Hospital, Davakhana, Dispensary vadhva joiye ke ghatva? in Gujarati Magazine by Chirag Chotaliya books and stories PDF | હોસ્પિટલ, દવાખાના, ડિસ્પેન્સરી વધવા જોઇયે કે ઘટવા?

Featured Books
  • લુચ્ચું શિયાળ

    એક વખતની વાત છે. જંગલમાં બે પ્રાણી રહેતા —એક સિંહ, ખરા અર્થમ...

  • MH 370- 24

    24. પાણી અને આગ!અમે દરિયાનાં એક પ્રચંડ મોજાં સાથે ઉપર ઊંચકાય...

  • After 40's

    નારિમાઇન પોઇન્ટ... દરિયો એની મસ્તી માં ઘૂઘવતો જતો હતો. અને આ...

  • ખાટું શ્યામ મંદિર

    બાર્બરીક: એક અજોડ યોદ્ધાદ્વાપરયુગના વિશાળ રણક્ષેત્રમાં, જ્યા...

  • ચંદ્ર પર રોમાંચક પ્રવાસ - 1

    ​પ્રકરણ ૧: રહસ્યમય ટાપુ​પ્રવેશ: આરવ, એક સાહસિક યુવાન, પોતાના...

Categories
Share

હોસ્પિટલ, દવાખાના, ડિસ્પેન્સરી વધવા જોઇયે કે ઘટવા?

હોસ્પિટલ, દવાખાના, ડિસ્પેન્સરી વધવા જોઇયે કે ઘટવા ??

એક દસ-અગિયાર વર્ષના છોકરાને પેટમાં સખત દુખાવો થતો રહેતો. તેના પેરેન્ટ્સે એમ.બી.બી.એસ, એમ.ડિ., સર્જન. લગભગ બધા જ ડોક્ટર ને ત્યાં બધા જ પ્રકારના ટેસ્ટ કરાવ્યા પણ દરેકે-દરેકે ટેસ્ટ ના રિપોર્ટમાં આખરે નોર્મલ(કાઇં બીમારી નથી એવું) જ આવ્યું અને છેલ્લે ડોક્ટરે કહ્યું “આના દિમાગમાં જ બીમારી છે એના દિમાગમાંથી કાઢવાની કોશિશ કરો.” આ તો એક નાના છોકરાની કહાની છે. અલબત, સાથે-સાથે એ પણ એક સત્ય હકીકત છે કે “દુનિયામાં ૯૮%(અથાણું ટકા) બીમારી ફક્ત લોકોના દિમાગમાં હોય છે. ખરેખરમાં કાઇં બીમારી હોતી જ નથી.”

આ તો એક કહાની છે અને એક સર્વે મુજબની વાત છે. પણ અહિયાં કોઈ બીમારી વિષે વાત નથી કરવાની. અહિયાં સવાલ છે હોસ્પિટલો, દવાખાનાઓ ની સંખ્યા વધે એ સારું કે ઘટે એ સારું?? હવે આમાંથી બુદ્ધિશાળી લોકો તરત જ કહેશે “એ તો ભાઈ વધે એ જ સારું ને, વધે તો દર્દીઓને વધુ ફાયદો મળે અને વહેલી તકે રોગ નાબૂદ થાય.” આ જવાબ પરથી એક વાત યાદ આવી રહી છે “હમારા નારા હે ગરીબો કો હટાવો, ગરીબી કી નહીં.” તેવો જ કાઇંક ઉપરનો જવાબ લાગે છે.

જુઑ, હોસ્પિટલ વધારવનું કારણ શું? તો કે રોગો અને દર્દીઓ વધી રહ્યા છે. રાઇટ સૌ એ સૌ ટકા સાચું પણ રોગ કેમ અને કઈ રીતે વધી રહ્યા છે? તો કે વાતાવરણમાં પ્રદૂષણનું પ્રમાણ વધવું, નિયમિત કસરત ન કરવી, યોગાસન, પ્રાણાયમ ન કરવા, ખુલ્લી ગટરોને કારણે ઝેરી માખી, મછર નો ઉપદ્રવ થવો આ બધા લાગુ પડે બરાબરને. તો પછી દોસ્તો હોસ્પિટલ વધારવાને બદલે આ બધી સમસ્યાઓ વિશે વિચરવું વધારે યોગ્ય લાગે છે. આમ પણ જ્યારે તમે કોઈ ઝાડ કાપતા હોય તો જ્યાં સુધી તેના તમે મૂળિયાં ને ઝડ-મૂડ માંથી ઉખેડીની ફેકી નહીં દયો ત્યાં સુધી ફરીથી ત્યા ઝાડ ઊગી નિકળશે.

આપણે વિશ્વાસના આધારે ચાલીયે છીયે, સુસ્ટીના આધારે નહીં

---- બાઇબલ