Quotes by Shailesh Joshi in Bitesapp read free

Shailesh Joshi

Shailesh Joshi Matrubharti Verified

@shaileshjoshi0106gma
(828.2k)

જો આપણને આપણા જીવનમાં જરા સરખી પણ તકલીફ ન હોય,
તો એનો અર્થ એવો થાય છે કે આપણે આપણા જીવનમાં કંઈ ખાસ નથી કરી રહ્યાં,
અને જો આપણા જીવનમાં પારાવાર મુશ્કેલીઓ અને એ પણ નિરંતર આવતી જ રહે છે,
તો એનો મતલબ એજ કે આપણે ખોટા રસ્તે ચાલી રહ્યા છીએ,
ને જો આપણા જીવનમાં કોઈ કોઈ વાર સમયાંતરે નાની મોટી તકલીફો આવતી રહેતી હોય...
તો એનો અર્થ એજ કે,
આપણને આપણા જીવનની સાચી દિશા મળી પણ ગઈ છે, ને આપણે એ દિશામાં જ આગળ પણ વધી રહ્યા છીએ.

Read More

તકલીફો મુશ્કેલીઓ અને પરેશાનીઓનો
એક મર્યાદાથી વિશેષ અનુભવ થવો
એ બીજું કશું નથી,
સિવાય ઈશ્વર પરની શ્રધ્ધા
અને
આત્મવિશ્વાસની ઉણપ.
- Shailesh Joshi

Read More

જવાની એ
ઉજ્જ્વળ ભવિષ્યનું નિર્માણ કરવા માટે જરૂરી બળ, અને બુદ્ધિનું સિંચન કરવા માટેનો સમયગાળો છે,
આ સમયગાળામાં ખોટી રીતે લીધેલી મજા,
ક્યારેક.....
પુરી જિંદગીની મજા બગાડી શકે છે,
આપણી પણ અને આપણા પરિવારની પણ.
- Shailesh Joshi

Read More

સંપૂર્ણ પ્રમાણિકતા સાથે
કંઈ વિશેષ કરવાનો
જો દ્રઢ નિર્ધાર કર્યો છે,
તો પછી હતાશ ના થવું,
કેમકે જીવનમાં એ સમય
અવશ્ય આવશે.
- Shailesh Joshi

Read More

જીવનમાં ઈચ્છાઓનો કોઈ અંત નથી,
અને હોવો પણ ના જોઈએ,
પરંતુ...પરંતુ...પરંતુ,
શરત માત્ર એટલી જ કે,
ત્યાં સુધી પહોંચવામાં લાગતી
પ્રામાણિકતા સાથેની ધીરજ
અને મહેનત
આપણી પોતાની હોવી જોઈએ.
- Shailesh Joshi

Read More

ગુસ્સો કરવો
ક્રોધે ભરાઈ જવું,
આવેશમાં આવી જવું,
લોભ કરવો, કે પછી
લાલચમાં આવી જવું
આ બધી એવી ભૂલો છે,
જે આગળ જતાં...
આપણને જ ભારે પડતી હોય છે.
- Shailesh Joshi

Read More

નાની કે મોટી કોઈપણ
પ્રતિકૂળ પરિસ્થિતિમાંથી
આપણને ઉગારતી,
"પહેલી" અને "સહેલી" પ્રક્રિયા છે,
માત્ર ત્રણ શબ્દો, જે ત્રણ શબ્દો
આપણને ખરેખર
ધાર્યું, અને સારું પરિણામ આપશે, અને એ ત્રણ શબ્દો છે....
"કંઈ વાંધો નહીં"
- Shailesh Joshi

Read More

જીવન તો ઈશ્વરે આપેલ
એક અમૂલ્ય ભેટ છે,
જો એને થોડું સમજતા,
વધારે વાપરતાં, અને
સંજોગો અનુસાર
જીવતા આવડે તો.....
તો એ બેસ્ટ છે,
બાકી તો વેસ્ટ છે.
- Shailesh Joshi
આપણું જીવન આપણા હાથમાં

Read More

મારા અંદાજ પ્રમાણે
60 થી 70 ટકા લોકોની આજ,
ગઈકાલ કરતાં તો થોડી વધારે સારી હોય છે,
છતાંય એમાંથી મોટાભાગના લોકો
ગઈકાલ કરતાં આજ
વધારે ચિંતિત હોય છે.
- Shailesh Joshi

Read More

ગરીબી કેવી હોય ? એ
જેણે જેણે જોઈ છે એ,
અને જે જે લોકો જાણે છે
કે એ કેવી હોય ?
એવા લોકોના જીવનમાં
કોઈપણ પ્રકારની ચિંતાઓ
ઉપરથી હેઠી પડે તો પણ
પ્રવેશી શકતી નથી.
- Shailesh Joshi

Read More