The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
આજના સુપ્રીમ કોર્ટ ના ચુકાદાનું આખા દેશે સ્વાગત કર્યું. એટ્રોસાઈટ એક્ટનો પણ આ રીતે ખૂબ દુરુપયોગ થાય છે. બેન્કની લોનો એ વર્ગ સબસિડી સુધી ચાલુ રાખે, એમને જ મળે એવી સબસિડી લે પછી રામેરામ. મેનેજર એ કોઈને દબડાવે તો સીધો એટ્રોસાઇટ. આ એક દાખલો છે. મેં કુતૂહલવશ એક નિરીક્ષણ કરેલું, અત્યારે સવર્ણો લઘુમતીમાં આવી ગયા છે! એ વર્ગને શિક્ષણ નહીં જેવા ભાવે, નોકરીમાં અને સારી જગ્યાએ એડમિશનમાં ખુબ મોટો ક્વોટા અને સવર્ણ કરતાં ખૂબ ઓછા ટકાએ, અનેક સગવડો માત્ર એમને.. આમાં બંધારણે આપેલ સમાનતા ક્યાં આવી? હશે, છેલ્લાં બસો અઢીસો વર્ષ એ વર્ગનું શોષણ થયું હશે પણ પછી 80 વર્ષથી એને નામે એ સહુ નાનીનાની વાતમાં પોતાને પીડિત બતાવી કૂદી પડે છે. સવર્ણ વર્ગ એટલો એકત્રિત નથી એટલે કોઈ નવનિર્માણના બાપ જેવી ક્રાંતિ શક્ય નથી. સામે એ વર્ગના લોકો સોશિયલ મીડિયાનો પણ પૂરો ઉપયોગ ભેદભાવ ઓછો કરવા નહીં, વધારવા કરે છે. ગામડામાં હવે કોઈ દલિતનો વરઘોડો ધરાર રાજપુતોના વિસ્તારમાં અમુક બુમો પાડતો ન નીકળે તો કોઈ હેરાનગતિ થતી નથી જ. હવે શહેરમાં ટાવરોમાં બાજુવાળો પરપ્રાંતિય દલિત છે કે સવર્ણ એ ખબર પણ પડતી નથી. હવે જેમને લાભો જાય એટલે ચલાવવું છે એ જ બધા ગોકીરો મચાવે છે. મોરારજી દેસાઈને 100મુ વર્ષ બેઠું ત્યારે પત્રકારે પૂછ્યું કે દલિતો માટે સંદેશ? એમણે કહ્યું કે નદી સમુદ્રમાં ન મળે તો ગંધાઈ ઊઠે સુકાઈ જાય. એમ હવે દલિત સવર્ણ ભૂલી મુખ્ય પ્રવાહમાં આવી જવું જોઈએ. તેઓ બિચારા સવર્ણ હતા એટલે ક્યાંક વિરોધ થયો. 1997 માં. ગાંધીજીએ એ વર્ગને પછાત ન ગણવા આભડછેટ દૂર કરવા કહેલું, એમને ઉચ્ચ પદે સ્થાપી દેવા નહીં. છતાં વચ્ચે નોટો પર ગાંધીજી કેમ, આંબેડકર કેમ નહીં એવો વિવાદ ચાલેલો. એ લોકો માટે સમાનતાની શરૂઆત કરનાર ગાંધીજી પણ સવર્ણ હતા એટલે એમને વિશે આ સોશિયલ મીડિયામાં જેમ તેમ લખાયેલું, અમુક વર્ગ દ્વારા, વાંચ્યું છે. ખુદ આંબેડકરજીએ એ વખતની સ્થિતિમાં પાછળ રહી ગયેલા દલિતોને સાથે લાવવા દસ વર્ષ આરક્ષણ રાખવા કહેલું. એને હવે 80 વર્ષ થયાં. જે સરકાર હોય એ, હવે આરક્ષણ દૂર નહીં કરે એને મત નહીં. બોયકોટ ઇલેક્શન બંધારણ મુજબ મને એક સવર્ણ તરીકે સમાનતા ને બદલે જિંદગી આખી ભેદભાવ નડ્યો છે. જ્યાં દલિત