રાહુ કાળથી કેમ ડરે છે સાઉથના લોકો, શું હોય છે તેનો પ્રભાવ
ચૂંટણીની તારીખો જાહેર થતાં જ સાઉથમાં રાજનેતાઓમાં હોહા મચી ગઈ હતી. તેમનું કહેવું હતું કે રાહુકાળમાં કેમ જાહેર કરવામાં આવી ચૂંટણીની તારીખો? તો રાહુ કાળ કે જેને દક્ષિણભારતમાં ભારે મહત્વ આપવામાં આવે છે તે છે શું? કેમ છે તેનો આટલો ડર? હકીકત એ છે કે દક્ષિણ ભારતના લોકો રાહુકાળને અતિ ખરાબ ગણે છે. તે કોઈ પણ શુભ કાર્ય ક્યારેય રાહુકાળમાં કરતાં નથી. ચંદ્રશેખર રાવે તેમના શપથ ગ્રહણ સમયની પસંદગીમાં પણ આ મામલે ખાસ ધ્યાન રાખ્યું હતું. તો ચાલો જાણીએ રાહુકાળ વિશે…
રાહુકાળ એ દિવસનો એક એવો સમયગાળો છે કે જેમાં કોઈ કાર્ય શરૂ કરવામાં અસફળતાઓ મળે છે. અનેક અવરોધો આવે છે. અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. દક્ષિણ ભારતના લોકો આ સમયગાળામાં કોઈ શુભ કાર્ય કે કોઈ નવું કાર્ય ક્યારેય કરતાં નથી. એવું પણ લોકો અનુભવે છે કે ભૂલથી જો કોઈવાર રાહુકાળમાં કોઈ કાર્ય શરૂ કરી દેવામાં આવે તો તેનું સંપૂર્ણ શુભ ફળ મળતું નથી. દક્ષિણ ભારતના લોકો આ મામલે બહું કાળજી રાખે છે. કહેવાય છે કે તેને પરિણામે મનોકામના અધૂરી રહી જાય છે.
કેવી રીતે નક્કી થાય છે રાહુકાળ
સૂર્ય દરરોજ એક સમયે જ નથી ઉગતો તેના સમયમાં થોડો ફેરફાર થતો જતો હોય છે. તેથી દરેક શહેરમાં સૂર્યોદયની ગણનામાં પણ ફરક પડે છે. રાહુ કાળ પણ અલગ અલગ સ્થાનો પર અલગ અલગ હોય છે. તો ચાલો જાણીએ સામાન્ય રીતે શું હોય છે રાહુકાળનો સમય…
.
રાહુકાળઃ
સોમવારે સવારે 7.30થી 9.00 સુધી
મંગળવારે બપોરે 3.00થી 4.30 સુધી
બુધવારે બપોરે 12.00થી 1.30 સુધી
ગુરુવારે બપોરે 1.30થી 3.00 વાગ્યા સુધી
શુક્રવારે સવારે 10.30થી 12.00 વાગ્યા સુધી
શનિવારે સવારે 9.00થી બપોરના 10.30 વાગ્યા સુધી
રવિવારે સાંજે 4.30થી 6.00 વાગ્યા સુધી
રાહુકાળને રાહુકાલમ નામથી પણ ઓળખવામાં આવે છે. માત્ર શુભ કાર્યો માટે રાહુ કાળ વિશે વિચાર કરવો જોઈએ, અશુભ કાર્ય માટે નહિ, જો કોઈ શુભ કાર્ય રાહુકાળ શરૂ થયાં પહેલાં જ શરૂ કરી દેવાયું હોય તો પછી રાહુકાળ દરમિયાન તેને અટકાવી દેવું નહી. તેને પૂર્ણ કરવામાં કોઈ બાધ્ય નથી.
આમ દરરોજ વાર અનુસાર દોઢ કલાક રાહુકાળ રહે છે. તેમાં શુભ કાર્ય ન કરવું તેવી જ્યોતિષીય સલાહ આપવામાં આવે છે.