ગમે તેટલી મોટી સમસ્યા થશે ચપટી વગાડતાં હલ, હનુમાનથી સામે કરો આ જાપ
શનિ, મંગળ અને રાહુ આ ત્રણ ગ્રહોને મનાવવા માટેનો સૌથી સરળ ઉપાય છે હનુમાનજીની આરાધના. હનુમાનજીની આરાધનાથી પણ જલદી ફળ મેળવવું હોય તો સૌથી સરળ ઉપાય છે, હનુમાનજીની સામે રામની સાધના કરવી. આ ઉપાયથી તમારી બધી જ સમસ્યાઓ બહુ જલદી હલ થશે. જો કોઇ મોટ ઉપાય ન કરી શકતા હોય, સંસ્કૃતના કોઇ મંત્રનો જાપ ન કરી શકતા હોય તો, રામ આમ જ એક સરળ ઉપાય છે.
તમારા જીવનમાં પણ શનિ, મંગળ અને રાહુની સમસ્યાઓ હોય, બનતાં કામ અટકતાં હોય અને કામનું યોગ્ય પરિણામ મળતું ન હોય, ઉપરાંત જીવન મુંજવણોથી ભરાયેલું હોય, વારંવાર ગુસ્સો આવતો હોય કે બીજી કોઇ સમસ્યા હોય તો દરેક માટે અલગ-અલગ ઉપાય કરવાની જગ્યાએ આ ત્રણેય ગ્રહો સાથે જોડાયેલ દરેક સમસ્યાના નિવારણ માટે રામ નામનો જાપ કરવો જોઇએ. હનુમાનજી સામે ભગવાન રામની સ્તુતિ કરવી એ જ્યોતિષ અને દરેક ગ્રંથમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે.
આ રીતે કરો ઉપાય:
૧. કોઇપણ મંગળવારે સવારે હનુમાન મંદિર જાઓ.
૨ હનુમાનજીની પૂજા કરો.
૩. તેમને લાલ ગુલાબનું ફૂલ ચઢાવો.
૪. ગોળ અને ચણાનો ભોગ ચઢાવો.
૫. પછી હનુમાન ચાલિસાનો પાઠ કરો.
૬. ત્યારબાદ હનુમાનજી સામે બેસીને રામ નામનો જાપ કરો.
૭. 108 મોતીની માળા લઈ 108 વાર રામ નામનો જાપ કરવો એ સૌથી બેસ્ટ રીત છે.
૮. દરરોજ મંદિરમાં જઈ હનુમાનજી સામે રામ નામનો જાપ કરવાનો નિયમ બનાવો. તેનાથી ફળ બહુ જલદી મળશે.