બહુમતી થઈ જાય એવી ઓફિસમાં પુરી હેરાનગતિ ભોગવી છે. મારે નોકરી કરવી હોય તો કોઈ જગ્યાએ ફરિયાદ થાય એમ ન હતું. હવે સવર્ણો જ લઘુમતીમાં આવી ગયા છે એટલે તો વસતી ગણતરીમાં જાતિ નો સમાવેશ કરવાના છે એમ સાંભળ્યું. આ ચુકાદો જે તે સત્તાવાળાઓની આંખ ઉઘાડનારો છે. હવે તો આ જાણીબુઝી એક વર્ગને અન્યાય કરી બીજા વર્ગની તરફેણ બંધ થવી ઘટે. નાક દબાવવા એક થઈ કહી શકાય કે જો જાતિ આધારિત કે કોઈ પણ પ્રકારનું આરક્ષણ ચૂંટણી પહેલાં સમાપ્ત નહીં થાય તો કોઈ સવર્ણ મત જ નહીં આપે. આમેય એ લોકોની ઘણીખરી વોટબેંક વર્તમાન સરકારની વિરુદ્ધ છે. ફેર વર્તમાન સરકારને પડશે, અત્યારના વિરોધ પક્ષ ને નહીં. મેં કોઈ માટે ઘસાતો શબ્દ નથી ઉચ્ચાર્યો. હું નરસિંહ મહેતાનું સંતાન છું, હું જાતિ માં માનતો નથી. પણ કોઈ પણ માનીને બીજા ઉપર આધિપત્ય ભોગવે એ પણ માન્ય નથી.
બાર્બરિક વિશ્વનો શ્રેષ્ઠ ધનુર્ધારી હતો. બાર્બરિક માટે કૌરવો અને પાંડવો બંનેની આખી સેનાનો નાશ કરવા માટે ત્રણ તીર પૂરતા હતા. યુદ્ધના મેદાનમાં, ભીમના પૌત્ર, બાર્બરિક, બંને છાવણીઓ વચ્ચેના રસ્તા પર એક પીપળાના ઝાડ નીચે ઊભા રહ્યા અને જાહેર કર્યું કે તે હારનાર પક્ષ તરફથી લડશે. બાર્બરિકની ઘોષણાથી કૃષ્ણ ગભરાઈ ગયા. જ્યારે અર્જુન અને ભગવાન કૃષ્ણ ભીમના પૌત્ર બાર્બરિક સમક્ષ તેમના બહાદુરીના પરાક્રમને જોવા માટે હાજર થયા, ત્યારે બાર્બરિકે પોતાની બહાદુરીનું માત્ર એક નાનું પ્રદર્શન કર્યું. કૃષ્ણે કહ્યું, "જો તમે એક જ તીરથી આ વૃક્ષના બધા પાંદડા વીંધી નાખો, તો હું સ્વીકારીશ." બાર્બરિકે પરવાનગી મેળવ્યા પછી, બાર્બરિકે ઝાડ તરફ તીર છોડ્યું. તીર એક પછી એક દરેક પાંદડાને વીંધતું ગયું, એક પાંદડું તૂટી ગયું અને પડી ગયું. કૃષ્ણે પોતાનો પગ પાંદડા પર મૂક્યો અને તેને છુપાવી દીધો, વિચારીને કે તે વીંધાઈ જશે. જોકે, બધા પાંદડાઓને વીંધતું તીર કૃષ્ણના પગ પાસે અટકી ગયું. પછી બાર્બરિકે કહ્યું, "પ્રભુ, તમારા પગ નીચે એક પાંદડું છે. કૃપા કરીને તમારા પગને ખસેડો, કારણ કે મેં તીરને ફક્ત પાંદડાઓને વીંધવાનો આદેશ આપ્યો છે, તમારા પગને નહીં." આ ચમત્કાર જોઈને કૃષ્ણ ચિંતિત થઈ ગયા. ભગવાન કૃષ્ણ જાણતા હતા કે બાર્બરિક, તેમના વ્રતથી, હારનારનો પક્ષ લેશે. જો કૌરવો હારતા દેખાય, તો તે પાંડવો માટે મુશ્કેલી ઊભી કરશે. પરંતુ જો પાંડવો બાર્બરિક સામે હારતા દેખાય, તો તે તેમનો પક્ષ લેશે. આ રીતે, તે એક જ તીરથી બંને પક્ષોની સેનાઓનો નાશ કરશે. પછી, ભગવાન કૃષ્ણ, બ્રાહ્મણનો વેશ ધારણ કરીને, સવારે બાર્બરિકના છાવણીમાં પહોંચ્યા અને ભિક્ષા માંગી. બાર્બરિકે કહ્યું, "માગો, બ્રાહ્મણ! તમારે શું જોઈએ છે?" બ્રાહ્મણનો વેશ ધારણ કરીને કૃષ્ણે કહ્યું, "તમે તે આપી શકતા નથી." પરંતુ બાર્બરિક કૃષ્ણના ફાંદામાં ફસાઈ ગયા, અને કૃષ્ણે તેનું માથું માંગ્યું. બાર્બરિકે પોતાના દાદા પાંડવોના વિજય માટે સ્વેચ્છાએ પોતાનું માથું બલિદાન આપ્યું. બાર્બરિકના બલિદાનને જોઈને, ભગવાન કૃષ્ણએ તેમને કલિયુગમાં પોતાના નામે પૂજાવાનું વરદાન આપ્યું. આજે બાર્બરિકને ખાટુશ્યામ તરીકે પૂજવામાં આવે છે. કૃષ્ણે પોતાનું માથું જ્યાં મૂક્યું હતું તે સ્થાન ખાટુ તરીકે ઓળખાય છે. અજાણ્યા રહસ્યો: ૧. ખાટુ શ્યામ એટલે માતા શૈવ્યમ પરાજતા. જેનો અર્થ થાય છે, જે પરાજિત અને નિરાશ લોકોને શક્તિ પ્રદાન કરે છે. ૨. ખાટુ શ્યામ બાબા દુનિયાના શ્રેષ્ઠ ધનુર્ધારી છે, ફક્ત શ્રી રામ જ તેમનાથી મહાન માનવામાં આવે છે. 3. ખાટુશ્યામ જીની જન્મજયંતિ દર વર્ષે કારતક શુક્લ પક્ષની દેવુથની એકાદશીના રોજ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ૪. ખાટુમાં આવેલું શ્યામ મંદિર ખૂબ જ પ્રાચીન છે, પરંતુ વર્તમાન મંદિરનો પાયો ૧૭૨૦માં નાખવામાં આવ્યો હતો. ઇતિહાસકાર પંડિત ઝાબરમલ્લ શર્માના મતે, ઔરંગઝેબની સેનાએ ૧૬૭૯માં મંદિરનો નાશ કર્યો હતો. મંદિરની રક્ષા માટે ઘણા રાજપૂતોએ પોતાના જીવનું બલિદાન આપ્યું હતું. પ્રખ્યાત બાબા ખાટુ શ્યામ મેળો ખાટુ શ્યામ મંદિર સંકુલમાં ભરાય છે. આ મેળો હિન્દુ મહિનાના ફાગણ મહિનાના શુક્લ પક્ષના છઠ્ઠા દિવસથી બારમા દિવસ સુધી ચાલે છે. એકાદશીનો તહેવાર એક ખાસ પ્રસંગ છે. ૬. બાર્બરિકા દેવીનો ભક્ત હતો. દેવી તરફથી વરદાન રૂપે, તેને ત્રણ દિવ્ય તીર આપવામાં આવ્યા હતા જે તેમના લક્ષ્યોને વીંધી નાખતા અને તેની પાસે પાછા ફરતા. આનાથી બાર્બરિકા અજેય બની ગયો. ૭. બાર્બરિકા તેના પિતા ઘટોત્કચ કરતાં વધુ શક્તિશાળી અને માયાવી હતો. ૮. એવું કહેવાય છે કે જ્યારે ભગવાન કૃષ્ણએ બાર્બરિકનું માથું માંગ્યું, ત્યારે બાર્બરિકે આખી રાત ભજન કર્યું અને ફાલ્ગુન શુક્લ દ્વાદશીના દિવસે, તેમણે સ્નાન કરીને પૂજા