Quotes by Parmar Mayur in Bitesapp read free

Parmar Mayur

Parmar Mayur

@parmarmayur6557


હે હ્રદય.
કોઈ તને તોડે તું નિરાશ ના થા.

કેમ?

તેને હૃદય તોડ્યું જ ક્યાં હોય છે.
બસ, તે તારો ભ્રમ તો તોડે છે.

તને લાગે છે કે તેને
વિશ્વાસ,
ઉમ્મીદ,
ઇરછાઓ,
તોડે છે.

અવગણના કરે
નજર અંદાજ કરે.

તો તે ખોટું છે.
કેમકે તેમના તરફથી કંઈ હતું જ નહીં.

બસ આપણી અપેક્ષાઓ જ વધારે હતી .

જ્યારે દોષિત સામેવાળી વ્યક્તિને બનાવી દઈએ છે.

ભ્રમણાઓ તુટ્યા પછીની વાસ્તવિકતાઓ જ સત્ય હોય છે.

Read More

🙏🙏અહંકારનો નશો દારૂના નશા કરતા પણ વધુ ખતરનાક છે.🦚🦚

- Parmar Mayur

એક કવિએ જે તે સમયે લખેલી એક કવિતા.

વંદેમાતરમ્

આઝાદી પૂર્વે સમગ્ર દેશને એકજૂટ કરીને એક એક વ્યકિતમાં આઝાદી ની નવચેતના જાગૃત કરી હતી.

તે કાવ્ય એટલે વંદેમાતરમ્,

જે પછી દરેક આઝાદીના લડવૈયા ઓનો આઝાદી નો બુલંદ નારો બન્યો.

વંદેમાતરમ્ એટલે મારી માતૃભૂમિ ને હું વંદન કરું છું.
બસ એક સીધો અને સાદો અર્થ.

તેમાં કોઈપણ ધર્મ હિન્દુ, મુસ્લિમ,શીખ કે ઈસાઈ હોય જે ભૂમિ પર રહેતા હોય તે દરેક તે ભૂમિને નમન કરવા જોઈએ.

આજે દોઢસો વર્ષ પછી એ જ કાવ્ય જ્યાં આખા દેશની આશોઓ બેઠી છે તે સંસદમાં પરસ્પર ઝઘડાઓ નું કારણ બને છે.

ગજબ છે વિધીની વક્રતા!

જે કાવ્ય થી દેશ એક થયો હતો તેજ કાવ્ય થી દેશને માનસિક રીતે વિભાજિત કરવાની તૈયારી!

આ સ્થિતિ જોઈને તેનાં રચયિતા બંકિમ ચન્દ્ર ચટ્ટોપાધ્યાય અને મુખ પર વંદેમાતરમ્ બોલીને ફાંસીના માંચડે લટકનાર દેશના સપૂતો નાં આત્મા પર શું વિતતી હશે?

વાત વિચારવા જેવી છે.

વંદેમાતરમ્.

Read More

🙏🙏ક્યારેક લડી લેવું જોઈએ 'પોતાની જાત સાથે' તો 'અન્ય સાથે થતાં ઘણા ઝઘડાં અટકાવી' શકાય છે.🦚 🦚

- Parmar Mayur

🙏🙏હે પર્વતરાજ તું સ્થિર,અટલ ઉભો, કેટલાંય જીવોનો "આશ્રયદાતા" છે.

તું કરે ના ઉંચાઈ નું અભિમાન! તું ઝરણાં થકી સાગરને પણ "પાણી" આપનાર છે.🦚🦚

⛰️World mountain day 🏔️

- Parmar Mayur

Read More

🙏🙏જ્યારે ખુદનાં 'અધિકારો' પર તરાપ અન્યાય થી વાગે છે.

બસ પછી 'મહાભારત' ફટાફટ રચાવા લાગે છે.🦚🦚

🤝માનવ અધિકાર દિવસ 🤜

- Parmar Mayur

Read More

તેનું મૌન આંખોમાં શબ્દો બની ઉપસેલ છે,
ચક્ષુ અનિમેષ થઈને પાંપણના દ્વાર અટકે છે.

- Parmar Mayur

🙏🙏જીંદગીમાં થોડા ખોટાં, કડવા કે ખરાબ અનુભવો જ "સાચું જ્ઞાન" આપે છે.

સુખમાં ઉછરેલા સિદ્ધાર્થ ને 'કષ્ટ પીડા, દુઃખ દર્દ' બોધ આપીને "બુદ્ધ" બનાવે છે.🦚🦚

☸️બોધી દિવસ🪷

- Parmar Mayur

Read More

🙏🙏એ ઇરછાઓ ફિનિક્સ પક્ષીની માફક વારંવાર રાખમાંથી સંજીવન થઈ જાય છે.

મારું તો પણ મારું કેવી રીતે મારતાં જ મારું અસ્તિત્વ સમાપ્ત થઈ જાય છે.🦚🦚

- Parmar Mayur

Read More

🙏🙏હાસ્યનું પ્રતિબિંબ કેટલું 'સુંદર અને નાદાન' હોય છે.

કોઈનાં ચહેરા પર લાવીએ છે તો આપોઆપ 'આપણા ચહેરા' પર આવી જાય છે.🦚🦚

- Parmar Mayur

Read More