Every Evening Do This Measures
રોજ સાંજે કરો આ 1 ઉપાય, લક્ષ્મીની કૃપાથી જીવનભર થશે ધનવર્ષા
બધા જ એવું ઈચ્છે છે કે દેવી લક્ષ્મીનો આશીર્વાદ તેમના પર બન્યો રહે. તેના માટે તે સંપૂર્ણ વિધિ-વિધાનથી ભગવાનને મનાવવામાં જોડાયેલા રહે છે તો ક્યારેક દાન-ધર્મ કરી પુણ્ય કમાય છે, પરંતુ ઘણા ઓછા જ લોકો એ જાણતા હશે કે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે પૂજા સ્થળ પર યોગ્ય પ્રકાશ હોવો પણ ખૂબ જરૂરી છે. આ પણ વાસ્તુનો એક નિયમ છે, જેનાથી માતા લક્ષ્મી જલ્દી જ પોતાના ભક્તો પર પ્રસન્ન થઈ જાય છે.
ઘરમાં પૂજા સ્થળ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે કારણ કે ઘરની સુખ-સમૃદ્ધિ અને ધનની અવર-જવર પર તેની સીધી અસર પડે છે. વાસ્તુ મુજબ, પૂજા ઘર ઈશાન કોણમાં જ બનાવવું જોઈએ કારણ કે આ સ્થાન દેવતાઓ માટે નિશ્ચિત કરવામાં આવ્યું છે. પૂજા ઘરમાં પીળા રંગના બલ્બનો ઉપયોગ કરવો શુભ હોય છે તથા અન્ય રૂમમાં દૂધિયા બલ્બનો ઉપયોગ કરવો જોઈએ. આવું કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે અને વેપારમાં પ્રગતિ થાય છે.
આ સમય પર આવે છે દેવી લક્ષ્મી
વાસ્તુ મુજબ સાંજના સમયે પૂજા સ્થાન પર ઈષ્ટ દેવની સામે પ્રકાશની યોગ્ય વ્યવસ્થા હોવી જોઈએ, તેના માટે ઘીનો દીવો પ્રગટાવવો ખૂબ સારો માનવામાં આવે છે. શાસ્ત્રો મુજબ આ સમયે ઘરમાં ધનની દેવી માતા લક્ષ્મી પ્રવેશ કરે છે. આવી અશુભ ઉર્જાને રોકાવા તથા ઘરમાં લક્ષ્મીના વાસ માટે સંધ્યા સમયે ઘરમાં તથા પૂજા સ્થાન પર ઉત્તમ પ્રકાશ હોવો જોઈએ.