સૂર્યનું મહત્વ પૃથ્વી માટે સૌથી વધારે છે તેવી જ રીતે સૂર્ય રેખા પણ વ્યક્તિ માટે મહત્વની ગણાય છે. સૂર્ય રેખા વ્યક્તિના ભાગ્યને નિયંત્રિત કરે છે. સૂર્ય પર્વતની અન્ય ગ્રહ સાથેની સ્થિતિ વ્યક્તિને અનેક રીતે પ્રભાવિત કરી શકે છે.
સૂર્ય પર્વ શુભ હોય તો વ્યક્તિના જીવનમાં અનેક સુવિધા અને સમ્માનનું તે કારણ બને છે તેવી જ રીતે જો સૂર્ય પર્વત દૂષિત હોય તો વ્યક્તિનું જીવન દુર્ગુણોથી યુક્ત થઈ જાય છે. સૂર્ય પર્વત પર જાળ બનેલા હોય તો વ્યક્તિ ગર્વ ઉપજાવનાર હોય છે પરંતુ સાથે જ તે કુટિલ સ્વભાવનો પણ હોય છે. આવા વ્યક્તિ જીવનમાં કોઈ પર સરળતાથી વિશ્વાસ કરી શકતો નથી.
હથેળીમાં સૂર્ય પર્વત સાથે જો બૃહસ્પતિનો પર્વત ઉન્નત હોય તો વ્યક્તિ વિદ્વાન, જ્ઞાનવાન અને ધાર્મિક વિચારોવાળો હોય છે. જો સૂર્ય અને શુક્ર પર્વત ઉભારવાળો હોય તો આવો વ્યક્તિ વિપરિત લિંગની વ્યક્તિ પર પ્રભાવ પાડનાર અને ધનવાન હોય છે.
આવા લોકો વિલાસતાપ્રિય અને પરોપકારી હોય છે. સૂર્ય પર્વત પર તારાનું નિશાન હોય તો તે ધનનું નુકસાન કરાવે છે. જો કે તે વ્યક્તિને અપ્રત્યાશિત અપ્રસિદ્ધિ પણ અપાવે છે. અહીં ચોકડીનું નિશાન હોય તો સટ્ટા અથવા શેરમાં ધનનો નાશ થઈ શકે છે. સૂર્ય પર્વત પર ત્રિભૂજ હોય તે તેને ઉચ્ચ પદની પ્રાપ્તિ, પ્રતિષ્ઠા મળે છે.