The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
🙏🙏હે પર્વતરાજ તું સ્થિર,અટલ ઉભો, કેટલાંય જીવોનો "આશ્રયદાતા" છે. તું કરે ના ઉંચાઈ નું અભિમાન! તું ઝરણાં થકી સાગરને પણ "પાણી" આપનાર છે.🦚🦚 ⛰️World mountain day 🏔️ - Parmar Mayur
🙏🙏જ્યારે ખુદનાં 'અધિકારો' પર તરાપ અન્યાય થી વાગે છે. બસ પછી 'મહાભારત' ફટાફટ રચાવા લાગે છે.🦚🦚 🤝માનવ અધિકાર દિવસ 🤜 - Parmar Mayur
તેનું મૌન આંખોમાં શબ્દો બની ઉપસેલ છે, ચક્ષુ અનિમેષ થઈને પાંપણના દ્વાર અટકે છે. - Parmar Mayur
🙏🙏જીંદગીમાં થોડા ખોટાં, કડવા કે ખરાબ અનુભવો જ "સાચું જ્ઞાન" આપે છે. સુખમાં ઉછરેલા સિદ્ધાર્થ ને 'કષ્ટ પીડા, દુઃખ દર્દ' બોધ આપીને "બુદ્ધ" બનાવે છે.🦚🦚 ☸️બોધી દિવસ🪷 - Parmar Mayur
🙏🙏એ ઇરછાઓ ફિનિક્સ પક્ષીની માફક વારંવાર રાખમાંથી સંજીવન થઈ જાય છે. મારું તો પણ મારું કેવી રીતે મારતાં જ મારું અસ્તિત્વ સમાપ્ત થઈ જાય છે.🦚🦚 - Parmar Mayur
🙏🙏હાસ્યનું પ્રતિબિંબ કેટલું 'સુંદર અને નાદાન' હોય છે. કોઈનાં ચહેરા પર લાવીએ છે તો આપોઆપ 'આપણા ચહેરા' પર આવી જાય છે.🦚🦚 - Parmar Mayur
સઘળી વ્યથાના શબ્દો હદય ભીતર દબાવ્યા છે, આજકાલ લાંબુ લખાણ ક્યાં વાંચે કે સાંભળે છે. - Parmar Mayur
ક્યારેક મનમાં પ્રશ્ન થાય છે. એ રાવણ ત્રિકાળજ્ઞાની હતા. શું તેને ખબર નહીં હોય? એક દિવસ માટીમાં મળી જવાનું છે. તો પણ અહંકાર સ્વયં ને ના જાણીને અહમ્ ને પોષણ આપ્યું. શું સીતાની અવમાનના સાથે જ સુવર્ણની લંકા પણ તેનું કારણ હશે? જો હોય તો એ સુવર્ણ લંકા કરતા મારી માતૃભૂમિ ની માટી થી બનેલ કાચું ખોરડું ભલે રહ્યું. કહેવાય છે કે શ્રી કૃષ્ણ એ પણ સોનાની દ્વારિકા નગરી વસાવી હતી. શ્રી કૃષ્ણ પણ ત્યાં ઝાઝું રાકાયા વિના બસ કૌરવ પાંડવ આંતરકલહ નિવારવા સક્રિય રહ્યા. આખરે યુદ્ધ થી જ નિવારણ. યાદવો અંદરોઅંદર દ્રેષ, ઈર્ષા અને અહંકાર થી પિડિત થઈ ને ઝઘડીને મર્યા હતા, શું ગાંધારીના શ્રાપ સાથે જ તેનું એક કારણ સુવર્ણની કાન્હા વિનાની માયા તો નહીં હોયને? કાન્હા એ સુવર્ણની દ્વારિકા નેં એમ જ તો સમૃદ્ધ માં ડુબાડી નહીં હોય ને. એક દિવસ માટીમાં માટી કે રાખ થઈ ને અંતે ભળી જવાનું છે. એટલે જ સુવર્ણ કરતાં માટીને ધ્યાનમાં રાખવી બહેતર રહે જ્યારે કોઈ વાતનો અહંકાર આવે. આપોઆપ અહંકાર ભાગીને માટીમાં ભળી જશે 🦚🦚
🙏🙏જો માં👩🏻🍼,માટી🇮🇳 અને મિત્રો🫂🇷🇺 નું ઋણ ઉતારવાનો મોકો મળે તો કદી ખોવો ના જોઈએ.🦚🦚 🇮🇳 world soil day 🇮🇳 - Parmar Mayur
કોઈનું આગમન જ્યારે હદયની ભીંતર થાય છે પછી ખાલીપો, એકલતાની ફરિયાદ દૂર થાય છે? - Parmar Mayur
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser