Quotes by Parmar Mayur in Bitesapp read free

Parmar Mayur

Parmar Mayur

@parmarmayur6557


🙏🙏તું સમય વગર વરસી ધરતીને 'કેમ' ભીંજવી જાય છે?

તને ખબર નથી.

ધરતીના રખેવાળની આંખોમાંથી 'દળ-દળ આંસુડાં' વહી જાય છે.

તારે 'વરસવું' જ છે?

વરસી જા, ના નથી પણ સમય જોઈને થોડો "સમજી" જા ને,,!🦚🦚

Read More

🙏🙏દરેકની જીંદગી હંમેશા લાભ માટે વધું ક્રિયાશીલ રહેતી હોય છે.

રહેવી પણ જોઈએ.

લાભ થતો હોય,નફો થતો હોય તો કોને ના ગમે?

કેટલાક લોકો પોતાના જીવનમાં ક્યારેક અમુક ક્રિયાઓ દ્વારા પણ જીંદગીનો સાચો નફો કમાઈ લેતા હોય છે.

કોઈ ભુખ્યા પ્રાણીને પાંચ રૂપિયા નું બિસ્કીટ નું પેકેટ ખરીદી ખવડાવી દે કે પછી કોઈ ગરીબનો જઠરાગ્નિ ઠારીને.

કોઈ પંખીઓને ચણ નાખીને તેમની પાંખો ને થોડો વિરામ અને આંખોને સંતોષ આપીને.

કોઈ જળમાં તરી રહેલી માછલીઓને થોડું પાકું કે કાચું અનાજ નાખી જળનાં ઉંડાણ સુધીની ખુશી પ્રાપ્ત કરી લેતા હોય છે.

આવી તો અઢળક ક્રિયાઓ છે જેના થકી ઘણુંબધું અદશ્ય લાભ રૂપે‌ પ્રાપ્ત થઈ જતું હોય છે.

જેમાં કોઈ બાળકને ચોકલેટ આપીને બન્ને તરફ નો આનંદ પ્રાપ્ત કરી લેવો,કોઈ સારું પુસ્તક કોઈને ભેટમાં આપીને કોઈનાં જીવનનો માર્ગ સકારાત્મક રીતે બદલી કાઢવો.

જીંદગીમાં લાભ જીવંત છે ત્યાં સુધીની ચાહત રાખનાર વ્યવહાર ની એક પરિભાષા નિભાવી જાણે છે.

જ્યારે માનવતાની દષ્ટિએ કરેલ કેટલાક કાર્યો જીવંત રહેતા સુધી ની ખુશી સાથે જ મૃત્યુ પછીના જીવનની મૂડી સાબિત થતાં હોય છે.

જીંદગીમાં ખુદનાં લાભ સાથે અન્યને પણ લાભ થાય તે દષ્ટિએ થતું દરેક કાર્ય ઈશ્વરની પ્રાર્થના બરાબર રહેતું હોય છે.🦚🦚

🚩લાભપાંચમ ની સર્વને શુભેચ્છાઓ 🚩

Read More

અમુક સમયે કોઈની કોમેન્ટ પણ વિચારવા મજબૂર કરી દે છે.

કોમેન્ટ કરનાર ભાન સાથે કોમેન્ટ કરે છે કે પછી એક રોબોટ ની જેમ બસ કરવા ખાતર કરે છે.


કોમેન્ટ એટલે જે તે વ્યકિતએ લખેલા લખાણ પ્રત્યે આપણો ગમો કે અણગમો સામે લખાણ દ્વારા વ્યક્ત કરવો.

જેને સોશિયલ મીડિયા પર કોમેન્ટ નાં સ્વરૂપે ઓળખવામાં આવે છે.

કોઈ વ્યક્તિ દ્વારા લખાતું લખાણ જે મુજબ હોય તેને અનુરૂપ કોમેન્ટ કે પ્રતિભાવ આપવામાં આવે કે તે વિષયને અનુલક્ષીને કંઈ કહેવામાં આવે તો તેવો પ્રતિભાવ કે કોમેન્ટ યોગ્ય રહે છે.

મેં ઘણા સમયથી એમ બી જેવી સાઈટ પર કોમેન્ટ બાબતે રમૂજ ઉપજે તેમજ મનમાં પ્રશ્નાર્થ જન્મે કે ખરેખર કોમેન્ટ કરનાર વ્યક્તિ વાંચતું હશે કે પછી બસ ફક્ત કોમેન્ટ કરવામાં જ આનંદ આવતો હોય.

કોઈ સારું લખાણ લખે તો કદાચ તેના લખાણને બિરદાવવા "કયા બાત હૈ" કોમેન્ટ કરે તો યોગ્ય છે.

જ્યારે કોઈ દુઃખદ લખાણ લખ્યું હોય કે કોઈને શ્રદ્ધાંજલિ પાઠવી હોય ત્યાં પણ ક્યાં બાત હૈ કોમેન્ટ કરે તો કેટલું યોગ્ય રહે?

આ સમયે તે વ્યક્તિ લખાણ વાંચે છે કે પછી આંખો બંધ કરીને એક જ કોમેન્ટ કરે રાખે છે.

કોઈ સમજદાર વ્યક્તિ આ રીતે કરે તો યોગ્ય તો ના જ કહેવાય ને?

મને થતાં પ્રશ્ન મારા મતે બરાબર લાગે છે કે કોઈપણ લખાણ પ્રથમ વાંચવું જોઈએ. તેને સમજવું જોઈએ.

પછી જ તે મુજબ કોમેન્ટ રૂપે અભિપ્રાય આપવો જોઈએ નહીં તો પછી ખોટી લાઈક કે કોમેન્ટ આપીને અન્યની સાથે પોતાની જાતને છેતરવી યોગ્ય તો ના જ કહેવાય ને?

એક લાઈક નાં ચક્કરમાં બસ વિચાર્યા વિના જ કોમેન્ટ કરી દેવી કેટલી હદે યોગ્ય? હમણાં એક યુઝર્સ તો કોઈ ઈમેજ દેખાતી નથી કોઈ લખાણ દેખાતું નથી છતાં પણ ખોટી 'વાહ વાહ' કરે રાખે આવું સાહિત્ય પ્રત્યે રસ રુચિ ધરાવતા વ્યકિતઓ કરે તો કેટલી હદે યોગ્ય કહેવાય? પછી હશે દરેકની જેવી વિચારધારા.

Read More

🙏🙏હળવો સુરજનો તડકો મળે, મળે જોવા હસતાં ચહેરા,

સાદું ભોજન, સાદું જીવન પછી તે ઘરે ડોક્ટર ના મળે જોવા.🦚🦚

- Parmar Mayur

Read More

🙏🙏પોતાની જાત પ્રત્યે "શ્રધ્ધા, પ્રેમ અને વિશ્વાસ વધારતી વ્યક્તિ, શબ્દો કે વસ્તુ પ્રાણવાયું નું કામ કરે છે.🦚🦚

- Parmar Mayur

Read More

🙏🙏સઘળાં સગાંસંબંધીઓ વચ્ચે 'ચીરહરણ' દ્રોપદીનું થાય ત્યારે 'ચીર પુરવા' "ભાઈ કૃષ્ણ" આવે છે.

બધાજ 'ભય' ભલે રહ્યા બહેનને દરેક 'ભયથી મુક્તિ' અપાવવા એક "ભાઈ" દોડી આવે છે.🦚🦚

🚩ભાઈબીજ નાં પવિત્ર પર્વની સર્વને શુભેચ્છાઓ 🚩

Read More

🙏🙏સુર્યના ઉદય સાથે જ નવા વર્ષને 'હૃદયપૂર્વક આવકારું' છું.

મિત્રો, સ્નેહીજનો, સર્વને હદયથી 'નૂતન વર્ષાભિનંદન' પાઠવું છું.🦚🦚

🚩તમને અને તમારા પરિવારને નૂતન વર્ષાભિનંદન 🚩

Read More

🙏🙏નવ ગ્રહો પણ નવા દિવસની તૈયારી કરવા એક દિવસનો વચ્ચે પડતર દિવસ આપે છે.

પોતાના જ કામમાં મસ્ત, મશગુલ રહેતા માણસને સમજીને કુદરત પણ કેવી રાહત આપે છે.🦚🦚

Read More

🙏🙏આજનો જ નહીં દરેક ઉગતો દિવસ શાંતિથી વિતે તેવી મનોકામના છે.

થોડી ખુશી થોડા પડકારો આવે !આવતા રહે, તે જ જીંદગીની યોગ્ય ધારણા છે.

દીવડો તો પ્રગટી રહેવાનો વર્ષોવર્ષ ઈશ્વર સમક્ષ કે ઘર આંગણિયે.

કોઈ જીવનમાં અંધકાર ભાળી 'અંતર મનનો દીપ પ્રજ્વલિત' થાય તેવી શુભકામના છે.🦚🦚

🚩🪔દિવાળી નાં પાવન પર્વની શુભકામનાઓ 🪔🚩

Read More

🙏🙏ઈશ્વરની 'આરાધના' શુદ્ધ મનથી સ્થાપિત થયેલા 'મંત્રોના મંત્રોચ્ચારથી' થાય તો તે આરાધનાનું સંગ્રહિત થયેલું 'પુણ્ય સંકટ' સમયે કામ લાગે છે.

જ્યારે તંત્ર દ્વારા કોઈ લાલચ થી કરવાંમાં આવેલી 'સાધના' કોઈ એક ભૂલથી 'વિરોધાભાસ' પેદા કરીને 'લાભ' ઓછો અને 'નુકસાન' વધુ કરી શકે છે.

🚩કાળી ચૌદશ નાં પાવનપર્વની સર્વને શુભેચ્છાઓ 🚩

Read More