આપણે આપણા બાળકને પ્રથમ આંગણવાડીમાં મૂકીએ ત્યારે પ્રથમ એકડો ઘૂટાવીએ છીએ અને છેલ્લે શૂન્ય સુધી શીખવીએ છીએ.
આમાં તત્વજ્ઞાન એ છે કે એકડે એકથી સર્જન અને છેલ્લે શૂન્યમાં વિસર્જન.
આપણુ નિરાકારમાંથી સર્જન થયું અને નિરાકારમાં વિસર્જન.
વિસર્જન જ સૂચવે છે કે પુનઃ સર્જન થવાનું છે. " નરસિંહ મહેતા કહેતા કે બીજમાં વૃક્ષ તું,વૃક્ષમાં બીજ તું. હવે તમે કહેશો કે પ્રથમ બીજ હતું કે વૃક્ષ?? મતલબ બીજ વગર વૃક્ષ નથી અને વૃક્ષ વગર બીજ નથી.આ સૃષ્ટિના સર્જનહારે પ્રિપ્લાનિંગ સાથે બધું આપણા માટે તૈયાર રાખેલું છે.એને આપણે સમજી વિગતે વાપરવાનું છે.
. - વાત્સલ્ય