The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
સાંભળ્યું છે કે જેને ચાહત હોય છે જીસ્મ થી. તે લોકો ખુબજ સમય આપે છે. પોતાના ગમતાં પાત્રને ખુશ કરવા. બસ પોતે ખુશ થતાં સુધી, પછી અસહ્ય દર્દ આપે છે. તે લોકો જીભથી ખુબજ મીઠાં હોય. ખુબજ જ મીઠાં સ્વાર્થ પુર્ણ થતા સુધી. પછી મનની કડવાશ જીભથી અને સ્વભાવથી દેખાય. હા જીસ્મ ની ચાહત હોય, જ જાદુગર જેવી. જાદુ નું સંમોહન ખત્મ, પછી વાસ્તવિકતા દેખાય સાચી.
🙏🙏જે છે તે જ કહે તે "મિત્ર" જે નથી છતાં પણ તે કહે તે શત્રુ કે પછી ચાપલૂસ.🦚🦚 - Parmar Mayur
🙏🙏સાગર કિનારે ઉભેલી નાળિયેરી સાગરને કહી રહી છે કે, ભલે રહી તારા પાણીમાં અઢળક ખારાશ, મને તે તારા કિનારે આશરો જો આપ્યો છે. મારાથી બનતાં તમામ પ્રયત્નો થકી હું તારા માટે કંઈક તો કરીશ. હે સાગર તારાં ખારાં પાણીને મીઠું જળ બનાવવાનો મારાથી બનતો પ્રયાસ અવશ્ય કરીશ.🦚🦚 - Parmar Mayur
🙏🙏જે રાષ્ટ્રનાં 🇳🇵નેતાઓ ભ્રષ્ટ થાય છે. તે રાષ્ટ્રની પ્રજાને પીડા અને તકલીફો વેઠવા તૈયાર રહેવું પડે છે. જ્યારે પ્રજા અતિશય તકલીફો થી ત્રસ્ત થાય છે ત્યારે નેતાઓએ માર ખાવા કે દેશ છોડવા તૈયાર રહેવું પડે છે.🦚🦚 - Parmar Mayur
🙏🙏સત્ય 'સુર્ય અને ચંદ્ર' સમાન છે. તેનું થોડો સમય માટે ગ્રહણ થઈ શકે છે પરંતુ નાશ નહીં. તે વધું "તેજ ઉર્જા' સાથે દેખાય છે અને પોતાનાં 'અસ્તિત્વ' ની ખાતરી આપે છે.🦚🦚 - Parmar Mayur
પ્રકૃતિ રિસાઈ રહી છે. તેનું તાંડવ જોતા તો લાગી જ રહ્યું છે. પર્વતીય વિસ્તારોમાં આભ ફાટી રહ્યા છે. જે લોકોને આભ જેવું હ્ર્દય ફાટ આક્રંદ કરાવે છે. ખળ-ખળ વહેતી સરિતાઓ ધડ-ધડાટ વહીને પોતાનાં જળમાં કિનારાની જમીનોને વધુને વધુ દબાવી રહી છે. સમૃદ્ધ પણ તોફાને ચડે છે, વૃક્ષો પવન નો માર વેઠી શકતાં નથી અને મૂળ સાથે જમીનદોસ્ત થઈ રહ્યા છે. હા,પણ તે વૃક્ષો ને માણસનાં કુહાડીના ઘા કરતા મૂળ સહિતનો મોક્ષ ગમશે. આવું બધું કેમ થઈ રહ્યું છે, જે માણસને ગમતું ના હોય? કંઈક તો કારણ હશે જ અહિયાં કૃષ્ણની ભગવદગીતા યાદ આવી. હા તે બધા સત્ય માણે છે, તો પછી તેને તો યાદ કરવી જ પડે. કર્મનો સિદ્ધાંત:- માણસને તેની સાથે ના ગમતું કર્મ કોઈ તેની સાથે ના કરે, તો તેને પણ કોઈને ના ગમતું કર્મ ના કરવું જોઈએ. બસ સમજાઈ ગયું ને પ્રકૃતિ કેમ રિસાઈ છે. એમ જ તો થોડી આ રીતે પ્રકૃતિ કોપાયમાન થાય! ઈશ્વરે પૃથ્વી પર માણસ સાથે પશુપક્ષી અને પ્રકૃતિનું પણ નિર્માણ કર્યું. મારું તો માનવું છે કે માણસ સાથે દરેક સજીવ પણ પ્રકૃતિનું જ અભિન્ન અંગ છે. કોઈનાં વિચારે અલગ પણ હોય શકે, તેમાં પણ ના નથી. મનુષ્ય જ્યારે જીવંત પ્રકૃતિ સાથે રહેતો ત્યારે બન્ને વચ્ચે એક એકત્વભાવનું તાદાત્મ્ય બની રહેતું હતું. મનુષ્ય હળીમળીને હરિયાળી સાચવતા અને માણતા. પ્રકૃતિ મનુષ્યને તંદુરસ્તી આપીને સંતોષ સાથેનું સુખ આપી ને સાચવતી. બન્નેને ત્યાં સુધી કોઈ વાંધો ના હતો. માણસ પ્રકૃતિ વચ્ચે રહીને તેનાં પ્રાકૃતિક ધનાઢ્ય વૈભવને માણતાં ખરેખર તે સમયે પ્રકૃતિ પણ પ્રફુલ્લિત રહેતી. કેમકે માણસ માણતાં હતાં મારતાં ના હતાં. બસ જ્યારથી માણસ જડ ઈંટ, કપચી અને રેતીના મકાનોમાં રહેવાનું શરૂ કર્યું. પ્રકૃતિના વિકાસ ને મારીને ખુદનાં વિકાસ નાં નામે. ધીરે ધીરે માણસ વધું પ્રમાણમાં જડત્વ સાથે રહેતા જ જડતા આવવા લાગી. જડતા આવે જ. કેમકે પથ્થર શ્વાસ થોડા આપે. જે મૃત છે તેનામાં હકારાત્મક ઉર્જા થોડી પ્રાપ્ત થવાની. મૃતમાં પણ પ્રાણ પુરવા પડે. એટલાં સમર્થ હજુ અણસમજુ માનવ ક્યાં? જ્ઞાની એવું કરશે નહીં. બસ માણસ જેમ જેમ જડ,મૃત પદાર્થો થી ઘેરાતો ગયો એટલો જ પ્રકૃતિથી રિસાઈ જવા લાગ્યો. હવે કોઈ વારંવાર અણ દેખું કરે કે કરે અદેખાઈ અને પાછું નુકશાન પણ કરે. તો પછી રિસાઇ જાય પછી પ્રકૃતિ હોય કે માણસ. માણસ કરતાં પ્રકૃતિ તો ઘણા ત્રાસ પછી રિસાઈ છે. માણસોનું તો શું કહેવું! બસ જરા અમથી સુવિધાઓ માટે પણ અઢળક નુકશાન કરે. જો સુવિધાઓ ના મળી તો પણ ગુસ્સા સાથે રિસાઈ જાય. સાચું છે ને? બસ પ્રકૃતિ પણ માણસને જોઈને જ શીખી ગઈ છે જેવા સાથે તેવા.
🙏🙏જો🇮🇳 આપણે શિયાળ 🇦🇸 જેવા કપટી દુશ્મનની પ્રશંસાથી ફુલાઈ જઈએ છીએ. તો પછી કાગડાની 🇵🇰 માફક પુરી ખોવાના વખત આવે જ છે.🦚🦚 - Parmar Mayur
मुझे उनसे मोहब्बत थी, ऊनको कोई शक ना था, और उन्हें डर बस इतना था कि कहीं हो ना जाए। - Parmar Mayur
🙏🙏હે ઈશ્વર તમે 'મુર્તિ રૂપે' હતા તેનું 'વિસર્જન' જળમાં કરીએ છીએ. શ્રદ્ધા તો છે અને 'રહેશે જ' વિસર્જન તેનું કદી થવા નહીં દઇએ.🦚🦚 - Parmar Mayur
