Megharyan - 9 in Gujarati Love Stories by અવિચલ પંચાલ books and stories PDF | મેઘાર્યન - 9

Featured Books
  • તાંડવ એક પ્રેમ કથા - 8

    કાવ્ય અને કાવતરા શિવ સાંજે પોતાના ઘરે પહોંચ્યો અને પોતાના દર...

  • તેહરાન

    તેહરાન-રાકેશ ઠક્કર           હિટ ફિલ્મો આપનાર ‘મેડોક ફિલ્મ્સ...

  • RUH - The Adventure Boy.. - 7

    પ્રકરણ – 7  બાળપણની ગલીઓ...!!હવે આવ્યો ત્રીજા ધોરણમાં… જે મા...

  • રેડહેટ-સ્ટોરી એક હેકરની - 24

            રેડ હેટ:સ્ટોરી એક હેકરની        પ્રકરણ: 24      એક આ...

  • એકાંત - 25

    છ મહિના રેખાબેન અને નિસર્ગ સિવિલમાં રહીને બહાર નીકળ્યાં ત્યા...

Categories
Share

મેઘાર્યન - 9

મેઘાની વાત પૂરી થઈ ત્યાં જ અમારી આસપાસનું દ્રશ્ય બદલાઈ ગયું. હવે અમેં એક મેદાનીપ્રદેશમાં હતાં. અહી આખી જમીન પર ઘાસ ઊંઘેલું હતું. ખૂબ દૂર અમુક વૃક્ષો નજરે પડતાં હતાં. મેં આ જગ્યા વિષે ક્યારેય કઈ જોયું કે સાંભળ્યું નહોતું. મેં મેઘાને પૂછ્યું, “મેઘા, આ કઈ જગ્યા છે અને અત્યારે આપણે પૃથ્વી પર છીએ કે તારી દુનિયામાં છીએ?”

મેઘાએ કહ્યું, “આપણે અત્યારે પૃથ્વી પર જ છીએ. આર્યવર્ધને જ્યારે અમારી દુનિયામાંથી આ દુનિયામાં આવવા માટેનો દ્વાર ખોલ્યો ત્યારે તેની સાથે સમય અને સ્થાન મુજબ મારી દુનિયાની અમુક ગુપ્ત જગ્યાઓ અહી પૃથ્વી પર આવી ગઇ. જેમાંથી બે જગ્યા પર આપણે ગયાં હતાં. પહેલી પ્રશાંત સાગરનો દ્વીપ અને બીજી એમેઝોનના જંગલની કેબિન હતી. અત્યારે આપણે જે જગ્યા પર ઊભા છીએ તે મારું અને આર્યવર્ધનનું યુદ્ધ અભ્યાસનું ક્ષેત્ર છે.”

મેઘા મારા સવાલનો જવાબ આપતી હતી ત્યારે મારી નજર એક આકૃતિ પર પડી. જે મારી તરફ આવી રહી  હતી પણ ખૂબ દૂર હોય તેમ લાગતું હતું. મેં તે આકૃતિ તરફ ઈશારો કરતાં મેઘાને ફરી સવાલ પૂછ્યો, “શું તે આર્યવર્ધન છે?” મેઘાએ હા કહેતી હોય તેમ ઈશારો કર્યો.

હું મેઘાથી થોડો દૂર જઈને આર્યવર્ધનની સામેં જઈને ઊભો રહ્યો. મારા મનમાં એક સવાલ થયો કે આખરે આર્યવર્ધન મને કેમ મારવા માંગે છે? પણ હવે મેઘાને એ સવાલ પૂછવાનો સમય નહોતો. મેં આંખો બંધ કરીને એ તમામ પ્રસંગોને યાદ કર્યા જે આર્યવર્ધન સાથે ગાઢ રીતે સંકળાયેલા હતાં. એટલે મને મારા સવાલનો જવાબ મળી ગયો. આર્યવર્ધન થોડો નજીક આવ્યો એટલે તેણે પીઠ પર બાંધેલી મ્યાનમાંથી તલવાર બહાર કાઢી.

આર્યવર્ધન મારું સર્જન હતો એટલે મને તેનાથી જરા પણ ડર લાગ્યો નહિ. એ મારી કલ્પનાનું શ્રેષ્ઠ સર્જન હતું. તે મારું જ એક અલગ સ્વરૂપ હતું. હવે મારે ખુદનો સામનો કરવાનો હતો. આર્યવર્ધન મારી સામેં આવ્યો. તેની આંખોમાં ગુસ્સાની જ્વાળાઓ દેખાઈ રહી હતી. હું મોટા અવાજે બોલ્યો, “આર્યવર્ધન તું અહી જે નિશ્ચય કરીને આવ્યો છે તે કદી પૂરો નથી થવાનો. માટે તું પાછો ચાલ્યો જા.”

મારી વાત સાંભળીને આર્યવર્ધનના ચહેરા પર હાસ્યની રેખા ફેલાઈ ગઈ. તે બોલ્યો,”તું ભલે મારો સર્જક અને ભાગ્યવિધાતા છે. પણ જો માનવ ધારે તો પોતાના કર્મથી ભાગ્યના લેખ બદલી શકે છે. આ ભગવાન નારાયણે કહ્યું છે. હું પણ મારા ભાગ્યના લેખ બદલવા માટે આવ્યો છું. એ લઈને જઈશ જેના પર મારો હક છે.” વાત પૂરી કરીને આર્યવર્ધને તેના હાથમાં રહેલી તલવારને મારા તરફ ફેંકી. તે તલવાર મારાથી થોડે દૂર જમીનમાં ખૂંપી ગઈ.

હું તે તલવાર પાસે આવ્યો અને આર્યવર્ધન સામેં જોયું. આર્યવર્ધન બીજા મ્યાનમાંથી તલવાર બહાર કાઢીને ઊભો હતો. મેં તે તલવારને હાથ લગાવ્યો એટલે તેમાંથી એક પ્રકાશનો લિસોટો નીકળ્યો અને મારા શરીરમાં લીન થઈ ગયો. ત્યારબાદ મારા શરીર પર આર્યવર્ધનની જેમ ધાતુનું કવચ આવી ગયું. મેં તે તલવારને બંને હાથ પકડીને શ્રીહરિ નારાયણને યાદ કર્યા પછી આર્યવર્ધન સામેં જોયું.

મેં કહ્યું, ”આર્યવર્ધન, તું મારી શ્રેષ્ઠ કૃતિ છે. મેં તને બધું જ આપ્યું છતાં પણ મારી સામેં દ્રોહ કરી રહ્યો છે. તું નારાયણનો એક અંશાવતાર છે એ વાતને પણ ભૂલી ગયો છે. તારો જન્મ કલ્કિ અવતારની સહાયતા માટે થયો છે.”

મારી વાત સાંભળીને આર્યવર્ધન મારી તરફ દોડી આવ્યો અને અમારી તલવાર એકબીજા સાથે ટકરાઇ. અમેં બંને પાછા હટયા અને ફરીથી અમારી તલવારો એકબીજા સાથે અથડાઇ. આમ થોડા સમય સુધી બંને તલવારોની ટક્કર થતી રહી.

પછી નવા હુમલો કરવા માટે આર્યવર્ધન પાછળ હટયો ત્યારે તે બોલ્યો, “ભલે તે મારું સર્જન કરીને મને એ તમામ સુખ આપ્યું પણ તેની કિમત મેં તને ચૂકવી છે. તે મારા પ્રેમને મારાથી દૂર કરી દીધો. હું જ્યારે મારી શ્રી થી અલગ થયો ત્યારે મને અપાર તકલીફ પડી હતી. હું તને એ જ તકલીફનો અનુભવ કરાવવા માટે આવ્યો છું, એ તકલીફ અને દર્દ તને ત્યારે જ સમજાશે જ્યારે તું તારી પ્રિય વસ્તુને ગુમાવીશ.”