કલમથી ફૂટેલી સાહિત્યની એક નાનકડી કૂંપળ છું

પથિક તું ચેતજે શરદની રાત પણ દગો દેશે,
રૂપ ધરી ચાંદનીના, અજવાળા પણ દગો દેશે.

-Jay Dave

બહારથી દેખાઇ એટલા ભીતરથી રૂપાળા નથી હોતા.
આ સંબંધો તમે માનો છો એટલા હુંફાળા નથી હોતા,
ભૂલી જાવ કે તમારો સુરજ મધ્યાહને હતો એક દિવસ,
આથમતાં સૂરજના અજવાળા નથી હોતા.

-અજ્ઞાત

Read More

જીવનમાં અમુક દર્દ એવા પણ હોય છે જેની દવા માત્ર સમય પાસે હોય છે.?

-Jay Dave

લાગણીઓનું વાવેતર બહુ ધ્યાનથી કરવું;
કયારેક ફળના બદલામાં કાંટા મળી જતા હોય છે.

-Jay Dave

"You will never reach your destination if you stop and throw stones at every dog that barks. Better we keep biscuits and go"
-Dhirubhai ambani

જેટલો પ્રેમ આપણે આપણાં સંતાનોને કરીએ છીએ,
એટલો જ પ્રેમ આપણે આપણાં માતા-પિતાને નથી કરી શકતા..
કડવું છે પણ સત્ય છે.

Read More

શબ્દો કરતાં મૌન વધારે બોલવા લાગે ને, ત્યારે સમજી લેવું કે સંબંધનો અંત નજીક છે.

-Jay Dave

આધુનિક યુગ / અત્યારના સમયની ફક્ત (અત્યારની ટૂંકી દ્રષ્ટિના કારણે અને ઊંડાણના અભાવે, ઉપર ઉપરથી) પોઝિટિવ કે સારી (લાગતી) બાબતોને જ ધ્યાનમાં રાખવી અને એમના વખાણ ધરાર, ગમે તેમ કરીને કરવા જ. આધુનિક બાબત હોય એટલે ભલે ને એ દૂષણ જ કેમ ન હોય, એને પકડી રાખવી કેમ જરૂરી છે એનાં કારણો ન હોય ત્યાંથી પણ શોધીને કહેવા. તો જ અમે તમને આધુનિક યુગ / અત્યારના સમયમાં "મિસફિટ" નહીં અને "ફિટ" ગણીશું;

ખબરદાર જો આધુનિક યુગ / અત્યારના સમયની નેગેટિવ બાબતો તરફ ધ્યાન દોર્યું તો (પછી ભલે ને એ બાબતો વ્યક્તિ, પરિવાર, સમાજ, રાષ્ટ્ર બધા માટે લાંબા ગાળે હાનિકારક કે ઘાતક હોય)! તો તમને "રિગ્રેસિવ"/"જૂનવાણી જડસુ"/"આધુનિકતા વિરોધી"/ "વેદિયા" કહી દેવામાં અમને જરા પણ વાર નહીં લાગે.

પ્રાચીન યુગની / જૂના સમયની (અત્યારની ટૂંકી દ્રષ્ટિના કારણે અને ઊંડાણના અભાવે, ઉપર ઉપરથી) નેગેટિવ (લાગતી) બાબતોને જ ધ્યાનમાં રાખવી અને એના પર ગોકીરો કર્યા કરવાનું, કાગારોળ મચાવવાનું ચાલુ જ રાખવું. તો જ અમે તમને "તટસ્થ", "પ્રામાણિક" અને "પ્રોગ્રેસિવ" ગણીશું;

ખબરદાર જો પ્રાચીન યુગની / જૂના સમયની ખરેખરની અત્યંત પોઝિટિવ અને અત્યાર કરતાં પણ વધુ ઉત્કૃષ્ટ બાબતો તરફ ધ્યાન દોર્યું તો (પછી ભલે ને એ અત્યારના સમયના લોકોના પણ હિતમાં જ હોય)! તો તમને "મિથ્યાભિમાની"/ "ભૂતકાળના વ્યર્થ ગૌરવમાં રાચતા"/"રૂઢિવાદી"/"આજના આ અતિવિકસિત યુગમાં ભણેલા ગણેલા હોવા છતાં પછાત માનસિકતાવાળા" ગણાવવામાં અમને એક ક્ષણ પણ નહીં લાગે.

~ લિ.: અખિલ ભારતીય આધુનિકતા ઠેકેદાર બળતણિયા મંડળ

-વૈધ પાર્થ ઠક્કર (કચ્છ)

Read More

राम और कृष्ण में क्या अंतर हे?
श्रीराम सिखाते हैं मर्यादा में केसे रहते हैं,और
श्रीकृष्ण सिखाते हैं मर्यादा में रखते केसे है
-अज्ञात

Read More

સ્ત્રી પોતાનું મહત્ત્વ કેટલું છે એ કહેતી જોવા મળશે, પણ પુરૂષ ક્યારેય પોતાનું મહત્ત્વ કેટલું છે એ જણાવશે નહીં, એના મૌનથી જ સમજાશે.

- Jay Dave

Read More