Quotes by Shailesh Joshi in Bitesapp read free

Shailesh Joshi

Shailesh Joshi Matrubharti Verified

@shaileshjoshi0106gma
(2.8m)

મુખ્યત્વે માણસો
બે પ્રકારના હોય છે.
એક એવા કે જે યાદ આવે,
અને બે કે જેને
યાદ રાખવા પડે.
- Shailesh Joshi

રોજીંદી, અને અચાનક આવી પડેલી જરૂરિયાતોને પૂરી કરવા માટે,
કોઈ વ્યક્તિ અસમર્થ નથી હોતું,
પરંતુ હા,
એમાં ઘણીવાર મનને મનાવું પડે,
એ અલગ વાત છે,
બાકી ખરી અને મોટી તકલીફો તો "દેખાદેખી દ્વારા ઉભી કરેલી જરૂરિયાતો આપે છે"

Read More

"કાલ" એ
આપણા ભવિષ્યનો
મુખ્ય આધાર છે,
બસ આપણે એને
કેવી રીતે જોઈએ છે ?
બાકી બધું એની ઉપર
નિર્ભર છે.
- Shailesh Joshi

પ્રગતિનો ગ્રાફ ઉપર લઈ જવો એ દરેક વ્યક્તિનું મુખ્ય કામ પણ છે, સપનું પણ હોય છે, અને જવાબદારી પણ...પરંતુ જો એ ગ્રાફ ઉપર લઈ જવામાં શાંતિ અને સંતોષનો ગ્રાફ જો નીચે જઈ રહ્યો હોય, તો પછી એવી પ્રગતિ કોઈ જ કામની ના કહેવાય, કેમકે અંતે તો જીવનમાં શાંતિ અને સંતોષ જ આપણને અંદરથી ખુશ રાખી શકે છે, અને એનો પાયો પ્રગતિના પહેલા પગથિયા પરથી નાખવો પડે છે, બાકી હું એકવાર આર્થિક રીતે સમૃધ્ધ થઈ જાઉં, પછી તો જીવનમાં શાંતિ જ શાંતિ રહેશે, આ વાત કે વિચાર અતિશય ભ્રમથી ભરેલો છે, અને જ્યારે એ ભ્રમ તૂટે છે, ત્યારે અઢળક ભેગી કરેલી મિલ્કત કે રૂપિયો પૈસો કશું જ કામ નથી આવતું, અને વહેલો કે મોડો, એકના એક દિવસ એ ભ્રમ તૂટશે જ,
એ વાતમાં કોઈ મીન મેખ નથી.

Read More

સફળતા પ્રાપ્ત કરવી
એ આપણા હાથની વાત નથી
પરંતુ...નિષ્ફળતા સ્વીકારવી,
કે ના સ્વીકારવી એતો
આપણા જ હાથની વાત છે.
- Shailesh Joshi

Read More

સુખનો એવો કયો વિચાર છે,
જે અંતે દુઃખી કરે ?
જે વિચારમાં
આપણા પરિવારનું, કે પછી
અન્ય કોઈ વ્યક્તિનું
અહિત છુપાયુ હોય,
એવો કોઈપણ વિચાર,
કે પછી એમાં મેળવેલી સફળતા,
અંતે તો દુઃખી કરે કરે ને કરે જ.
- Shailesh Joshi

Read More

એક હદથી વધારે અફસોસ થાય,
સહન ના કરી શકીએ એવું દુઃખ આવી પડે,
સતત કંટાળો કંટાળો અને કંટાળો જ આવે,
એક એવા સમયનું ચક્ર આવી પડે, કે પછી આગળ કોઈ રસ્તો જ ના દેખાય,
અથવા તો બિલકુલ લાચાર બની જવાય,
ઈશ્વરે આવા પ્રકારનાં દુઃખો તો કોઈપણ વ્યક્તિના ભાગ્યમાં નથી લખ્યા હોતા,
માટે એટલું સમજી વિચારી લેવું કે,
કોઈપણ વ્યક્તિનાં જીવનમાં આવા દુ:ખો તો ત્યારે જ આવે, કે જ્યારે...
એ વ્યક્તિ જાણે, કે અજાણે,
પોતાની કોઈ ફરજ ચૂક્યા હોય.

Read More

કોઈપણ વ્યક્તિની વાતને સમજવા જેવી સમજણ બીજી એકે નથી હોતી, અને આ સમજણ ત્યારે જ કેળવાય છે, કે જ્યારે આપણે કોઈની પૂરી વાતને, સાંભળવાની સમજણ કેળવીએ, અને આ સમજણ ત્યારે જ કેળવાય, કે જ્યારે આપણે કોઈ બોલતું હોય ત્યારે એની વાતને સાંભળવા પર પૂરતું ધ્યાન આપીએ, અને એવું ધ્યાન આપણે ત્યારે જ આપી શકીએ, કે જ્યારે આપણે અંદરથી બિલકુલ શાંત હોઈએ, અને આપણામાં અંદરની સાચી શાંતિ તો ત્યારે જ આવે, કે જ્યારે આપણે દરેક લોકોની વાતને પૂરી સાંભળીશું, બાકી તો ઉતરાયણના પર્વમાં આકાશમાં જેમ પતંગોનો મેળો જામે છે, એમ આપણા મગજમાં પણ, કામના અને વગર કામના અસ્ત-વ્યસ્ત લાખો વિચારોનો મેળો જામેલો જ રહેશે.

Read More

જીવનમાં અવારનવાર આવતો શબ્દ "ના"
આપણી સૌથી મોટી તાકાત પણ છે, અને
સૌથી મોટી કમજોરી પણ એજ છે, કેમકે
એ, ક્યાં, ક્યારે, શું અને કેટલું બોલવું/કરવું ?
અને ક્યાં, ક્યારે કેટલું મૌન રહેવું, કે થોભવું ?
આ બે વાત પર બધું નિર્ભર કરે છે.
- Shailesh Joshi

Read More

મારે શું જોઈએ છે ?
એના માટે મારે શું કરવું જોઈએ ?
અને હું શું કરું છું ?
જીવનની તમામ સમસ્યાઓનો ઉકેલ
આ ત્રણ પ્રશ્નોમાં છુપાયેલો છે.
- Shailesh Joshi

Read More