કુંડળી અને હાથની રેખાઓને જોયા વિના જાણીલો શનિની કેવી છે તમારા પર નજર
દરેક ગ્રહની એક વિશેષતા હોય છે. સારા ખરાબ લક્ષણો વ્યક્તિ પર જોઈ શકાય છે. આ લક્ષણોને સમજીને ગ્રહોને જાણી શકાય છે. વ્યક્તિના સ્વભાવ અને આદતો પર ધ્યાન આપવાથી જાણી શકાય કે શનિદેવની કેવી દૃષ્ટી છે તમારા પર. શનિના લક્ષણો ખુબજ સાફ અને સ્પષ્ટ હોય છે જેની ઓળખાળ કરવી ખુબજ સરળ છે.
આ જાતકો પર શનિની અશુભ નજર
જે વ્યક્તિ કઠોર, નિષ્ક્રિય અને કામચોર સ્વભાવનો હોય છે, કામને ટાળતો રહે છે. જીવનની દરેક ઘટનામાં નિષ્ક્રિય રહે છે તેના પર શનિની ખરાબ અસર હોય છે. આવા જાતકને ડગલે ને પગલે સંઘર્ષનો સામનો કરવાનો રહે છે.
આ જાતકો માટે શનિ શુભ ફળ આપનાર
અનુશાસનમાં જીવનાર, ખુબજ પરિશ્રમ કરનાર જેમનું જીવન ખુબજ આધ્યાત્મિક હોય, કાયદાઓનું પાલન કરનાર, ખુબજ ધન વૈભવ પ્રાપ્ત કરનાર હોય તેવા જાતક પર શનિ મહારાજ ખુશખુશાલ હોય છે.
આ ઉપાય કરવાથી શનિની અશુભ અસર ઓછી થશે
આચરણ અને વ્યવહાર શુદ્ધ રાખો. સ્વચ્છતા જાળવો. ધર્મ કર્મનું પાલન કરો. ભગવાન શિવ અને ભગવાન કૃષ્ણની પૂજા કરો. ગરીબોને દાન આપો. ભૂખ્યાઓને ભોજન આપો. સંધ્યાકાળે શનિ મહામંત્રનો જાપ કરો.