ઘણા વર્ષો પહેલા ખેતરમાં રહેતા વાંદરાઓ કયારેય ગામમાં આવતા ના હતા...
કારણકે તેઓ મનુષ્યથી ને કુતરાંઓથી ઘણા બીતા હતા..તેમને દિલમાં એક ડર હતો કે આ લોકો અમને પકડે પછી મારે તો...
ને આજે એ તેમનો ડર પણ તેમના દિલમાંથી નીકળી ગયો છે...આજકાલ ખેતરોમાં રહેતા વાંદરોએ ગામો ભણી આવવા પોતાનું પ્રયાણ શરુ કર્યુ છે...નથી તેમને હવે માણસોનો ડર કે નથી તેમને હવે કોઇ પશુઓનો ડર!
આજકાલ સવાર પડે તુરંત ખેતરમાંથી આખેઆખા ટોળાં ગામ ભણી દોટ મુકે છે...ઘરના પતરાંઓ ઉપર કે ઘરની અગાશીઓ ઉપર બિનધાસ્ત આમતેમ દોડા દોડી કરેછે...ને હવે તો તેઓ ઘર ઉપરથી નીચે પણ આવવા લાગ્યા છે...ગંદા પડેલા વાસણો ચાટેછે...ડોલમાં મુકેલા ધોવાના કપડાં પણ ફેદી નાખેછે...અને હવે તો લોકોના ઘરમાં પણ ડર વગર પેસી જાયછે...કુતરાંઓ તેમને જુએછે પણ તેઓ હવે લાચાર બની ગયા હોયછે..કારણકે કોઇ એક મહાકાય વાંદર આજે ચાર કુતરાંને પણ સામે થઇ જતો હોયછે એટલે કે હવે કુતરાંને પણ તેમની પાસે જતા બીક લાગેછે.
આ બધાઓમાં જવાબદાર ફકત આપણે જ છીએ...
કેવી રીતે કે પહેલાં દરેક વાંદરમાં આપણે તેમને હનુમાનજીના રુપમાં જોઇએ છીએ...માટે આપણે તેઓને મારતા નથી...
પણ આજ આ બધા કારણોને લીધે સૈથી વધું તકલીફ આપણને જ પડતી હોયછે...
ઘરમાં નાના નાના બાળકો રમતા હોયછે કે સુતા હોયછે તો આવા ચબરાક વાંદરો ઘરમાં પેસીને તેમને પોતાનું બચ્યુ સમજીને ઉઠાવી પણ જતા હોયછે...તો ઘણીવાર તેઓ નાના બાળકોના કોમળ શરીરે બચકાં ભરીને નુકશાન પણ કરતા હોયછે...
આપણે જ તેમને રસોડામાં ઉભા ઉભા બોલાવીને રોટલીના ટુકડા બતાવતા હોઇએ છીએ...
એકવાર જો આ લોકોને આવી ટેવ પડી જાય તો તેઓ દરરોજ રસોડાની બારીએ આવતા હોયછે...
વાંદર ને કુતરાંમાં બહુ મોટો તફાવત છે તે આપણે નથી જાણતા...
કુતરાં મનુષ્યનું વફાદાર પ્રાણી છે તેતો બધા જ જાણેછે ને તેઓ ખાધા પછી કયારેય મનુષ્યને દગો કરતાં નથી પણ વાંદરોમાં એવું જરાય હોતું નથી...તે તમારાં કયારેય થતા નથી...ભલે ને તમે રોજ ખાવાનું આપતા હોય...
એક વાત સમજો...વાદરાંને હમેશાં દુર રાખો તેમાં જ આપણા સૈની ભલાઇ છે જો તેઓ ખેતરો છોડીને કાયમ માટે ગામમાં રહેવા ટેવાઇ ગયા તો સારી મનુષ્ય જાત માટે ભવિષ્ય વધારે નુકશાનકારક બનશે...તેમાં બેમત નથી જ.
કુતરાં ગાયબ થશે ને તેની જગ્યા કદાચ આ ખેતરવાળા વાંદરો લેશે...ને એ દિવસો પણ હવે બહુ દુર નથી...
કારણકે સમાચારો આપણને રોજેરોજ વાંદરોના અવનવા મળેજ છે...
કે ફલાણી જગ્યાએ એક વાદર એક નાના બાળકને ઉપાડી ગયું...તો ફલાણી વ્યકતિને વાંદરે બચકાં ભર્યા...
તો ફલાણી વ્યકતિના બાઇક ઉપર વાંદરુ પડયું...ને આમ થયું...
આ કોઇ બાળવાર્તા નથી પણ આવનારા સમયમાં વાંદરોથી મનુષ્યજાતને ઘણી તકલીફો વધી શકે છે...
એ તો આવનારો સમય જ વધું કહેશે.