The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
અગરકર અને ગંભીરની નીતિઓએ ઉઠાવ્યા સવાલ: શું ભારતીય ક્રિકેટ ટીમનું ભવિષ્ય સુરક્ષિત છે? ભારતીય ક્રિકેટ લાંબા સમયથી વિશ્વ ક્રિકેટ પર પોતાની બાદશાહત જાળવી રાખતું આવ્યું છે, પરંતુ તાજેતરના સમયમાં ટીમની અંદર સર્જાતા માહોલે ચાહકો અને નિષ્ણાતોમાં ચિંતા ઊભી કરી છે. અજીત અગરકર અને ગૌતમ ગંભીર દ્વારા ટીમની કમાન સંભાળ્યા બાદ લેવાયેલા કેટલાક નિર્ણયો અને ટીમ મેનેજમેન્ટની નીતિઓ એવી દિશામાં જઈ રહી છે જ્યાં ભારતીય ક્રિકેટની સ્થિરતા અને મજબૂતી પર પ્રશ્નચિહ્નો ઊભા થયા છે. ખાસ કરીને સિનિયર ખેલાડીઓ પ્રત્યેનો વર્તમાન અભિગમ સૌથી મોટો ચર્ચાનો વિષય બન્યો છે. ભારતના સૌથી સફળ અને પ્રતિષ્ઠિત ખેલાડીઓ રોહિત શર્મા, વિરાટ કોહલી અને મોહમ્મદ શમી, જે ટીમને વર્ષો સુધી વિશ્વના શિખરે પહોંચાડતા આવ્યા છે, તેમના પ્રત્યે ઉભરાતું ઠંડું અને અવગણનાભર્યું વર્તન ચકિત કરનારું છે. આ ખેલાડીઓ માત્ર સ્ટાર નહીં પરંતુ ટીમના આધારસ્તંભ છે. તેમની અનુભવશક્તિ, નેતૃત્વ અને મુશ્કેલ પરિસ્થિતિમાં મેચનો દિશા ફેરવી નાખવાની તેમની ક્ષમતા ભારતીય ક્રિકેટનું સૌથી મોટું બળ રહ્યું છે. તેમ છતાં, આ વરિષ્ઠ ખેલાડીઓની ભૂમિકાને ઓછું પાડવાનો પ્રયાસ, તેમને ટીમ કોમ્બિનેશનમાંથી દૂર રાખવા જેવી રીતો અને તેમના યોગદાનને અવગણવું, આ બધું વર્તમાન મેનેજમેન્ટના અભિગમ પર મોટો પ્રશ્ન ઊભો કરે છે. આ વિવાદને વધુ તીવ્ર બનાવે છે એક બીજો મુદ્દો હર્ષિત રાણા જેવા પ્રતિભાવિહીન અને ઓછા અનુભવી ખેલાડી પર દેખાતો અસંગત વિશ્વાસ. જ્યારે ભારત પાસે શમી, બુમરાહ કે સિરાજ જેવા વિશ્વસ્તરીય બોલરોની લાંબી ફોજ છે, ત્યારે હર્ષિત રાણાને અચાનક બધા ફોર્મેટમાં મોકા મળવા લાગ્યા, તે પણ સતત અને અગત્યના મથાળાઓ પર. ક્રિકેટિંગ વર્તુળોમાં ખુલ્લેઆમ ચર્ચા થાય છે કે ગૌતમ ગંભીર અને અજીત અગરકર હર્ષિત રાણાના ગોડફાધર બની ગયા છે અને આ પક્ષપાત ભરેલા નિર્ણયોથી ટીમની પસંદગી પ્રક્રિયામાં પારદર્શકતા ગુમાઈ રહી છે. આવા નિર્ણયો માત્ર ટીમના પ્રદર્શનને નહીં પરંતુ ખેલાડીઓની મોરાલ અને ડ્રેસિંગ રૂમના માહોલને પણ અસર કરે છે. વિશ્વ ક્રિકેટમાં ભારતની બાદશાહત ટીમના સંતુલિત નિર્માણ, અનુભવી ખેલાડીઓની સ્થિર હાજરી અને યુવા પ્રતિભાની યોગ્ય ગાઈડન્સ પર આધાર રાખતી આવી છે. પરંતુ જો નેતૃત્વ વ્યક્તિગત એજન્ડા, રાજકારણ અથવા પક્ષપાતથી પ્રેરિત થવાનું શરૂ કરે, તો ટીમની શક્તિ અને એકતા બંને નબળી પડે છે. છેલ્લા કેટલાક મહિનાના પરિણામો અને ટીમની અંદરની ચર્ચાઓ એ જ દિશા તરફ ઈશારો કરે છે કે ભારતીય ક્રિકેટ હાલમાં આ બંને નો મળતો સંક્રમણકાળ ખૂબ જ ખતરનાક બની શકે છે, જો યોગ્ય સમયે યોગ્ય પગલાં ન લેવાય. આ પરિસ્થિતિમાં ભારતીય ક્રિકેટ માટે સૌથી વધુ જરૂરી છે નિષ્પક્ષતા, પારદર્શકતા અને સિનિયર ખેલાડીઓ પ્રત્યે સન્માન. ટીમ વ્યક્તિગત અહંકારોથી નહીં, પરંતુ સહકાર, સમજદારી અને ક્રિકેટની મૂલ્યો પર ચાલે છે. ચાહકો અને ઘણા નિષ્ણાતોના મતે હવે સમય આવી ગયો છે કે ટીમને નુકસાન પહોંચાડતા પક્ષપાતને રોકવા માટે ગૌતમ ગંભીર અને અજીત અગરકર જેવા પદાધિકારીઓ સામે કડક નિર્ણય લેવાય, જેથી ભારતીય ક્રિકેટ પોતાની મૂળ શક્તિ અને ગૌરવ સાથે ફરીથી વિશ્વમાં સ્થિરપણે ઉભરાઈ શકે.
कल सुबह नहीं, सॉरी, परसों मध्यरात्रि के ठीक बाद, यानी 11 नवंबर 2025 की तड़के सुबह करीब 3 बजे – भारतीय मीडिया के 'ब्रेकिंग न्यूज' के महारथियों ने फिर कमाल कर दिया। धर्मेंद्र जी, हमारे ही-मैन, 'शोले' वाले गब्बर-किलर, अचानक 'मृत' घोषित हो गए! स्क्रीन पर लाल पट्टी, भारी आवाज़: "धर्मेंद्र का निधन! वेंटिलेटर पर थे, अब नहीं रहे!" आज तक, इंडिया टुडे, न्यूज18, जी न्यूज सबने एक साथ 'सूत्रों' का हवाला देकर गोता लगा दिया। कुछ अखबारों ने तो सुबह की हेडलाइन सजा ली "बॉलीवुड का सूर्य अस्त!" परिवार वाले तो स्तब्ध! हेमा मालिनी जी सुबह 9:40 बजे ट्वीट करके चिल्लाईं "ये क्या बकवास है? वो बिल्कुल ठीक हैं!" ईशा देओल ने इंस्टा पर पोस्ट डाला, "पापा स्टेबल हैं, प्राइवेसी दो, फेक न्यूज बंद करो!" सनी देओल ने भी साफ कहा "वेंटिलेटर वाली खबर झूठी है।" लेकिन भाई, मीडिया कहाँ रुकने वाला था? TRP की भूख में सितारे भी मर जाते हैं, चाहे वो जिंदा ही क्यों न हों! और ये तो बस एक और एपिसोड था। 'ऑपरेशन सिंदूर' के वक्त भी यही नाटक हुआ था – फर्जी वीडियो, फेक वॉर रूम, पाकिस्तान तक ने दो भारतीय एंकर्स को 'डिसइन्फॉर्मेशन अवॉर्ड' दे दिया! पुलवामा, किसान आंदोलन, कोविड हर बार यही कहानी। क्यों? क्योंकि अब स्टूडियो में जो बैठे हैं, वो वही 'स्नातक' हैं जिन्होंने व्हाट्सएप यूनिवर्सिटी से डिग्री ली है। फॉरवर्ड मैसेज = फैक्ट, वायरल सच्चाई। फैक्ट-चेक? अरे वो तो पुरानी किताबों में है! इनका मंत्र "जितना सनसनीखेज, उतना सही!" तंज कसना बनता है, क्योंकि ये मीडिया नहीं, मीडिया सर्कस है। रिंगमास्टर है TRP, और जोकर हैं ये व्हाट्सएप वाले 'जर्नलिस्ट'! लेकिन आखिर में, उस पत्रकारिता को सलाम जो कभी सच की मशाल थी। उस भारतीय न्यूज मीडिया को श्रद्धांजलि, जो कभी सच बोलता था, न कि चिल्लाता था। तुम्हें नमन, जो कभी-कभी अब भी चमकते हो – जैसे धर्मेंद्र जी की मुस्कान, फेक मौत के बावजूद अमर! जय हिंद, जय सच्चाई... और RIP फेक न्यूज! 🙏😂
प्रेम को सत्य तभी जानिए, जब दिल से दिल का रास्ता बने, शब्दों की चमक में ना उलझें, जो हृदय में झांके, वही प्रेम ठहरे। नजरों में सच्चाई का आलम हो, चाहत में बस विश्वास का मरहम हो, प्यार वो जो आत्मा को छू ले, दिल के हर कोने को सुकून दे।
झूठ के सामने मौन साँसों का रुक जाना ही मृत्यु नहीं, मृत्यु तो उस दिन होती है, जब इंसान झूठ के सामने चुप हो जाए, और सत्य बोलने का साहस खो दे। धड़कता हुआ दिल भी निर्जीव हो जाता है, जब अंतरात्मा की आवाज़ दबा दी जाती है, और आँखें झूठ देख कर भी, अन्याय को न्याय मान लेती हैं। जीना सिर्फ़ साँस लेना नहीं है, जीना है सत्य को ऊँची आवाज़ में कहना, अन्याय के सामने दीवार बनकर खड़ा रहना, चाहे दुनिया पूरी की पूरी झूठी ही क्यों न हो। जिसने यह नैतिकता खो दी, वह तो जीते-जी मरा हुआ है, क्योंकि मृत्यु शरीर से नहीं, पहले मन से शुरू होती है।
પરિવર્તન – જીવનનો શ્વાસ જીવન એક સતત યાત્રા છે અને એ યાત્રાનો પ્રાણ છે—પરિવર્તન. જે બદલાતું નથી તે જડ બની જાય છે. જેમ વહેતી નદી પોતાના પ્રવાહમાં જીવન વહન કરે છે, તેમ બદલાવ જીવનને નવી ઊર્જા અને નવી દિશા આપે છે. સ્થિર પાણી હંમેશાં દુર્ગંધ પેદા કરે છે, જ્યારે વહેતું પાણી તાજગી અને સ્વચ્છતા આપે છે. આથી પરિવર્તન ફક્ત અનિવાર્ય જ નહીં પરંતુ જીવન માટે અનિવાર્ય પ્રાણવાયુ સમાન છે. દરેક મનુષ્યના જીવનમાં બદલાવ અનિવાર્ય છે. ક્યારેક તે પરિસ્થિતિઓના કારણે આવે છે, તો ક્યારેક આપણા પોતાના નિર્ણયથી. સુખ–દુઃખ, હાસ્ય–આંસુ, શાંતિ–વાવાઝોડાં—આ બધું જ જીવનના રંગો છે. જો ફક્ત એક જ રંગ હોત તો જીવન નિરસ બની જાય. બદલાવ આપણને નવા અનુભવ આપે છે, નવા પાઠ શીખવે છે અને માનવજાતને આગળ ધપાવે છે. પરિવર્તન ફક્ત વ્યક્તિગત જીવન પૂરતું જ નથી, સમાજ માટે તો એ અનિવાર્ય છે. ભારતીય સમાજે અનેક મોટા બદલાવોને પોતાની આંખે જોયા છે. એક સમય એવો હતો જ્યારે સતીપ્રથા જેવા અંધકારમય કુરિવાજ સ્ત્રીઓનું જીવન ગળી જતો હતો. પરંતુ સામાજિક સુધારક રાજા રામમોહન રાય જેવા મહાનુભાવો દ્વારા થયેલી જાગૃતિએ આ કુરિવાજને કાયમી વિદાય આપી. તે જ રીતે વિધવા વિવાહ ક્યારેક અશોભનીય માનવામાં આવતો. વિધવાઓને જીવનભર એકલતા, અપમાન અને બાંધછોડમાં જીવવું પડતું. પરંતુ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર જેવા મહાન વ્યક્તિ ના યોગદાનથી સમાજે આ બાંધીયેલી માન્યતાઓને તોડી અને વિધવા વિવાહને સ્વીકાર્યો. આ બદલાવ ફક્ત કાયદાનો નહીં, પરંતુ માનવતાનો હતો. અત્યાર સુધી ચાલી આવેલા ધાર્મિક કુમાન્યતાઓ અને અંધશ્રદ્ધાઓએ પણ સમાજને ઘણીવાર પાછળ ખેંચ્યો છે. પરંતુ સમય સાથે શિક્ષણ, વૈજ્ઞાનિક વિચારો અને સામાજિક આંદોલનો દ્વારા લોકો એ માન્યતાઓને પ્રશ્નવા લાગ્યા. આજે ઘણા કુરિવાજો ઈતિહાસનો ભાગ બની ગયા છે, કારણ કે સમાજે બદલાવને સ્વીકાર્યો છે. વ્યક્તિગત અને સામાજિક જીવનની જેમ રાજકીય ક્ષેત્રમાં પણ પરિવર્તન અનિવાર્ય છે. લોકશાહીની સાચી શક્તિ એ છે કે સત્તા એક જ હાથમાં કાયમ માટે અટવાય નહીં. જો નેતૃત્વમાં બદલાવ ન થાય તો સત્તા અહંકાર અને ભ્રષ્ટાચાર તરફ દોરી જાય છે. આ સંદર્ભે રાજસ્થાન અને હિમાચલ પ્રદેશનું ઉદાહરણ ખાસ નોંધપાત્ર છે. આ બંને રાજ્યોમાં મતદાતાઓ લગભગ દર પાંચ વર્ષે સરકાર બદલે છે. ક્યારેક કોંગ્રેસ, તો ક્યારેક ભાજપ—પણ સત્તાનો પરિવર્તન નિયમિત થાય છે. આ એક મૌન સંદેશ છે કે પ્રજા સત્તાને એક જ પક્ષ કે નેતા પાસે લાંબા સમય સુધી અટકવા દેવા માંગતી નથી. આ જ લોકશાહીની તાકાત છે. પરિવર્તન ક્યારેક દુખદાયક લાગે છે, કારણ કે એ અજાણ્યા ભવિષ્ય તરફ દોરી જાય છે. પરંતુ એ જ બદલાવ નવી આશા પણ લાવે છે. દરેક નિષ્ફળતા આપણને શીખવે છે, દરેક દુઃખ આપણને સંવેદનશીલ બનાવે છે, અને દરેક બદલાવ આપણને વધુ મજબૂત બનાવે છે. જીવન હોય કે સમાજ, કે પછી રાજકારણ—પરિવર્તન વિના પ્રગતિ શક્ય નથી. બદલાવ એ જ વિકાસનું બીજ છે. આજના સમયમાં પણ અમુક ક્ષેત્રોમાં પરિવર્તન અનિવાર્ય છે. લિંગ સમાનતા હજુ સુધી સંપૂર્ણ રીતે હાંસલ થઈ નથી, સ્ત્રીઓને હજી ઘણા ક્ષેત્રોમાં સંઘર્ષ કરવો પડે છે. એ માટે વિચારસરણીમાં બદલાવ જરૂરી છે કે સ્ત્રી અને પુરુષ સમાન છે, અને બંનેને સમાન અવસર મળવા જોઈએ. પર્યાવરણના પ્રશ્નો દિવસે ને દિવસે ગંભીર બની રહ્યા છે—વાતાવરણમાં ફેરફાર, પ્રદૂષણ અને પ્રાકૃતિક સંપત્તિનો અતિરેક ઉપયોગ—આ બધાને અટકાવવા માટે માનવજાતે જીવનશૈલીમાં પરિવર્તન કરવું જ પડશે. ટેક્નોલોજીના ક્ષેત્રે પણ બદલાવની દિશા મહત્વપૂર્ણ છે. ટેક્નોલોજી આપણા જીવનને સરળ બનાવવા માટે છે, પરંતુ જો તેનો દુરુપયોગ થાય તો તે માનવતાને નુકસાન પહોંચાડી શકે છે. તેથી જરૂરી છે કે ટેક્નોલોજીનો સકારાત્મક અને જવાબદાર ઉપયોગ કરીએ. પરિવર્તન એટલે જીવનનો શ્વાસ. વ્યક્તિગત સ્તરે તે આપણને જીવંત રાખે છે, સામાજિક સ્તરે તે અંધકારમાંથી મુક્તિ અપાવે છે, અને રાજકીય સ્તરે તે લોકશાહીને મજબૂત કરે છે. જે સમાજ બદલાવને સ્વીકારે છે, તે હંમેશાં આગળ વધે છે. એટલે બદલાવથી ડરવું નહીં, તેને આવકારવું જોઈએ. કારણ કે જીવનની સુંદરતા એ જ છે કે તે ક્યારેય એકસરખું નથી—તે સતત બદલાતું રહે છે
થોડીક આવારગીનો રંગ ચડે, જિંદગીમાં જાણે નવું પડે. રસ્તાઓની ધૂળ, ખુલ્લું આકાશ, મનનું પંખી ગાય નવું રાગ. કેદની ઝાંઝર બાંધી રાખે, સપનાંને પણ દબાવી નાખે. છૂટે પગ જ્યાં રોકાય નહીં, એવી ચાલે જીવન ઝૂમે સહી. ના બંધનની દીવાલો રહે, ના મનમાં કોઈ વિશાદ રહે. આવારગીનો એક જ નશો, પંખી ફરી ઊડે, ભૂલે ન કશો. જીવન એટલે બેફામ રાહ, જ્યાં ખુશીનો રંગ ચડે અનાહ. થોડીક આવારગી જરૂરી બને, પંખીનું દિલ ફરી ઊડતું રહે.
ઓછી પ્રતિક્રિયા – વધુ શાંતિ માનવીના જીવનમાં મોટાભાગના તણાવ, વિવાદ અને અશાંતિનું મૂળ એ છે કે આપણે દરેક બાબતમાં તરત જ પ્રતિક્રિયા આપીએ છીએ. કોઈએ બોલી દીધું, કોઈએ આપણા વિશે ખોટું કહી દીધું કે સોશ્યલ મીડિયા પર નાની-મોટી ટિપ્પણી આવી ગઈ – આપણે તરત જવાબ આપવાનો ઉતાવળ કરીએ છીએ. પરંતુ હકીકત એ છે કે, આપણે જેટલી ઓછી પ્રતિક્રિયા આપીએ, જીવન એટલું વધુ શાંતિપૂર્ણ બને છે. 1. પ્રતિક્રિયા એ ઊર્જાનો વ્યય છે દરેક વાર જવાબ આપવો એટલે પોતાની માનસિક ઊર્જા ખર્ચવી. નાના-મોટા ઝઘડાઓમાં ઊતરતાં રહેવાને બદલે જો આપણે મૌન ધારીએ, તો એ ઊર્જા સાચવીને સારી બાબતોમાં વાપરી શકાય છે. 2. મૌન – સૌથી શક્તિશાળી હથિયાર દરેક વાતને જવાબ આપવો જરૂરી નથી. ક્યારેક મૌન જ સૌથી મોટો જવાબ હોય છે. જ્યારે આપણે મૌન રાખીએ છીએ ત્યારે સામેના વ્યક્તિને પણ વિચારવું પડે છે. મૌન આપણને નબળા નહીં, પરંતુ પરિપક્વ દર્શાવે છે. 3. શાંતિપૂર્ણ જીવન – સફળ જીવન જેને નાની-મોટી બાબતોમાં ગુસ્સો આવતો નથી, જે પોતાની મનોદશા પર કાબૂ રાખી શકે છે, એ વ્યક્તિ જીવનમાં વધારે સફળ થાય છે. કારણ કે તેની અંદર સ્થિરતા, ધીરજ અને સ્પષ્ટ વિચારશક્તિ રહે છે. 4. પ્રતિક્રિયા આપવાની જગ્યા એ પ્રતિભાવ આપો જો કોઈ પરિસ્થિતિમાં જવાબ આપવો જ પડે, તો ઉતાવળમાં પ્રતિક્રિયા ન આપવી, પણ શાંતિથી વિચાર કરીને પ્રતિભાવ આપવો. પ્રતિક્રિયા તાત્કાલિક અને ભાવનાત્મક હોય છે, જ્યારે પ્રતિભાવ વિચારપૂર્વક અને સમજદારીપૂર્વક આપવામાં આવે છે. 5. આંતરિક શાંતિ – સૌથી મોટું ધન જીવનમાં પૈસા, પદ, પ્રસિદ્ધિ બધું મળી શકે, પરંતુ આંતરિક શાંતિ માત્ર ત્યારે મળે છે જ્યારે આપણે બીજા લોકોની વાતોથી કોઈ અસર ન થાય. 👉 અંતમાં એક નાનકડું સૂત્ર યાદ રાખો: “દરેક વાત પર પ્રતિક્રિયા આપવી એ તમારા મનને ગુલામ બનાવવું છે, જ્યારે જરૂરી જગ્યાએ જ પ્રતિભાવ આપવો એ તમારા મનને સ્વતંત્ર બનાવવું છે.”
જ્યાંથી જગત રચાયું ત્યાંથી રમઝટ ચાલે, છોકરાં છોકરીને જોઈ હૃદયના ઘંટ વગાડે। આંખો મળતાં જ અરે! મનમાં મોજ ઊઠે, બોલવાનું ન આવડે તો પગથી પાંદડાં કચડાવે। હસતાં હસતાં વાત કરે, એ પણ અડધી અધૂરી, છોકરી કહેશે – "તમારી ભાષા કેટલી અધકચરી!" ફૂલ તોડવા જાય તો કાંટા હાથમાં ચોટે, છોકરી બોલે – "અરે! હીરા, તમારી બુદ્ધિ ક્યાં છે?" છેડછાડની રમતમાં આખું ગામ પડે, છોકરાં હારે ત્યારે છોકરી ઠઠ્ઠો કરે। જ્યાં સુધી માનવ રહેશે ત્યાં સુધી ધમાલ, સંજય કહે પ્રેમની સાથે હાસ્યનું રહેશે કમાલ।
સ્ત્રી… એક શબ્દ નહીં, એક અભિવ્યક્તિ છે. શબ્દોથી વિણાતી નહિ, અનુભવથી સમજાય એવી. તે ઘરના દરવાજા જેટલી ખુલ્લી.. પણ, હ્રદયના દરવાજા જેટલી સંકુચિત. જ્યાં પ્રેમ છે, ત્યાં એની હાજરી છે, જ્યાં દુઃખ છે, ત્યાં એના હાથનો સ્પર્શ છે. ક્યારેક.. તે માટી જેવી હોય, જેમ સમર્પિત થાય અને ઘડાય. અને ક્યારેક પાણી જેવી.., નિરાકાર પણ જીવનદાયી. તેના અસ્તિત્વમાં ઉત્સવ પણ છે અને ઉત્કંઠા પણ.. તેને સમજવી હોય તો નહીં જોઈએ શબ્દકોશ.., પણ જોઈએ સ્પર્શની સંવેદના, શ્રદ્ધાની દૃષ્ટિ અને ભાવનાનું ઊંડાણ. તે રાધા નથી કે.. જેને માત્ર રાહ જોવી આવે, તે દ્રૌપદી પણ નથી કે જેના ભાગ્યે હંમેશાં સંઘર્ષ જ આવે અને.., તે સીતા પણ નથી કે જેને અગ્નિપરીક્ષા આપવી પડે. તે તો.. પોતે પોતાને ઘડે છે. દર્દમાંથી પણ શ્રંગાર ઉત્પન્ન કરે છે. સ્ત્રી… અંત નથી એની ક્ષમાશીલતાનો, મર્યાદા નથી એની મમતાનો. તે ઇતિહાસ નથી કે જતો રહે. તે તો.. કૃતિ છે, જીવતી રચના છે, દરેક યૌગિક ક્ષણમાં ઊગતી એક નવિન સર્જના છે. https://www.facebook.com/share/1AQ9A8725D/
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser