Gujarati Quote in Questions by Sanjay Sheth

Questions quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અગરકર અને ગંભીરની નીતિઓએ ઉઠાવ્યા સવાલ: શું ભારતીય ક્રિકેટ ટીમનું ભવિષ્ય સુરક્ષિત છે?

ભારતીય ક્રિકેટ લાંબા સમયથી વિશ્વ ક્રિકેટ પર પોતાની બાદશાહત જાળવી રાખતું આવ્યું છે, પરંતુ તાજેતરના સમયમાં ટીમની અંદર સર્જાતા માહોલે ચાહકો અને નિષ્ણાતોમાં ચિંતા ઊભી કરી છે. અજીત અગરકર અને ગૌતમ ગંભીર દ્વારા ટીમની કમાન સંભાળ્યા બાદ લેવાયેલા કેટલાક નિર્ણયો અને ટીમ મેનેજમેન્ટની નીતિઓ એવી દિશામાં જઈ રહી છે જ્યાં ભારતીય ક્રિકેટની સ્થિરતા અને મજબૂતી પર પ્રશ્નચિહ્નો ઊભા થયા છે. ખાસ કરીને સિનિયર ખેલાડીઓ પ્રત્યેનો વર્તમાન અભિગમ સૌથી મોટો ચર્ચાનો વિષય બન્યો છે.

ભારતના સૌથી સફળ અને પ્રતિષ્ઠિત ખેલાડીઓ રોહિત શર્મા, વિરાટ કોહલી અને મોહમ્મદ શમી, જે ટીમને વર્ષો સુધી વિશ્વના શિખરે પહોંચાડતા આવ્યા છે, તેમના પ્રત્યે ઉભરાતું ઠંડું અને અવગણનાભર્યું વર્તન ચકિત કરનારું છે. આ ખેલાડીઓ માત્ર સ્ટાર નહીં પરંતુ ટીમના આધારસ્તંભ છે. તેમની અનુભવશક્તિ, નેતૃત્વ અને મુશ્કેલ પરિસ્થિતિમાં મેચનો દિશા ફેરવી નાખવાની તેમની ક્ષમતા ભારતીય ક્રિકેટનું સૌથી મોટું બળ રહ્યું છે. તેમ છતાં, આ વરિષ્ઠ ખેલાડીઓની ભૂમિકાને ઓછું પાડવાનો પ્રયાસ, તેમને ટીમ કોમ્બિનેશનમાંથી દૂર રાખવા જેવી રીતો અને તેમના યોગદાનને અવગણવું, આ બધું વર્તમાન મેનેજમેન્ટના અભિગમ પર મોટો પ્રશ્ન ઊભો કરે છે.

આ વિવાદને વધુ તીવ્ર બનાવે છે એક બીજો મુદ્દો હર્ષિત રાણા જેવા પ્રતિભાવિહીન અને ઓછા અનુભવી ખેલાડી પર દેખાતો અસંગત વિશ્વાસ. જ્યારે ભારત પાસે શમી, બુમરાહ કે સિરાજ જેવા વિશ્વસ્તરીય બોલરોની લાંબી ફોજ છે, ત્યારે હર્ષિત રાણાને અચાનક બધા ફોર્મેટમાં મોકા મળવા લાગ્યા, તે પણ સતત અને અગત્યના મથાળાઓ પર. ક્રિકેટિંગ વર્તુળોમાં ખુલ્લેઆમ ચર્ચા થાય છે કે ગૌતમ ગંભીર અને અજીત અગરકર હર્ષિત રાણાના ગોડફાધર બની ગયા છે અને આ પક્ષપાત ભરેલા નિર્ણયોથી ટીમની પસંદગી પ્રક્રિયામાં પારદર્શકતા ગુમાઈ રહી છે. આવા નિર્ણયો માત્ર ટીમના પ્રદર્શનને નહીં પરંતુ ખેલાડીઓની મોરાલ અને ડ્રેસિંગ રૂમના માહોલને પણ અસર કરે છે.

વિશ્વ ક્રિકેટમાં ભારતની બાદશાહત ટીમના સંતુલિત નિર્માણ, અનુભવી ખેલાડીઓની સ્થિર હાજરી અને યુવા પ્રતિભાની યોગ્ય ગાઈડન્સ પર આધાર રાખતી આવી છે. પરંતુ જો નેતૃત્વ વ્યક્તિગત એજન્ડા, રાજકારણ અથવા પક્ષપાતથી પ્રેરિત થવાનું શરૂ કરે, તો ટીમની શક્તિ અને એકતા બંને નબળી પડે છે. છેલ્લા કેટલાક મહિનાના પરિણામો અને ટીમની અંદરની ચર્ચાઓ એ જ દિશા તરફ ઈશારો કરે છે કે ભારતીય ક્રિકેટ હાલમાં આ બંને નો મળતો સંક્રમણકાળ ખૂબ જ ખતરનાક બની શકે છે, જો યોગ્ય સમયે યોગ્ય પગલાં ન લેવાય.

આ પરિસ્થિતિમાં ભારતીય ક્રિકેટ માટે સૌથી વધુ જરૂરી છે નિષ્પક્ષતા, પારદર્શકતા અને સિનિયર ખેલાડીઓ પ્રત્યે સન્માન. ટીમ વ્યક્તિગત અહંકારોથી નહીં, પરંતુ સહકાર, સમજદારી અને ક્રિકેટની મૂલ્યો પર ચાલે છે. ચાહકો અને ઘણા નિષ્ણાતોના મતે હવે સમય આવી ગયો છે કે ટીમને નુકસાન પહોંચાડતા પક્ષપાતને રોકવા માટે ગૌતમ ગંભીર અને અજીત અગરકર જેવા પદાધિકારીઓ સામે કડક નિર્ણય લેવાય, જેથી ભારતીય ક્રિકેટ પોતાની મૂળ શક્તિ અને ગૌરવ સાથે ફરીથી વિશ્વમાં સ્થિરપણે ઉભરાઈ શકે.

Gujarati Questions by Sanjay Sheth : 112007066
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now