગયા હતા, ત્યારે એ એક સમાચાર મળ્યાં – "અરવિંદ ફરી ગામમાં આવ્યો છે..."
અંજલિની મનસ્થિતિ
એ દિવસ આખો અંજલિ વિચારોમાં ગરકાવ રહી.
વિજય તો ઘરમાં નહિ, વેપાર માટે બહાર ગયો હતો.
આજ એ હૃદયના દ્વાર ફરીથી ખૂલી રહ્યા હતા, જ્યાં વર્ષો પહેલાં પ્રેમ હતો છતાં અંત હંમેશાં કરુણ રહ્યો હતો.
તે સાંજે..અંજલિએ ચુપચાપ પોતાનો પીળો દુપટ્ટો ઓઢ્યો… અને ચાલતી થઈ ગામની શાળાની દિશામાં, જ્યાં અરવિંદ આજ શિબિર લાવતો હતો.
ફરી મુલાકાત: વર્ષો બાદ
શાળાનું વર્ગખંડ.
અરવિંદ બાળકોને જ્ઞાનની વાતો સમજાવી રહ્યો હતો:
"વિદ્યા એ વ્યક્તિનું સૌથી મોટું શસ્ત્ર છે અને જે વ્યક્તિ એ શસ્ત્ર આપે, એ ગુરુ હોય કે પ્રેમી – જીવનભર યાદ રહે છે."
ત્યાંથી જ અંજલિ નરમ પગલે અંદર પ્રવેશી.
અરવિંદે નજર ઉંચી કરી…
અને સમય એક પળ માટે સ્થિર થઈ ગયો.
"અંજલિ...?"
"હા..વરસો પછી પણ તું યાદ છે. ભુલાવી શકી નથી તને."
"તને તો ભુલાવી દેવાની જરૂર પણ ન હતી. તું તો મારા આખા અસ્તિત્વમાં વસેલી હતી."
તે પળોમાં કોઇ આંસુ સમજી શકતું નહોતું… કારણ કે આ મિલન સાચું હતું, પરંતુ અનુમતિ વગરનું.
ઉઘાડા તથ્યો
અંજલિએ જે કહેલું એ જ એનું દુઃખ હતું:
"મારું લગ્ન થઈ ગયુ … પણ મન ક્યાંય જોડાયું નહિ. વિજય એક વ્યવહારિક સંબંધ છે,પણ પ્રેમ તો તારી સાથે જ હતો."
અરવિંદ થોડીવાર મૌન રહ્યો. પછી કહ્યું:
"મારે તો તને મળ્યા પછી મારી આખી દુનિયા તારી બની ગઈ હતી. પણ જ્યારે તું વિજય સાથે લગ્ન કરી ગઈ ત્યારે હું તૂટી ગયો હતો. ત્યારબાદ મેં શાળા છોડી દીધી, અને અંદરથી આશા પણ મરી ગઈ. પણ આજે તને જોઈને લાગે છે કે જો બળજબરીથી દૂર ના થયો હોત, તો કદાચ આપણું ઘરમાં પ્રેમનું દેવળ ઊભું થાત."
અંજલિ નમ આંખે ચૂપ રહી.
"એટલું કહું તને અરવિંદ... તું મારી બેદાગ યાદ બની રહ્યો છે. પ્રેમ કર્યો તે પતન નહીં, પરંતુ મારા જીવનનું સૌથી પવિત્ર અધ્યાય છે."
વેદનાનું વિદાય પત્ર
અંજલિ ચાલવા લાગી. બંનેની વચ્ચે શબ્દો નહીં રહ્યા. હવે માત્ર આંખોની ભાષા રહી હતી.
જવાની, લાગણીઓ અને ભવિષ્યના સપનાઓનો અંતિમ શબ્દ હતો – "વિદાય".
કેમ કે કેટલીક વાર, "પ્રેમ સાચો હોવા છતાં, જીવનમાં મળવું શક્ય નથી હોતું."અને આવી કહાનીમાં, "અંજામ પ્રેમનો થાય છે, પણ એકાંતમાં."
“અંતિમ પાનાં… પ્રેમની યાદોમાં લખાયેલા”
અંજલિ અને અરવિંદ વચ્ચે ફરી મળ્યા
પણ સમય અને સંજોગોએ એમને એકબીજાથી દૂર રાખ્યા.
પ્રેમ તૂટી ગયો ન હતો પણ બંનેના હાથ એકબીજાને પકડી શક્યા નહોતાં.
આ હવે એ કહાનીનો અંતિમ ભાગ છે, જ્યાં પ્રેમ તો છે,
પણ એનું નામ શું ?... જીવન કે વિદાય?
સમય વીતી ગયો...
એ મુલાકાત પછી અંજલિ પાછી પોતાના ઘેર આવી ગઈ.
શરીર વિજય સાથે જીવતું હતું, પણ આત્મા જ્યાં હતો એ સ્થાને પાછો જઈ શકતો નહોતો.
અરવિંદ ફરી શાળા છોડીને બીજી NGO સાથે જોડાઈ ગયો. હવે ગામ નહીં, અલગ શહેરમાં બાળાઓ માટે કામ કરતો.
પણ, દર વર્ષે એક ખાસ દિવસ તળાવના કિનારા પર 14 મી ફેબ્રુઆરીના દિવસે, એક કાગળનો પાનખરમાં લખાયેલો પત્ર ત્યાં મૂકતો અને અંજલિ પણ એ દિવસે એજ તળાવ પાસે પહોચતી અને એ પત્ર લઈ જતી…
અને છેલ્લે શબ્દ વાંચતી…
"હું આજે પણ તારા માટે જીવું છું. જો ભાગ્ય કોઈ જન્મમાં ફરી લખે તો, તારા ઘરના ઓટલા પર સદાય બેઠો રહીશ."
વિજય નો પશ્ચાતાપ
એક દિવસ વિજયને અંજલિની એક પત્રિકા મળી… જેમાં અંજલિએ પોતાનું દુઃખ લખ્યું હતું:
"વિજય, તું સાવ ક્રૂર નહતો, પણ તું એ નહતો જે મારું મન ઈચ્છતું હતું. તારા ઘરમાં સુખની વસ્તુઓ હતી, પ્રેમનો તાપ નહતો."
એ પત્ર વાંચીને વિજય હમણા સુધી મૌન રહ્યો… પછી એક સાંજ, એ અંજલિ પાસે ગયો.
"મને માફ કરજે... મેં તને કદી સમજવાની કોશિશ નહિ કરી. તું ખરેખર એક પ્રેમવિહોણી સ્ત્રી બની ગઈ છે મારી સામે, અને એમાં મારી ભૂલ છે."
અંજલિએ ફરી એકવાર એને જોયું. આંખોમાં નફરત નહતી,અને દયા પણ નહતી...
કેવલ એક શૂન્ય.
અંતિમ દિવસ
વર્ષો વીતી ગયાં. હવે અંજલિ અને અરવિંદ બંને પાંખા થઈ ગયા હતા દિલ હજુય તાજું હતું, પણ શરીર થાકી ગયું હતું.
એક દિવસ તળાવ પાસેનું બેંચ ખાલી હતું.
અંજલિ નમ આંખે બેસી હતી, અને સામેનો પત્ર આજે અલગ હતો...
"આખા જીવનમાં પ્રેમ મેળવ્યો નહિ… પણ તને યાદ કરીને જીવવાનું શીખી ગયું."આજ એક વિનંતી છે.. મારું દહેજ કંઈ નહિ હોય, બસ તળાવ પાસેનું આ પત્ર સાચવી રાખજે.
"મરણ પછી પણ એ બેંચ પર તું બેઠી હસે, એ કલ્પના કરતો રહીશ.
તારો, અરવિંદ**"
અંજલિએ પત્ર બંધ કર્યો... અને આંખો મીંચી.
તે રાત્રિએ તળાવ પાસે બે પાંખા પક્ષીઓ હમણાં સુધી સાથે બેઠા હતાં પછી શાંત પવનમાં એકજ દિશામાં ઉડી ગયા.
🌸 અંત
પ્રેમ નો કરુણ અંજામ કદાચ વિયોગમાં છે…
પણ એ પ્રેમ તેટલો શુદ્ધ હતો કે મિલન જરૂર નહોતું, સ્મૃતિઓ પૂરતી હતી.
"કેટલાક પ્રેમો જિંદગીભર મળતા નથી...
પણ મૃત્યુ સુધી છૂટતાં પણ નથી."
Written by
Digantkumar J Patel