જીવનમાં એક દિવસ એવો પણ આવે છે જ્યારે તમારી અંદરના રાગ, દ્વેષ, લાલસા એ બધું જ દૂર થઈ જાય છે. એ દિવસે તમને તમારા અસ્તિત્વનું ભાન થાય છે. તમને કોઈ પ્રત્યે વેરઝેરની ભાવના નથી રહેતી અને તમારું હૃદય કરુણાથી ભરાઈ જાય છે. અને જે દિવસે આ થાય છે એ તમારા જીવનનો આખરી દિવસ હોય છે. અને આ સમજ તમારામાં ઉતપન્ન થાય છે અને પછી જ તમે મૃત્યુ પામો છો અને ઈશ્વર સાથે એકાકાર થાવ છો અને સમાજમાંથી નિરાકાર થઈ જાવ છો.