Khar or Purushottam Month Starts From 13 March, 2020do this rituals
આજથી જ શરૂ કરો આ મંત્રોનો જાપ, આખો મહિનો મળતો રહેશે ધનલાભ
13મમાર્ચ, શુક્વારથી મળ માસ શરૂ થાય છે, જે 13 એપ્રિલ,સોમવાર સુધી રહેશે. ધાર્મિક ગ્રંથો અનુસાર, ખર (મળ) મહિનાને ભગવાન પુરુષોત્તમે પોતાનું નામ આપ્યું છે. તેથી આ મહિને પુરૂષોત્તમ માસ પણ કહેવાય છે. આ મહિનામાં ભગવાનની ઉપાસના કરવાનું વિશેષ મહત્વ છે.જેનાથી લક્ષ્મીજીની કૃપા મેળવી શકાય છે.
ગ્રંથો મુજબ, આ મહિનામાં, સવારે સૂર્યોદય પહેલાં ઉઠીને, સ્નાન કરીને ભગવાનનું સ્મરણ કરવું જોઈએ અને પુરુષોત્તમ માસ માટે લીધેલાં નિયમો પૂરા કરવા જોઈએ. જેનાથી ભગવાનની કૃપા થાય છે.
આ મહિનામાં યાત્રાધામ, ઘર અને મંદિરોમાં બધે જ ભગવાનની કથાવાર્તા કરવી, સાંભળવી જોઈએ. ભગવાનની ખાસ પૂજા કરવી જોઈએ અને ભગવાનની કૃપાથી દેશ અને વિશ્વનું કલ્યાણ થાય અને ગાય-બ્રાહ્મણ તથા ધર્મનું રક્ષણ થાય તે માટે દાન, પુણ્ય અને ભગવાનની પૂજા કરવી જોઈએ. પુરુષોત્તમ માસ વિશે શાસ્ત્રોમાં લખાયેલું છે કે,
येनाहमर्चितो भक्त्या मासेस्मिन् पुरुषोत्तमे।
धनपुत्रसुखं भुकत्वा पश्चाद् गोलोकवासभाक्।।
એટલે પુરુષોત્તમ મહિનામાં, નિયમમાં રહીને ઈશ્વરની પૂજાથી ભગવાન ખુશ થઈને, તમામ સુખ આપે છે, તે ભક્ત મૃત્યુ પછી ભગવાનના દિવ્ય ગોલોકમાં રહે છે.
ખર મહિનામાં આ મંત્રનો કરો જાપ
ધર્મગ્રંથોમાં એવા ઘણા શ્લોકો છે જેને ખર માસમાં ઉચ્ચારવામાં આવે તો ખૂબ પુણ્ય મળે છે. પ્રાચીન સમયમાં, શ્રી કૌંડિલ્ય ઋષિએ આ મંત્રો જણાવ્યા હતા, જેનું આ રીતે ઉચ્ચારણ કરવું જોઈએ.
कौण्डिन्येन पुरा प्रोक्तमिमं मंत्र पुन: पुन:।
जपन्मासं नयेद् भक्त्या पुरुषोत्तममाप्नुयात्।।
ध्यायेन्नवघनश्यामं द्विभुजं मुरलीधरम्।
लसत्पीतपटं रम्यं सराधं पुरुषोत्तम्।।
અર્થ - મંત્રનું ઉચ્ચારણ કરતી વખતે, મેઘશ્યામ, બે ભુજાવાળા, પીળા વસ્ત્રદારી, વાંસળી વગાડતાં, રાધિકાજીએ સહિત શ્રીપુરુષોત્તમ ભગવાનનું ધ્યાન કરવું જોઈએ.
મંત્ર -
गोवर्धनधरं वन्दे गोपालं गोपरूपिणम्।
गोकुलोत्सवमीशानं गोविन्दं गोपिकाप्रियम्।।
આ મંત્રનો એક મહિના સુધી ભક્તિભાવપૂર્વક વારંવાર પાઠ કરવાથી પુરુષોત્તમ ભગવાનની પ્રાપ્તિ થાય છે.