Quotes by Parmar Mayur in Bitesapp read free

Parmar Mayur

Parmar Mayur

@parmarmayur6557


🙏🙏હે પર્વતરાજ તું સ્થિર,અટલ ઉભો, કેટલાંય જીવોનો "આશ્રયદાતા" છે.

તું કરે ના ઉંચાઈ નું અભિમાન! તું ઝરણાં થકી સાગરને પણ "પાણી" આપનાર છે.🦚🦚

⛰️World mountain day 🏔️

- Parmar Mayur

Read More

🙏🙏જ્યારે ખુદનાં 'અધિકારો' પર તરાપ અન્યાય થી વાગે છે.

બસ પછી 'મહાભારત' ફટાફટ રચાવા લાગે છે.🦚🦚

🤝માનવ અધિકાર દિવસ 🤜

- Parmar Mayur

Read More

તેનું મૌન આંખોમાં શબ્દો બની ઉપસેલ છે,
ચક્ષુ અનિમેષ થઈને પાંપણના દ્વાર અટકે છે.

- Parmar Mayur

🙏🙏જીંદગીમાં થોડા ખોટાં, કડવા કે ખરાબ અનુભવો જ "સાચું જ્ઞાન" આપે છે.

સુખમાં ઉછરેલા સિદ્ધાર્થ ને 'કષ્ટ પીડા, દુઃખ દર્દ' બોધ આપીને "બુદ્ધ" બનાવે છે.🦚🦚

☸️બોધી દિવસ🪷

- Parmar Mayur

Read More

🙏🙏એ ઇરછાઓ ફિનિક્સ પક્ષીની માફક વારંવાર રાખમાંથી સંજીવન થઈ જાય છે.

મારું તો પણ મારું કેવી રીતે મારતાં જ મારું અસ્તિત્વ સમાપ્ત થઈ જાય છે.🦚🦚

- Parmar Mayur

Read More

🙏🙏હાસ્યનું પ્રતિબિંબ કેટલું 'સુંદર અને નાદાન' હોય છે.

કોઈનાં ચહેરા પર લાવીએ છે તો આપોઆપ 'આપણા ચહેરા' પર આવી જાય છે.🦚🦚

- Parmar Mayur

Read More

સઘળી વ્યથાના શબ્દો હદય ભીતર દબાવ્યા છે,
આજકાલ લાંબુ લખાણ ક્યાં વાંચે કે સાંભળે છે.
- Parmar Mayur

ક્યારેક મનમાં પ્રશ્ન થાય છે.
એ રાવણ ત્રિકાળજ્ઞાની હતા.

શું તેને ખબર નહીં હોય?
એક દિવસ માટીમાં મળી જવાનું છે.

તો પણ અહંકાર

સ્વયં ને ના જાણીને અહમ્ ને પોષણ આપ્યું.

શું સીતાની અવમાનના સાથે જ સુવર્ણની લંકા પણ તેનું કારણ હશે?

જો હોય તો એ સુવર્ણ લંકા કરતા મારી માતૃભૂમિ ની માટી થી બનેલ કાચું ખોરડું ભલે રહ્યું.

કહેવાય છે કે શ્રી કૃષ્ણ એ પણ સોનાની દ્વારિકા નગરી વસાવી હતી.

શ્રી કૃષ્ણ પણ ત્યાં ઝાઝું રાકાયા વિના બસ કૌરવ પાંડવ આંતરકલહ નિવારવા સક્રિય રહ્યા.

આખરે યુદ્ધ થી જ નિવારણ.

યાદવો અંદરોઅંદર દ્રેષ, ઈર્ષા અને અહંકાર થી પિડિત થઈ ને ઝઘડીને મર્યા હતા,

શું ગાંધારીના શ્રાપ સાથે જ તેનું એક કારણ સુવર્ણની કાન્હા વિનાની માયા તો નહીં હોયને?

કાન્હા એ સુવર્ણની દ્વારિકા નેં એમ જ તો સમૃદ્ધ માં ડુબાડી નહીં હોય ને.

એક દિવસ માટીમાં માટી કે રાખ થઈ ને અંતે ભળી જવાનું છે.

એટલે જ સુવર્ણ કરતાં માટીને ધ્યાનમાં રાખવી બહેતર રહે જ્યારે કોઈ વાતનો અહંકાર આવે.

આપોઆપ અહંકાર ભાગીને માટીમાં ભળી જશે 🦚🦚

Read More

🙏🙏જો માં👩🏻‍🍼,માટી🇮🇳 અને મિત્રો🫂🇷🇺 નું ઋણ ઉતારવાનો મોકો મળે તો કદી ખોવો ના જોઈએ.🦚🦚

🇮🇳 world soil day 🇮🇳

- Parmar Mayur

Read More

કોઈનું આગમન જ્યારે હદયની ભીંતર થાય છે
પછી ખાલીપો, એકલતાની ફરિયાદ દૂર થાય છે?

- Parmar Mayur