Quotes by મનોજ નાવડીયા in Bitesapp read free

મનોજ નાવડીયા

મનોજ નાવડીયા Matrubharti Verified

@manojnavadiya7402
(1.2m)

ભરોસો રાખું છું, એ જ તો છળી જાય,
હશે કરમ નબળા, એટલે તો નડી જાય,

જેને સમજું પોતાનું, એ જ તો દૂર જાય,
હશે મન મેલું, એટલે તો રમાડી જાય,

સંબંધો રાખું છું, એ જ તો તોડી જાય,
હશે કોઈ ખોટ, એટલે તો નડી જાય,

જેને વાત કહું, એ જ તો ગામે જાય,
હશે હૃદયે ઉણપ, એટલે તો રમાડી જાય,

કોનો વાંક આપું, એ જ તો ખબર પડી જાય,
હશે ભૂલ મારી કે એની, એટલે તો ડંખી જાય.

મનોજ નાવડીયા

#mistakes #manojnavadiya #karma #manojnavadiyapoetry #manojnavadiyabooks #poem #kavita

Read More

અહીં કોઈ કોઈને પૂછતું નથી,
એ તો કરે પોતાની મરજીનું..

મનોજ નાવડીયા

છે એક રંગ આભનો, તો એક રંગ ધરાનો,
કેમ ન કહું કે છે એક રંગ આપણા મનનો!

છે એક છાંયો વૃક્ષનો, તો એક છાંયો જીવનનો,
કેમ ન કહું કે છે એક છાંયો આપણા કરમનો!

છે એક વહેણ નીરનું, તો એક વહેણ સમયનું,
કેમ ન કહું કે છે એક વહેણ આપણા સ્નેહનું!

છે એક સુગંધ ફૂલની, તો એક સુગંધ શ્વાસની,
કેમ ન કહું કે છે એક સુગંધ આપણા વિશ્વાસની!

છે એક ધબકાર સંગીતનો, તો એક ધબકાર પ્રેમનો,
કેમ ન કહું કે છે એક ધબકાર આપણા હૈયાનો!

છે એક સૂર પવનનો, તો એક સૂર પ્રકૃતિનો,
કેમ ન કહું કે છે એક સૂર આપણા અંતરનો!

છે એક તેજ સૂરજનો, તો એક તેજ આત્માનો,
કેમ ન કહું કે છે એક તેજ આપણા સત્યનો!

છે એક રૂપ સૃષ્ટિનું, તો એક રૂપ માનવનુ,
કેમ ન કહું કે છે એક રૂપ આપણા ઈશ્વરનું!

મનોજ નાવડીયા

#poem #poetry #manojnavadiya #manojnavadiyapoetry #manojnavadiyabooks #kavita #prakruti #god

Read More

“મોટાભાગના મનુષ્યો ઇચ્છાના ગુલામ છે,
ઇચ્છા કહે એમ જ મનુષ્ય કરે છે".

આપણી ઇચ્છાઓ પણ આપણાં અંતરનો એક શત્રુ છે. તેની સામે જઈને, તેની સાથે લડીને અને દરેક ઇચ્છાને પૂરી ન કરીને જ આપણે ધીમે ધીમે તેનાં બંધનમાંથી મુક્ત થઈ શકીએ છીએ. ઇચ્છાઓને જીતવી એટલે જ સાચી અંતરમનની સ્વતંત્રતા.

મનોજ નાવડીયા

Read More

“મોટાભાગના મનુષ્યો ઇચ્છાના ગુલામ છે, ઇચ્છા કહે એમ જ મનુષ્ય કરે છે".

આપણી ખોટી ઇચ્છાઓ પણ આપણાં અંતરનો એક શત્રુ છે. તેની સામે જઈને, તેની સાથે લડીને અને દરેક ઇચ્છાને પૂરી ન કરીને જ આપણે ધીમે ધીમે તેનાં બંધનમાંથી મુક્ત થઈ શકીએ છીએ. ઇચ્છાઓને જીતવી એટલે જ સાચી અંતરમનની સ્વતંત્રતા છે.

મનોજ નાવડીયા

#manojnavadiya #manojnavadiyabooks #manojnavadiyapoetry #vishvyatri #vishvkhoj #heetkari #saravichar #maravichar #marivat #goodthinking #nature #universe

Read More

સકળ જગતમાં તને નિહાળું, તને વંદન કરું વારંવાર રે,
કણ કણમાં તું જ વસે છે, તારો ક્યાં અહીં પારાવાર રે!

રજકણથી લઈ વિરાટ સુધી, બધે જ તારો વિસ્તાર રે,
માપી ન શકે કોઈ તને, અપરંપાર તારો આ આકાર રે!

સૂરજમાં તું, ચંદ્રમાં પણ તું, તારલામાં તારો ઝળકાર રે,
પવનની લહેરોમાં તું વહે, સાગરમાં તું હિલોળ કરે રે!

ફૂલની સુગંધમાં તું મહેકે, પંખીની પાંખે ઉડાન ભરે રે,
હૃદયના દરેક ધબકારામાં, તું જ જીવનનો આધાર રે!

એકમાંથી અનેક રચ્યાં તેં, પણ અનેકમાં તું એક રે,
ભેદ ભલે દેખાય જગતમાં, મૂળ તારો અંશ એક રે!

મંદિરમાં શોધું, મૂર્તિમાં શોધું, શોધું તને સંસારમાં રે,
અંતરમાં ઝાંખું તો સમજાય, તું જ મારો સાચો સાર રે!

સુખમાં તું ને દુઃખમાં તું, તું જ આશાનો આધાર રે,
જન્મથી લઈને અંત સુધી, તારો જ ચાલે વ્યવહાર રે!

સકળ જગતમાં તને નિહાળું, તને વંદન કરું વારંવાર રે,
કણ કણમાં તું જ વસે છે, તારો ક્યાં અહીં પારાવાર રે!

મનોજ નાવડીયા

Read More

“છે એક રંગ આભનો, તો એક રંગ ધરાનો,
કેમ ન કહું કે, છે એક રંગ આપણાં મનનો !”

મનોજ નાવડીયા

वो दौर आऐगा,
बस ज़रा ठहरना,

अभी जो अँधेरा है,
उसे भी तो गुज़रना है,

मेहनत की राह पर,
बस चलते ही जाना है,

हर हाल में अपने,
कर्म को निभाना,

नीयत में सच्चाई रखना,
दिल में ईमान रखना,

वक़्त कभी एक-सा नहीं रहता,
हर मौसम बदल ही जाता है,

जो आज आँसुओं में डूबा है,
वही कल मुस्कुराता है,

किस्मत बुरी नहीं होती,
कभी मन ही थक जाता है,

जो हिम्मत से आगे बढ़ता है,
वही मंज़िल को पाता है,

वो दौर आऐगा,
ज़रूर आऐगा...

मनोज नावडीया

#poetry #poem #kavita #manojnavadiyapoetry #manojnavadiyabooks #manojnavadiya

Read More

કેટલા સમય પછી,
આનંદ મળ્યો મનને,

એવું લાગે કોઈ દી?
હા...હવે ઘણીવાર બને,

ખરેખરની વાત થઈ છે,
એ ભીડમા ખોવાયો છે,
આજે પોતાનેજ મળ્યો છે,

એવુ બને જાણે વરસો પછી,
વરસાદ મળ્યો છે રણને,

શોધતો હતો જગ આખું,
સુખની એક ઝલક માટે,

આંખો બંધ કરી સમજાયું,
એ વસતું હતું મારાં અંતરે..

મનોજ નાવડીયા

Read More

અગત્ય :

બધાં ફૂલો સુગંધ નથી આપતા.
કેટલાક પોતાની સુંદરતાથી તો કેટલાક પોતાની કોમળતાથી મનને પ્રસન્ન કરી દે છે.

જીવનમાં પણ એવું જ છે. દરેક વ્યક્તિમાં કોઈને કોઈ વિશેષતા છુપાયેલી હોય છે. કોઈના શબ્દો, કોઈના કર્મો, કોઈના સ્વભાવ તો કોઈની નિઃસ્વાર્થ લાગણીઓ બીજાના જીવનમાં સુગંધ ભરી દે છે.

એટલે કોઈની સરખામણી કરતાં પહેલાં તેની અંદરની ખાસિયતને ઓળખવાનો પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે દરેક વ્યક્તિનું પોતાનું એક અલગ અગત્ય (મૂલ્ય) હોય છે.

મનોજ નવડીયા

Read More