The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
હે હ્રદય. કોઈ તને તોડે તું નિરાશ ના થા. કેમ? તેને હૃદય તોડ્યું જ ક્યાં હોય છે. બસ, તે તારો ભ્રમ તો તોડે છે. તને લાગે છે કે તેને વિશ્વાસ, ઉમ્મીદ, ઇરછાઓ, તોડે છે. અવગણના કરે નજર અંદાજ કરે. તો તે ખોટું છે. કેમકે તેમના તરફથી કંઈ હતું જ નહીં. બસ આપણી અપેક્ષાઓ જ વધારે હતી . જ્યારે દોષિત સામેવાળી વ્યક્તિને બનાવી દઈએ છે. ભ્રમણાઓ તુટ્યા પછીની વાસ્તવિકતાઓ જ સત્ય હોય છે.
🙏🙏અહંકારનો નશો દારૂના નશા કરતા પણ વધુ ખતરનાક છે.🦚🦚 - Parmar Mayur
એક કવિએ જે તે સમયે લખેલી એક કવિતા. વંદેમાતરમ્ આઝાદી પૂર્વે સમગ્ર દેશને એકજૂટ કરીને એક એક વ્યકિતમાં આઝાદી ની નવચેતના જાગૃત કરી હતી. તે કાવ્ય એટલે વંદેમાતરમ્, જે પછી દરેક આઝાદીના લડવૈયા ઓનો આઝાદી નો બુલંદ નારો બન્યો. વંદેમાતરમ્ એટલે મારી માતૃભૂમિ ને હું વંદન કરું છું. બસ એક સીધો અને સાદો અર્થ. તેમાં કોઈપણ ધર્મ હિન્દુ, મુસ્લિમ,શીખ કે ઈસાઈ હોય જે ભૂમિ પર રહેતા હોય તે દરેક તે ભૂમિને નમન કરવા જોઈએ. આજે દોઢસો વર્ષ પછી એ જ કાવ્ય જ્યાં આખા દેશની આશોઓ બેઠી છે તે સંસદમાં પરસ્પર ઝઘડાઓ નું કારણ બને છે. ગજબ છે વિધીની વક્રતા! જે કાવ્ય થી દેશ એક થયો હતો તેજ કાવ્ય થી દેશને માનસિક રીતે વિભાજિત કરવાની તૈયારી! આ સ્થિતિ જોઈને તેનાં રચયિતા બંકિમ ચન્દ્ર ચટ્ટોપાધ્યાય અને મુખ પર વંદેમાતરમ્ બોલીને ફાંસીના માંચડે લટકનાર દેશના સપૂતો નાં આત્મા પર શું વિતતી હશે? વાત વિચારવા જેવી છે. વંદેમાતરમ્.
🙏🙏ક્યારેક લડી લેવું જોઈએ 'પોતાની જાત સાથે' તો 'અન્ય સાથે થતાં ઘણા ઝઘડાં અટકાવી' શકાય છે.🦚 🦚 - Parmar Mayur
🙏🙏હે પર્વતરાજ તું સ્થિર,અટલ ઉભો, કેટલાંય જીવોનો "આશ્રયદાતા" છે. તું કરે ના ઉંચાઈ નું અભિમાન! તું ઝરણાં થકી સાગરને પણ "પાણી" આપનાર છે.🦚🦚 ⛰️World mountain day 🏔️ - Parmar Mayur
🙏🙏જ્યારે ખુદનાં 'અધિકારો' પર તરાપ અન્યાય થી વાગે છે. બસ પછી 'મહાભારત' ફટાફટ રચાવા લાગે છે.🦚🦚 🤝માનવ અધિકાર દિવસ 🤜 - Parmar Mayur
તેનું મૌન આંખોમાં શબ્દો બની ઉપસેલ છે, ચક્ષુ અનિમેષ થઈને પાંપણના દ્વાર અટકે છે. - Parmar Mayur
🙏🙏જીંદગીમાં થોડા ખોટાં, કડવા કે ખરાબ અનુભવો જ "સાચું જ્ઞાન" આપે છે. સુખમાં ઉછરેલા સિદ્ધાર્થ ને 'કષ્ટ પીડા, દુઃખ દર્દ' બોધ આપીને "બુદ્ધ" બનાવે છે.🦚🦚 ☸️બોધી દિવસ🪷 - Parmar Mayur
🙏🙏એ ઇરછાઓ ફિનિક્સ પક્ષીની માફક વારંવાર રાખમાંથી સંજીવન થઈ જાય છે. મારું તો પણ મારું કેવી રીતે મારતાં જ મારું અસ્તિત્વ સમાપ્ત થઈ જાય છે.🦚🦚 - Parmar Mayur
🙏🙏હાસ્યનું પ્રતિબિંબ કેટલું 'સુંદર અને નાદાન' હોય છે. કોઈનાં ચહેરા પર લાવીએ છે તો આપોઆપ 'આપણા ચહેરા' પર આવી જાય છે.🦚🦚 - Parmar Mayur
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser