બાણશંકરી મંદિર, બેંગલોર. ગઇકાલે બેંગલોર મ્યુનિ ની સર્વિસ, જે અહીં સારીગે નામ છે તેના દ્વારા નવી શરૂ થયેલ દિવ્યદર્શન ટૂરમાં સવારથી સાંજ જઈ આવ્યો. તેમાં અંતિમ પડાવ આ મંદિર. અત્યંત ભીડભાડ વાળી જગ્યાએ. મંદિરમાં પણ માણસો માય નહીં એટલી ભીડ.
અહીં માતાજી સામે દીવડા પ્રગટાવેલી થાળી ફેરવવાનું ખૂબ મહત્વ છે. કેમ એ ખબર નથી. પાછળ તરફ લંગર કે પ્રસાદ જેવું પણ હતું. હમણાં જ જાણ્યું કે એ દિવડાઓ લીંબુના અડધીયા ની છાલમાં પ્રગટાવેલા હતા અને હોય છે! અમુક મુશ્કેલીઓના નિવારણ માટે પ્રાર્થના કરવા કે કુંડળીમાં રાહુકાળ હોય એ દરમ્યાન રાહત માટે આ રીતે લીંબુની ફાડમાંથી ગર્ભ કાઢી એમાં તેલના દિવસ પ્રગટાવી અહીં માતાજી સમક્ષ આરતી થાય છે.
ટુરની બીજી જગ્યાઓ પણ સરસ હતી અને અમે વરથુર થી જઈ શકીએ એવી જગ્યાએ ન હતી. બધી દૂરદૂરની. ઇસ્કોન ટેમ્પલ પણ આ ટૂર વસંતનગર માં પ્રમાણમાં નવાં બનેલાં મંદિરે લઈ ગઈ. પેલું હમણાં કહેલું એ દરેક સ્ટેપ પર ઊભી હરે રામ.. હરે કૃષ્ણ.. વગેરે આખો મંત્ર બોલી 20 મિનિટમાં 108 પગલાં જવાનું એ ધતિંગ અહીં ન હતું. દર્શન પણ વધુ સારાં અને મૂર્તિઓ રત્નજડિત હતી.
અત્યાર પૂરતા એ અંતિમ પડાવ બાણશંકરી મંદિરના જુઓ.
બેંગલોર આવતા ધર્મપ્રેમી કે વયસ્ક લોકો આ BMTC ની દિવ્યદર્શન ટૂર ના લાભ અચુક લે.