કરી અને પોતાના હાથે પોતાનું માથું કાપીને ભગવાન કૃષ્ણને દાન કરી દીધું. ૯. પોતાનું માથું દાન કરતા પહેલા, બાર્બરીકે મહાભારત યુદ્ધ જોવાની ઇચ્છા વ્યક્ત કરી, પછી શ્રી કૃષ્ણએ તેનું માથું એક ઊંચા સ્થાન પર મૂક્યું અને તેને જોવા માટે દ્રષ્ટિ આપી. ૧૦. યુદ્ધ પછી, જ્યારે પાંડવો વિજયનો શ્રેય કોને આપવો તે અંગે ચર્ચા કરી રહ્યા હતા, ત્યારે ભગવાન કૃષ્ણએ જાહેર કર્યું કે ફક્ત બાર્બરિકનું માથું જ આ બાબતનો નિર્ણય કરી શકે છે. બાર્બરિકે જવાબ આપ્યો કે ભગવાન કૃષ્ણનું સુદર્શન યુદ્ધમાં બંને પક્ષોનું સંચાલન કરી રહ્યું હતું, જ્યારે દ્રૌપદી, જે મહાકાળીમાં પરિવર્તિત થઈ હતી, તે લોહી પી રહી હતી. ૧૧. અંતે, શ્રી કૃષ્ણએ વરદાન આપ્યું કે કળિયુગમાં તમારી પૂજા મારા નામે થશે અને ફક્ત તમને યાદ કરવાથી ભક્તો આશીર્વાદ પામશે. એક ફેસબુક પોસ્ટ
આ રાજનગરની રમણી. ચંચળ શાણી સમજુ ચતુરા, નાજુક ને વળી નમણી આ રાજનગરની રમણી. સરખી ચાર મળે સહેલી મારગમાં વાતોની હેલી. ટ્રાફિકવાળાને મુશ્કેલી પણ જરા ન એ કોઈ ખસેલી ઘડીક ચાલે ડાબે ને ઘડીક જતી જમણી વાતો ચાલે માટેમોટેથી આસપાસ અવગણી આ રાજનગર ની રમણી. જંપે એની ન જીભ જરાકે દુકાનનો વેપારી થાકે સાંજે સ્વામી તણું શીશ પાકે પણ વાતો એની ન થાકે. પણ રંગોળી પ્રીત તણી એ પૂરી જાણે પદમણી આ રાજનગરની રમણી. બુદ્ધિમતિ ને સાહિત્ય રસિકા. વાંચવામાં વહાલી નવલિકા કરી જાણે તમતમતી ટીકા સમજે બધું પૂરી રસિકા કલાકૃતિનું કરી કચુંબર ખાંતે નાખે ખમણી આ રાજનગરની રમણી. પુરુષ સંગ સ્પર્ધા કરનારી એ તો છે નવયુગની નારી દલીલોમાં પૂરી તૈયારી વાર્યે થાયે બમણી આ રાજનગરની રમણી. સાડી પહેરી સરસ સજાવટ અલંકાર સજવાની ફાવટ પ્રગતિમાં ન રાખે રૂકાવટ સ્વામી કમાય તેમાં સમાણી આ રાજનગરની રમણી. મુરબ્બો પાપડ વડી અથાણાં વર્ણન વાનગીઓનાં મઝાનાં પ્રગટ કરે અખબારી પાનાં ભરત ભર્યા પાલવ શી વરણી આ રાજનગરની રમણી. અગાશીએ રેલાય ચંદા કોમળ કંઠ સ્વરે મૃદુ જો મંદા અલકમલકની વાતો કરતી પતિની શ્રમહરણી આ રાજનગરની રમણી. જોતાં દિલમાં જગાડે દંગલ અજવાળે જીવનનાં જંગલ જંગલમાં પ્રગટાવે મંગલ વિપત્તિમાં કરે માર્ગ ઝટ જેમ જળમાં તરતી તરણી આ રાજનગરની રમણી. છો રીજે કે ખીજે પણ એ સ્નેહ નીતરતી નિર્ઝરણી આ રાજનગરની રમણી. - નાથાલાલ દવે. કાવ્ય સંગ્રહ “ઉપદ્રવ" માંથી. સંકલન સુનીલ અંજારીયા
સોડ તાણીને સુઇ રહેવા દો શું કરવું છે વહેલા ઉઠી? “જાગો, જાગો, કામ પતાવો” શીદ કરો બૂમરાણ એ જૂઠી. ડુંગર ધારે નીકળ્યો સૂરજ પાંદડે પાંદડે ચોળશે પીઠી એટલા ખાતર શીદને ખોવી પાછલા પહોરની નીંદર મીઠી. જાગનારાનું નશીબ જાગે વડીલોએ એવી વાતો હાંકી પ્રભાતનો ઉજાસ આવે તો રજાઈ લેવી મુખ પર ઢાંકી. વનમાં પેલાં પંખી બોલે પંખીમાં તે કેટલી અક્કલ માણસ જેવા માણસ થઈને આપણે એની શું કરવી નકલ? રંગબેરંગી ફૂલડાં ખીલ્યાં બાગની શોભા જોવા જેવી, ફૂલડાં નથી નાસી જવાનાં જોવા કાજ ઉતાવળ કેવી? આળસ છોડો, ઉદ્યમ કરો સંભળાવો શીખ હોય કંઇ બાકી થાક્યા નહીં ઉપદેશ દેનારા સાંભળી સાંભળી દુનિયા થાકી. કોણ રસોડામાં ગેસ પ્રગટાવે? ખખડાવે છે કોઈ રકાબી? ચાલો ત્યારે અત્યારે મારે છોડવી પડશે નીંદ ગુલાબી. નાથાલાલ દવે. સંકલન: સુનીલ અંજારીયા
હો નવ વર્ષ મંગલમય .................................................... રહે ઉર ઉરમાં હર્ષોલ્લાસ, હો નવ વર્ષ મંગલમય બને મધુર બારે માસ, હો નવ વર્ષ મંગલમય સહુના મનમાં ખીલે કરુણાની કળી, હૃદયે વહે સુખની અનુભૂતિ વળી કોઈના મનમાં જલાવો આશા કેરો દીપ સજાવો ઉજ્જડ બાગ ઉદાસનો કરી તેને પ્રીત પરાયાંને જો પોતાપણા નો આભાસ થાય તો નક્કી નવું વર્ષ મંગલમય ગણાય નવો કોઈ સંદેશ લખો વિષય હોય ભલે નૂતન હજારો આભાર માનશું જો એ સ્પર્શે સહુને મન દૂર રહી છળ કપટથી આખું વર્ષ રહીએ નીતિમય કરો અભ્યાસ એનો બને નવ વર્ષ મંગલમય કે આંખોના આંસુઓનો થાય નહીં સંતાપ ભલાઈ ભલે ના થાય, થશે ના કોઈ પાપ રહે માનવતાનો આભાસ તમ સાથે પ્રતિપળ સ્વાસ્થ્ય સમૃદ્ધિ ભર્યું થાઓ નવ વર્ષ મંગલમય . 1.1.2026
"રિવરફ્રન્ટ માં તો કશું નવું નથી, શું મુકશો?" મને ફોટાઓ લેતો જોઈ શ્રીમતીએ કહ્યું. કાંઈક નવું લાગ્યું એ જરૂર મૂકવું છે. એક તો, રિવરફ્રન્ટ સહુનો માનીતો થઈ ગયો એ કેટલા વર્ષ, કોઈ જ ખાસ મેન્ટેનન્સ વગર જૂનો થયો? ઓહ, 22 થી 23 વર્ષ. નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે થયેલો. લગભગ તો હું અને બધાં એક સાંજ પસાર કરવા જઈએ છીએ પણ અમે રાત્રે 9 પછી જ ગયાં. અરે માનવ મહેરામણ એટલે? અમે આખો રિવરફ્રન્ટ ત્રણ ટુકડે ગયાં. દર્પણ પાછળ દધીચિ બ્રિજ, નટરાજ સામે અને એટલબ્રીજ બહારથી થઈ સરદારબ્રિજ પાસે. ત્યાં સરદારબ્રિજ પાસે તો પાર્કિંગ માં પણ અફડાતફડી. આપણે સરખી કાર પાર્ક કરવા જગ્યામાં જઈ આગળ લઈ ઊંધી લઈએ ત્યાં બીજો "ઠાઠું " ઘુસાડી દે! ત્યાં પેઇડ ઇલેક્ટ્રિક સ્કૂટરો 15 મિનિટના 90 રૂ. માં મળતાં હતાં એ લેવા ભીડ હતી. ત્યાંથી નહેરુબ્રિજ સતત એ ઇલેક્ટ્રિક સ્કૂટરો અને ભાડે સાઇકલો ફેરવતાં 14 થી 40 વર્ષના કેટલાંયે લોકો હતાં. રિવરફ્રન્ટ ની પાળીએ બેસીને સાબરમતીની લહેરોનાં હળવાં મોજાં જોવાની મઝા પડી. ઉપરથી દર થોડી સેકન્ડે એકદમ નીચેથી જતાં પ્લેન. સરદાર બ્રિજ પાસે જે ખાણીપીણી બજાર બનેલી ને હું 2023 માં ગયેલ એ આખી બંધ થઈ ગઈ. સામે આંખ આંજી દે તેવી ચકાચોંધ રોશની અને પસાર થાય તો કદાચ અંદર બેઠેલાને કાનમાં વાગતું હશે એવાં પ્રચંડ મ્યુઝિક સાથે ક્રૂઝ પસાર થઈ. દુબઈમાં ડિનર વગર સાંજે 5 થી 7 લીધેલી એવી ટ્રીપ અહીં હોય તો લેવી છે. નટરાણી પાછળ તો જે ઝૂંપડાં હતાં ત્યાં બે માળના રો હાઉસો એ લોકોએ જ બાંધી લીધાં છે. કદાચ મફતિયા પરા ફેસિંગ રિવર! ત્યાં દધીચિ બ્રિજ પાસે જ પાળી પર એક જોરગરમ વાળો એનો માલ ઓશિકું બનાવી ત્યાં જ સૂઈ ગયેલો. આખો રિવરફ્રન્ટ શોપિંગ ફેસ્ટિવલ ને કારણે લાઈટોથી શણગાર્યો છે. એક વહેલી રાત, 9 થી 11 ત્યાં પસાર કરી. વળતાં એ જ સિંધુભવન ની જાગતી રાત, અર્બન ચોક પાસે ટ્રાફિક જામ. લોકો રાતે 12 વાગે ખાવા નીકળે છે? આ અમદાવાદ ક્યારેય સૂતું નથી. શનિવારની રાતે તો નહીં જ.
ગઈકાલે બીજાઓથી મોડું પણ ઓચિંતું લાલો ફિલ્મ જોઈ. સાચે જ સરસ સ્ટોરી. પરેશ રાવળ ની OMG જોઈ હોય તો એમાં એક રીતે, અહીં બીજી રીતે, કૃષ્ણ સહાય કરે છે. યુદ્ધ તો આપણે જ લડવાનું. એ રસ્તો ચોક્કસ બતાવશે. જ્યાં આપણે અટકીએ ત્યાં. દૂબળો પાતળો, jhantiya વધી ગયેલો રિક્ષાવાળો આબેહૂબ ઉપસાવ્યો છે. એને દીકરીના ઓપરેશન વખતે પૈસાની જરૂર પડતાં મજબૂરીથી ખોટી સોબત, વ્યાજે પૈસા, દારૂ અને કોઈને શંકાસ્પદ રીતે પૈસા ભરેલી બેગ લઈ અવાવરુ બંગલામાં ઘૂસતો જોઈ પીછો કરે છે અને પેલો તો જતો રહે, પોતે ફસાઈ જાય છે. બહાર નીકળવાની જાળીમાં ઇલેક્ટ્રિક કરંટ પસાર થાય છે એનો જોરદાર શોક પણ લાગે છે. એ બધા પ્રયત્નો કરે પણ કશું વળે નહીં. વરસાદનું ટપકતું પાણી પી તરસ છિપાવે. બૂમો પાડે, વાંસ સળગાવી ધ્યાન ખેંચે પણ રડ્યો ખડ્યો કોઈ આવે એનું ધ્યાન જતું નથી. આમ પૂરા 24 દિવસ પસાર કરે છે પણ જીવી જાય છે. કદાચ એ જ સ્થિતિમાં