DistroyOf Godd Vishnu’S Sudarshan Chakra, Know The Interesting Facts About Sudarshan Chakra
આજે પણ આ પવિત્ર સ્થાને થાય છે, સાક્ષાત વિષ્ણુ “સુદર્શન ચક્ર”ના દર્શન
એવી માન્યતા છે કે, જ્યારે-જ્યારે પૃથ્વી પર કોઇ સંકટ આવે છે તો ભગવાન અવતાર લઇને તે સંકટને દૂર કરે છે. ભગવાન વિષ્ણુએ અનેક વાર પૃથ્વી પર અવતાર લીધો છે. પદ્મ પુરાણના ઉત્તરખંડમાં વર્ણન છે કે, ભગવાન શ્રી વિષ્ણુ જ પરમાર્થ તત્વ છે. તે જ બ્રહ્મા અને શિવ સહિત સમસ્ત સૃષ્ટિના આદિ કારણ છે. તે જ નારાયણ, વાસુદેવ, પરમાત્મા, અચ્યુત, કૃષ્ણ, શાશ્વત, શિવ, ઈશ્વર તથા હિરણ્યગર્ભ વગેરે અનેક નામો વડે ઉચ્ચારવામાં આવે છે. નર એટલે જીવોના સમુદાયને નાર કહેવામાં આવે છે. પ્રેમ સુખસાગર ધર્મશાસ્ત્ર મુજબ ભગવાન વિષ્ણુના 24 અવતાર થયા છે. આ લેખમાં અમે તમને જણાવી રહ્યા છીએ કે, ભગવાન વિષ્ણુના 24 અવતારોમાંથી પહેલાં અવતાર શ્રી સનકાદિ મુનિ વિશે જણાવી રહ્યા છે.
હિન્દુ ધર્મ ગ્રંથની પૌરાણિક માન્યતાઓ મુજબ સૃષ્ટિની શરૂઆતમાં લોક પિતામહ બ્રહ્માએ અનેક લોકની રચના કરવાની ઇચ્છાથી ઘોર તપસ્યા કરી હતી. તેમના તપથી પ્રસન્ન થઇને ભગવાન વિષ્ણુએ તપ અર્થવાળા સન નામથી યુક્ત થઇને સનક, સનન્દન, સનાતન અને સનત્કુમાર નામના ચાર મુનિઓના સ્વરૂપમાં અવતાર લીઘો. શ્રી સનકાદિ મુનિ વિષ્ણુના પ્રથમ ચાર અવતારો માટે પ્રયુક્ત શબ્દ છે. આ ચાર પ્રાકટ્ય કાળથી જ મોક્ષ માર્ગ પરાયણ, ધ્યાનમાં તલ્લીન રહેનાર, નિત્યસિદ્ધ તથા નિત્ય વિરક્ત હતાં. તે ભગવાન વિષ્ણુના સર્વપ્રથમ અવતાર માનવામાં આવે છે.
સનક, સનન્દન, સનાતન અને સનત્કુમાર ઋષિઓએ બ્રહ્માજી પાસેથી સર્વપ્રથમ 'પરમ શક્તિ'ના વિષયમાં પ્રશ્ન કર્યો. બ્રહ્માજીએ ભગવાન વિષ્ણુના સ્વરૂપ વાસુદેવ કૃષ્ણને જગદીશ કહીને સંબોધિત કર્યાં. સનકાદિ ઋષિઓ દ્વારા સવાલ પૂછવાથી બ્રહ્માજી તેમને જણાવે છે કે, વૃંદાવન અધીશ્વર શ્રી કૃષ્ણ જ એકમાત્ર સર્વેશ્વર છે. તે સમસ્ત જગતના આધાર માનવામાં આવે છે. તે પ્રકૃતિથી પરે અને નિત્ય છે. તે સર્વેશ્વર શ્રી કૃષ્ણની આહ્યલાદિની, સન્ધિની, જ્ઞાન ઇચ્છા, ક્રિયા વગેરે અનેક શક્તિઓ છે. તેમાં આહ્યલાદિની સૌથી પ્રમુખ છે.
આજે પણ આ ઘોર કળિયુગમાં સનકાદિક મુનિઓનું એક સંપ્રદાય વિદ્યમાન છે. આ સંપ્રદાયને 'નિમ્બાર્ક સંપ્રદાય' અથવા 'સનકાદિ સંપ્રદાય' કહેવામાં આવે છે. એવી માન્યતા છે કે, સનકાદિ ઋષિઓએ ભગવાનના હંસાવતારથી બ્રહ્મ જ્ઞાનનું શિક્ષણ ગ્રહણ કરીને તેનો પહેલો ઉપદેશ પોતાના શિષ્ય દેવર્ષિ નારદને આપ્યું હતું. તેના એતિહાસિક પ્રતિનિધિ થયેલાં નિમ્બાર્કાચાર્ય, જેને 'નિમ્બાર્ક સંપ્રદાય' કહેવામાં આવે છે. આજે પણ આદિ અવતાર સનકાદિ મુનિઓ દ્વારા પ્રાપ્ત લઘુ સ્વરૂપ "સુદર્શન ચક્ર" રાજસ્થાન રાજ્યના અજમેર જિલ્લામાં સલેમાબાદ ક્ષેત્રમાં જગતગુરૂ શ્રીનિમ્બાર્કાચાર્યપીઠમાં દાર્શનિક છે.