Quotes by Tr. Mrs. Snehal Jani in Bitesapp read free

Tr. Mrs. Snehal Jani

Tr. Mrs. Snehal Jani Matrubharti Verified

@s13jyahoo.co.uk3258
(1.2k)

એક પ્રખ્યાત પરંતુ ખોવાઇ ગયેલાં કવિનો પરિચય💐





Tr. Mrs. Snehal Jani લિખિત વાર્તા "કવિ કોલક" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19962805/kavi-kolak

Read More

શહીદોને શત શત નમન🙏

તમામ દેશવાસીઓને કારગિલ વિજય દિવસની રજત જયંતિ નિમિત્તે અભિનંદન.💐




https://www.matrubharti.com/novels/30287/kargil-yuddh-by-tr-mrs-snehal-jani

Read More

ફેસબુક પર વાંચેલ એક રસપ્રદ લેખ:-



તમે બધાએ નમકીન ખાધી જ હશે જે દરેક ભારતીયના નાસ્તાનો એક ભાગ છે. શું એ શક્ય છે કે આપણે નમકીન વિશે વાત કરી રહ્યા છીએ અને રતલામી સેવનો ઉલ્લેખ ન કરીએ? ના ના. રતલામી સેવ, જેનો સ્વાદ આખી દુનિયામાં પસંદ કરવામાં આવે છે અને જેને 2014-15માં GI ટેગ પણ આપવામાં આવ્યો હતો. પરંતુ શું તમે તેના ઇતિહાસ વિશે જાણો છો? તો, 'ઇતિહાસનાં પાના માંથી'ના આજના એપિસોડમાં, ચાલો જાણીએ રતલામી સેવની રસપ્રદ કહાની વિશે.

રતલામી સેવનું નામ મધ્ય પ્રદેશમાં રતલામ નામના સ્થળ પરથી રાખવામાં આવ્યું છે જ્યાંથી આ સેવની ઉત્પત્તિ થઈ છે. રતલામી સેવની કહાની જાણવા માટે આપણે ઈતિહાસમાં 200 વર્ષ પાછળ જવું પડશે. 19મી સદીમાં, મુઘલ રાજવી પરિવારના લોકોએ માલવાની મુલાકાત લીધી, જે દરમિયાન તેઓ રતલામમાં રોકાયા હતા. તે સમયે મુઘલ પરિવારના લોકો સેવૈયા ખાવાનું પસંદ કરતા હતા. રતલામમાં રહીને તેમને સેવૈયા ખાવાનું મન થયું. પરંતુ અહીં એક સમસ્યા ઊભી થઈ. સેવૈયા ઘઉંમાંથી બનાવવામાં આવતું હતું પરંતુ તે સમયે રતલામમાં ઘઉં ઉગાડવામાં આવતા ન હતા, તે સમયે ઘઉંને શ્રીમંત લોકોનું અનાજ માનવામાં આવતું હતું. ત્યાં સામાન્ય લોકો ચણા, બાજરી, જવ વગેરેના રોટલા બનાવતા હતા.

જ્યારે રાજવી પરિવારને સેવૈયા ન મળ્યું, ત્યારે તેઓએ સ્થાનિક ભીલ સમુદાયને ચણાના લોટમાંથી સેવૈયો બનાવવાની વિનંતી કરી, ત્યારબાદ રતલામી સેવની પ્રથમ જાતની શોધ કરવામાં આવી, જેનું નામ ભીલ સમાજના નામ પરથી 'ભીલડી સેવ' રાખવામાં આવ્યું. બાદમાં, તેણે તેની સાથે પ્રયોગ કરવાનું શરૂ કર્યું અને તેને મસાલા સાથે બનાવ્યું.

બાદમાં ત્યાંના સ્થાનિક લોકોએ રતલામી સેવનું વ્યાવસાયિક ધોરણે ઉત્પાદન કરવાનું શરૂ કર્યું. રતલામનો સાખલેચા પરિવાર સેવના પ્રથમ વ્યાપારી ઉત્પાદકોમાંનો એક હતો. 1900ના દાયકાની શરૂઆતમાં, શાંતિલાલ સાખલેચાએ તેમના પિતા કેસરમલ સાખલેચા સાથે મળીને પ્રથમ રતલામી સેવની દુકાન ખોલી હતી. ધીમે ધીમે ઘણા લોકો તેમાં જોડાવા લાગ્યા અને આજે મધ્યપ્રદેશમાં ઘણી કંપનીઓ રતલામી સેવ તૈયાર કરીને લોકો સુધી પહોંચાડે છે.

200 વર્ષ કરતાં પણ વધુ જૂની આ સેવ હવે બજારમાં અનેક ફ્લેવર ઉપલબ્ધ છે. તેમાં લવિંગ, હિંગ, લસણ, કાળા મરી, પાઈનેપલ, ટામેટા, પાલક, ફુદીનો, પોહા, મેગીથી લઈને ચોકલેટ ફ્લેવરનો સમાવેશ થાય છે.

Read More

કરામત જુઓ હૈયા અને મનની!
શું જબરદસ્ત જુગલબંદી બંનેની!
હોય હૈયું લાગણીથી તરબોળ,
ને મન કહે,
"રાખ લાગણીઓ કાબુમાં.
નથી સમય આ
લાગણી પ્રદર્શનનો!"
નથી સમજાતું સહેજે આમાં,
માનવું મનનું કે હૈયું સાચું?

-Tr. Mrs. Snehal Jani

Read More

π(પાઈ)
શું કહેવું તારા વિશે પાઈ?
તુ તો ગુણોત્તર વર્તુળમાં,
પરિઘ અને વ્યાસનો!
હોય પરિઘ કોઈ પણ,
ને હોય વર્તુળનો વ્યાસ ગમે એ,
રહે પાઈ તુ નિષ્પક્ષ સદાય!
ગુણોત્તર તારો કાયમ રહેતો એક જ,
એ ગુણોત્તર 22/7 જ હોય!
ઉજવે દુનિયા 22 જુલાઈને તારા માનમાં,
કહીને એને 'પાઈ અંદાજિત દિવસ'.
કિંમત ક્યાં ચોક્ક્સ છે તારી?
વિસ્તરેલ તુ તો અંનત સુધી.
જાણે દુનિયા તારું મૂલ્ય એટલું જ,
એ તો છે 3.141592.
પણ છે એ તો ઘણું વધારે,
ક્યાં રાખીએ યાદ આટલું બધું કોઈ?
છતાંય માનવું પડે તને,
ભૂમિતિ અધૂરી તારા વિના!

Read More

અવસર આ સોનેરી ગુરુપૂર્ણિમા,
કરીએ વંદન ગુરુજનોને🙏
માતા પિતા તો આજીવન ગુરુ,
શિક્ષા આપે તેને કેમ ભૂલાય?
મળે સંસ્કાર ઘરેથી વડીલો થકી,
ને મળે અક્ષરજ્ઞાન શાળામાં ગુરુઓ પાસે!
અપમાન ન કરીએ કદીયે ગુરુજનોનું,
શીખવ્યું જેમણે મુસીબતો સામે લડતાં!
જીવીશું આખી જિંદગી સન્માનભેર,
જો કર્યું હશે સન્માન ગુરુજનોનું!

Read More

Tr. Mrs. Snehal Jani લિખિત વાર્તા "મારા અનુભવો - ભાગ 2" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19962567/mara-anubhavo-2

Tr. Mrs. Snehal Jani લિખિત વાર્તા "મારા કાવ્યો - ભાગ 16" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19962561/mara-kavyo-16

આ મારી નવી ધારાવાહિક શરુ કરી છે. મારી તો નહીં કહી શકાય, પણ જેમણે લખી છે એમની લેખિત મંજુરી સાથે રજૂ કરું છું, કે જેથી કરીને કૉપી કેસ ન થાય. આમાં જે પુસ્તકની ચર્ચા છે "મારા અનુભવો", શ્રી સ્વામી સચ્ચિદાનંદ દ્વારા લખવામાં આવી છે, અને મારી પસંદગીના પુસ્તકોમાંનું એક છે. મારી પાસે આ પુસ્તક અને એની પેન ડ્રાઇવ બંને છે. ઘણાં સમયથી આ પુસ્તક વિશે લખવાનું વિચારી રહી હતી, એમાં સ્વામીજીનાં આશ્રમ સાથે જોડાયેલ શ્રી અશ્વિનભાઈ રાવલે લખાણ શરુ કર્યું અને તરત જ મને એ જ લખાણ અન્ય લોકો સુધી પહોંચાડવાનો વિચાર આવ્યો. મેં એમની સાથે આ બાબતે વાત કરી અને તેઓ તરત જ માની ગયા. આમ પણ વર્ષમાં એક વાર તો હું એમનાં આશ્રમની મુલાકાત અવશ્ય લઉં છું અને હું તેમજ મારા પતિ સ્વામીજી જે પુસ્તક માટે અમને સજેશન આપે એ પુસ્તકો લઈને ઘરે આવીએ છીએ. અત્યાર સુધીમાં સ્વામીજીના ઘણાં પુસ્તકો વાંચ્યાં છે. મોટા ભાગના પ્રેરણાદાયી જ છે, અને એમનાં પ્રવાસવર્ણનનાં પુસ્તકો તો જબરદસ્ત છે. ક્યારેક સમય મળશે તો એ બધાંનો પણ પરિચય રજુ કરીશ.

આ માટે અશ્વિન અંકલનો ખૂબ ખૂબ આભાર.





Tr. Mrs. Snehal Jani લિખિત વાર્તા "મારા અનુભવો - ભાગ 1" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19962325/mara-anubhavo-1

Read More

દેવશયની એકાદશી આવી,
લઈને ચાતુર્માસ પવિત્ર.
કહેવાય એવું પોઢી ગયા દેવ,
તોય આવતાં તહેવારો શ્રેષ્ઠ.
આવે જન્માષ્ટમી અને બળેવ,
આવે ગજાનન મહારાજ ઘરે!
પિતૃઓની શાંતિ કરાય,
મા અંબાનાં ગરબા રમાય!
શરદપૂર્ણિમાએ ઠંડક વર્તાય.
વાક્બારસ ને ધનતેરસ,
કાળીચૌદશે કકળાટ જાય,
ઝગમગ કરતી દીવાળી આવે,
બેસતું વર્ષ નવલું લાવે,
ભાઈનો દિવસ ભાઈબીજ આવે,
દેવદિવાળીની ઝાકઝમાળ લાવે.
આવે જ્યાં દેવઉઠી એકાદશી,
થાય સમાપ્ત ચાતુર્માસ,
ને શરૂઆત થાય વિવાહપ્રસંગોની!

-Tr. Mrs. Snehal Jani

Read More