Quotes by મનોજ નાવડીયા in Bitesapp read free

મનોજ નાવડીયા

મનોજ નાવડીયા Matrubharti Verified

@manojnavadiya7402
(932.1k)

માનવજીવમાં બુદ્ધિ આવી એટલે તે “બુદ્ધિજીવ” તરીકે ઓળખાયો. પરંતુ ઘણાં મનુષ્યો આ બુદ્ધિની સાચી શક્તિને ઓળખી શક્યાં નથી, જ્યારે કેટલાક લોકોએ તેનો સદુપયોગ કરીને પોતાના જીવનને સફળ અને અર્થપૂર્ણ બનાવ્યું છે.

આ કળીયુગમાં જીવન જીવવું અઘરું છે, પણ સારુ જીવન જીવવું એ પણ ખૂબ અઘરું બન્યું છે. આ સમયે મનુષ્ય બીજાનું હિત થાય એવું કદી ઈચ્છતો નથી.

આ બુદ્ધિશક્તિનો ઉપયોગ માત્ર પૈસા કમાવવા, પોતાનું બળ કે તાકાત વધારવા અથવા તેનો દેખાડો કરવા માટે નથી, કારણ કે સમયના અંતે આ બધું નિષ્ફળ સાબિત થાય છે.
વાસ્તવમાં બુદ્ધિનો સાચો ઉપયોગ પોતાને શ્રેષ્ઠ મનુષ્ય બનાવવાનો હોવો જોઈએ.

હંમેશા મારા દાદા સાથેની મુલાકાત મારા વિચારો અને કર્મોને વધુ મજબૂત બનાવે છે. તેમણે આખું જીવન કોઈ જીવને હાનિ ના પહોંચે એ રીતે જીવ્યું છે અને સદાય સારો અને સાચો માર્ગ અપનાવ્યો છે.

તેમનું જીવન આજે પણ મને સાચી પ્રેરણા અને રાહ દેખાડતું રહે છે.

મનોજ નાવડીયા

Read More

એવું ગજું નહીં હું કોઇને ન્યાય આપી શકું,
પણ અહીં તો જન ન્યાય આપવા બેઠું છે,

સાથની વાત તો છોડો એ તો સામું થયું છે,
ડગલનેને પગલે એ મને પછાડવા બેઠું છે,

મૌન રહીને પણ હું સાચો રસ્તો શોધું છું,
અહીં તો દરેકજણ મને સમજાવવા બેઠું છે,

સાચી લાગણીઓની અહીં કોઈ કિંમત નથી,
દરેક ચહેરાઓ ફક્ત નાટક દેખાડવા બેઠું છે,

મારી જીતથી નહીં મારી હારથી ખુશ છે,
આ જગત તો મને તૂટતુંજ જોવા બેઠું છે,

હું ઉભો છું હજુ પણ મારી જાત સાથે,
બાકી બધાં તો મને એકલો પાડવા બેઠું છે.

મનોજ નાવડીયા

#manojnavadiyapoetry #manojnavadiyabooks #manojnavadiya #kavita #poem #poetry

Read More

જીવવા માટે કૈઈક તો જોઈએ,
પ્રેમનો અનન્ય ભાવ જોઈએ,

શરીર હોય તો અન્ન જોઈએ,
મન હોય તો વિચાર જોઈએ,

હૃદયનાં ખૂણે કરુણા જોઈએ,
વિચારોમાં એક સત્ય જોઈએ,

સંબધોમાં અતૂટ વિશ્વાસ જોઈએ,
વર્તનમાં મોટી નમ્રતા જોઈએ,

સપનાઓને ઊંચી પાંખો જોઈએ,
માર્ગમાં ધીરી ચાલ જોઈએ,

સુખમાં સંયમનો શ્વાસ જોઈએ,
દુઃખમાં હિંમતનો પ્રકાશ જોઈએ,

જીવવા માટે કૈઈક તો જોઈએ,
માણસમાં એક માનવતા જોઈએ.

મનોજ નાવડીયા

Read More

કઈ મન નથી, કઈ રસ નથી,
કઈ સુખ નથી, કઈ દુઃખ નથી,

ભીડમાં નથી, એકલો નથી,
ભુખ્યો નથી, તરસ્યો નથી,

વાણી નથી, મૌન નથી,
રસ્તો નથી, લક્ષ્ય નથી,

શૂન્ય નથી, અનંત નથી,
અંધકાર નથી, પ્રકાશ નથી,

ખોવાણો નથી, મળ્યો નથી,
છૂટ્યો નથી, બંધાણો નથી,

તું પ્રત્યક્ષ નથી, તું હાજર નથી,
તું મધ્યમાં છો, તું મધ્યમાં છો,
તું સત્ય છો, તું સત્ય છો,
પણ હું અજાણ, અજાણ છું.

મનોજ નાવડીયા

Read More

હંમેશાં શાંત બન,
થોડો શબ્દોમાં સંયમ બન,
થોડો સ્વભાવમાં મીઠાસ બન,
થોડો દોડવામાં વિરામ બન,
થોડો વિચારોમાં ઊંડાણ બન,
થોડો સંબંધોમાં વિશ્વાસ બન,
થોડો પોતાનામાં સમજ બન,
થોડો જીવનમાં સમતોલન બન

મનોજ નાવડીયા

Read More

દવા બની જા,
સહારો બની જા,

એકલો હોય જે,
એનો સાથી બની જા,

નિરાશા ઘેરાય જેને,
એને આશા આપી જા,

રડતું હોય જે મન,
એને હસાવી તું જા,

અંધકારમાં જે ખોવાયો,
એને પ્રકાશ પાથરી જા,

થાકયું છે જેનું જીવન,
એનો આશરો બની જા.

મનોજ નાવડીયા

Happy poetry day..

#manojnavadiyapoetry #manojnavadiyabooks #manojnavadiya #kavita #goodthinking #poem #heetkari #vishvkhoj #vishvyatri #happypoetryday #poetrtday

Read More

સ્મિતનો ઉમળકો ચહેરા પર રાખતો ફરે,
જવબદારીનો ભાર મનમા ફરતો રહે,
કેવો એ પિતાનો અદ્રશ્ય ભાવ ફરે,
ઘરને સુખી રાખવાં પરસેવો પાડતો રહે..

મનોજ નાવડીયા

#father #pitaji #papa #manojnavadiya #manojnavadiyapoetry #manojnavadiyabooks #vishvyatri #vishvkhoj #heetkari #saravichar #maravichar #marivat #goodthinking

Read More