શ્રીરામના પરમ ભક્ત હનુમાનજી હંમેશા ઝડપથી પ્રસન્ન થતા દેવતાઓમાંથી એક છે. શાસ્ત્રો પ્રમાણે અનુસાર માતા સીતાના વરદાનના પ્રભાવથી બજરંગ બલીને અમર બતાવાયા છે. એવું માનવામાં આવે છે જે આજથી જ જ્યાં રામચરિત માનસ કે રામાયણનો કે સુંદરકાંડનો પાઠ પૂરી શ્રદ્ધા તથા ભક્તિથી કરવામાં આવે છે ત્યાં હનુમાનજી ચોક્કસપણે પ્રગટ થાય છે. તેમને પ્રસન્ન કરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ હનુમાન ચાલીસાનો પાઠ પણ કરે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે હનુમાન ચાલીસમાં ચાલીસ દોહા જ કેમ છે?
માત્ર હનુમાન ચાલસા જ નહીં, બધા દેવી-દેવતાઓની પ્રમુખ સ્તુતિઓમાં ચાલીસ જ દોહા હોય છે? વિદ્વાનોના મતાનુસાર ચાલીસ અર્થાત્ ચાલીસ, સંખ્યા ચાલીસ, આપણા દેવી-દેવતાઓની સ્તુતિઓમાં ચાલીસ સ્તુતિઓ જ સમ્મેલિત કરવામાં આવે છે. જેમ કે હનુમાન ચાલીસા, દુર્ગા ચાલીસા, શિવ ચાલીસા વગેરે. આ સ્તુતિઓમાં ચાલીસ દોહા જ કેમ હોય છે? તેનો ધાર્મિક દ્રષ્ટિકોણ છે. આ ચાલીસ સ્તુતિઓમાં સંબંધિત દેવતાઓના ચરિત્ર, શક્તિ, કાર્ય તથા મહિમાનું વર્ણન હોય છે. ચાલીસ ચોપાઈઓ આરણા જીવનની સંપૂર્ણતાનું પ્રતીક છે, તેમની સંખ્યા ચાલીસ એટલા માટે નક્કી કરવામાં આવી છે કારણ કે મનુષ્યનું જીવન 24 તત્વોથી બનેલું છે અને સંપૂર્ણ જીવનકાળમાં તેમને મળીને કુલ 40 સંસ્કાર નક્કી કરવામાં આવે છે. આ બંનેનો યોગ 40 થાય છે. આ 24 તત્વોમાં 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 5 મહાભૂત, 5 તન્માત્રા, 4 અન્તઃકરણ સામેલ છે. સોળ સંસ્કાર આ પ્રકારે છે.