✨ પ્રસ્તાવના – “મૌનના મેસેજ”
લેખિકા: Vrunda Amit Dave
મૌન... ઘણું બધું કહી જાય છે.
બે શબ્દોના વચ્ચેનો શૂન્ય પણ જ્યારે સાચા દિલથી અનુભવાય, ત્યારે એ શૂન્ય પણ સંદેશ બની જાય છે.
આ “મૌનના મેસેજ” એ મારા મનના અદૃશ્ય તારોએ ઘડાયેલું એક કાવ્યસંગીત છે —
જ્યાં પ્રેમ છે, જીવન છે અને પ્રકૃતિનો પણ શાંત સાથ છે.
એમ નહિ કે દરેક પંક્તિ વ્યાખ્યાવાચક છે, પણ દરેક પંક્તિએ કોઈને ક્યાંક સ્પર્શવાનું મૌન ઈરાદું રાખ્યું છે.
આ કાવ્યોમાં કદાચ તારી યાદો છૂપાયેલી હોય શકે,
કદાચ તારાં મનના પ્રશ્નો ને જવાબો,
અથવા તો તારી અંદરની શાંતિ ને એકલતા પણ મળી શકે.
દરેક પૃષ્ઠ એ તો એક મૌન સંવાદ છે —
જ્યાં શબ્દો કરતા ભાવ વધારે બોલે છે...
અને જ્યાં વાચક પોતાનું જ પ્રતિબિંબ જોઈ શકે છે.
મારું સૌભાગ્ય છે કે આ અનુભવ તમે વાંચવા જઈ રહ્યાં છો.
તમારા અંતરમાં કોઈ પંક્તિ ઘૂસી જાય, તો સમજજો કે... એ મૌનનો સંદેશ તમારું જ હતો.
સ્નેહપૂર્વક,
Vrunda Amit Dave