Quotes by Shailesh Joshi in Bitesapp read free

Shailesh Joshi

Shailesh Joshi Matrubharti Verified

@shaileshjoshi0106gma
(1.7m)

સમય વ્યક્તિઓ અને માહોલ બદલવાની
બધીજ મથામણો કરીને થાક્યો,
છતાં મારા જીવનમાં એટલો ફેર ન જોવા મળ્યો,
જેટલો ફેર સમયાંતરે જીવનમાં આવતી રહેતી
નાની મોટી મગજમારીઓ, અને
રોજના ધાંધિયાઓને સહજ રીતે
સ્વીકારી લેવાની તૈયારી બતાવ્યા પછી જોવા મળ્યો.
- Shailesh Joshi

Read More

જે સ્થિતિમાં છીએ એજ સ્થિતિમાં
"થોડા સમયમાં જ"
જીવવાની મજા આવવા લાગશે,
બસ વધારે કંઈ નહીં, આજથી જ
વાત કોઈપણ હોય,
સાચું ખોટું કરાવવાની આદત છોડી દો.
- Shailesh Joshi

Read More

"રૉકેટમાં"
ઉપર સુધી પહોંચવાની સામગ્રી ભરી હોય છે,
પરંતુ એ રૉકેટ
પોતાની ઊંચાઈ પર પહોંચવાની ક્ષમતા
ત્યારે જ બતાવી શકે, કે જ્યારે
એ રૉકેટમાં વાટ લાગેલી હોય,
બાકી તો
એ રૉકેટમાં ભરેલી બધી સામગ્રીની
"વાટ" લાગી જાય. મનુષ્ય જીવનમાં પણ
"આવડત એ રૉકેટ છે, અને તક એ વાટ"
- Shailesh Joshi

Read More

પ્રેમ પૈસો કે પ્રસિધ્ધિના પંથે
પ્રયાણ કરતા પહેલા
એક તૈયારી કરી લેવી કે,
સંજોગો વસાત
મૂળ જગ્યા પર પાછા ફરવું પડે,
તો કોઈપણ જાતનો
ડર, શરમ કે સંકોચ રાખ્યા વગર
આપણે પાછા ફરી શકીશું.
- Shailesh Joshi

Read More

એના જીવનમાં
કોઈ તકલીફ
નથી આવતી,
જે અન્યને
કોઈ તકલીફ
નથી આપતા.
Shailesh Joshi

વ્યક્તિ કોઈપણ હોય, પરંતુ
દરેક વ્યક્તિનાં જીવનની જરૂરિયાતો, ઈચ્છાઓ, કે સપનાઓ લગભગ એકસરખા જ હોય છે,
જેમકે,
સુખ, શાંતિ, અને સુવિધા, અને આ ત્રણ મેળવવા માટે,
દરેક વ્યક્તિ પોતાનું અડધું, કે પોણું જીવન ખર્ચી નાંખે છે, અને છતાંય એમાંથી ઘણા બધા લોકો ત્યાં સુધી પહોંચી શકતા નથી, કે પછી
જો ત્યાં સુધી તેઓ પહોંચે છે તો પણ એમને પોતાને જે મળ્યું છે એનો પૂર્ણ સંતોષ થાય,
એવું પરિણામ તો પ્રાપ્ત નથી જ થઈ શકતું, અને એમાં...
અમુક લોકો તો સુખ સુવિધા અને શાંતિ માટે એટલા બધા પ્રયત્નો કરે, છતાં...છેલ્લે થાય છે શું ?
થાય છે એવું કે, એમનું જીવન પૂરું થઈ જાય છે, અને સામે એમની ઈચ્છાઓ અને સપનાઓ તો અધૂરા જ રહી જાય છે.
પરંતુ આનો એક બિલકુલ આસાન રસ્તો પણ છે, જે રસ્તા પર ચાલવાથી સુખ સુવિધા અને શાંતિ આપોઆપ સામેથી મળે છે, આમ તો એ કામ સાવ સહેલું છે, બસ ખાલી એને શરૂ કરવું, અને પકડી રાખવું થોડું અઘરું છે.
એ કામ એટલે, પોતાની ચિંતાઓ ઓછી કરવી, અને પોતાનાઓની ફિકર
વધારે.

Read More

જીવનમાં જે કરવું છે, કરવા જેવું છે,
એના વિશે ઘણા લોકો,
હદ બહારનું વિચારે છે,
અને જે નથી કરવા જેવું,
એ કરતી વખતે તો એ,
જરા સરખું પણ ક્યાં વિચારે છે ?
ને પછી એમાંને એમાં,
જે તે વ્યક્તિ પાસે
સમય તો ખૂબ બચે છે, પરંતુ
એ બચેલો સમય, વિચારવામાં ઓછો,
અને અફસોસ કરવામાં વધારે વપરાય છે.
- Shailesh Joshi

Read More

એકવાર જો વિકટ પરિસ્થિતિઓને
મૌન રહીને જોતા અને સમજતા આવડી જાય,
તો બાકીનું બધુંજ શીખવાડવાની જવાબદારી
સમય ઉપાડી લેતો હોય છે.

- Shailesh Joshi

Read More

સુખ અને દુઃખ વિશે
બહુ ઊંડું ન વિચારવું,
કારણ કે, આ બંનેમાં
સુખ જે છે
એ આપણી પાસે આવવા માટે અતિશય માન માંગશે,
જે આપણે આપી નહીં શકીએ,
અને દુઃખ જે છે,
એતો ખુબજ હઠીલું છે,
એટલે એતો આપણને છોડીને જવાનું નામ જ નહીં લે.

Read More

અમુક કામો થશે, કે નહીં થાય ?
એ વિચારવામાં
આપણો જેટલો સમય જાય છે,
એના કરતાં અજમાવી લેવામાં,
આપણા ઘણા બધા કામો થઈ જાય છે,
અને બાકી વધેલા કામો,
કેટલા, અને કેમ રહી જાય છે ?
એની પણ આપણને ખબર પડી જાય છે, બાકી તો,
જે વિચારવામાં જ રહી જાય છે,
એ રહી જ જાય છે.

Read More