Kannada Quote in Blog by Parmar Mayur

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Kannada daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ક્યારેક મનમાં પ્રશ્ન થાય છે.
એ રાવણ ત્રિકાળજ્ઞાની હતા.

શું તેને ખબર નહીં હોય?
એક દિવસ માટીમાં મળી જવાનું છે.

તો પણ અહંકાર

સ્વયં ને ના જાણીને અહમ્ ને પોષણ આપ્યું.

શું સીતાની અવમાનના સાથે જ સુવર્ણની લંકા પણ તેનું કારણ હશે?

જો હોય તો એ સુવર્ણ લંકા કરતા મારી માતૃભૂમિ ની માટી થી બનેલ કાચું ખોરડું ભલે રહ્યું.

કહેવાય છે કે શ્રી કૃષ્ણ એ પણ સોનાની દ્વારિકા નગરી વસાવી હતી.

શ્રી કૃષ્ણ પણ ત્યાં ઝાઝું રાકાયા વિના બસ કૌરવ પાંડવ આંતરકલહ નિવારવા સક્રિય રહ્યા.

આખરે યુદ્ધ થી જ નિવારણ.

યાદવો અંદરોઅંદર દ્રેષ, ઈર્ષા અને અહંકાર થી પિડિત થઈ ને ઝઘડીને મર્યા હતા,

શું ગાંધારીના શ્રાપ સાથે જ તેનું એક કારણ સુવર્ણની કાન્હા વિનાની માયા તો નહીં હોયને?

કાન્હા એ સુવર્ણની દ્વારિકા નેં એમ જ તો સમૃદ્ધ માં ડુબાડી નહીં હોય ને.

એક દિવસ માટીમાં માટી કે રાખ થઈ ને અંતે ભળી જવાનું છે.

એટલે જ સુવર્ણ કરતાં માટીને ધ્યાનમાં રાખવી બહેતર રહે જ્યારે કોઈ વાતનો અહંકાર આવે.

આપોઆપ અહંકાર ભાગીને માટીમાં ભળી જશે 🦚🦚

Kannada Blog by Parmar Mayur : 112008288

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now