વિવેકાનંદથી તો ભારતનો કોઈ વ્યક્તિ અજાણ નથી ત્યારે હાલ વિવેકાનંદની જન્મ જયંતીના અનુસંધાને યુવાવર્ષ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે યુવાનોને પ્રેરણા આપનાર વિવેકાનંદ જ્યારે વિશ્વ સમક્ષ હિન્દુત્વની ઓળખાણ આપે છે તો કઈ રીતે આપે છે, જ્યારે તેને પોતાના પ્રથમ અને ટૂંકા વ્યાખ્યાનમાં હિન્દુત્વને ઉજાગર કેવી રીતે કર્યું તે જાણો -
11 સપ્ટેમ્બર 1883ના રોજ શિકાગોના આર્ટ ઈન્સ્ટિટ્યુટ ખાતે ધર્મ સંસદની શરૂઆત થઈ.આ દિવસે વિવેકાનંદે પોતાનું પ્રથમ ટૂંકુ વક્તવ્ય આપ્યું હતું.
તેણે વિશ્વ સત્તા સામે જ્યારે પ્રથમ વખત હિન્દુ ધર્મને રજૂ કર્યો ત્યારે કહ્યું "વિશ્વમાં સાધુઓની સૌથી પ્રાચીન પરંપરા, વેદની સન્યાસી પરંપરા, ધર્મ કે જેણે વિશ્વને સહનશીલતા અને વૈશ્વિક સદભાવ શીખવ્યો છે."
આ સઉપરાંત તેણે વિશ્વ સામે સાચી હિન્દુ ધર્મની સત્તા જગાવવા ભગવદ ગીતાનો સહારો લઈ અને બોલ્યા -
"જેવી રીતે બે વિભિન્ન પ્રવાહોનો સ્રોત અલગ-અલગ ઠેકાણે હોય છે પણ તેનું પાણી સમુદ્રમાં ભેગુ થાય છે, તેવી રીતે હે પ્રભુ, માણસની વિવિધ પ્રથાઓ અલગ-અલગ ભલે લાગતી હોય, પરંતુ તે તમામ રસ્તાઓ તારા સુધી લઈ આવે છે!"અને "જે કોઈ પણ મારી પાસે આવે છે, ભલે ગમે તે સ્વરૂપમાં આવે, હું તેના સુધી પહોંચુ છું; તમામ પુરુષો સમગ્ર માર્ગ પર સંઘર્ષ કરતા રહે છે, પરંતુ આ તમામ રસ્તાઓ આખરે મારા સુધી લઈને આવે છે."
ભારતના આ એક એવા વ્યક્તિ હતા કે 200 વર્ષ અનેક સત્તાઓ એ ભારત પર રાજ કરવા ઝઝુમ્યા તેને માત્ર 2 મિનિટમાં જ મહાત્ત કરી દીધા હતા.