*એક મુસ્લિમ લેખકે આ લેખ દ્વારા હિન્દુ સમુદાય ને લપડાક મારી છે*
તમારી પરણિત સ્ત્રીઓ એ સાડી પહેરવાનું બંધ કરી દીધું છે તેમને કોણે રોક્યા છે...?
આ માટે કોણ જવાબદાર...?
તમારા કપાળ પર તિલક એક સમયે તમારી ઓળખ હતી
તમે લોકો ખાલી કપાળને અશુભ ની નિશાની માનતા હતા
માત્ર તમે પુરુષોએ જ ઘરની બહાર નીકળતા પહેલા તિલક લગાવવાનું બંધ કર્યું નથી પણ તમારી સ્ત્રીઓ એ પણ ફેશન અને આધુનિકતા ના નામે કપાળ પર ચાંલ્લો લગાવવાની પ્રથા છોડી દીધી છે
આ માટે કોણ જવાબદાર...?
તમે લોકોએ તમારી પરંપરાગત વિધિઓને બદલે બર્થડે પાર્ટી અને થર્ટીફસ્ટ પાર્ટીની ઉજવણી કરી છે
આમાં કોની ભૂલ...?
મુસ્લિમ સમાજમાં જ્યારે બાળક ચાલતા શીખે છે ત્યારે તે તેના અબ્બાની આંગળી પકડીને ઇબાદત/નમાઝ માટે મસ્જીદમાં જાય છે અને ઇબાદત/નમાઝને પોતાની આજીવન ફરજ માને છે
તમે લોકોએ તો મંદિરો જોવાનું પણ બંધ કરી દીધું છે
હવે જો તમારા બાળકો ને મંદિરમાં જવાનું યોગ્ય કારણ અને મંદિરમાં શું કરવું તે ખબર ન હોય
તેના માટે જવાબદાર કોણ...?
તમારા બાળકો સ્કૂલમાં ભણ્યા પછી અંગ્રેજી કવિતાઓ સંભળાવે છે
એનું તમને ગર્વ છે
પરંતુ તમે તમારા બાળકો દ્વારા ગીતા ના શ્લોક ના પાઠ પર ગર્વ અનુભવો અને હવે જો તે ગીતા શ્લોક નો પાઠ ન કરે તો
કોણ જવાબદાર...?
આપણા ઘરોમાં જો કોઈ બાળક આપણા સંબંધીઓ ની સામે નમસ્કાર અને પ્રણામને બદલે
હેલો અને હાય બોલે તો
આના માટે કોણ જવાબદાર...?
સ્કૂલમાં થી પાછા ફર્યા પછી અમારા બાળકો ઉર્દૂ અને અરબી શીખે છે અને અમારા ધાર્મિક પુસ્તકો વાંચવાનું શરૂ કરે છે
તમારા બાળકો ન તો રામાયણ વાંચે છે કે ન તો ગીતા
તે સંસ્કૃત પણ જાણતા નથી
તો આ ભૂલ કોની...?
તમારી પાસે સંસ્કૃતિ, ઈતિહાસ, પરંપરાઓ વગેરે બધું હતું
તમે આ બધું આધુનિકતા ના નામે બલિદાન આપ્યું
એના માટે જવાબદાર કોણ...?
તમે લોકો પોતે તિલક, યજ્ઞોપવીત, શિખા રાખવાનું ટાળો છો અને તમારી સ્ત્રીઓને ચાંલ્લો, બંગડીઓ અને મંગળસૂત્ર પહેરવામાં શરમ આવે છે
તમે લોકો તેને બિનજરૂરી માનો છો અને ખુલ્લામાં તમારી ઓળખ પ્રદર્શિત કરવામાં શરમ અનુભવો છો
કહેવાતા આધુનિકતાના નામે, તમે લોકોએ સવારે 4-5 વાગ્યે વહેલા ઉઠવાની પ્રથા છોડી દીધી છે અને તમારા કર્મકાંડ અને રિવાજો, પરંપરાઓ, તમારા સંસ્કારો, તમારી ભાષા, તમારા પહેરવેશ ને પણ છોડી દીધા છે
સમુદાયે તેની ઓળખને સુરક્ષિત રાખવા માટે સ્વાભાવિક રીતે જ સજાગ રહેવું જોઈએ પરંતુ હવે કમનસીબે તમે હવે તમારા સમુદાયને જ સમજાવી ના શકવાની દયનીય સ્થિતિમાં છો.
વિચારો કે તમારી સંસ્કૃતિ ના વિનાશ ના અને અસુરક્ષાની લાગણી ના વાસ્તવિક કારણો શું છે...?
શું તમે પોતે જ કારણ છો...?
પરંતુ ખરી સમસ્યા એ છે કે તમે તમારા સમુદાય ને જાગૃત કરવા માંગો છો
પરંતુ તમે પોતે જ તમારી જાતને પ્રેક્ટિસના ઉદાહરણ તરીકે રજૂ કરતા નથી.
તમને બધાને આજના રાજકારણીઓએ દિમાગમાં એવું ભૂસું ભરાવ્યું છે કે ઈસ્લામના કારણે હિંદુધર્મ ખતરામાં છે, તો આ તમારી સૌથી મોટી ગેરસમજ છે.તમે તમારો ધર્મ સાચવ્યો નથી એટલે એ આજે આ સ્થિતિમાં મુકાયો છે.
*જો તમે હિન્દુ હો અને ખરેખર આ વાત સાચી લાગી હોય તો તે બાબત વિચારો અને પોતાના પરિવાર થી સુધારવા ની શરૂઆત કરો*
🙏🏻🙏🏻🙏🏻