ભગવાન શંકરના હનુમાન અવતારની પૂજા પુરાતન કાળથી જ શક્તિના પ્રતિકના રૂપમાં કરવામાં આવી રહી છે. હનુમાનના જન્મના સંબંધમાં ધર્મગ્રંથોમાં ઘણી કથાઓ પ્રચલિત છે. તે અનુસાર –
ભગવાન વિષ્ણુના મોહિની રૂપને જોઈને લીલાવશ શિવજીએ કામાતુર થઈ પોતાનું વિર્યપાત કરી દીધું. સપ્તઋષિઓએ તે વીર્યને કેટલાક પાનમાં સંગ્રહિત કરી વાનરરાડ કેશરીની પત્ની અંજનીના ગર્ભમાં સ્થાપિત કરી દિધું, જેથી અત્યંત તેજસ્વી તથા પ્રબળ પરાક્રમી શ્રી હનુમાનજી ઉત્પન્ન થયા. હનુમાનજી બધી વિદ્યાઓના અધ્યયન કરી પત્ની વિયોગમાં વ્યકુળ રહેનાર સુગ્રીવના મંત્રી બની ગયા.
તેને પત્ની હરણથી ખિન્ન તથા ભટકતા રામચંદ્રજીની સુગ્રીવથી મિત્રતા કરાવી. સીતાની ખોજમાં સમુદ્રને પાર કરી લંકા ગયા અને ત્યાં તેને અદ્ભૂત પરાક્રમ દેખાડ્યું. હનુમાને રામ-રવણ યુદ્ધમાં પણ આપે પરાક્રમો દેખાડ્યા અને સંજીવનની બૂટી લાવીને લક્ષ્મણના પ્રાણ બચાવ્યા. અહિરાવણને મારીને લક્ષ્મણ તથા રામને બંધનથી મુક્ત કરાવ્યા. આ પ્રકારે હનુમાન અવતાર લઈને ભગવાન શિવ પોતાના પરમ ભક્ત શ્રી રામની સહાયતા કરી.