Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કબૂતરને દાણાં નાંખો ચબૂતરામાં કે મેદાનમાં, ક્યારેય ન નાંખશો છત પર

શાંતિના પ્રતીક અને પૂર્વ સમયમાં પત્ર મોકલવામાં જેનો ઉપયોગ થતો હતો તે કબૂતર સામાન્ય રીતે ભોળાં માનવામાં આવે છે. જ્યારે શનિનો પ્રકોપ હોય ત્યારે કબૂતરોને ચણ નાંખીને શનિદોષમાંથી મુક્તિ મેળવવામાં આવે છે. સામાન્ય રીતે આપણે ઘરની છત પર દાણાં નાંખીએ છીએ. જો મે પણ આમ કરતાં હોય તો સાવધાન થઈ જાવ… કારણ કે વિદ્વાનોનું માનવું છે કે આમ કરીને આપણે હાથે કરીને ઉપાધિઓને નોતરીએ છીએ. કબૂતરને ચણ જરૂર નાંખો પણ ક્યારેય છત પર નહિં બલ્કે ખુલ્લા મેદાનમાં નાંખવું જોઈએ. આની પાછળ ખાસ કારણ છે જાણો અહિં….

તજજ્ઞોનું કહેવું છે કે શનિ તમામ ગ્રહોમાં સૌથી ક્રુર ગ્રહ માનવામાં આવે છે. તે સામાન્ય રીતે કર્મ અનુસાર ફળ આપે છે. આમછતાં તેની દ્રષ્ટિ સારી માનવામાં આવતી નથી. તે જ્યાં દ્રષ્ટિ કરે ત્યાં માત્ર મુશ્કેલીઓ જ મુશ્કેલીઓ હોય છે. જો ઘરની છત પર દાણાં નાંખવામાં આવે તો શનિની દ્રષ્ટિ ઘર પડે છે. જેને પરિણામે ઘર કે ફ્લેટના રહીશોને અનેક મુસીબતો વેંઠવી પડે તેવી સ્થિતિ સર્જાય છે.

શાસ્ત્રોમાં પક્ષીઓને દાણાં નાંખવા એ શુભ માનવામાં આવ્યું છે પણ તેને છત પર ન નાંખતા ચબૂતરામાં કે ખુલ્લા મેદાનમાં નાંખવા જોઈએ. કબૂતરોને દાણાં નાંખવાથી બુધ બળવાન થાય છે. તેથી રાહુ પણ પાવરફૂલ થાય છે. જો કુંડળીમાં રાહુ અને બુધ એક જ ઘરમાં હોય તો કબૂતરોને ભૂલથી પણ છત પર દાણાં ન નાંખવા જોઈએ. વળી કબૂતરો અવાજ અને ગંદકી કરતાં હોય છે તેથી રાહુને પસંદ પડતું નથી. તે રાહુ અશુભફળ દાતા નિવડે છે.

જો તમારી પાસે છત પર દાણાં નાંખવા સિવાય કોઈ વિકલ્પ ન હોય તો છત પર દાણાં નાંખીને પછી સાવરણીથી સાફ કરી લો. આમ કરવાથી રાહુ અશુભ ફળ નહિં આપે.

વિજ્ઞાન અનુસાર પણ ઘરની છત પર દાણાં ન નાંખવા જોઈએ. કારણકે કબૂતરોના સંપર્કમાં આવવાથી કે તેમની રજ ઉડવાથી અનેક રોગનો ભોગ બનાય છે. ખાસ કરીને દમ કે અસ્થમા જેવી બીમારી ઘર કરી જાય છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111318312
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now