The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
માત્ર પ્રકાશ જોઈને અંજાઈ જતા લોકો એકના એકદિવસ અંધકાર તરફ ખેંચાઈ જતાં હોય છે, એનાથી બચવા માટેનો ઉપાય એજ કે, જે તે પ્રકાશ દેખાડતા પાત્રના પાત્રમાં ઘી કેટલી માત્રામાં છે ? સૌથી પહેલાં એ ચકાસી લેવું જોઈએ, મતલબ કે એની અસલ યોગ્યતા અને સક્ષમતા એની વાતો સાથે મેળ ખાય છે કે નહીં ? - Shailesh Joshi
કોઈપણ વ્યક્તિની આંખે વિશ્વાસની પટ્ટી બાંધી એને અંધારામાં તો રાખી શકાય છે, પરંતુ જ્યારે એ વ્યક્તિ સાથે વિશ્વાસઘાત થાય છે ત્યારે આપોઆપ એ પટ્ટીની સાથે-સાથે એની આંખો પણ ઊઘડી જતી હોય છે, ને પછી આજ સુધી એ વ્યક્તિ વિશ્વાસના જે અંધારામાં હતો, એનાથી અનેક ઘણો અંધકાર.... વિશ્વાસઘાત કરનારની જીંદગીમાં વ્યાપી જાય છે. અને આ બીજા કોઈનો નહીં, કુદરતનો નિયમ છે, ને એનાથી બચવું અશક્ય છે. - Shailesh Joshi
આપણો દેહ એ ઈશ્વરની દેન છે, એને તાજો, કે ઉજળો રાખવા માટે, એને નવા વસ્ત્રો ને અલંકાર પહેરાવવા, કે ઓઢાડવા માટે, કે પછી હરવા ફરવા કે એને મનોરંજન પૂરું પાડવા માટે, જે પૈસાની જરૂર પડે, અને જો એ પૈસો પ્રામાણિકતા સાથે કરેલી મહેનત, અને પરસેવાની કમાણીનો નહીં હોય, તો એ ઈશ્વર સાથે કરેલ વિશ્વાસઘાત જ કહેવાય, એનાથી વિશેષ બીજું કંઈ નહીં. - Shailesh Joshi
અમુક સુખ એવા હોય છે જે આપણને દુઃખ તરફ દોરી જાય છે, જ્યારે અમુક દુઃખ એવા હોય છે, જે આપણને સુખ તરફ ખેંચી જાય છે. - Shailesh Joshi
શક્તિ અને બુધ્ધિ "સૌ" માં છે, બસ ખાલી ધીરજ અને વિશ્વાસના અભાવે, ને આળસ અને લાલચવાળા સ્વભાવે, શક્તિ અને બુદ્ધિને અવળે રસ્તે દોરી છે, ને આજ મુખ્ય કારણે ઘણાના જીવનમાં રોજ હૈયાહોળી છે. - Shailesh Joshi
સફળતાનો આનંદ અપાવતું, અને નિષ્ફળતાનું કારણ બનતું સૌથી મોટું, અને અતિ મહત્વનું પરિબળ એટલે...?
"ઓછામાં ઓછા" ચાર એવા સંબંધો કે જે આપણા જીવનમાં આકસ્મિક કોઈ એવા વિપરીત સંજોગો ઉભા થાય એ વખતે ન માત્ર અડધી રાત્રે આવીને ઉભા રહે, પરંતુ દોડીને આવે ને એ સમયે ઘરમાં જેટલા રૂપિયા પૈસા પડ્યા હોય એ ખિસ્સામાં નાંખતા આવે. જીવનમાં સૌથી પહેલું કરવા જેવું આ એકજ કામ છે, અને આટલું કરવા માટે આપણે જે રીતે જીવવું પડે, એને જ જીવન જીવવાની સાચી વ્યાખ્યા કહે છે. - Shailesh Joshi
વિચાર એક એવી બાબત છે, કે જે આપણા દુ:ખને દૂર પણ કરી શકે છે, એમાં ઉમેરો પણ કરી શકે છે, અથવા તો, જે તે દુઃખને સહન કરવાની શક્તિ પણ આપી શકે છે, પરંતુ પરંતુ પરંતુ, આ બધાનો ખરો આધાર તો એકજ વાત પર નિર્ભર કરે છે કે, આપણે શું, કેવી રીતે અને કેટલું વિચારીએ છીએ ? - Shailesh Joshi
આપણા સપના પૂરા કરવાની રીત એવી ક્યારેય ન હોઈ શકે કે જેમાં આપણા મા-બાપના વિશ્વાસની આહુતિ અપાઈ જતી હોય અને આપણા ભવિષ્ય માટે એમણે જે જે સપનાઓ જોયા હોય એ બધાજ સપનાઓનો ભાંગીને ભુક્કો થઈ જતો હોય. - Shailesh Joshi
હમણાં હું જે રીતે જીવી રહ્યો છું, કે જીવી રહી છું, શું એ યોગ્ય છે ? પોતાની જાતને અચૂક પૂછવા જેવા, આ એકજ સવાલમાં જીવનભર ઉભા થતા સવાલો, અને એના જવાબો પણ છુપાયા છે. - Shailesh Joshi
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved | Powered by Nichetech.
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser