અથાણા કિંગ
એક ગુજરાતી વેપારીએ લગભગ પહેરેલે
કપડે રાતોરાત કેન્યા દેશ છોડવો પડ્યો ત્યારે
બ્રિટન જતી વખતે તેમની પાસે માત્ર
જીવનવીમા પોલિસી અને પાંચ પાઉન્ડની
ચલણી નોટ હતી. બ્રિટનમાં નોકરી માટે ઘણાં
હવાતિયાં માર્યાં બાદ તેમણે પત્નીના સહયોગ
વડે ૫ ફીટ x ૬ ફીટના રસોડામાં સમોસા
બનાવી વેચવાનું શરૂ કર્યું. આ
કારોબાર વખત જતાં ૭૦૦ જણાનો સ્ટાફ
ધરાવતી કંપનીનું સ્વરૂપ પામવાનો હતો. વર્ષો
બાદ વડા પ્રધાન નરસિંહ રાવ સામે અદાલતે
ચડીને વિવાદની ડમરી ચડાવનાર એ ગુજરાતી
વેપારી એટલે લખુભાઇ પાઠક, જેમને અથાણાંકિંગનું બિરૂદ મળ્યું હતું.
લખુભાઇએ સ્થાપેલી કંપની આજે
તેમના પુત્ર કિરીટ પાઠકના
મેનેજમેન્ટ હેઠળ લગભગ ૪૦ દેશોમાં ભારતીય
પાકશાસ્ત્ર અનુસાર ચટણી, કરી પેસ્ટ, અથાણાં,
સોસ તથા પાપડ વેચે છે. બ્રિટનની ૬,૦૦૦ જેટલી
ભારતીય રેસ્ટોરન્ટો પાઠકની curry paste વડે જ અવનવી વાનગીઓની ગ્રેવી તૈયાર કરે છે.
https://www.facebook.com/share/p/16X2czncWn/