શીર્ષક: અંતર નો ઉજાશ
કાગળ અને પેન તો છે,
પણ સારા વિચારોનો અભાવ છે,
તો કાગળ ઉપર શું લખાશે,
આ શબ્દો ક્યાંથી આવશે?
જીવન જીવવા માટે બધું છે,
સુખ, સગવડ, સપના અને રસ્તા છે,
પણ જતું કરવાની ભાવના નથી,
તો ખુશી દિલ સુધી કેમ પહોંચે છે?
બોલતા જ પૈસા પડી જાય છે,
કારણ કે સભ્યતાનું આચરણ શીખ્યા નથી,
બહારથી અમીર, અંદરથી ખાલી,
તો “સારો માણસ” ક્યારે કહેવાશે?
બધું મળ્યું છે ભાગ્યે,
પણ કૃતજ્ઞતા રાખતા આવડી નથી,
એટલે બધું હોવા છતાં પણ
કઈક તો હંમેશ ખાલી રહી જતું જ રહે છે. જીવનમાં 💔