પ્રેમ અઢી અક્ષર નો શબ્દ-: બસ બૌધ્ધિક રીતે તેને સમજવા જાવ તો એક પડ ઉખાડો ત્યાં જ બીજું પડ ઉખડે. પ્રેમ એતો રહ્યો નાદાનિયત નો વિષય! જેમાં સમજીને પણ અણસમજુ બનવામાં બૌદ્ધિક તા દેખાઈ છે. કહેવાય છે કે, દુનિયા ખરેખર પ્રેમ નામના તત્વને કારણે જ ટકી રહી છે. હા સત્ય પણ હોય શકે! શંકા જરાય નથી. કેમકે પ્રણયનું અસ્તિત્વ જો અંત તરફ પ્રયાણ કરે તો પછી વિનાશનું તાંડવ તો નક્કી જ છે. પ્રેમ એતો પ્રકૃતિ અને જીવન ને જીવંત રાખતો મનગમતો હૃદયનો ધબકાર છે. ઘણા લોકો કહે છે કે પ્રેમ તો ફક્ત એક જ વ્યક્તિ પ્રત્યે હોય! તો શું મહદઅંશે તેમાં સત્યતા ખરી? પ્રેમ કોઈ એક જ વ્યક્તિ પુરતો સિમિત હોય? ખરેખર હોય? આ રીતે તો આપણો કાન્હો ખોટો પડે, ના કદી પડે કેમકે કૃષ્ણપ્રેમ અનુભુતિ છે. રાધાને પ્રેમ કરનાર કાન્હો તેમની રાણીઓને અને પ્રજાને પણ એટલો જ પ્રેમ કરે છે. જરાય અન્યાય નહીં. જે ન્યાય નું સ્વરૂપ જ છે પછી અન્યાય ની કલ્પના થોડી કરી શકાય. પ્રેમ કોઈ એક જ વ્યકિત પુરતો સિમિત થોડો હોય! આત્માને પુછવું રહ્યું. આ વાત તો ખરેખર ગળે ઉતરતી નથી. પ્રેમનું સ્વરૂપ બસ એક જ વ્યક્તિ પુરતું મર્યાદિત. પ્રેમ કોઈ એક જ વ્યકિતના બંધનમાં બંધાઈ જતી લાગણી સ્વયંની નૈતિકતા તો કદી એ સ્વીકારી ના શકે. હા એક અલગ રીતે તેની વ્યાખ્યા કરવામાં આવે તો બરાબર બંધ બેસે જડ વિચારો થી. પ્રેમની પરિભાષા માં જ્યારે કામુકતા ભળે છે કે અહંકાર ત્યારે એકત્વ નો અધિકાર ભાવ જન્મે છે. કામુકતા કે મોહ ને જો પ્રેમ કહેવાની કોઈ હિંમત કરે તો તેમની હિંમત તેમને મુબારક કહેવી જોઈએ. જો પ્રેમમાં સત્વ ભાવ રહેલો છે તો પછી તે પ્રેમ કોઈ એક જ વ્યક્તિ પ્રત્યે થોડો બંધાયેલો રહે. સાત્વિક પ્રેમ તો દરેક વ્યક્તિ પ્રત્યે વ્યકિતને હોય શકે. પ્રેમ મનમાં ઉદ્ભવતી એક કોઈ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી કે જીવ પ્રત્યેની એક સત્વ લક્ષી મનોદશા છે. તેને થોડું કોઈ એક જ બંધનમાં બાંધીને મહાનતા ની ખોટી મનને છેતરીને સાબિતી આપી શકાય. એક બંધનમાં બંધાઇને પણ અનેક બંધનોને નિભાવી જાણે તે જ પ્રેમ! બાકી રહ્યો મોહ નો અધિકાર ભાવ. પ્રેમની વ્યાખ્યા શું કરવી તેની અનુભૂતિ જ આખેઆખું વ્યાખ્યાન બની જાય છે. પ્રેમ એ કોઈ નકારાત્મક વિચારો ની ખોટી આચારસંહિતા નથી પરંતુ તે સાત્વિક વિચારો સાથે જીવવામાં આવતી ધબકતાં હદયની આધારશિલા છે. જીંદગીમાં મોહ કે હવસને જ પ્રેમ સમજવામાં આવે છે ત્યારે જ દરેક પ્રત્યેની પ્રેમની સાત્વિક ભાવનાને ગળે ટૂંપો દેવામાં આવે છે. નહીં તો પ્રેમ એ વ્યક્તિ થી વ્યકિતના વિચારો સાથે જ હદયને જોડતી સાંકળ છે. જે ઈશ્વરની અમૂલ્ય ભેંટ છે. કાન્હો ત્યારે સત્ય જ ભાસે છે.
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser