The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
જો આપણને આપણા જીવનમાં જરા સરખી પણ તકલીફ ન હોય, તો એનો અર્થ એવો થાય છે કે આપણે આપણા જીવનમાં કંઈ ખાસ નથી કરી રહ્યાં, અને જો આપણા જીવનમાં પારાવાર મુશ્કેલીઓ અને એ પણ નિરંતર આવતી જ રહે છે, તો એનો મતલબ એજ કે આપણે ખોટા રસ્તે ચાલી રહ્યા છીએ, ને જો આપણા જીવનમાં કોઈ કોઈ વાર સમયાંતરે નાની મોટી તકલીફો આવતી રહેતી હોય... તો એનો અર્થ એજ કે, આપણને આપણા જીવનની સાચી દિશા મળી પણ ગઈ છે, ને આપણે એ દિશામાં જ આગળ પણ વધી રહ્યા છીએ.
તકલીફો મુશ્કેલીઓ અને પરેશાનીઓનો એક મર્યાદાથી વિશેષ અનુભવ થવો એ બીજું કશું નથી, સિવાય ઈશ્વર પરની શ્રધ્ધા અને આત્મવિશ્વાસની ઉણપ. - Shailesh Joshi
જવાની એ ઉજ્જ્વળ ભવિષ્યનું નિર્માણ કરવા માટે જરૂરી બળ, અને બુદ્ધિનું સિંચન કરવા માટેનો સમયગાળો છે, આ સમયગાળામાં ખોટી રીતે લીધેલી મજા, ક્યારેક..... પુરી જિંદગીની મજા બગાડી શકે છે, આપણી પણ અને આપણા પરિવારની પણ. - Shailesh Joshi
સંપૂર્ણ પ્રમાણિકતા સાથે કંઈ વિશેષ કરવાનો જો દ્રઢ નિર્ધાર કર્યો છે, તો પછી હતાશ ના થવું, કેમકે જીવનમાં એ સમય અવશ્ય આવશે. - Shailesh Joshi
જીવનમાં ઈચ્છાઓનો કોઈ અંત નથી, અને હોવો પણ ના જોઈએ, પરંતુ...પરંતુ...પરંતુ, શરત માત્ર એટલી જ કે, ત્યાં સુધી પહોંચવામાં લાગતી પ્રામાણિકતા સાથેની ધીરજ અને મહેનત આપણી પોતાની હોવી જોઈએ. - Shailesh Joshi
ગુસ્સો કરવો ક્રોધે ભરાઈ જવું, આવેશમાં આવી જવું, લોભ કરવો, કે પછી લાલચમાં આવી જવું આ બધી એવી ભૂલો છે, જે આગળ જતાં... આપણને જ ભારે પડતી હોય છે. - Shailesh Joshi
નાની કે મોટી કોઈપણ પ્રતિકૂળ પરિસ્થિતિમાંથી આપણને ઉગારતી, "પહેલી" અને "સહેલી" પ્રક્રિયા છે, માત્ર ત્રણ શબ્દો, જે ત્રણ શબ્દો આપણને ખરેખર ધાર્યું, અને સારું પરિણામ આપશે, અને એ ત્રણ શબ્દો છે.... "કંઈ વાંધો નહીં" - Shailesh Joshi
જીવન તો ઈશ્વરે આપેલ એક અમૂલ્ય ભેટ છે, જો એને થોડું સમજતા, વધારે વાપરતાં, અને સંજોગો અનુસાર જીવતા આવડે તો..... તો એ બેસ્ટ છે, બાકી તો વેસ્ટ છે. - Shailesh Joshi આપણું જીવન આપણા હાથમાં
મારા અંદાજ પ્રમાણે 60 થી 70 ટકા લોકોની આજ, ગઈકાલ કરતાં તો થોડી વધારે સારી હોય છે, છતાંય એમાંથી મોટાભાગના લોકો ગઈકાલ કરતાં આજ વધારે ચિંતિત હોય છે. - Shailesh Joshi
ગરીબી કેવી હોય ? એ જેણે જેણે જોઈ છે એ, અને જે જે લોકો જાણે છે કે એ કેવી હોય ? એવા લોકોના જીવનમાં કોઈપણ પ્રકારની ચિંતાઓ ઉપરથી હેઠી પડે તો પણ પ્રવેશી શકતી નથી. - Shailesh Joshi
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser