The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
માણસ પ્રકૃતિથી અમુક પ્રકારનો હોય અને જીવનમાં તેને એથી વિરુદ્ધ પ્રકારની જ પરિસ્થિતિનો ભેટો કર્યા કરવો પડે; વિષુવવૃત્તના જંગલોમાં રહેનારા માણસને હિમપ્રદેશની અતિ આકરી ઠંડીમાં રહેવા જવાનું આવે; સ્વભાવે સૌમ્ય ક્લેશ-કંકાસથી એકદમ વિમુખ સ્ત્રીને આખી જિંદગી ઉગ્ર, કઠોર, હિંસક માણસ સાથે રહેવાનું આવે ત્યારે શું થાય? નદીકાંઠે ઉગતું વૃક્ષ રણમાં ઉગાડવા જતાં મરી જાય. પણ માણસ તો એમ મરી જતો નથી. તેની સહન કરવાની અખૂટ શક્તિ જ તેની શત્રુ બની રહે છે. તે બધી પરિસ્થિતિમાં ગમે તેમ કરીને જીવી જાય છે; પણ તેના સ્વભાવની, હૃદયની, પ્રકૃતિની જે કોઈ સુંદરતા હોય તે નાશ પામે છે. જડ માણસની સાથે અથડાઈને, સંવેદનશીલ માણસ પણ પછી જડ થઈ જાય છે. પરોઢ થતાં પહેલાં :~ કુન્દનિકા કાપડિયા
લોકોને તૈયાર રસ્તે જવું વધું ફાવતું હોય છે, કારણ કે એ બહુ આસાન હોય છે. પોતાની કેડી પોતે જ કંડારીને આગળ વધવાનું કામ થોડું અઘરું હશે, પણ નોંધ તો નવા ચીલા ચાતરનારની જ લેવાતી હોય છે. -Hina
દરિયો એને જ કંઈક આપે છે, જે એની સાથે બાથ ભીડે છે. પ્રકૃતિ એને મદદ કરે જ છે, જેનામાં કંઈક કરી છૂટવાની તમન્ના હોય છે. -Hina
આત્મવિશ્વાસ ત્યારે જ નથી આવતો જ્યારે તમારી પાસે તમામ પ્રશ્નોના ઉત્તર હોય છે, પણ ત્યારે આવે છે જ્યારે તમે દરેક પ્રશ્નનો સામનો કરવા તૈયાર હો છો. -Hina
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser