હાથની આ રેખા જણાવે છે સમાજમાં ક્યાં ક્ષેત્રમાં મળશે નામ અને દામ
તમે એવા અનેક લોકોને જોયા હશે જે ઓછી મહેનત કરવા છતાં એક પછી એક સફળતા મેળવતા જતાં રહે છે. સમાજમાં તેઓ ખ્યાતિ પણ ઉડીને આંખે વળગે તેવી હોય છે. દરેક વ્યક્તિનું ભાગ્ય અલગ અલગ હોય છે અને માનવામાં આવે છે કે તેના વિશે જાણી પણ શકાતું નથી. પરંતુ આ વાત સાવ સાચી નથી, જી હાં ભાગ્યોદયની કેટલીક વાતો તમે હસ્તરેખા પરથી જાણી શકો છો જેમકે તમને ક્યાં ક્ષેત્રમાં પ્રસિદ્ધિ મળશે તેની જાણકારી હસ્તરેખા પરથી મળી શકે છે.
હથેળીમાં આવેલી સૂર્ય રેખા જીવનમાં મળનાર ખ્યાતિ અને પ્રતિભાની ભવિષ્યવાણી કરે છે. સૂર્ય રેખાનો ઉદય જીવન રેખા, હૃદય રેખા, ચંદ્ર પર્વત કે પછી મસ્તિષ્ક રેખાથી થાય છે. સૂર્ય રેખાનો આકાર સફળતા અંગે નિર્દેશ કરે છે. તો ચાલો જાણી લો કે તમારા જીવનમાં તમે ક્યાં ક્ષેત્રમાં કેટલાં સફળ થશો.
– સૂર્ય રેખા સાથે મસ્તિષ્ક રેખા જો ઢળતી હોય તો સમજવું કે આવી વ્યક્તિ કલાત્મક ક્ષેત્ર, સાહિત્ય તેમજ રચનાત્મક ક્ષેત્રમાં સફળ થશે.
– સૂર્ય રેખા સાથે અનેક નાની-નાની રેખા જોવા મળે તો તે વ્યક્તિ વધારે પડતું વિચારવાની આદતના કારણે કોઈપણ ક્ષેત્રમાં સફળ થઈ શકતી નથી.
– સૂર્ય રેખા સ્પષ્ટ હોય તો તે વ્યક્તિ સંવેદનશીલ, દયાળુ અને ઉદાર હોય છે. તે લોકપ્રિય પણ બને છે.
– સૂર્ય રેખા જો અસાધારણ રીતે સીધી દેખાતી હોય તો વ્યક્તિ અપાર ધનનો સ્વામી બને છે. સમાજમાં તેની પ્રતિષ્ઠા પણ વધે છે.
– જો સૂર્ય રેખા અત્યંત પાતળી હોય તો વ્યક્તિએ સફળ થવા માટે સખત મહેનત કરવી પડે છે.
–સૂર્ય રેખાની સાથે જો બુધ રેખા પણ હથેળીમાં હોય તો વ્યક્તિ લેખન કે વાણી પ્રધાન વ્યવસાયમાં આગળ આવે છે.
– હથેળીમાં સૂર્ય રેખાનું હોવું જ જીવનની સફળતાને દર્શાવે છે. વ્યક્તિ આપબળે આગળ આવી પોતાનું નામ કમાય છે.
– કેટલાંક લોકોની હથેળીમાં સૂર્યરેખા થકી એટલે સૂર્ય રેખા જોડાઈને ત્રિકોણ પણ બનતો હોય છે તો કેટલાંક લોકોની હથેળીમાં સૂર્ય રેખા થકી એટલે કે સૂર્ય રેખા જોડાઈને ત્રિશૂળ જેવી આકૃત્તિ પણ બનતી હોય છે. જો કે આ નિશાનીઓને શુભ માનવામાં આવે છે. સાથોસાથ ઈશ્વર કૃપાની દ્યોતક પણ માનવામાં આવે છે.