Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આ દિવસે થશે વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ, જાણો દિવસ, સમય અને ક્યારથી બેસશે સુતક

વર્ષ 2020માં કુલ 6 ગ્રહણ થવાના છે જેમાં 4 ચંદ્ર ગ્રહણ અને 2 સૂર્ય ગ્રહણનો સમાવેશ થાય છે. વર્ષનું પહેલું ગ્રહણ 10 જાન્યુઆરીએ થઈ રહ્યુ છે. 10 જાન્યુઆરીએ થનાર ચંદ્ર ગ્રહણ રાત્રે 10 કલાક 37 મિનિટથી શરૂ થશેજે રાત્રે 2 કલાક 42 મિનિટ સુધી રહેશે. ચંદ્ર ગ્રહણની કુલ અવધિ 4 કલાકથી વધારે રહેશે. આ ચંદ્ર ગ્રહણ ભારતમાં દેખાશે.

ભારત સિવાય આ ગ્રહણ યૂરોપ, એશિયા, આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા મહાદ્વીપોમાં જોવા મળશે, ગ્રહણનો સુતક કાળ 12 કલાક પહેલા શરૂ થઈ જશે. આ હિસાબથી 10 જાન્યુઆરી સવારે 10 કલાકથી સુતક લાગશે. સુતક લાગવાની સાથે દેશ ભરમાં મંદિરો કપાટ બંધ રહેશે.

આ વર્ષનું ચંદ્ર ગ્રહણ 5 જૂન, 5 જુલાઈ અને 30 નવેમ્બરે થશે. આ વખતે ચંદ્ર ગ્રહણ દરમિયાન ચંદ્રમા મિથુન રાશિમાં રહેશે. જ્યોતિષ અનુસાર જે રાશિ પર ગ્રહણ લાગશે તે રાશિના લોકો પર તેનો સૌથી વધારે પ્રભાવ પડશે. આ ચંદ્ર ગ્રહણ મિથુન રાશિના લોકોએ વિશેષ ધ્યાન આપવાની જરૂર રહેશે.

શા માટે ચંદ્ર દેખાય છે લાલ

ચંદ્ર ગ્રહણના સમયે ચંદ્ર લાલ રંગનો દેખાય છે. આવું એટલે થાય છે કેમ કે, ચંદ્ર ગ્રહણના સમયે સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી આવી જાય છે. જેના કારણે સૂર્યનો પ્રકાશ અટકી જાય છે અને તેના લીધે ચંદ્ર લાલ રંગનો થઈ જાય છે.

ચંદ્ર ગ્રહણ દરમિયાન કરો આ કામ

સોના, ચાંદી અને તાંબાના સાપને કાળા તાંબાની પ્લેટમાં રાખીને દાન કરવું શુભ માનવામાં આવે છે. ચંદ્ર ગ્રહણ દરમિયાન દાન-પુણ્ય કરવું જોઇએ, આમ કરવાથી વધારે લાભ થશે. ગ્રહણ પૂર્ણ થાય તે પછી તરત જ સ્નાન કરવું જોઇએ. તે પછી તમે જે વસ્તુઓનું દાન કરવા ઇચ્છો છો તેને સ્પર્શ કરી રાખી દો અને આગલા દિવસે તેને દાન કરી દો. સ્નાન પછી જો શક્ય હોય તો પૂજા-પાઠ કરવું જોઇએ.

ચંદ્ર ગ્રહણ દરમિયાન ન કરો આવું

સૂતક કાળમાં પૂજા-પાઠ ન કરવા જોઇએ. ગ્રહણના સમયે ખાવાનું ટાળવું જોઇએ. જે વસ્તુઓને ફેંકી ન શકાય તેની અંદર તુલસીના પાંદડા નાંખી દો. ગર્ભવતી સ્ત્રિઓને ગ્રહણ કાળ દરમિયાન ઘરમાંથી બહાર ન આવવું જોઇએ. ગ્રહણ દરમિયાન આવતી નકારાત્મક ઉર્જા માતા અને બાળક બન્નેને નુકશાન પહોંચાડી શકે છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111318437
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now