વ્યક્તિની ઓળખ એવા હસ્તાક્ષર ‘કલ્પવૃક્ષ’ સમાન ફળ આપે છે
હસ્તાક્ષરએ શિક્ષિત વ્યક્તિની ઓળખ છે. હસ્તાક્ષર દરેક વ્યક્તિ પોતાની સૂઝબૂઝ પ્રમાણે અને વૈચારિક તરંગો પ્રમાણે કરે છે. કોઈ બે વ્યક્તિની વિચારધારા એક હોઈ શકે પણ મગજનાં તરંગો પળે પળે બદલાતાં હોવાથી એક ના હોઈ શકે વિચારોને સંસ્કારોથી કેળવવા જોઈએ. સંસ્કારોએ કુળ-ખાનદાન પરિવાર અને શિક્ષણ ઉપર ખૂબ આધારિત હોય છે. ધર્મપ્રિયતા અને સમજણનો સુયોગ સધાય તો વૈચારિક શુભ્રતા જરૂર પ્રાપ્ત કરી શકાય.
વૈચારિક પવિત્રતાથી હકારાત્મક ભાવ ઉત્પન્ન થાય અને એનું પ્રતિબિંબ માનસિક વલણ ઉપર પડે, મુડ ઉપર પડે અને જે હસ્તાક્ષરમાં દ્રષ્ટિમાન થાય જે પોઝિટિવ જ હોય પોઝિટિવ હસ્તાક્ષર ‘કલ્યાણકારી ભાગ્યદાતા’ છે. કર્મપ્રધાન જીવનમાં ગ્રહોની જે અસર પ્રાપ્ત થાય છે જે જન્મસમયમાં ચાલતી ગ્રહોની પરિસ્થિતિથી સમજાય છે અને મનોવિશ્લેષણથી જે વૈચારિક સિદ્ધિ પ્રાપ્ત થાય એ હસ્તાક્ષરનાં મરોડમાં દેખાઈ આવે છે. હસ્તાક્ષર ત્યારે પોઝિટિવ બનીને ‘કલ્પવૃક્ષ’ જેમ ફળ આપે એમ ફળ આપવા માંડે છે.
હસ્તાક્ષરને સામાન્ય નહીં પણ અસામાન્ય ગણવાં જોઈએ હસ્તાક્ષરથી જ કર્મનું ભાથું મજબૂત બનાવી શકાય એવાં કર્તવ્યો થાય છે અને ભાગ્યનું નિર્માણ થાય છે. એ ભાગ્ય સુખમય બનાવો તો સર્વને પ્રસન્ન બનાવે દુઃખ અવરોધ. વિલંબ અને સજાપાત્ર તકલીફો નકારાત્મકતાથી મળે જે વિશે જાણો.
નેગેટિવ શૃંખલાની સિગ્નેચર વિશેની સૂક્ષ્મ માહિતી
જે નહીં કરો તો ‘કલ્પવૃક્ષ’ પ્રાપ્ત થાય. સુખમય જીવન બને.
અસમતુલિત હસ્તાક્ષર
જે હસ્તાક્ષર સમતુલા ન જાળવી શકે એ હસ્તાક્ષર સમતુલિત ભાગ્ય પ્રદાન ના કરી શકે વ્યક્તિના મગજ ઉપર ભારણ હોય અને ખરાબ મૂડમાં હસ્તાક્ષર જ્યારે ‘અસ્તવ્યસ્ત’ રીતે લખાય ત્યારે ભાગ્યમાં ખતરો ઉત્પન્ન કરતાં વિષયો ઉમેરાય અને નાહક તકલીફો સહન કરવી પડે.
આધારવિહોણાં હસ્તાક્ષર
જે હસ્તાક્ષર લખાયાં બાદ નીચે પ્લેટફોર્મ ન બનાવવામાં આવે કે અંડરલાઈન ન થાય એ હસ્તાક્ષર પડતાં આકાશી ગ્રહોનાં તરંગો એને સ્પર્શ કરીને નીચે ઉતરી જાય છે અને જરૂરી તત્ત્વો પૂરાં પાડતાં નથી. નકારાત્મકતા હોય તો એ નકારાત્મક્તા એમ જ રહે છે અને વ્યક્તિની પરિસ્થિતિમાંથી કોઈ ફરક દેખાતો નથી માટે આધાર આવ્યા વિનાની સહી ના કરવાનો આગ્રહ છે.
અતિ ઉર્ધ્વગામી હસ્તાક્ષર
જે હસ્તાક્ષરનાં લખાણમાં ૨૦થી ઊંચી ઊંચાઈવાળી સિગ્નેચર લખાય તો એ જોખમરૂપ બની જાય છે. ૧૦થી ૧૫ ડિગ્રી ઊંચાઈ જ રાખવી. એકદમ સીધી લીટી પણ ના કરવી જેથી ઊંચાઇ પર જવાનો લાભ નથી મળતો. હસ્તાક્ષરને ઊંચાઈથી લખાય પણ ૨૦થી ઉપર ઊંચાઈવાળા હસ્તાક્ષર ભયજનક સાબિત થઈ શકે. જેમ વધારે ઊંચી ઈમારતથી પડીએ તો એ પ્રાણઘાતક થઈ શકે.
ઐશ્વર્યારાય બચ્ચન અને અભિષેક બચ્ચન
અભિષેક બચ્ચન અને ઐશ્વર્યારાય બચ્ચન બંનેની સિગ્નેચર મ્ટ્વજીઙ્મીજજ છે. પ્લેટફોર્મ વિનાની છે, પરંતુ અક્ષરોનાં મરોડને કારણે એમને વિશિષ્ટ ભાગ્યના ચમકારાઓ પ્રાપ્ત થાય છે. અભિષેકનો પ્રથમ મરોડ પૂર્ણ રીતે વજનદાર નથી અને Light થાય છે. જેથી પ્રારંભિક સંઘર્ષ અવશ્ય થયો. ઐશ્વર્યા રાયનો ‘A’ કણસિક્કા રીતે લખાય છે જે અંગત રીતે એમને ખૂબ લાભદાયી રહ્યો.