હેલ્યુસિનેશન થતાં પોતાની સામે કૃષ્ણને જુએ છે. કૃષ્ણ અને અન્ય દેવોની ધાતુની કિંમતી મૂર્તિઓ ચોરાઈને ત્યાં સંઘરેલી છે.. પત્ની પોલીસ ફરિયાદ કરે છે પણ દારૂડિયો છે, ક્યાંક મરી ગયો હશે કહી ધ્યાન આપતા નથી. આખરે કૃષ્ણ જ રસ્તો બતાવે છે, થાકીને સતત ભીંત સાવ નાના સળિયાથી ખોદી એ બહાર નીકળે, ત્યાં બેભાન થઈ જાય અને ગોતતી પોલીસ આવી પહોંચે ત્યાં પેલો મૂર્તિચોર બંગલામાં જતો પકડાઈ જાય છે. આને લાલચમાં મળેલી પૈસાની બેગ ત્યાં જ પડી રહે છે. મને તો ગમ્યું. ઘરના લોકોને સ્ટોરીમાં સવાલ ઉઠ્યા. વર 15 દિવસથી લાપત્તા હોય તો વહુ શણગારીને ગરબામાં ફરે? ઘરમાં ખાલી બસો રૂપિયા હોય ત્યારે પત્ની કેમ કામ કરવા ન ગઈ ને પછી ગઈ? પોલીસને લાલા ના ફિંગર પ્રિન્ટ મૂર્તિઓ કે બેગ પર કેમ ન મળ્યાં? ઘરનાઓએ સવાલ ઉઠાવ્યા પણ ફિલ્મ છે. કેટલુંક ચાલે. ભજનો થોડાં વધુ છે અને ફિલ્મ જુનાગઢ દર્શન ઉપરાંત કૃષ્ણ સંબંધી યાત્રાસ્થળો ના દર્શન વધુ કરાવે છે એમ પણ લોકો કહેતા હતા. મેં તો તર્કશક્તિ બહાર મૂકી ફિલ્મ માણી. એકાંત બંગલામાં જીવન મરણ સામે ચોવીસ દિવસ ઝઝૂમતા રિક્ષાવાળા યુવાન ની અને એની ઈશ્વર પર શ્રદ્ધાની વાત છે. લાલો સદા સહાયતે. "હાક પાડ, હાજર છું " મારી જ એક કવિતાની પંક્તિ. એ જ સંદેશ અહીં. ગુજરાતી ફિલ્મ તરીકે એક મારી દ્રષ્ટિએ ખૂબ સારી ફિલ્મ.
આજકાલ પૉશ ટાવરોમાં રહેતાં યુગલો મોટે ભાગે હાથમાં હાથ પકડીને કે સ્ત્રી પુરુષનું બાવડું પકડીને જ જતી દેખાય છે. અમને તો કઈંક આશ્ચર્ય થાય. છુપી ઈર્ષ્યા હશે કે અમે આમ ન જીવ્યાં? એક અંગત વાત શેર કરું? હું મારી પત્નીનો હાથ પકડી ચાલું તો એ જ કહે કે "આ તો પોલીસ ધરપકડ કરી જતો હોય એવું ફીલ થાય છે." આમ જાહેરમાં સતત ફરવું જોઈએ કે નહીં? નયા જમાના હૈ ભાઈ! જો કે ઊંચી ફૂટપાથ ઉતરાવી હોય કે હાથમાં મોટો થેલો હોય કે ઉબડખાબડ રસ્તો હોય તો 'મારી એ' કહે જ છે કે 'હાથ મેરા થામ લો. ' સંસ્કૃતિની વાત છે. 1983 માં દ્વારકા કે સાવરકુંડલા માં સાથે નીકળીએ તો "બે માણા નીકળ્યાં" કહેતા લોકો. ત્યાં તે વખતે સ્ત્રી પાછળ, પુરુષ આગળ ચાલે એમ હતું. અમે અમદાવાદના એટલે સાથે ફરવું ગમે. 40 વર્ષ પછી મને આ નવું લાગે, એ યુગલો માટે સામાન્ય હશે! તમે જોજો, વિના અપવાદે આમ જ ચાલતાં હશે. આ તો પેલીને ખ્યાલ આવ્યો હશે કે કોઈ ફોટો લેશે કે ગમે એમ, એ થોડી દૂર થઈ ગઈ. બાકીતો મનમાં કહ્યું કે ઘૂંસી જા એના પડખામાં. વિષ્ણુની પાંસળીમાંથી લક્ષ્મી પ્રગટેલ એમ
ગંગા આરતી રામઝુલા, ઋષિકેશ
પ્રારંભ સિનિયર સિટીઝન હોમ્સ ખાતે. બિલકુલ શુદ્ધ હવા, પ્રદૂષણમુક્ત. ક્લબ હાઉસમાં જૂની ફિલ્મો, બિલિયર્ડ કે ટેબલટેનિસ જેવી ગેમ્સ, તહેવારોની સામુહિક ઉજવણી જેવી કે નવરાત્રી ગરબા, દિવાળી આરતી, ગણેશ ચતુર્થી જેવા. 70 ઉપરના બધા વયસ્કો પણ જે નાચે કે ગરબા કરે છે! આજે જ કોઈ fb પોસ્ટ સિનિયર હોમ્સ વિશે વાંચી. આ બધામાં ઘણા NRI છે. બીજાનાં બાળકો વિદેશમાં દૂર રહે છે. બહારનો દેખાવ તો ખૂબ સરસ. દરેક નાની એવી વિલાની બહાર આઠ દસ પ્લાન્ટ રહે એવી જગ્યા. એની તકલીફો પણ છે. શાક વગેરે 7 કિમી બાવળા જઈ લેવું પડે. 150 વિલા વચ્ચે એક શાકવાળો અઠવાડિયે બે કે ત્રણ દિવસ આવે ત્યારે વયસ્ક સન્નારીઓ નું પણ હુલ્લડ મચી જાય. દૂધ, છાપું ગેટ પર ડિલિવર થાય પછી એમના માણસ કાર્ટ માં ઘેર સવારે આપી જાય પણ જો દૂધ બગડ્યું, કોઈ મહેમાન આવ્યું વ. તો ટીપું દૂધ ન મળે બીજી સવાર સુધી. કરિયાણું અને દવા એક બાવળાનો વેપારી પહોંચાડે છે પણ અમુક ઓર્ડર ભેગા થાય ત્યારે. મકાનો માં એક નાનો રૂમ, એક પેસેજ જેવું કિચન, બેડરૂમ અને બહાર નાનો પેસેજ, ઓટલો. આર્કિટેક્ટ પુત્રે ધ્યાન ખેંચ્યું કે ક્યાંય ક્રોસ વેન્ટિલેશન નથી અને ઉપર સ્લેબમાં પંચર રાખવું જોઈએ (એટલે બારીક છિદ્રો) જેથી ગરમ હવા ઉપરથી નીકળી જાય. એની ગેરહાજરીમાં રૂમ બપોરે ભઠ્ઠી જેવો તપે. બાવળાથી આવવાના રસ્તે પાણી ભરાઈ જાય એટલે કટ ઓફ. મેં અગાઉ ઘણી વાર કહ્યું છે એમ આ વ્યવસાય આરક્ષણની ચોથી પેઢીની દેન છે. એકાદ માર્ક માટે સંતાનો ઓસ્ટ્રેલિયા કેનેડા કે ન્યૂઝીલેન્ડ ભણવા જાય પછી ત્યાં જ સેટ થવાની આર્થિક મજબૂરી અને મા બાપ ની ઉંમર થાય એટલે ચિંતિત સંતાનો જ્યાં એમની સંભાળ લેવાય, કહેવાતી મેડિકલ કેર હોય ત્યાં મૂકે. એકલાં અટુલા વયસ્ક મા બાપ સંતાનોનું ભલું ઇચ્છી અહીં એમની જેવી સ્થિતિ વાળાં એની મા બાપો સાથે આનંદમાં રહે. બેય તરફ જે થોડું કે ઘણું સહન કરી જતું કરવું પડે એ મા બાપ સંતાનોને કે સંતાનો મા બાપ ને કહે નહીં. તો જુઓ ત્યાંના ફોટાઓ. મારે તો મારું ઘર જ મારું સ્વર્ગ. નન્હી સી દુનિયા નન્હે ખ્વાબ. સંતોષી જીવો.
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser