The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
મુખ્યત્વે માણસો બે પ્રકારના હોય છે. એક એવા કે જે યાદ આવે, અને બે કે જેને યાદ રાખવા પડે. - Shailesh Joshi
રોજીંદી, અને અચાનક આવી પડેલી જરૂરિયાતોને પૂરી કરવા માટે, કોઈ વ્યક્તિ અસમર્થ નથી હોતું, પરંતુ હા, એમાં ઘણીવાર મનને મનાવું પડે, એ અલગ વાત છે, બાકી ખરી અને મોટી તકલીફો તો "દેખાદેખી દ્વારા ઉભી કરેલી જરૂરિયાતો આપે છે"
"કાલ" એ આપણા ભવિષ્યનો મુખ્ય આધાર છે, બસ આપણે એને કેવી રીતે જોઈએ છે ? બાકી બધું એની ઉપર નિર્ભર છે. - Shailesh Joshi
પ્રગતિનો ગ્રાફ ઉપર લઈ જવો એ દરેક વ્યક્તિનું મુખ્ય કામ પણ છે, સપનું પણ હોય છે, અને જવાબદારી પણ...પરંતુ જો એ ગ્રાફ ઉપર લઈ જવામાં શાંતિ અને સંતોષનો ગ્રાફ જો નીચે જઈ રહ્યો હોય, તો પછી એવી પ્રગતિ કોઈ જ કામની ના કહેવાય, કેમકે અંતે તો જીવનમાં શાંતિ અને સંતોષ જ આપણને અંદરથી ખુશ રાખી શકે છે, અને એનો પાયો પ્રગતિના પહેલા પગથિયા પરથી નાખવો પડે છે, બાકી હું એકવાર આર્થિક રીતે સમૃધ્ધ થઈ જાઉં, પછી તો જીવનમાં શાંતિ જ શાંતિ રહેશે, આ વાત કે વિચાર અતિશય ભ્રમથી ભરેલો છે, અને જ્યારે એ ભ્રમ તૂટે છે, ત્યારે અઢળક ભેગી કરેલી મિલ્કત કે રૂપિયો પૈસો કશું જ કામ નથી આવતું, અને વહેલો કે મોડો, એકના એક દિવસ એ ભ્રમ તૂટશે જ, એ વાતમાં કોઈ મીન મેખ નથી.
સફળતા પ્રાપ્ત કરવી એ આપણા હાથની વાત નથી પરંતુ...નિષ્ફળતા સ્વીકારવી, કે ના સ્વીકારવી એતો આપણા જ હાથની વાત છે. - Shailesh Joshi
સુખનો એવો કયો વિચાર છે, જે અંતે દુઃખી કરે ? જે વિચારમાં આપણા પરિવારનું, કે પછી અન્ય કોઈ વ્યક્તિનું અહિત છુપાયુ હોય, એવો કોઈપણ વિચાર, કે પછી એમાં મેળવેલી સફળતા, અંતે તો દુઃખી કરે કરે ને કરે જ. - Shailesh Joshi
એક હદથી વધારે અફસોસ થાય, સહન ના કરી શકીએ એવું દુઃખ આવી પડે, સતત કંટાળો કંટાળો અને કંટાળો જ આવે, એક એવા સમયનું ચક્ર આવી પડે, કે પછી આગળ કોઈ રસ્તો જ ના દેખાય, અથવા તો બિલકુલ લાચાર બની જવાય, ઈશ્વરે આવા પ્રકારનાં દુઃખો તો કોઈપણ વ્યક્તિના ભાગ્યમાં નથી લખ્યા હોતા, માટે એટલું સમજી વિચારી લેવું કે, કોઈપણ વ્યક્તિનાં જીવનમાં આવા દુ:ખો તો ત્યારે જ આવે, કે જ્યારે... એ વ્યક્તિ જાણે, કે અજાણે, પોતાની કોઈ ફરજ ચૂક્યા હોય.
કોઈપણ વ્યક્તિની વાતને સમજવા જેવી સમજણ બીજી એકે નથી હોતી, અને આ સમજણ ત્યારે જ કેળવાય છે, કે જ્યારે આપણે કોઈની પૂરી વાતને, સાંભળવાની સમજણ કેળવીએ, અને આ સમજણ ત્યારે જ કેળવાય, કે જ્યારે આપણે કોઈ બોલતું હોય ત્યારે એની વાતને સાંભળવા પર પૂરતું ધ્યાન આપીએ, અને એવું ધ્યાન આપણે ત્યારે જ આપી શકીએ, કે જ્યારે આપણે અંદરથી બિલકુલ શાંત હોઈએ, અને આપણામાં અંદરની સાચી શાંતિ તો ત્યારે જ આવે, કે જ્યારે આપણે દરેક લોકોની વાતને પૂરી સાંભળીશું, બાકી તો ઉતરાયણના પર્વમાં આકાશમાં જેમ પતંગોનો મેળો જામે છે, એમ આપણા મગજમાં પણ, કામના અને વગર કામના અસ્ત-વ્યસ્ત લાખો વિચારોનો મેળો જામેલો જ રહેશે.
જીવનમાં અવારનવાર આવતો શબ્દ "ના" આપણી સૌથી મોટી તાકાત પણ છે, અને સૌથી મોટી કમજોરી પણ એજ છે, કેમકે એ, ક્યાં, ક્યારે, શું અને કેટલું બોલવું/કરવું ? અને ક્યાં, ક્યારે કેટલું મૌન રહેવું, કે થોભવું ? આ બે વાત પર બધું નિર્ભર કરે છે. - Shailesh Joshi
મારે શું જોઈએ છે ? એના માટે મારે શું કરવું જોઈએ ? અને હું શું કરું છું ? જીવનની તમામ સમસ્યાઓનો ઉકેલ આ ત્રણ પ્રશ્નોમાં છુપાયેલો છે. - Shailesh Joshi
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved | Powered by Custom Web Development Company India.
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser